બિગ શોપ, મોલ, કોમ્પ્લેક્સ, સમાજવાડી, મંદિરમાં સ્વખર્ચે CCTV સિસ્ટમ ફરજિયાત
ખાસ-ખબર સંવાદદાતા
પ્રાયવસી મુદ્દે પોલીસને અર્મયાદ અધિકારો સોંપતો ’ગુજરાત જાહેર સલામતી (પગલાં) અમલીકરણ એક્ટ- 2022’ નિયમો સાથે તૈયાર થઈ ચૂક્યો છે. તેને અમલમાં મુકતા પૂર્વે ગૃહ વિભાગે નાગરીકો પાસે 30મી જૂન સુધીમાં વાંધા, સુચન, સુધારા માંગ્યા છે.
- Advertisement -
કાયદામાં 1000 કે તેથી વધુ લોકો ભેગા થતા હોય અથવા 1000 લોકોની અવરજવર રહેતી હોય તેવી સંસ્થાને આવરી લેવા સુચવાયુ છે. આ સુચનથી આવી સંસ્થાઓને સ્વખર્ચે પોતાને ત્યાં ઈઈઝટ સિસ્ટમ બેસાડવી તો પડશે જ પણ વિડીયો ફૂટેજ 30 દિવસ સુધી સાચવવા પડશે અને ઙજઈં કે તેથી ઉપલા દરજ્જાના અધિકારી માંગે ત્યારે તે આપવા પણ પડશે. કાયદા હેઠળ મોટી દૂકાનો, મોલ, કોમપ્લેક્ષ, સ્કૂલ, હોસ્પિટલ, સમાજવાડી, મંદિરો સહિતની સંસ્થાઓમાં ઈઈઝટ ફરજિયાત થશે.
ગૃહ વિભાગે પ્રસિધ્ધ કરેલા ડ્રાફ્ટ રૂલ્સના નોટિફિકેશનમાં કહ્યુ છે કે, મૂલાકાતીઓની સંખ્યાને આધારા સંસ્થાઓને નક્કી કરાશે.
હાલમાં આ કાયદો માત્ર આઠ મહાનગરોમાં જ અમલમાં આવશે. પરંતુ, બીજા તબક્કે તમામ નગરપાલિકા અને નોટિફાઈડ એરિયામાં પણ અમલ થશે.
- Advertisement -
નાગરીકોએ વાંધા- સૂચનો હોય તો મોકલો
જાહેર સ્થળો કે ધંધાકીય એકમોમાં સલામતી મુદ્દે અંગતપણાને અવરોધતા આ કાયદાને અમલમાં મુકતા પૂર્વે ગૃહ વિભાગે નાગરીકો પાસેથી વાંધા, સુચનો માંગ્યા છે. જેથી ભવિષ્યમાં psiથી લઈને કલેક્ટરેટ અને કોર્ટ સુધીની અથડામણો અટકે. કાયદો https://home.gujarat.gov.in ઉપલબ્ધ છે. જેના આધારે 30મી જૂન સુધી સુચનો સચિવાલય સ્થિત ગૃહ વિભાગમાં રૂબરૂ કે પછી ઈમેલ કરી શકાશે.