ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.30
દેશના પ્રથમ જ્યોતિલિંગ સોમનાથ મહાદેવ ની રાજનેતાઓ દ્વારા વિજય ભવ ના આશીર્વાદ લેવા આવતા હોય છે ત્યારે જૂનાગઢ ભાજપ ના ઉમેદવાર અને વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમા પણ તેમાં થી બાકાત રહ્યા નથી. સ્થાનિક સોમપુરા બ્રહ્મ સમાજ ના આગેવાન અને બ્રાહ્મણો દ્વારા જૂના સોમનાથ મહાદેવ મંદિર ખાતે નરેન્દ્ર મોદીના એબકી બાર 400 પારના નારાને સાર્થક કરવા તેમજ જૂનાગઢ બેઠક પર વિજય ભવ નાં આશીર્વાદ માટે જૂના સોમનાથ મહાદેવ ખાતે વિશેષ પૂજા અને અભિષેક કરવામાં આવ્યો હતો અને સોમનાથ મહાદેવ ને સંકલ્પ કરવામાં આવ્યો હતો. જૂનાગઢ ઉમેદવાર રાજેશ ચુડાસમા એ કહ્યું કે, અહીથી સરદારે સંકલ્પ કર્યો હતો અડવાણીજી એ રથ યાત્રા કાઢી હતી તે તમામ ના સંકલ્પ પૂર્ણ થયા છે અને આજે અમે પણ મહાદેવ ને સંકલ્પ કર્યો છે.