ઉત્કૃષ્ટ પરિણામ બદલ અભિનંદન પાઠવતા ટ્રસ્ટના ચેરમેન વિજયભાઈ રૂપાણી તથા ટ્રસ્ટી અંજલીબેન રૂપાણી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.7
તાજેતરમાં ધો. 12 કોમર્સ- સાયન્સનું પરિણામ બહાર પડતાં શ્રી પુજીત રૂપાણી મેમો. ટ્રસ્ટ અંતર્ગત ચાલતા જ્ઞાનપ્રબોધિની શૈક્ષણિક પ્રોજેક્ટના વિદ્યાર્થીઓ સાયન્સ ગ્રુપ-એમાં મહેતા ઉત્તમ, પંડિત મમતા, ગામી રૂદ્ર, પનારા દક્ષ, વાગડિયા દીપક, ભલસોડ ઓમ., સાયન્સ ગ્રુપ-બીમાં સિંહ સુસ્મિતા, ભંડેરી ખુશ, યાદવ અલ્પના, ગોહેલ નંદની, બોચિયા રીટા, કોમર્સમાં ગઢિયા સિદ્ધાર્થ, સોલંકી પાયલ, ચૌહાણ હેમાંગ, પરમાર રીધમએ બોર્ડમાં 96.61 પી.આર. સુધીનું ઉત્કૃષ્ટ પરિણામ મેળવેલ છે. સાથે જ સતત 25માં વર્ષે આ પ્રોજેક્ટ અંતર્ગત અભ્યાસ કરતા બાળકોનું 100 ટકા પરિણામ આવેલું છે. ઉત્કૃષ્ટ પરિણામ બદલ ધો. 12ના વિદ્યાર્થીઓને ટ્રસ્ટના ચેરમેન વિજયભાઈ રૂપાણી તથા ટ્રસ્ટી અંજલીબેન રૂપાણીએ અભિનંદન પાઠવી ઉચ્ચ કારકિર્દી માટે શુભેચ્છા પાઠવેલી છે.
- Advertisement -
ધો. 12ના પરિણામમાં ટ્રસ્ટના 4 વિદ્યાર્થીઓએ કોમર્સ અને 11 વિદ્યાર્થીઓએ સાયન્સમાં પરીક્ષા આપી હતી. આ બધા જ વિદ્યાર્થીઓ ખૂબ સારા માર્કસ મેળવી ઉત્તીર્ણ થયા છે. તેમના સારા પરિણામ માટે ટ્રસ્ટી મંડળના ડો. મેહુલભાઈ રૂપાણી, મહેશભાઈ ભટ્ટ તથા કમિટી મેમ્બર્સ જયેશભાઈ ભટ્ટ, હિંમતભાઈ માલવિયા, હસુભાઈ ગણાત્રા, રાજુભાઈ શેઠ, ભારતીબેન બારોટ, મીરાબેન મહેતા, ગીતાબેન તન્ના તથા વહિવટી અધિકારી ભાવેનભાઈ ભટ્ટે અભિનંદનની વર્ષા કરી હતી.
આ પ્રોજેક્ટ અંતર્ગત અભ્યાસ કરી ચૂકેલા કેટલાય વિદ્યાર્થીઓ આજે પ્રોજેક્ટની શરૂઆતની બેચના વિદ્યાર્થીઓ હાલમાં ડોકટર્સ, એન્જિનિયર્સ, ચાર્ટડ એકાઉન્ટન્ટ, પ્રોફેસર્સ, ફાર્માસિસ્ટ બની ઈન્ટરનેશનલ કંપનીમાં નોકરી મેળવી પોતાના પરિવારના તારણહાર બન્યા છે. જેમાં સામાન્ય લારી અને રિક્ષા ચલાવતા પરિવારના બાળકોનો પણ સમાવેશ થાય છે. આજે આ બધા વિદ્યાર્થીઓ ભાવી પેઢી માટે પ્રેરણાસ્તોત્ર બન્યા છે. વિશેષ માહિતી માટે વહિવટી અધિકારી ભાવેનભાઈ ભટ્ટનો રૂબરૂ અથવા ફોન નંબર 2704545 પર સંપર્ક સાધવા એક યાદીમાં જણાવાયું છે.