શુદ્ધી અને સુરક્ષા આ બે વસ્તુ મળી જાય તો જીવન આસાન રહે છે. માણસ સાથે સ્થાવર જંગમ બધા માટે આ નિયમ સર્વસામાન્ય સમાન છે. શુદ્ધી અને સુરક્ષાથી જ ચીજ વસ્તુઓ લાંબો સમય ટકી રહે છે. તેથી જ પ્રાચિન ધરોહર અને ધર્મની ધજા જ્યાં અખંડ ફરકે છે એવા જૈનોના જિનાલયોને પણ શુદ્ધ કરવા અને તેમને સુરક્ષિત કરવાનું બીડુ અધ્યાત્મ પરિવારે ઝડપ્યુ છે. જૈનાચાર્ય યોગતિલકસૂરિશ્વરજીના માર્ગદર્શન હેઠળ આગામી ત્રણથી ચાર વર્ષમાં દેશના તમામ જિર્ણ થયેલા જિનાલયોને શુદ્ધ કરાશે. જેની શરૃઆત સુરતથી થઇ ગઇ છે.
રિપોર્ટર
સુનિલ ગાંજાવાલા
સુરત


