ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.17
મોરબી ઝોન 2 એટલે સામાકાંઠા વિસ્તારમાં આવેલા હોંકારા અને પાણીના નિકાલની ખુલ્લી ગટરની સફાઈ ખાલી ચોપડે બતાવી હોય તેવું લાગે છે આવાં અનેક આક્ષેપો સાથે આમ આદમી પાર્ટીના જિલ્લા મહામંત્રી પંકજભાઈ આદ્રોજા અને મોરબી જિલ્લા ઓબીસી વિગના પ્રમુખ હિરેનભાઇ સાથે વાતચીત કરતા જણાવ્યું કે, મોરબી મહારાણા પ્રતાપ સર્કલથી માળિયા ફાટક સુધીનું વરસાદી પાણી સર્કીટ હાઉસ સામે આવેલા હોંકારા અને ખુલ્લી ગટરમાં જતું હોય છે પણ આ તંત્ર દ્વારા પ્રીમોન્સુન કામગીરી ના નામે કરોડો રૂપિયા ઉડાવી દેતા હોય છે પણ આ વિસ્તારમાં આ વોકળા અને ખુલ્લી ગટરમાં આજ સુધી કોઈ સફાઈ કરવા આવી નથી તો આ પ્રીમોન્સુન કામગીરી ના રૂપીયાનો ભષ્ટ્રાચાર થયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે અને વધું માં જાણાવ્યુ હતું કે આ તંત્ર જો પ્રી મોન્સુન કામગીરી ઝડપી નહીં કરે તો વરસાદી પાણીના નિકાલ નહીં થાય તો અનેક લોકોનાં ઘરોમાં પાણી ઘુસી જવાની સંભાવના છે.
મોરબી મનપાની પ્રી મોન્સુન કામગીરી ફક્ત ચોપડા પર જ?
