By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ખાડી ક્ષેત્રમાં અમેરિકી નૌકાદળની કાર્યવાહીમાં ૩ ભારતીય નાવિકોના મોત: વિદેશ મંત્રી એસ. જયશંકરે અમેરિકા સામે નોંધાવ્યો વિરોધ
    21 hours ago
    AIના ડેટા સેન્ટરો અમેરિકા-કેનેડામાં સામે દેખાવોઃ પાણી-વીજળીનો બેફામ વપરાશ માનવજાત સામે ખતરો
    22 hours ago
    ટ્રમ્પે કહ્યુ – ઇરાન સાથે આજે યુધ્ધ સમાપત થયું
    2 days ago
    ભારતીય ક્રૂ મેમ્બર્સ ધરાવતા જહાજ પર અમેરિકાના હુમલા બાદ ભારત લાલઘૂમ
    3 days ago
    કૈલાશ માનસરોવર યાત્રામાં ભારતીયોને નો એન્ટ્રી
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    આસામના જોરહાટમાં એરફોર્સનું ટ્રાન્સપોર્ટ વિમાન ક્રેશઃ 5 જવાનો શહીદ, કોર્ટ ઓફ ઇન્ક્વાયરીના આદેશ
    22 hours ago
    ભારતની સંરક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ: ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલને તોડી પાડવા માટે સંપૂર્ણ સક્ષમ બન્યું
    1 day ago
    હવે ખાસ પરિસ્થિતિમાં કારણ જણાવ્યા વિના PF ખાતા ધારક 100% રકમ ઉપાડી શકશે
    2 days ago
    “કિંગ ઓફ સાળંગપુર” દિવ્ય સ્વરૂપોને મળ્યા કૉપીરાઇટ અને ટ્રેડમાર્ક પ્રમાણપત્રો
    2 days ago
    બિહારમાં વીજળી પડવાથી 10નાં મોત, 22 રાજ્યોમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આજથી FIFA વર્લ્ડ કપની શરૂઆત : ઓપનિંગ સેરેમનીમાં પોપસ્ટાર શકીરા અને સિંગર બર્ના બોયે પર્ફોર્મ કર્યું
    2 days ago
    સૌથી મોટો વુમન્સ T-20 વર્લ્ડકપ કાલથી શરૂ
    3 days ago
    બાંગ્લાદેશ ક્રિકેટ ટીમે રચ્યો ઇતિહાસ, 21 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાને વન-ડેમાં હરાવવામાં સફળ
    4 days ago
    ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત, અફઘાનિસ્તાન સામેની વન-ડે સીરિઝમાંથી બહાર
    4 days ago
    ભારતની ટેસ્ટ ઇતિહાસમાં સૌથી મોટી જીત: અફઘાનિસ્તાનને એક ઇનિંગ્સ અને 300 રનથી હરાવ્યું
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    23 hours ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    2 days ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    2 weeks ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    2 weeks ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 day ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 day ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ‘સાંઢિયા પુલ’ના લોકાર્પણ પૂર્વે રાત્રે ‘હેપ્પી સ્ટ્રીટ’ના આયોજનમાં રાજકોટવાસીઓ ઝૂમ્યા
    1 day ago
    મેયર ડૉ. નેહલ શુક્લ અઠવાડિયામાં ૩ દિવસ લોકોની ફરિયાદો સાંભળશે
    2 days ago
    રાજકોટ–જેતપુર હાઇવે પર ચોમાસા પહેલા તાત્કાલિક કામગીરી કરો : કોંગ્રેસની NHAIને રજૂઆત
    3 days ago
    10 દિવસ સુધીના ટોકન આપી લોકોને ચોક્કસ સમયે બોલાવાશેઃ ડૉ. મેયર નેહલ શુક્લ
    4 days ago
    જન્મ-મરણના દાખલાનું સર્વર ડાઉન થતા મનપા કચેરીએ ભારે હોબાળો
    4 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: વિરોધ કરશો તો વધુ છાંટા ઉડશે, ચૂપ રહેવામાં ભલીવાર છે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > વિરોધ કરશો તો વધુ છાંટા ઉડશે, ચૂપ રહેવામાં ભલીવાર છે
Author

વિરોધ કરશો તો વધુ છાંટા ઉડશે, ચૂપ રહેવામાં ભલીવાર છે

Khaskhabar Editor
Last updated: 2024/06/22 at 5:59 PM
Khaskhabar Editor 2 years ago
Share
9 Min Read
SHARE

વિશેષ:સૌરભ શાહ

‘મહારાજ’ ફિલ્મ પછી બીજી અનેક સશકત ગુજરાતી કૃતિઓ ફિલ્મ સર્જકોના ધ્યાનમાં આવશે

- Advertisement -

હિંદી સિનેમાના એક સદીના ઇતિહાસમાં ગુજરાતી નવલકથા પરથી બનેલી ફિલ્મો પાંચ-સાતથી વધારે નથી

‘મહારાજ’નું હિંદી સિનેમાના કોમ્પીટિટિવ ક્ષેત્રમાં પ્રવેશવું અને લાખો-કરોડો પ્રેક્ષકો સુધી પહોંચવું, ભારતના જ નહીં-દુનિયાભરમાં પથરાયેલા હિંદીભાષીઓ સુધી પહોંચવું – આ કોઈ સામાન્ય ઘટના નથી

કોઈ ગુજરાતી નવલકથા પરથી કરોડો રૂપિયાના ખર્ચે ભવ્ય હિંદી ફિલ્મ બનાવે એવું પહેલીવાર ‘મહારાજ’ ની રિલીઝથી બન્યું

- Advertisement -

‘સરસ્વતીચંદ્ર’ ગુજરાતી સાહિત્યની અમર નવલકથા છે. ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીએ ચાર ભાગમાં લખેલી આ નવલકથા 1887, 1892, 1898 અને 1901માં પ્રગટ થઈ. નવલકથામાં ઓગણીસમી સદીના આરંભના ગુજરાતી પરિવારની વાત છે. ‘સરસ્વતીચંદ્ર’ નવલકથા પરથી ગોવિંદ સરૈયાએ 1968માં એ જ નામની હિંદી ફિલ્મનું દિગ્દર્શન કર્યું. નૂતન હીરોઈન હતી. કલ્યાણજી આણંદજીનું સુપરહિટ મ્યુઝિક. ફિલ્મ આ ગીતોને કારણે આજની તારીખે પણ ગુજરાતીઓના હૈયામાં છે : ચંદન સા બદલ, ફૂલ તુમ્હેં ભેજા હૈ ખત મેં, છોડ દે સારી દુનિયા કિસી કે લિયે, હમને અપના સબ કુછ ખોયા પ્યાર તેરા પાને કો. અને હજુ એક સદાબહાર – મેં તો ભૂલ ચલી બાબુલ કા દેશ પિયા કા ઘર પ્યારા લગે…

‘સરસ્વતીચંદ્ર’ ફિલ્મે ગોમાત્રિની અમર નવલકથાને હિંદી ભાષાના માધ્યમથી રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતીઓનું ગૌરવ વધાર્યું.
1987માં કેતન મહેતાએ (જેમણે ‘ભવની ભવાઈ’ અને ‘સરદાર’ જેવી યાદગાર ફિલ્મો બનાવી છે) ચુનીલાલ મડિયાની ગુજરાતી વાર્તા પરથી નસિરુદ્દીન શાહ અને સ્મિતા પાટીલને લઈને હિંદીમાં ‘મિર્ચ મસાલા’ નામની ફિલ્મ બનાવી. આર્ટ ફિલ્મ હોવાથી ઓછા લોકો સુધી પહોંચી પણ જેમણે જોઈ તે સૌ પ્રેક્ષકોએ છુટે મોઢે એને વખાણી. ગુજરાતી સાહિત્ય ફરી એકવાર હિંદી સિનેમાના માધ્યમથી રાષ્ટ્રીય કક્ષાએ પ્રતિષ્ઠા પામ્યું.

(આ જ કેતન મહેતાએ ‘મિર્ચ મસાલા’ પછી 1988માં ‘મિસ્ટર યોગી’ નામની ટીવી સિરિયલ બનાવી હતી.) ગુજરાતી સાહિત્યના શીર્ષસ્થ સર્જક મધુ રાયની નવલકથા ‘કિમ્બલ રેવન્સવુડ’ પરથી, કેતન મહેતાએ ‘મિસ્ટર યોગી’ ટીવી સિરિયલ બનાવી તેના બેએક દાયકા બાદ, 2009માં આ જ નવલકથા પરથી આશુતોષ ગોવારિકરે પ્રિયંકા ચોપરાને લઈને ‘વોટ્સ યોર રાશિ’ નામની હિંદી ફિલ્મ બનાવી. ગુજરાતી સાહિત્યની એક ઔર અમર નવલકથા હિંદી સિનેમાના માધ્યમથી નેશનલ લેવલ પર પહોંચી.

ગોવર્ધનરામ ત્રિપાઠી, ચુનીલાલ મડિયા અને મધુ રાય ઉપરાંત બીજા કયા કયા મહાન ગુજરાતી સાહિત્યકારોની નવલકથા હિંદી સિનેમારૂપે રાષ્ટ્રીય કક્ષાએ પહોંચી છે તે વિશે સંશોધન કરીને એક યાદી બનાવી આપવાની વિનંતી મેં હરીશ રઘુવંશીને કરી છે. ગુજરાતી નવલકથા પરથી ગુજરાતી ફિલ્મો ઘણી (‘માનવીની ભવાઈ’ વગેરે) બની છે. ગુજરાતી નાટકો પરથી કેટલીક હિંદી ફિલ્મો પણ બની છે (‘ધૂંધ’, ‘આજ કી તાજા ખબર’). પણ આપણે ગુજરાતી નવલકથાઓ પરથી બનેલી હિંદી ફિલ્મોની વાત કરી રહ્યા છીએ. ઉપર જેનો ઉલ્લેખ થયો તે ગોમાત્રિ, મડિયા અને મધુ રાયની નવલકથાઓ ઉપરાંત હું માનું છું કે હજુ બીજા બે-ત્રણ દાખલા જરૂર મળી આવશે. હરીશ રઘુવંશી આદરણીય ગુજરાતી ફિલ્મ સંશોધક છે. એમની યાદીની રાહ જોઈએ.

હિંદી સિનેમાના એક સદીના ઇતિહાસમાં ગુજરાતી નવલકથા પરથી બનેલી ફિલ્મો પાંચ-સાતથી વધારે નથી. હિંદી ફિલ્મોના મેઇનસ્ટ્રીમ નિર્માતા અને એમાંથી ઇન્ડસ્ટ્રીના ટોચના નિર્માતા કોઈ ગુજરાતી નવલકથા પરથી કરોડો રૂપિયાના ખર્ચે ભવ્ય હિંદી ફિલ્મ બનાવે એવું પહેલવહેલી વાર ‘મહારાજ’ ની રિલીઝથી બન્યું છે. મારા માટે તો આ ઘણા મોટા ગૌરવની વાત છે જ. પણ વાત મારા એકલા સુધી સીમિત નથી. આ ફિલ્મને લીધે ગુજરાતી ભાષામાં લખાતી સશકત્ત નવલકથાઓ પર હિંદી ફિલ્મોના નિર્માતા-દિગ્દર્શકોનું ધ્યાન ખેંચાશે. નેશનલ લેવલ પર જઈ શકે એવી બીજી નહીં નહીં તોય પચીસ ગુજરાતી નવલકથાઓ ગુજરાતીમાં છે જે ‘મહારાજ’ કરતાંય ચાર ચાસણી ચડે એવી છે. કનૈયાલાલ મુનશીની નવલકથાઓ પરથી હિંદી ફિલ્મો બની ગઈ છે. હવે નવેસરથી વિશાળ બજેટ સાથે બનવી જોઈએ. રમણલાલ વસંતલાલ દેસાઈ, પન્નાલાલ પટેલ, ઝવેરચંદ મેઘાણી અને ચંદ્રકાંત બક્ષી, અશ્ર્વિની ભટ્ટ, હરકિસન મહેતાથી લઈને રઘુવીર ચૌધરી, મધુ રાય, વીનેશ અંતાણી સુધીના અનેક સર્જકોએ ઑલરેડી લેન્ડમાર્ક ગણાય એવી નવલકથાઓ આપી છે. હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ‘મહારાજ’ને કારણે આ ગુજરાતી નવલકથાઓ તરફ દૃષ્ટિ કરશે એવું ચોક્કસ બનવાનું છે. ગુજરાતી ભાષાના નવા નવલકથાકારોની સશકત્ત કૃતિઓ પણ હિંદી સિનેમાના માધ્યમથી આખા ભારતના દર્શકો સુધી પહોંચે એવી દિશા પણ યશરાજ ફિલ્મ્સે ‘મહારાજ’ દ્વારા ખોલી આપી છે.

એટલે જ ‘મહારાજ’નું હિંદી સિનેમાના કોમ્પીટિટિવ ક્ષેત્રમાં પ્રવેશવું અને લાખો-કરોડો પ્રેક્ષકો સુધી પહોંચવું, ભારતના જ નહીં-દુનિયાભરમાં પથરાયેલા હિંદીભાષીઓ સુધી પહોંચવું – આ કોઈ સામાન્ય ઘટના નથી. ‘મહારાજ’ નવલકથાના લેખક તરીકે મારું પુણ્ય તો આંગળી ચીંધવા પૂરતું જ સીમિત છે. આ ગૌરવ ગુજરાતીનું છે, આપણી માતૃભાષાનું છે. સાડા સાત કરોડ ગુજરાતીઓનું છે.

ફિલ્મ ‘મહારાજ’ની રિલીઝ નિમિત્તે થયેલો વિવાદ ગઈકાલે (શુક્રવાર 21 જૂને) ગુજરાત હાઇ કોર્ટે આપેલા લેન્ડમાર્ક ચુકાદા પરથી શમી જવો જોઈએ. નામદાર અદાલતે સ્પષ્ટ કહ્યુ છે કે, ‘… આ ફિલ્મ પુષ્ટિમાર્ગીઓની લાગણીને દુભાવવાના આશયથી નથી બની… ‘મહારાજ’ ફિલ્મ કોઈ રીતે ધાર્મિક લાગણીઓને અફેક્ટ કરતી નથી, હર્ટ કરતી નથી. ફિલ્મમાં સંદેશો એ આપવામાં આવ્યો છે કે સંપ્રદાય કોઈ વ્યક્તિ કરતાં કે ઘટના કરતાં ઘણો અગત્યનો છે. આ ઘટના (જદુનાથ મહારાજવાળી ઘટના)ને એક અપવાદ તરીકે લઈને વૈષ્ણવ સંપ્રદાય(નો વ્યાપ) અને તેના અનુયાયીઓ(ની સંખ્યા) વધતાં રહ્યાં છે. અને (આ સંપ્રદાય તથા તેના અનુયાયીઓ) ભારતના સામાજિક, સાંસ્કૃતિક તથા ધાર્મિક જગતના ગૌરવભર્યા તથા અનિવાર્ય એવા હિસ્સા તરીકે ચાલુ રહ્યા છે. આ ફિલ્મને લીધે સામાજિક કે કોમી સંવાદિતા ખોરવાશે એવો ભય વ્યક્ત કરવામાં આવ્યો છે પણ આ જ (‘મહારાજ લાયબલ કેસ’, 1862) કેસ પર લખાયેલું પુસ્તક (‘મહારાજ’ નવલકથા) 2013માં પ્રગટ થઈ ચૂક્યું છે અને કોઈ અનિચ્છનીય ઘટના નોંધાઈ નથી. ઈવન, અરજકર્તાઓએ પણ એવો કોઈ દાવો કર્યો નથી કે આ પુસ્તક (‘મહારાજ’ નવલકથા) દ્વારા કોઈ સામાજિક કે કોમી વિસંવાદિતા સર્જાઈ હોય’.
આ શબ્દો નામદાર ગુજરાત હાઇ કોર્ટના ચુકાદાના છે.

લગભગ એક કલાક સુધી આ ઑર્ડરનું ડિક્ટેશન જસ્ટિસ સંગીતા કે. વિશને કરાવ્યું. તે દરમ્યાન સૌરભ શાહના નામનો ઉલ્લેખ ત્રણથી વધુ થયો અને એકવાર નામ વિના ‘રિનાઉન્ડ ઑથરે’ લખેલા પુસ્તકનો ઉલ્લેખ થયો. નામદાર કોર્ટના ચુકાદાના ઑપરેટિવ હિસ્સામાં ‘મહારાજ’ ફિલ્મને રિલીઝ થવા દેવાના મુખ્ય કારણમાં 2013માં ‘મહારાજ’ પુસ્તક (નવલકથા) પ્રગટ થયા પછી ક્યાંય કોઈ અનિચ્છનીય બનાવો નોંધાયા નથી તે વાત કેન્દ્રમાં હતી. ‘મહારાજ’ ફિલ્મને કારણે કશુંક અઘટિત બનશે એવી દહેશત અસ્થાને છે એવું કહીને કોર્ટે ‘મહારાજ’ નવલકથા પર આડકતરી રીતે મંજૂરીની મહોર મારી દીધી છે. આમ છતાં હજુય આ વિશે વિવાદ ચાલુ રહ્યો અને વૈષ્ણવો, સનાતનધર્મીઓ, હિંદુઓની ઉશ્કેરણી કરવાનું કામ ચાલુ રહ્યું તો તે કૃત્ય કમનસીબ હશે એવું હું માનું છું એટલું જ નહીં આડકતરી રીતે કોર્ટનો તિરસ્કાર કરવા જેવું કૃત્ય હશે એવું પણ હું માનું છું. માટે હવે આ બાબતે સૌ કોઈએ શાંતિ રાખવી જોઈએ.

‘મહારાજ’ નવલકથાની પ્રસ્તાવનામાં મેં નોંધ્યું છે : ‘જેમ ભારતીય હોવાનું, હિંદુ હોવાનું, ગુજરાતી હોવાનું અને માણસ હોવાનું મને ગૌરવ છે એટલું જ ગૌરવ મને વૈષ્ણવ હોવાનું પણ છે. વૈષ્ણવ સંપ્રદાયની પરંપરાથી હું વાકેફ છું. આ નવલકથા કોઈ એક સંપ્રદાયને વગોવવાના કે કોઈપણ વ્યક્તિની ધાર્મિક લાગણી દુભાવવાના આશયથી લખાઈ નથી. એવું કરવાનો વિચાર સુધ્ધાં જિંદગીમાં ક્યારેય નથી આવ્યો. વૈષ્ણવ પરંપરામાં એક જમાનામાં રહેલા એક વરવા પાસા પર પ્રકાશ ફેંકવાનો આ પ્રયાસ છે જેથી સમગ્ર વૈષ્ણવો ચેતે અને જો આ જમાનામાં ક્યાંક આવી કે કોઈપણ પ્રકારની બદીઓ હોય અને તે જુએ તો તેઓ કરસનદાસ મૂળજી બનીને ત્યાં પહોંચી જાય અને એને અટકાવે. ફરી યાદ અપાવું કે કરસનદાસ મૂળજી પોતે વૈષ્ણવ હતા, કપોળ હતા’.

ધારાવાહિક રૂપે ‘મહારાજ’ નવલકથા લખવાનું શરૂ કર્યા પછી હું જદુનાથ મહારાજના પૌત્રના પૌત્ર બાલકૃષ્ણલાલજી (બાલારાજા)ને મળવા 1997ના અરસામાં સુરતમાં ચૌટાસ્થિત મોટી હવેલીએ ગયો હતો. પ્રસ્તાવનામાં મેં નોંધ્યું છે: ‘…. બાલુરાજાએ મને જણાવ્યું કે કેટલાક વૈષ્ણવો એમની પાસે ‘મહારાજ’ નવલકથાની વાત લઈને આવ્યા હતા અને એનો વિરોધ કરવાનું એમણે સૂચવ્યું હતું. પણ બાલુરાજાએ મને એમને એવું કહ્યું હોવાનું જણાવ્યું કે ‘વિરોધ કરશો તો વધારે છાંટા ઊડશે માટે ચૂપ રહો એમાં જ ભલીવાર છે’. સેવકોને આવી વ્યવહારુ સલાહ આપવા બદલ મારે મહારાજશ્રીનો આભાર માનવો જોઈએ.’ ગુજરાત હાઇ કોર્ટના નેત્રદીપક ચુકાદા પછી પણ ‘મહારાજ’નો વિરોધ કરીને વૈષ્ણવોને, હિંદુઓને ઉશ્કેરીને સામાજિક સમરસતાને ડહોળવાની કોશિશ કરી રહેલાં કેટલાંક તત્વોએ પરમ આદરણીય બાલકૃષ્ણલાલજી ગોવિંદરાયજી મહારાજશ્રીના આ શબ્દો યાદ રાખવા જોઈએ : ‘વિરોધ કરશો તો વધારે છાંટા ઊડશે. માટે ચૂપ રહો એમાં જ ભલીવાર છે’.

‘સરસ્વતીચંદ્ર’ નવલકથા પરથી ગોવિંદ સરૈયાએ 1968માં એ જ નામની હિંદી ફિલ્મનું દિગ્દર્શન કર્યું. નૂતન હીરોઈન હતી, કલ્યાણજી આણંદજીનું સુપરહિટ મ્યુઝિક. ફિલ્મ તેના ગીતોને કારણે આજની તારીખે પણ ગુજરાતીઓના હૈયામાં છે

 

You Might Also Like

સ્ટેન્ડઅપ કૉમેડીના નામે ફેલાવાતી વલ્ગારિટી

બોરિંગ દ્વિનોંધી નામા પધ્ધતિનો રસપ્રદ ઇતિહાસ

પર્ફેક્શનિઝમ : નવો પણ સાયલેન્ટ રોગચાળો

ગ્રીક પુરાણો, ક્રિસ્ટોફર નોલાન અને એકિલીસ

ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો

TAGGED: MHARAJ
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રમેશભાઈ ઓઝાનું સત્યકથન સ્વામિનારાયણ સંપ્રદાયને ચચર્યું
Next Article મહારાજ: ધર્મ-સંપ્રદાયની આડમાં થતા કુકર્મોને ઉઘાડા પાડી ભોળાજનો -હરિભક્તોની આંખ ખોલનારી ફિલ્મ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

ખાડી ક્ષેત્રમાં અમેરિકી નૌકાદળની કાર્યવાહીમાં ૩ ભારતીય નાવિકોના મોત: વિદેશ મંત્રી એસ. જયશંકરે અમેરિકા સામે નોંધાવ્યો વિરોધ

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
AIના ડેટા સેન્ટરો અમેરિકા-કેનેડામાં સામે દેખાવોઃ પાણી-વીજળીનો બેફામ વપરાશ માનવજાત સામે ખતરો
મેસન ક્લબના ડિરેક્ટર સહિતનાઓ સામે ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ
વડાપ્રધાનના ‘૧૨ વર્ષ વિશ્વાસ અને વિકાસના’: ભાવનગર જિલ્લામાં જનકલ્યાણ શિબિરો અને પ્રગતિપથ યાત્રાનો પ્રારંભ
નથી જીવવા દેતી, નથી મરવા દેતી” વીડિયો બનાવી યુવકે ગટગટાવી ઝેરી દવા
સ્ટેન્ડઅપ કૉમેડીના નામે ફેલાવાતી વલ્ગારિટી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Bhavy Raval

સ્ટેન્ડઅપ કૉમેડીના નામે ફેલાવાતી વલ્ગારિટી

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
Authorમનીષ આચાર્ય

બોરિંગ દ્વિનોંધી નામા પધ્ધતિનો રસપ્રદ ઇતિહાસ

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
Author

પર્ફેક્શનિઝમ : નવો પણ સાયલેન્ટ રોગચાળો

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?