મોબાઈલ ચેક કરવાના બહાને વોલેટમાંથી રૂપિયા ટ્રાન્સફર કરી લીધા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
અમદાવાદ શહેર ઝોન 06 ડીસીપી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ એમ.આર. બ્રહ્મભટ્ટ તથા સ્ટાફ દ્વારા દાણીલીમડા પોલીસ સ્ટેશનની હદમાં મોહમદ ઐયાઝ અલાઉદ્દીન શેખ રહે. દાણીલીમડા, અમદાવાદના રહેણાંક મકાન ખાતે બાતમી આધારે ગેર કાયદેસર કોલ સેન્ટર બાબતે રેઇડ કરવામાં આવી હતી. આ રેઇડ દરમિયાન સ્થળ ઉપરથી મોબાઇલ ફોન નંગ 32, લેપટોપ નંગ 01, રોકડ રકમ સહિતનો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. આ કોલ સેન્ટર ચાલતું હતું કે કેમ તેમજ મોબાઇલ ફોન અને લેપટોપમાં વાંધાજનક શું શું વિગતો છે? તેની ચકાસણી કરવા માટે બાતમી આપનાર અને પ્રાઇવેટ સાયબર એક્સપર્ટ દેવેન્દ્ર પટેલને એલસીબી કચેરી ખાતે બોલાવીને તમામ મોબાઈલ ફોન અને લેપટોપની ચકાસણી કરવામાં આવેલ હતી. જે મોબાઇલ ફોનની વારાફરતી ચકાસણી કરી, પ્રાઇવેટ સાયબર એક્સપર્ટ દેવેન્દ્ર પટેલ દ્વારા પકડેલ મુદામાલમાં કોલ સેન્ટરને લગતી કોઈ વિગત નહીં હોવાનું જણાવતા, મુદામાલ એફએસએલ ખાતે મોકલાવો જરૂરી હોઈ, દાણીલીમડા પોલીસ સ્ટેશન ખાતે જાણવા જોગ દાખલ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.
- Advertisement -
દરમિયાન મોહમદે નવો મોબાઈલ લઈને પોતાનું કાર્ડ અને એકાઉન્ટ એક્ટિવ કરતા, તેઓને જાણવા મળેલ કે, પોતાના વોલેટ માંથી 48300 ઞજઉ આશરે કિંમત રૂ. 41,00,000/- બીજા કોઈ વોલેટમાં ટ્રાન્સફર થયેલા છે અને આ માતબર રકમ જે દિવસે પોલીસ દ્વારા રેઇડ કરવામાં આવેલ ત્યારે જ ટ્રાન્સફર થયા છે, જે અંગે તેઓએ પોલીસ સમક્ષ અરજી રજૂઆત કરવામાં આવેલ હતી.વધુ તાપસ કરતા સાયબર એક્સપર્ટ દેવેન્દ્ર પટેલના મોબાઈલમાંથી ચોંકાવનારી વિગતો મળી હતી. જેમાં પોલીસ ટીમ દ્વારા જેને ત્યાં રેઇડ કરવામાં આવી હતી તેના વોલેટમાંથી પ્રાઇવેટ સાયબર એક્સપર્ટ દેવેન્દ્ર પટેલ ના મોબાઈલમાંથી બીજા વોલેટમાં અને ત્યાંથી એક ત્રીજા વોલેટમાં આ 48300 ઞજઉ આશરે કિંમત રૂ. 41,00,000/- ટ્રાન્સફર થયેલાની વિગતો મળતા, પોલીસ ચોંકી ઉઠી હતી. આમ, પોલીસ દ્વારા જેની મદદ મેળવવામાં આવી હતી, તે પ્રાઇવેટ સાયબર એક્સપર્ટ દેવેન્દ્ર પટેલ દ્વારા જ જેને ત્યાં રેઇડ કરી હતી, એના વોલેટમાંથી મોબાઈલ ચેક કરવાના બહાને પોલીસ ટીમની જાણ બહાર, અંધારામાં રાખી, 48300 ઞજઉ ની ચોરી કરી લેવામાં આવી હોવાના પુરાવો મળ્યા હતા અને હકીકત બહાર આવી હતી. જેથી આ બાબતે જાણવા જોગ ની તપાસ કરતા હે.કો. નરેન્દ્રસિંહ શિવઆધાર દ્વારા સરકાર તરફે ફરિયાદી બની, આરોપી દેવેન્દ્ર પટેલ વિરુદ્ધ ચોરી, છેતરપિંડી, વિશ્વાસઘાત તેમજ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ મુજબ મણિનગર પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો દાખલ કરાવવામાં આવેલ છે, જેની તપાસ મણિનગર પીઆઈ ડી.પી. ઉનડકટ તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવી છે. આરોપી દેવેન્દ્ર કનુભાઈ પટેલ ઉવ. 31 રહે. ઇ/301, શગુન 108, ઝુંડાલ સર્કલ પાસે, અમદાવાદને પકડી પાડી, રાઉન્ડ અપ કરી, ધરપકડ કરવામાં આવી છે. જો કે આરોપીએ ગુન્હાની કબૂલાત કરી લીધી હતી.
પકડાયેલ આરોપી દેવેન્દ્ર કનુભાઈ પટેલ દ્વારા કોની મદદથી આ રૂપિયા ટ્રાન્સફર કરેલા છે, આ પ્રકારની મોડસ ઓપરેન્ડીથી અન્ય કોઈ જગ્યાએ ગુન્હાઓ આચરેલા છે કે કોઈ ગુન્હામાં વોન્ટેડ છે..? વગેરે મુદાઓ સબબ નામદાર કોર્ટમાં 14 દિવસની પોલીસ રિમાન્ડની માંગણી સાથે રજૂ કરવામાં આવતા, નામદાર કોર્ટ દ્વારા આઠ દિવસના પોલીસ રિમાન્ડ ઉપર સોંપવા હુકમ કરવામાં આવેલ છે. વધુ તપાસ મણિનગર પીઆઈ ડી.પી.ઉનડકટ તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવી છે.