દૂર દૂરથી આવતા યાત્રિકો રોપ-વે સફર વગર પરત ફરી રહ્યા છે
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.30
- Advertisement -
જૂનાગઢ એશિયાનો સૌથી ઊંચો અને લાંબો ગીરનાર રોપ-વે ભારે પવનના કારણે આજે ત્રીજા દિવસે બંધ રાખવાનો નિર્ણય કંપની દ્વારા કરવામાં આવ્યો છે રોપ-વે સતત ત્રણ દિવસથી બંધ રહેતા દૂર દૂરથી આવતા યાત્રીકોએ રોપ-વેની સફર વગર પરત ફરવું પડ્યું હતું. ગીરનાર પર્વત પર છેલ્લા ત્રણ દિવસથી પ્રતિ 60 કિમિ ઝડપે પવન ફુંકાતા રોપ-વે સેવા બંધ રાખવામાં આવી છે જયારે ગીરનારની યાત્રા કરવા આવતા ભાવીકો રોપ-વેની સુવિધા બંધ હોવાના કારણે ઘણા યાત્રિકો પરત ફર્યા હતા જયારે અમુક યુવાન અને શશક્ત લોકો ગીરનાર સીડી ચડીને અંબાજી મંદિર અને દત્ત મહારાજના દર્શન કર્યા હતા
એક તરફ 40 ડિગ્રી તાપમાનથી ભારે ગરમી પડી રહી છે એવા સમયે રોપ-વે બંધ રહેતા યાત્રિકો મુશ્કેલીમાં મુકાયા હતા અને પગપાળા સીડી દ્વારા ગિરનાર યાત્રા કરી હતી.બીજી તરફ વિદ્યાર્થીઓનું વેકેશન પડી ગયું છે ત્યારે અનેક પરિવારો પોતાના બાળકો સાથે રોપ-વેની સફર માણવા આવે છે અને ગીરનારના દેવ સ્થાનોના દર્શન કરે છે.પણ રોપ-વે બંધ હોવાના કારણે પ્રવાસ ટૂંકાવીને પરત ફરે છે.ત્યારે પવનની ગતિ ધીમી પડ્યા બાદ ફરી રોપ-વે શરુ કરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.