ગુજરાતમાં કોરોનાથી 3 લાખ લોકો મૃત્યુ પામ્યા, જેની લાશને માં ગંગા નદીમાં વહાવી દીધી.
અમે ફક્ત એક ભારત ઇચ્છિએ છિએ, જેમાં બધા લોકોને શિક્ષા અને સ્વાસ્થ્યનો સમાન અધિકાર મળે.
- Advertisement -
ગુજરાતમાં આવનારી ચુંટણીમાં કોંગ્રેસ પાર્ટીની સરકાર બનશે. આ આંદોલન પછી સરકારમાં આદિવાસીઓની અવાજ હશે.
ગુજરાતમાં આ વર્ષના અંત સુધીમાં ચુંટણી યોજાનાર છે. આ પહેલા કોંગ્રેસએ ગુજરાતમાં પક્ષને મજબૂત કરવાની તૈયારી ઝડપી બનાવી છે. ગુજરાતના ચુંટણી અભિયાનને ઝડપી કરતા કોગ્રેંસ નેતા રાહુલ ગાંધી ગુજરાતના દાહોદ જીલ્લાની મુલાકાતે પહોંચ્યા છે. જ્યાં રાહુલ ગાંધીએ આધિવાસી સત્યાગ્રહની રેલીને સંબોધિત કરી છે.
આ દરમ્યાન રાહુલ ગાંધીએ કેન્દ્રની મોદી સરકાર પર સીધા નિશાન સાધતા આરોપ લગાવ્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, પીએમ મોદીએ લોકસભામાં મનરેગાનો મજાક ઉડાવ્યો હતો. તેમણે કહ્યું હતુ કે, હું આ યોજનાને રદ કરવા માંગુ છું, પરંતુ નહીં કરૂ, કારણકે દેશને યાદ રહે કે કોગ્રેંસ પાર્ટીએ દેશમાં શું કર્યુ હતુ. પરંતુ આજે જો કોરોનાના સમયે મનરેગા યોજના ના હોત તો, તમને ખબર છે દેશની હાલત શું થાત?
- Advertisement -
કોરોનાને લઇને મોદી સરકાર પર ઉઠાવ્યા પ્રશ્નો
રાહુલ ગાંધીએ મોદી સરકારને કોરોના સ્થિતિ વિશે પ્રશ્નો પૂછતા કહ્યું કે, ગુજરાતમાં કોરોનાથી 3 લાખ લોકો મૃત્યુ પામ્યા, જેની લાશને માં ગંગા નદીમાં વહાવી દીધી. હિન્દુસ્તાનમાં કોરોનાથી 50-60 લાખ લોકોના મૃત્યુ થયા. પરંતુ તેઓ આ વિશે કોઇ વાત નહીં કરે. આ લોકો ફક્ત થાળી વગાડો અને લાઇટ ચલાવવાની વાતો જ કરશે.
નોટબંધી-જીએસટીને લઇને નિશાન સાધ્યુ
રાહુલ ગાંધીએ મોદી સરકાર પર નિશાન સાધતા કહ્યુ કે, પીએમ આવ્યા, નોટબંધી કરી, તમારા ખીસ્સામાંથી પૈસા કાઢયા, તમને કહ્યું કે આ કાળાધનની સામેની લડાઇ છે. સમગ્ર દેશને બેંકની સામે ઉભો રાખી દીધો. સમગ્ર દેશના પૈસાને બેંકમાં નાખ્યા, કાળાધનની તો ફક્ત વાતો છે. સાચો ફાયદો અરબપતિઓને થયો છે.
આ જનસભા નથી, આંદોલન છે: રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ કહ્યુ કે, આ જનસભા નથી. આ તો એક આંદોલનની શરૂઆત છે. આ સત્યાગ્રહની શરૂઆત છે. વર્ષ 2014માં નરેન્દ્ર મોદી દેશના પીએમ બન્યા. ત્યાર પહેલા તેઓ ગુજરાતના સીએમ હતા. પીએમ મોદીએ દેશને બે ભાગમા વહેંચી દીધો છે. પહેલા અમીરોનું ભારત અને બીજું ગરીબોનું ભારત અને સામાન્ય લોકોનું ભારત. પરંતુ કોંગ્રેસ બે ભારત નથી ઇચ્છતી. અમે ફક્ત એક ભારત ઇચ્છિએ છિએ, જેમાં બધા લોકોને શિક્ષા અને સ્વાસ્થ્યનો સમાન અધિકાર મળે.
તેમણે વધુમાં કહ્યું કે, આદિવાસીઓની જમીન અને પાણી બીજેપીના નથી. પરંતુ તેમનો ફાયદો આદિવાસિઓને મળી રહ્યો નથી. યૂપીએની સરકારમાં અમે કોશીશ કરી કે બધા સામાન્ય લોકો, દલિતો અને આદિવાસિઓ અને યુવાનોને બધા ફાયદા મળે. મનરેગાથી 100 દિવસોના કામની ગેંરટી મળે. જેથી કરોડો લોકોને ફાયદો મળે. એટલું જ નહીં કોગ્રેંસ ભૂમિ અધિગ્રહણ કાનૂન લઇ આવી, જેના હેઠળ વગર મંજુરીએ તમારી જમીન લેવામાં આવે નહીં.
રિવર લિંકિંગ પ્રોજેક્ટ બંધ કરશે- રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ ગુજરાતના પ્રોજેકટ વિશે વાત કરતા કહ્યું કે, ગુજરાતમાં જો કોગ્રેંસની સરકાર બનશે તો રિવર લિંકિંગ પ્રોજેકટ બંધ કરી દેશે. ગુજરાતમાં આવનારી ચુંટણીમાં કોંગ્રેસ પાર્ટીની સરકાર બનશે. આ આંદોલન પછી સરકારમાં આદિવાસીઓની અવાજ હશે. સંસદમાં આદિવાસી વિધાયકો હશે. જે આદિવાસી ઇચ્છે, તે જ ગુજરાત સરકાર કરશે. પાણી, જમીન અને જંગલની રક્ષા ગુજરાતની સરકાર કરશે.
LIVE : आदिवासी सत्याग्रह रैली, दाहोद। गुजरात #AdivasiSatyagraha https://t.co/UNR627OQVj
— Rahul Gandhi (@RahulGandhi) May 10, 2022