By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હવે બેન્કો અને મોટી કંપનીઓ ઈરાનના નિશાને, લોકોએ 1 કિલોમીટર દૂર રહેવા ચેતવણી
    23 minutes ago
    દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈરાનનો ડ્રોન હુમલો, 1 ભારતીય સહિત 4 ઘાયલ
    55 minutes ago
    800 ડિગ્રી તાપમાન, હાડકાં ઓગાળી નાંખે તેવું કેમિકલ! ઈઝરાયલ પર ‘વ્હાઈટ ફૉસ્ફરસ’ વાપરવાનો આરોપ
    2 days ago
    ઈરાન-ઈઝરાયલ યુદ્ધ: અમેરિકા અને ઈઝરાયલ વચ્ચે તિરાડ, ઈરાનના ઓઈલ ડેપો પર હુમલો
    2 days ago
    દુનિયામાં 1973 જેવું ઓઈલ સંકટ સર્જાશે? ભારત સહિત દુનિયાના ઘણાં દેશોનું ટેન્શન વધ્યું
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    યુદ્ધ વચ્ચે ઓઈલ-ગેસ બાદ હવે દવાઓ પર સંકટ, ભારતનું ટેન્શન વધ્યું, અધિકારી શું કહે છે?
    1 hour ago
    9.34 રૂપિયા ચૂકવવા બૅન્કમાંથી આવ્યો ફોન, ખેડૂતે 10 રૂપિયા ભરી 66 પૈસા પાછા માગ્યા!
    23 hours ago
    ક્રૂડ ઓઇલ 9% સસ્તું થઈને 88 ડોલર પર આવ્યું, શેરબજારમાં 6% સુધીનો વધારો
    23 hours ago
    પાકિસ્તાનમાં ‘લૉકડાઉન’!
    23 hours ago
    મધ્ય પ્રદેશથી મહારાષ્ટ્ર સુધી સપ્લાય ઠપ: ‘ESMA’ લાગુ
    23 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ફ્લાઈટની ટિકિટ ના મળી તો ટ્રેનમાં છુપાઈને અમદાવાદથી મુંબઈ પહોંચ્યો ટીમ ઈન્ડિયાનો સ્ટાર ખેલાડી
    50 minutes ago
    સૂર્યકુમાર યાદવ બાદ કોને બનશે ટીમ ઈન્ડિયાનો T20 કેપ્ટન? નામ જાણીનો ચોંકી જશો!
    1 hour ago
    ભારત ચેમ્પિયન બનતા રાજકોટિયન્સે ઢોલ-નગારા અને ફટાકડાંઓ સાથે ઉજવણી કરી
    2 days ago
    જીત બાદ મેદાનમાં ખેલાડીઓએ પરિવાર સાથે ઐતિહાસિક વિજયની ઉજવણી કરી
    2 days ago
    ભારત ત્રીજીવાર બન્યું ઝ20 વર્લ્ડ કપ ચેમ્પિયન
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    રિલીઝ થતાં પહેલા તમે જોઈ શકશો ‘ધુરંધર 2’, પેઇડ પ્રિવ્યૂ શૉ માટે ખર્ચવા પડશે આટલા રૂપિયા
    23 hours ago
    Dhurandhar 2 Trailer: પહેલા કરતા વધુ ખતરનાક ધુરંધર-2નું ટ્રેલર રિલીઝ, રણવીર છવાયો
    4 days ago
    રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના શાહી લગ્નમાં કેટલો થયો ખર્ચ? આંકડો જાણીને ચોંકી જશો
    5 days ago
    યુદ્ધ વચ્ચે દુબઈમાં ફસાઈ બોલિવૂડની જાણીતી અભિનેત્રી, આંખમાં આંસુ સાથે કહ્યું- મુંબઈ પરત આવવું છે
    6 days ago
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ટેલિવિઝનનો ઇતિહાસ તેમજ ભારતીય ટેલિવિઝનની ગઇકાલ અને આજ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Hemadri Acharya Dave > ટેલિવિઝનનો ઇતિહાસ તેમજ ભારતીય ટેલિવિઝનની ગઇકાલ અને આજ
AuthorHemadri Acharya Dave

ટેલિવિઝનનો ઇતિહાસ તેમજ ભારતીય ટેલિવિઝનની ગઇકાલ અને આજ

Khaskhabar Editor
Last updated: 2022/11/22 at 4:13 PM
Khaskhabar Editor 3 years ago
Share
10 Min Read
SHARE

 

ટેલિવિઝનનો ઇતિહાસ
સ્કોટિશ એન્જિનિયર, જ્હોન લોગી બાયર્ડે વર્ષ 1926માં ટેલિવિઝનની શોધ કરી પણ તેને વધુ વ્યવહારુ બનાવ્યું ફિલો ફર્ન્સવર્થે કે જેણે 1927માંવિશ્વનું પ્રથમ કાર્યરત ટેલિવિઝન બનાવ્યું, જે 01 સપ્ટેમ્બર 1928ના રોજ પ્રેસ સમક્ષ રજૂ કરવામાં આવ્યું. કલર ટેલિવિઝનની શોધ પણ જ્હોન લોગી બેર્ડ દ્વારા વર્ષ 1928માં કરવામાં આવી હતી. જ્યારે સાર્વજનિક પ્રસારણ 1940થી શરૂ થયું હતુ.

- Advertisement -

વિશ્વ ટેલિવિઝન દિવસનો ઇતિહાસ

દર વર્ષે 21 નવેમ્બરે ઉજવવામાં આવતાં વિશ્વ ટેલિવિઝન દિવસનો હેતુ ટેલિવિઝનના મહત્વને ઉજાગર કરવાનો છે. તેની શોધ થઈ એ બાદ ક્રમશ: શિક્ષણ અને મનોરંજનના સૌથી મહત્વપૂર્ણ માધ્યમ તરીકે જગ્યા બનાવતું રહેલું
ટેલિવિઝન એક એવું સામૂહિક માધ્યમ છે કે જ્યાં ઑડિયો-વિઝ્યુઅલ કમ્યુનિકેશન દ્વારા મનોરંજન, શિક્ષણ, સમાચાર, રાજકારણ, ફિલ્મી ગોસિપ, વગેરેની માહિતી એક જ જગ્યાએ મળી રહે છે. વિશ્વ ટેલિવિઝન દિવસનો ઇતિહાસ જોઈએ તો નવેમ્બર 1996 માં, યુનાઇટેડ નેશન્સ (યુએન) એ પ્રથમ વર્લ્ડ ટેલિવિઝન ફોરમનું આયોજન કર્યું. જેમાં અગ્રણી મીડિયા હસ્તીઓ ફોરમનો હિસ્સો બની હતી. અને તેઓએ આંતરરાષ્ટ્રીય સ્તરે ટેલિવિઝનના વધતા મહત્વ પર ચર્ચા કરી હતી. તેથી જનરલ એસેમ્બલીએ દર વર્ષે 21 નવેમ્બરને વિશ્વ ટેલિવિઝન દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું. ત્યારથી આ દિવસ વિશ્વ ટેલિવિઝન દિવસ તરીકે ઉજવાય છે.

ભારતનો ટેલિવિઝન ઇતિહાસ

- Advertisement -

ટેલિવિઝનની શોધના ત્રણ દાયકા પછી ટીવી ભારતમાં આવ્યું હતું. પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરોના જણાવ્યા અનુસાર, યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન (યુનેસ્કો)ના સહયોગથી નવી દિલ્હીમાં 15 સપ્ટેમ્બર, 1959ના રોજ ભારતમાં ટેલિવિઝનની શરૂઆત કરવામાં આવી હતી. ટીવીની શરૂઆત ’ઓલ ઈન્ડિયા રેડિયો’ હેઠળ કરવામાં આવી હતી અને ટીવીનું પ્રથમ ઓડિટોરિયમ આકાશવાણી ભવનમાં બનાવવામાં આવ્યું હતું, જે પાંચમા માળે હતું. જેનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્ર પ્રસાદે કર્યું હતું.

ભારતમાં ટીવીના શરૂઆતના દિવસોમાં, સામુદાયિક સ્વાસ્થ્ય, ટ્રાફિક, રસ્તાના નિયમો, ફરજો અને નાગરિકોના અધિકારો જેવા વિષયો પર અઠવાડિયામાં બે વાર દિવસમાં એક કલાક માટે કાર્યક્રમો ચલાવવામાં આવતા હતા.1972 સુધીમાં અમૃતસર અને મુંબઈ માટે ટેલિવિઝન સેવાઓ શરૂ થઈ. જ્યારે 1975 સુધી ભારતના માત્ર સાત શહેરોમાં ટેલિવિઝન સેવા શરૂ કરવામાં આવી હતી.ભારતમાં વર્ષ 1982 માં રંગીન ટીવી અને રાષ્ટ્રીય પ્રસારણ શરૂ થયું.

લોકભોગ્ય અને અતિલોકપ્રિય ટેલિવિઝન શો

એંશીના દાયકાના અંતમાં, ટેલિવિઝને કારણે ભારતમાં નવી હવા ફેલાઈ. દુરદર્શન પરથી પ્રસારિત થતી સત્વવાળી સિરિયલ્સ ધીમે ધીમે એટલી લોકપ્રિય થવા લાગી એના કારણે જેના ઘરે ટીવી સેટ હોય એના ઘરે અડોશપડોસનાં લોકો એકઠા થઈને ટીવી જોવાનો નવો ટ્રેન્ડ લગભગ દોઢેક દાયકો ચાલ્યો. લોકો અનેક આઇકોનિક શો જોવા માટે એક જ સ્ક્રીનની સામે એકઠા થતા હતા.

કેબલ ટીવીની શરૂઆત પહેલાં દૂરદર્શનની સિરિયલોએ ટીવી પર રાજ કર્યું. દૂરદર્શનની જૂની સિરિયલો દરેક ઉંમરના લોકોનું મનોરંજન કરતી હતી. આજે ટીવી પર જોવાની ચેનલો ઘણી વધી ગઈ છે, પણ આપણે કેટલી ચેનલો જોઈએ છીએ કે કેટલી વાર જોઈએ છે? એ વિચારતાં દૂરદર્શનના સોનેરી દિવસો યાદ આવી જાય છે કે જ્યારે મનોરંજન, જ્ઞાન, સમાચાર, સંસ્કૃતિ-ઈતિહાસ વગેરે તમામ જરૂરી વિષયો પર રસપ્રદ કાર્યક્રમો પ્રસારિત કરવામાં આવતાં હતાં. સાહિત્યિક ટચ અને સત્વ તત્વથી ભરપુર, દિગ્દર્શન સ્ટોરી રેલીંગ તેમજ ઉત્કૃષ્ટ અભિનયના ઉત્તમ નમૂનાઓ જેવી દૂરદર્શનની સિરિયલ્સનું મનોરંજનનું સ્તર એટલું ઊંચું અને નિર્દોષ રહેતું કે આજની લગભગ એક પણ ટીવી સિરિયલ તેની બરાબરી કરી શકે એવી નથી લાગતી.

દુરદર્શનનાં શો ચિત્રહાર, શોથીમ, કરમચંદ, બ્યોમકેશ બક્ષી, હમલોગ, બુનિયાદ, ઈન્તઝાર, કથાસાગર, શ્રીકાંત, પ્રેમચંદ કી કહાનિયા, ચંદ્રકાંતા, વિશ્વામિત્ર, રામાયણ, જંગલબુક, મહાભારત, યે જો હૈ જિંદગી, ભારત એક ખોજ, ચાણક્ય, ટીપુ સુલતાન, અકબર ધ ગ્રેટ, ધ ગ્રેટ મરાઠા, મૃગનયની, સુરભી, મુંગેરિલાલ કે હસીન સપને, અપરાજિતા, ઈતિહાસ, કશીશ, ફર્ઝ, માલગુડ્ડી ડેઝ,ફૂલ ખીલે હૈ ગુલશન ગુલશન, નુકકડ, દાને અનાર કે,કહકશા, મુજરિમ હાજિર હો,રજની, ઈસી બહાને,.. મિર્ઝા ગાલિબ, તમસ, અંતાક્ષરી, વક્ત કી રફતાર, શાંતિ, સિદ્ધાર્થ બાસુનું ક્વિઝ ટાઇમ, સ્વાભિમાન, ફરમાન, ઔરત, અંજુમન….અહાહા… એક એક સિરિયલ યાદગાર.. સાહિત્યિક સ્પર્શવાળી, માનવીયમુલ્યોથી ભરપૂર….

આપણે છાશવારે દુરદર્શનની સિરિયલ્સ વિશે વાત કરીએ છીએ પરંતુ એ વખતના ન્યૂઝ રીડરનો બહુ ઓછો ઉલ્લેખ થાય છે.

ભારતિય ડિજિટલ ન્યુઝ મીડિયાની કાલ અને આજ

આજકાલ ભારતીય ન્યૂઝ ચેનલો બૂમબરાડા, નાટકીય લ્હેકા, સમાચાર તત્વને દૂષિત કરીને ફિલ્મી આઈટમ કે સિક્વન્સની જેમ રજૂ કરવાની બાલીશ નાટ્યાત્મકતા સાથે પત્રકારત્વનો હાંસ કરીને પત્રકારો ખુદ હાંસિપાત્ર બન્યા છે. ન્યૂઝ એન્કર્સ જાણે પોતે ન્યાયાધીશ હોય એમ દરેક કેસમાં પોતાના ઇન્વેસ્ટિગેશન્સ(!)અને પોતાના મનઘડંત ચુકાદા આપતા થઈ ગયા છે અને કોઈ ચોક્કસ રાજકીય પાર્ટીના પોતે નુમાઇંદા હોય તેમ, સામેની પાર્ટીના પ્રવક્તા કે પ્રતિનિધિ સામે પહેલા પક્ષનો બચાવ કરવા ઉતરી પડે છે, એ માટે તેઓ ડીબેટમાં બોલાવેલા સમાજમાન્ય માન્ય વ્યક્તિના અપમાન સુદ્ધા કરતાં અચકાતા નથી. ગાળાગાળી જેવી નિમ્ન સ્તરની ભાષા, તર્ક વગરના કુતર્કો જેવી દલીલો, જોરજોરથી બુમ બરાડા, રેપ, મર્ડર જેવી ઘટનાને અનિચ્છનીય વળ આપી આપીને મમળાવ્યા કરવાની કુચેષ્ટા, પીડિતોના પરિવાર જનોને પોલીસ તરફથી ટેંશન હોય જ એ ઉપરાંત ટીવી પત્રકારો બાકીની કસર પુરી કરવામાં બાકી નથી રાખતાં. ટીઆરપી વધારવા માટે ગમ્મે તે હદે જતાં, સંવેદના ઘવાય એવા પ્રશ્નો પીડિતના પરિવાર જનોને પૂછતાં તેઓ જરાપણ અચકાતા નથી. અમુક અમુક ન્યૂઝ એન્કરની બોડી લેંગ્વેજ, બોલવાની સ્ટાઇલ, ભાષાનું સ્તર જોઈને સોફેસ્ટિકટેડ ગુંડા જ લાગે. જે-તે પક્ષના પ્રવક્તા બની બેઠેલા, ’ટીઆરપી પરમો ધર્મ’ સમજી બેઠેલા આવા લેભાગુ ન્યૂઝ એન્કર્સને જોઈને દુરદર્શનના સો ટચના સોના જેવા ન્યૂઝરીડર્સ યાદ આવી જાય છે

ભારતિય ટેલિવિઝન ઇતિહાસના પ્રથમ ન્યૂઝ એન્કર

5 સપ્ટેમ્બર 1959 ભારતમાં એક નવા યુગની એટલે કે દૂરદર્શનની શરૂઆત થઈ ત્યારે આ ચેનલ પરીક્ષણના ભૂમિકાએ શરૂ કરવામાં આવી હતી એ અંતર્ગત પાંચ મિનિટનું ન્યૂઝ બુલેટિન પ્રસારિત કરવામાં આવ્યું હતું. જે રજૂ કર્યું હતું પ્રતિમા પૂર્વે પુરીએ. આમ, પ્રતિમા પુરી દૂરદર્શન અથવા કહો કે ભારતના ટેલિવિઝન ઇતિહાસના પ્રથમ ન્યૂઝ એન્કર છે, જેમણે અવકાશયાત્રી યુરી ગેગ્રીનનો ઇન્ટરવ્યૂ કર્યો હતો ત્યારથી લઈને અત્યાર સુધીમાં દૂરદર્શન પર આપણે સેંકડો ન્યૂઝ એન્કર આપ્યા છે. દૂરદર્શનના કેટલાક ન્યૂઝએન્કર , જેઓ એક સમયે લોકોના દિલ પર રાજ કરતા હતા.

દૂરદર્શનના યાદગાર એન્કર્સ

દૂરદર્શનના યાદગાર એન્કર્સમાં સલમા સુલતાનનું નામ સૌથી પહેલા આવે છે. તેમણે 1967થી 1997 સુધી 30 વર્ષ સુધી દૂરદર્શનમાં એન્કર તરીકે કામ કર્યું. દૂરદર્શન પર ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની હત્યાની જાણ કરનાર તેઓ પ્રથમ એન્કર હતાં. વિશિષ્ટ રીતે સાડી રેપ અપ કરવાની તેમની સ્ટાઇલ, વાળમાં ગુલાબ અને ગાલમાં ખંજન સાથે મુદાસરની વાત, મક્કમ છતાં ધીમો અને શાલીન, ઉતરચડ વગરનો સ્થિર અવાજ… , ઈંગ્લીશમાં ન્યૂઝ આપતા ગીતાંજલી ઐયર તેમની હેરસ્ટાઇલ અને ઇંગ્લિશ પરની પક્કડ ઉપરાંત ભાષા સાદગી માટે બધાને યાદ રહેશે.

એન્જીનયરીંગ પાસ શમ્મી નારંગની સૌથી મોટી સિદ્ધિ એ છે કે તેઓ એક લાખ ઉમેદવારોમાંથી દૂરદર્શનમાં પસંદ થયા હતા અને તેઓ 1970-80ના દાયકા દરમિયાન દૂરદર્શનનો પ્રખ્યાત ચહેરો હતા. કોટના ખિસ્સામાં રૂમાલ અને ગુલાબ એમની સ્ટાઇલ રહેતી. ઠસ્સાદાર ઘેઘુર અવાજ સાથે બુલેટિન સમાપ્તિ વખતે જરાક હસીને ખિસ્સામાં પેન મુકવાની એમની સ્ટાઇલ યાદગાર હતી.જો કે અવાજ આજે પણ તેઓ લોકપ્રિય અને સફળ વોઇઝઓવર આર્ટિસ્ટ છે. દિલ્હી મેટ્રો, રેપિડ મેટ્રો રેલ ગુડગાંવ, મુંબઈ મેટ્રો, બેંગ્લોર મેટ્રો, હૈદરાબાદ મેટ્રો રેલ અને જયપુર મેટ્રોમાં જેમનો અવાજ સંભળાય છે તે શમ્મી નારંગ છે.

શોભના જગદીશન સરલા મહેશ્વરીની ગુજરાતી સ્ટાઇલમાં પહેરેલી સાડી, ઊંચી હેર સ્ટાઇલમાં સરસ રીતે બાંધેલા વાળ.. સૌમ્ય અવાજ ચહેરા પર હળવો મેકઅપ અને હળવું સ્મિત.. બધાજ બેંગોલી સાડી પહેરતા હોય ત્યારે નેશનલ ચેનલ પર ગુજરાતી પદ્ધતિએ સાડી પહેરીને બેસવાની હિંમત પણ દાદ માંગી લે, એ વિશે પૂછતાં તેમણે કહ્યું કે મારા મમ્મીને મેં હંમેશા આ પદ્ધતિએ સાડી પહેરતા જોયા હતા, તેઓ એટલા સૌજન્યપૂર્ણ ગ્રેસફુલ લાગતા કે મારા મનમાં એ છબી હંમેશા અંકિત રહી. મારા પપ્પાએ પણ મને કહ્યું કે જેટલી ઓરીજીનલ, પોતાનાથી નજીક અને સહજ રહીશ એ લોકોને વધુ અપીલ કરશે. આ ઉપરાંત,નીતિ રવિન્દ્રન – મંજરી જોશી, સિમી સેરોન, જે. વી. રમણ, વેદ પ્રકાશ,અવિનાશ કૌર સરીન, મીનુ તલવાર…કંઈ કેટલાયે નામ….

વર્તમાનનાં ન્યૂઝ એન્કર્સમાં તે સરળતા પણ ખતમ થઈ ગઈ છે, જે આપણે પહેલા જોતા હતા. આજે એન્કર્સ ઢગલો મેક-અપ કરીને દર્શકો સામે પોતાની જાતને રજૂ કરે છે. જેને ન્યૂઝવેલ્યુ કહીએ એવું, સમાચારનું એ સ્તર નથી રહ્યું જે દુરદર્શન સમયે હતું. આજે એન્કરના વર્તનમાં શાલીનતાનો અભાવ જોવા મળે છે. દુરદર્શન ન્યૂઝ એન્કરનું વર્તન ખૂબ જ નમ્ર અને સૌમ્ય રહેતું. દૂરદર્શન પરના એન્કર ખૂબ જ સાદગી અને શાલીનતાથી સમાચાર વાંચતા. જેના કારણે લોકોને સમાચાર જોવાની અલગ જ મજા આવતી હતી. અવાજમાં ગંભીર્ય, એક પ્રકારનો ઠહેરાવ, નેગેટિવ કે દુ:ખદ સમાચાર આપતી વખતે અવાજમાં સાહજિક સ્વાભાવિક ધીમો અને પરિસ્થિતિની ગંભીરતા સમજીને એ મુજબનો રહેતો. વાતને બઢાવી ચડાવી કે ઘટાડીને કહેવાની બિઝનેસ ટ્રિક એ વખતના ન્યૂઝરીડર્સમાં નહોતી. કે જે-તે ન્યૂઝમાં પોતાનો અભિપ્રાય કે મત કે દ્રષ્ટિ ઉમેરી લોકો સમક્ષ રજુ કરવાનો ટ્રેન્ડ પણ નહોતો. ન્યૂઝરીડર્સ તદ્દન નિર્લેપભાવે જે -તે સમાચાર લોકો સમક્ષ રજુ કરી તેમાંથી પોતે બહાર નીકળી જતાં. જે માનવીય અભિગમ, જે જાદુ, જે સાદગી અને સ્થિરતા, સૌજન્યપૂર્ણ વ્યવહાર અને સૌમ્યતા દૂરદર્શનના એન્કરોમાં હતી, તે અત્યારે કોઈ ન્યૂઝ એન્કરમાં જોવા મળતી નથી.

You Might Also Like

મધ્યપૂર્વમાં યુદ્ધના વાદળો વચ્ચે એર ઈન્ડિયા ભારતીય મુસાફરો માટે બની ‘આશાનું કિરણ’

મિડલ ઈસ્ટમાં લોહિયાળ જંગ: ઈરાન મુસ્લિમ દેશો વચ્ચે જ સાવ એકલું અટૂલું પડ્યું !

EMI ન ભરાય તો ગભરાશો નહીં: હપ્તાની ચૂકવણી ન કરવી એ ગુનો નહીં પણ કરાર ભંગ

સત્ય અસીમિત છે: જન્મતાની સાથે જ મનુષ્ય દેશ, જ્ઞાતિ અને લિંગના વાડાઓમાં કેદ થવા લાગે છે

આંતરિક સુંદરતા

TAGGED: india, worldtelevisionday
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy1
Angry0
Wink0
Previous Article મોટી મોણપરીના મતદારોનો કેવો છે મિજાજ…? જુઓ ખાસ-ખબર ELECTION EXPRESS
Next Article તાલાલામાં અંધશ્રધ્ધાની ઘટનામાં ફઈબાની જામીન અરજી ફગાવતી વેરાવળ કોર્ટ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

હવે બેન્કો અને મોટી કંપનીઓ ઈરાનના નિશાને, લોકોએ 1 કિલોમીટર દૂર રહેવા ચેતવણી

Khaskhabar Editor Khaskhabar Editor 23 minutes ago
વાયદા બજારમાં ઉથલ-પાથલ, ચાંદી ઓલ ટાઈમ હાઈથી 1.44 લાખ સસ્તી, સોનું પણ તૂટ્યું
ફ્લાઈટની ટિકિટ ના મળી તો ટ્રેનમાં છુપાઈને અમદાવાદથી મુંબઈ પહોંચ્યો ટીમ ઈન્ડિયાનો સ્ટાર ખેલાડી
દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈરાનનો ડ્રોન હુમલો, 1 ભારતીય સહિત 4 ઘાયલ
યુદ્ધ વચ્ચે ઓઈલ-ગેસ બાદ હવે દવાઓ પર સંકટ, ભારતનું ટેન્શન વધ્યું, અધિકારી શું કહે છે?
સૂર્યકુમાર યાદવ બાદ કોને બનશે ટીમ ઈન્ડિયાનો T20 કેપ્ટન? નામ જાણીનો ચોંકી જશો!
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

મધ્યપૂર્વમાં યુદ્ધના વાદળો વચ્ચે એર ઈન્ડિયા ભારતીય મુસાફરો માટે બની ‘આશાનું કિરણ’

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
Author

મિડલ ઈસ્ટમાં લોહિયાળ જંગ: ઈરાન મુસ્લિમ દેશો વચ્ચે જ સાવ એકલું અટૂલું પડ્યું !

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
Author

EMI ન ભરાય તો ગભરાશો નહીં: હપ્તાની ચૂકવણી ન કરવી એ ગુનો નહીં પણ કરાર ભંગ

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?