કુલપતિએ પોતાનાં પુત્ર ડૉ.જય ચોવટિયાને ગેરકાદેસર આસી.પ્રોફેસર બનાવ્યાનાં ગંભીર આક્ષેપ
ઇન્ચાર્જ કુલપત્તિ પદેથી હટાવ્યા બાદ સીધા કાયમી કુલપતિને બનીને આવતા યુનિવર્સિટીમાં ખળભળાટ મચ્યો
- Advertisement -
રાજ્યનાં તમામ વિભાગને કુલપિત ડૉ. વી.પી. ચોવટિયાની નિમણુંકને લઇ નોટિસ ફટકારી
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીને લઇ અનેક વિવાદ ચાલતા રહે છે. છેલ્લા બે વર્ષ કરતા વધુ સમયથી કૃષિ યુનિવર્સિટીમાં કાયમી કુલપિત ન હતા અને ઇન્ચાર્જનાં ભરોસે યુનિવર્સિટીનો વહીવટ થતો હતો. પરંતુ તાજેતરમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનાં કાયમી કુલપતિ પદે ડૉ.વી.પી.ચોવટિયાની નિમણુંક કરવામાં આવી છે. કુલપતિ પદે ડૉ.વી.પી.ચોવટિયાની નિમણુંક થતા જ યુનિવર્સિટીમાં ભડકો થયો છે. ડૉ.વી.પી.ચોવટિયા અનેક વિવાદોમાં ઘેરાયેલા છે અને તેની સામે અનેક રજુઆતો થઇ છે. છતા પણ તેની નિમણુંક થતા ખળભળાટ મચી ગયો છે. તેમની નિમણુંકને લઇ રાજયનાં તમામ વિભાગને નોટીસ ફટકારવામાં આવી છે. ડૉ.વી.પી.ચોવટિયા સામે તેના પુત્ર ડૉ. જય ચોવટિયાને ગેરકાયદેસર રીતે આસી.પ્રોફેસર બનાવ્યાનાં આક્ષેપ પણ થઇ રહ્યાં છે. આ અંગે જૂનાગઢનાં વિરલ જોટવાએ જણાવ્યું હતું કે,જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં ગેરકાયદેસર રીતે કુલપતિની નિમણુંકને લઇ જવાબદારો સામે સવાલ ઉઠ્યાં છે. જેમાં રાજયનાં મુખ્યમંત્રી, કૃષિ મંત્રી,અગ્ર સચિવ કૃષિ,ખેડુત કલ્યાણ અને સહકાર વિભાગ સહિતનાને વકિલ મારફત નોટીસ આપવામાં આવી છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનાં કુલપતિની નિમણુંક સામે અનેક સવાલ ઉઠ્યાં છે. વર્તમાન કુલપતિ ઇન્ચાર્જ કુલપતિ હતા ત્યારે પણ તેમની નિમણુંક સામે અનેક ફરિયાદો કરવામાં આવી હતી. છતા આ કુલપતિ પદે નિમણુંક કરવામાં આવી છે. તેમાનાં કાળમાં યુનિવર્સિટીમાં અનેક ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓ બહાર આવી છે.
વિરલ જોટવાએ વધુમાં જણાવ્યું હતું કે, ડૉ.વી.પી.ચોવટિયાનાં પુત્ર ડૉ. જય ચોવટિયાની શૈક્ષણિક લાયકાત તેમજ તેમણે મેળવેલ પીએચડીની ડીગ્રી બાબતે ગંભીર ફરિયાદો હોવા અને જય ચોવટિયાની આસી. પ્રોફેસર તરીકેની નિમણુંક કાયદાથી વિરૂદ્ધ હોવા છતા પણ આજે દિવસ સુધી ડૉ.જય ચોવટિયા તથા તેના પિતા ડૉ.વી.પી.ચોવટિયા સામે કોઇ જ કાર્યવાહી કરવામાં આવી નથી. આ અંગે ફોજદારી ઇન્ક્વાયરી કોર્ટમાં પેન્ડીંગ હોવા છતા જવાબદારો દ્વારા કુલપતિ તરીકે નિમણુંક કરવામાં આવી છે. એટલું જ નહી ડૉ.વી.પી.ચોવટિયા ઇન્ચાર્જ કુલપતિ હતા બાદ તેમને હટાવી અન્યને ઇન્ચાર્જ કુલપતિ બનાવવામાં આવ્યાં હતા. હાલ તેની ફરી કાયમી કુલપતિ તરીકે નિમણુંક થઇ છે. જેને લઇ અનેક સવાલ ઉભા થયા છે.
- Advertisement -
ભાજપમાં ઉચ્ચકક્ષા સુધી કુલપતિની વિરૂદ્ધમાં રજૂઆત
સુત્રોની માનીએ તો ડૉ. વી.પી.ચોવટિયાની કુલપતિ તરીકે નિમણુંકને લઇ ભારે ચર્ચા જાગી છે.ત્યારે કુલપિતનાં વિરૂધ્ધમાં પ્રદેશ ભાજપમાં રજુઆત કરવામાં આવી છે. આ નિમણુંકને લઇ કૃષિ યુનિવર્સિટીનાં અનેક લોકો નારાજ થયા છે.
જૂનાગઢમાં સહી અભિયાન ચલાવ્યું હતું
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનાં કુલપતિ ડૉ. વી.પી. ચોવટિયા સામે અનેક ગંભીર આક્ષેપ કરવામાં આવ્યાં છે. તેમજ તેમની નિમણુંકને અયોગ્ય માનવામાં આવી રહી છે.ત્યારે ડૉ.વી.પી.ચોવટિયા સામે જૂનાગઢમાં સહી અભિાયન ચલાવવામાં આવ્યું હતું. અને રાજયમાં ઉચ્ચકક્ષાએ રજુઆત કરાઇ હતી. છતા પણ તેમની નિમણુંક કરી દેવામાં આવી છે.