પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિતે:
કોરોના વેક્સિનેશન મહાઅભિયાનનો ધમધમાટ: તા.૧૬/૦૯/૨૦૨૧ની રાત્રીથી જ વેક્સિનેશનની કામગીરી શરૂ: આજે તા.૧૭મીએ મોડી રાત્રિ સુધી વેક્સિનેશનની કામગીરી થશે
મેયર ડૉ.પ્રદિપ ડવ અને મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં બસ પોર્ટ અને રેસકોર્ષ રીંગ રોડ ખાતે રાત્રે વેક્સિનેશન હાથ ધરાયું: આજરોજ બપોરના ૧૨:૦૦ વાગ્યા સુધીમાં ૧૩,૦૦૦ લોકોએ વેક્સિનનો લાભ લીધો.
- Advertisement -
ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિને નિમિતે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોરોના વેક્સિનેશન મહાઅભિયાન હાથ ધરવામાં આવેલ છે. જેમાં ગત તા.૧૬/૦૯/૨૦૨૧ની રાત્રિએ એસ.ટી. બસ પોર્ટ અને રેસકોર્ષ રીંગ રોડ ખાતે મેયર ડૉ.પ્રદિપ ડવ અને મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાની ઉપસ્થિતિમાં વેક્સિનેશનની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. વેક્સિનેશનની કામગીરી આજે તા.૧૭/૦૯/૨૦૨૧ની મધ્યરાત્રિ સુધી કરવામાં આવશે.
આજે તા.૧૭-૯-૨૦૨૧ના રોજ મોડી રાત્રિ સુધી વેક્સીનેશનની કામગીરી ચાલુ રહેવાની છે ત્યારે વેકસીન લેવામાં બાકી હોય તે લોકો અચૂક વેક્સિન લઈ લ્યે તેવી અપીલ ડૉ. પ્રદિપ ડવ, ડેપ્યુટી મેયર ડૉ. દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, પુષ્કરભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા તથા આરોગ્ય સમિતિ ચેરમેન ડૉ.રાજેશ્રીબેન ડોડીયા દ્વારા કરવામાં આવેલ છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા થયેલા આયોજન મુજબ મનપાની ઈસ્ટ અને વેસ્ટ ઝોન ઓફિસ અને સેન્ટ્રલ ઝોન માટે મેસોનિક હોલ, એસ.ટી. બસ સ્ટેન્ડની બાજુમાં, ઢેબરભાઈ રોડ ખાતે તેમજ શહેરના ૨૧ આરોગ્ય કેન્દ્રો, દરેક વોર્ડ ઓફિસ, બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન ખાતે ઉપરાંત સામાજિક સંસ્થાઓ, હાઉસિંગ સોસાયટી કોલેજો, સ્લમ એરિયા, ઇન્ડસ્ટ્રીયલ એરિયા ખાતે પણ મોબાઈલ વાહન દ્વારા વેકસીનેશનની કામગીરી કરવામાં આવી રહી છે. આ મહાઅભિયાનમાં બાંધકામ સાઈટ્સ, હોકર્સ ઝોન વગેરે સ્થળોને પણ આવરી લેવામાં આવી રહયા છે.
- Advertisement -



