વડિલોને તંદુરસ્ત જીવન જીવવા માર્ગદર્શક બનશે
સેક્રેટરી ડો. કૃપાલ પુજારા સહિત ઈન્ડિયન મેડિકલ એસોસીએશન-રાજકોટની ટીમ વડિલોના સ્વાસ્થ્ય અને નિરોગીપણા માટે કાર્યરત રહેશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
વિશ્ર્વમાં દિવસે દિવસે વૃધ્ધોની વસ્તી વધી રહી છે તેની સાથે ભારતમાં પણ વૃધ્ધોની સંખ્યા વધી રહી છે અને હવે માણસનું આયુષ્ય વધ્યુ હોય અત્યારે યુવાનોનો ગણાતો આપણો દેશ પણ વૃધ્ધોની સંખ્યા વધવાના કારણે વૃધ્ધોનો દેશ બનશે ત્યારે વૃધ્ધો માટે શારીરિક અને માનસીક અનેક સમસ્યાઓ હોય છે તેના પ્રત્યે સમાજને જાગૃત કરવા અને વડિલો વૃધ્ધો પણ સારી રીતે તંદુરસ્ત રહી જીવન પસાર કરી શકે એ માટે ઈન્ડીયન મેડિકલ એસોસીએશન-રાજકોટ દ્વારા લોક જાગૃતિ ઝુંબેશ શરૂ કરવામાં આવશે. ઈન્ડીયન મેડિકલ એસોસીએશન-રાજકોટના નવ નિયુક્ત પ્રમુખ ડો. જયેશ ડોબરીયા અને સેક્રેટરી ડો. કૃપાલ પુજારાની એક સંયુક્ત યાદીમાં જણાવાયુ છે. લોકોની તંદુરસ્તી બાબતે સતત જાગૃત રહી કાર્ય કરી રહેલ આ સંસ્થા દેશ માટે ભવિષ્યમાં ઊભી થનારી સમસ્યા બાબતે વહેલાં જાગૃત બની લોકોને પણ જાગૃત કરવા પ્રયાસ હાથ ધરશે અને સમાજને પણ આ ઝુંબેશમાં જોડી ભાવી સમસ્યા બાબતે યોગ્ય માર્ગદર્શન આપશે.
પ્રમુખ ડો. જયેશ ડોબરીયાએ જણાવ્યું છે કે, વિશ્વમાં અત્યારે માણસનું આયુષ્ય વધ્યુ છે અને વૃધ્ધોની સંખ્યા પણ વધી રહી છે એજ રીતે આપણા દેશમાં પણ લોકોનું આયુષ્ય વધવા સાથે વૃધ્ધોની સંખ્યા ધીરે ધીરે વધી રહી છે. અત્યારના સમયમાં નાના કુટુંબો, વિભકત કુટુંબો અને સંતાનો કારકીર્દી માટે બહારના શહેરોમાં અને વિદેશ જતા રહેતા હોવાથી સમાજમાં એકલા રહેતાં વડિલોની સંખ્યા વધી રહી છે જે સમાજ માટે ચિંતાનો વિષય છે. ઉંમરની સાથે અમુક શારીરિક અને માનસીક બિમારીઓ આવવી સ્વાભાવીક છે, આવા સમયે એકલા રહેતાં વડિલોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. વર્તમાન સમયમાં જોઈએ તો એક કે બે સંતાન વાળા પરિવાર જ જોવા મળે છે અને એમાં પણ કારકીર્દી માટે સંતાનો મોટા શહેરોમાં કે વિદેશ જતા રહેતા હોય છે અને વડિલો ગ્રામ્ય વિસ્તારમાં કે નાના શહેરોમાં પોતાના મૂળ રહેઠાણ પર રહેતા જોવા મળે છે. કુદરતી રીતે ઉંમરની સાથે અમુક બિમારી આવતી હોય છે, બધાને નહી પણ મોટા ભાગના વડિલો વૃધ્ધોને ડાયાબીટીસ, બી.પી., થાઈરોઈડ, ભૂલી જવુ, કંપવા, હાડકા નબળા નડી જવાના કારણે ફ્રેકચર, મણકા ઘસાઈ જવાના કારણે કમર કે પગના દુ:ખાવા, પાચન યોગ્ય ન થવાના કારણે પેટને લગતા વિવિધ દર્દી, યુરીનને લગતી અમુક સમસ્યાઓ, હલન-ચલનમાં પ્રોબ્લેમ વગેરે અનેક સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. સંતાનની ગેરહાજરીમાં વડિલો એકલા પડી જતા હોય એકલતાના કારણે અમુક માનસીક બિમારીનો પણ ભોગ બને છે, ડિપ્રેશન, ઉંમરના કારણે ઓછી ઉંઘ અને તેના કારણે વિચારવાયુ, સતત મને કંઈ થઈ જશે તો મારા પતિ કે પત્નીનું શું થશે એવા નબળા વિચારોના કારણે વૃધ્ધો સતત તાણ હેઠળ જીવન પસાર કરી જીવનનો સાચો આનંદ માણી શકતા નથી. આવા સમયે ઈન્ડીયન મેડિકલ એસોસીએશન-રાજકોટ દ્વારા વૃધ્ધો ને લગતી આવી અનેક સમસ્યા પર લોક જાગૃત્તિનું કાર્ય હાથ ધરી સમાજની ધરોહર સમાન વડિલો અને વૃધ્ધોના જીવન ધોરણ સુધારણા માટે પ્રયાસો શરૂ કરવામાં આવશે.
- Advertisement -
ઈન્ડીયન મેડિકલ એસોસીએશનના સેક્રેટરી ડો. કૃપાલ પુજારાએ જણાવ્યું છે કે, આ વરસે અમારી તબીબોની ટીમ દ્વારા સમાજના શીરમોર સમાન વડિલો વૃધ્ધોના જીવન ધોરણ આનંદમય બને એ માટે અનેક કાર્યક્રમો હાથ ધરવામાં આવશે. તબીબોની ટીમ વૃધ્ધાશ્રમોની મુલાકાત લઈ નિયમીત ચેક અપ કેમ્પ યોજી વૃધ્ધોને કોઈ સમસ્યા હશે તો તેની યોગ્ય સારવાર કરશે. વિવિધ એસોસીએશન, જ્ઞાતિ સંગઠનો, શૈક્ષણીક સંસ્થાઓ, વેપારી મંડળો, સામાજીક સંસ્થાઓ વગેરેના સાથ સહકારથી દર મહિને વડિલોને લગતી સમસ્યા અને તેના નિવારણ બાબતે સેમીનારો યોજવામાં આવશે, નિયમીત હેલ્થ ચેકઅપ કેમ્પો થોજી વડિલોના ચેક અપ કરી શક્ય એટલા વહેલાં નિદાન કરી યોગ્ય સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવશે. યુવાનોના સંગઠનો સાથે સંકલન કરી વડિલો સાથે હુંફાળુ જીવન પસાર કરી શકાય એવા પ્રયાસો કરવામાં આવશે. આ ઉપરાંત વૃધ્ધોને લગતી વિવિધ બિમારી, સારુ જીવન જીવવા માટે વડિલો કેવી રીતે પ્રવૃત્ત રહી શકે એ માટેના સેમીનારો રાખવામાં આવશે.
ઈન્ડીયન મેડિકલ એસોસીએશન-રાજકોટના નવા વર્ષના હોદેદારોમાં પ્રમુખ તરીકે ડો. જયેશ ડોબરીયા, સેક્રેટરી તરીકે ડો. કૃપાલ પુજારા, આઈ.પી.પી. ડો. કાંત જોગાણી, પ્રેસીડન્ટ ઈલેકટ ડો. તેજસ કરમટા, ઉપપ્રમુખ તરીકે ડો. તુષાર પટેલ, ડો. અમીત અગ્રાવત, એડિટર ડો. અમીષ મહેતા, ટ્રેઝરર ડો. રૂકેશ ઘોડાસરા, જોઈન્ટ સેક્રેટરી ડો. ચિંતન દલવાડી, ડો. બિરજુ મોરી, જોઈન્ટ ટ્રેઝરર ડો. રાજન રામાણી, ડો. ચિંતન કણસાગરાની નિમણૂંક કરવામાં આવી છે.
એક્ઝીક્યુટીવ કમીટીમાં ડો. દેવેન્દ્ર રાખોલીયા, ડો. પિયુષ ઉનડકટ, ડો. દિપા ગોંડલીવા, ડો. નિશાંત ચોટાય, ડો. દુષ્યંત ગોંડલીયા, ડો. રાજેશ સાકરીયા, ડો. દર્શન સુરેજા, ડો. સંજય ટીલાળા, ડો. વિશાલ પોપટાણી, ડો. ગૌતમ માકડીયાની વરણી કરવામાં આવી છે. કો. ઓપ્ટ મેમ્બર તરીકે ડો. દર્શન જાની, ડો. પાર્થ કટારીયા, ડો. નિકેત દોમડીયા, ડો. અજય ચરણ, ડો. ભૂમી પટેલ, ડો. ઉદય ડોબરીયા, ડો. દિવ્યાંશી પટેલ, ડો. ત્રીશાંત ચોટાય તથા એડીટોરીયલ બોર્ડમાં ડો. મયંક ઠક્કર, ડો. સંકલ્પ વણઝારા, ડો. કાર્તિક સુતરીયા, ડો. ધર્મેશ શાહ, ડો. નિલેશ દેત્રોજાની નિમણૂંક કરવામાં આવી છે. યંગ એક્ઝીક્યુટીવ કમીટીમાં ડો. ઝલક ઉપાધ્યાય, ડો. નિરાલી કોરવાડીયા, ડો. ઘટના કથીરીયા, ડો. અંકુર વરસાણી, ડો. ડેનીશ આરદેસણા, ડો. રાજેશ રામ, ડો. પ્રવીણ ગોજીયા, ડો. યશ કાકડીયા, ડો. ધ્રુવ કોટેચા, ડો. હાર્દિક વેકરીયા, ડો. જવલંત ચગનીવરણી કરવામાં આવી છે.



