8 નવી સ્માર્ટ GIDCની જાહેરાત, કટ ડાયમંડ-GI ટેગ પર ખાસ કવર લૉન્ચ
ખાસ-ખબર ન્યૂઝ સુરત
- Advertisement -
ગુજરાત સ્થાપના દિવસના અવસરે સુરતની ઓરો યુનિવર્સિટી ખાતે 1 અને 2 મેના રોજ ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ’ (ટૠછઈ) ની ત્રીજી આવૃત્તિનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ મેગા ઇવેન્ટમાં જાપાન, રવાન્ડા, યુક્રેન અને સિંગાપોર ભાગીદાર દેશો તરીકે જોડાઈને દક્ષિણ ગુજરાતના ઉદ્યોગોને વૈશ્ર્વિક ફલક પર લઈ જશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું છે. કરોડોના ખઘઞ થયા છે. સુરત કટ ડાયમંડ-ૠઈં ટેગ પર એક ખાસ કવર પણ લોન્ચ કરાયું હતું. સાથે જ 8 નવી સ્માર્ટ ૠઈંઉઈની પણ જાહેરાત કરાઈ છે.
‘વિકસિત ભારત2047’ના મહત્વાકાંક્ષી દ્રષ્ટિકોણને સાકાર કરવાના હેતુથી આયોજિત આ કોન્ફરન્સમાં દક્ષિણ ગુજરાતના સુરત, ભરૂચ, ડાંગ, નવસારી, તાપી અને વલસાડ એમ 6 જિલ્લાઓની ઔદ્યોગિક ક્ષમતા પર વિશેષ પ્રકાશ પાડવામાં આવશે. કોન્ફરન્સની સમાંતર 1થી 5 મે સુધી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ એક્ઝિબિશન (ટૠછઊ) નું પણ આયોજન કરવામાં આવ્યું છે. લગભગ 12,000 ચોરસ મીટરના વિશાળ વિસ્તારમાં પથરાયેલું આ એક્ઝિબિશન નવીનતા, ઉદ્યોગસાહસિકતા અને રોકાણની તકોનું એક જીવંત કેન્દ્ર બની રહેશે. તેમાં નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગો (ખજખઊ) થી લઈને મલ્ટીનેશનલ કંપનીઓ પોતાની પ્રોડક્ટ્સ અને ટેક્નોલોજીનું પ્રદર્શન કરશે, જે પ્રાદેશિક અર્થતંત્રને એક નવી ઊંચાઈ પર લઈ જશે.
દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નવી ઊંચાઈએ લઈ જવા માટે રાજ્ય સરકાર દ્વારા અત્યાધુનિક 8 સ્માર્ટ ૠઈંઉઈ એસ્ટેટની મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે.
કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, ગુજરાત આજે જે વિકાસની ઊંચાઈઓ પર છે, તેમાં અહીંના ઉદ્યોગ સાહસિકોનો સિંહ ફાળો છે.
ક્રૂડ, LPG, પેટ્રોલ સહિતના ઇંધણના પુરવઠાની સ્થિતિ પર દેખરેખ રાખી રહ્યો છું: હરદીપસિંહ પુરી
કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ કહ્યું કે, આ એક ગંભીર અને મહત્વપૂર્ણ મેળાવડો છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વેપારી, નેતાઓ, સરકારો અને ભાગીદાર દેશો ગુજરાતને માત્ર એક રોકાણના સ્થળ તરીકે જ નહીં, પરંતુ ભારતના વિકાસ માટે એક શ્રેષ્ઠ ‘વર્કિંગ મોડેલ’ તરીકે પણ જુએ છે. વર્તમાન ઊર્જા કટોકટી શરૂ થયાના 60 દિવસથી વધુ સમય બાદ, હું આ પ્રકારના પ્રતિનિધિમંડળ અને બેઠકને પ્રથમ વાર સંબોધિત કરી રહ્યો છું. મારે તમારી સાથે એ વાત પણ શેર કરવી જોઈએ કે છેલ્લા 60 દિવસો દરમિયાન, હું સરકાર અને રાજ્ય સરકારોમાં મારા સાથીદારો સાથે મળીને દૈનિક ધોરણે ક્રૂડ, કઙૠ, પેટ્રોલ, ડીઝલ અને ઉડ્ડયન ઇંધણના પુરવઠાની સ્થિતિ પર સક્રિયપણે દેખરેખ રાખી રહ્યો છું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા નિર્ધારિત ઉદ્દેશ્યો મુજબ, અમારી પ્રથમ જવાબદારી ભારતને પુરવઠો સતત મળી રહે તે સુનિશ્ચિત કરવાની હતી.



