RTO તંત્રની ઉત્તરાયણ પર્વને લઈને સરાહનીય કામગીરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ઉત્તરાયણના તહેવારને લઈને રાજકોટ આર.ટી.ઓ. ઈન્સ્પેકટર કેતન ખપેટ અને અન્ય અધિકારીઓ દ્વારા ટુ વ્હીલર ચાલકોને સેફટી ગાર્ડ લગાવી આપવામાં આવ્યા હતા. ઉત્તરાયણ નજીક આવી રહી છે અને પ્રતિબંધિત ચાઈનીઝ દોરી સહિતની વસ્તુઓના વેચાણનો વિચાર પણ કરતાં વેપારીઓ સામે તંત્રએ લાલ આંખ કરી છે. તો બીજીબાજુ આર.ટી.ઓ. દ્વારા ટુ વ્હીલર ચાલકોને દોરાથી ઈજા ન પહોંચે તે માટે સરાહનીય કામગીરી હાથ ધરવામાં આવી હતી. શહેરના બહુમાળી ભવન ખાતે ટુ વ્હીલરચાલકોના મૃત્યુ ચાઈનીઝ દોરીથી ન થાય તે માટે સેફટી ગાર્ડ લગાવી આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત કોઈના જીવને જોખમમાં ન મૂકવા અને ચાઈનીઝ દોરીનો ઉપયોગ ન કરવા આરટીઓ ઈન્સપેકટર કેતન ખપેટે અપીલ કરી છે.