સસ્તા અનાજના દુકાનદારો દ્વારા જિલ્લા પૂરવઠા અધિકારીને રજૂઆત કરવામાં આવી
દિવાળી બાદથી જથ્થો ઓછો મળી રહ્યો હોવાની ફરિયાદ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.10
રાજકોટ શહેરા અને જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી પૂરવઠા વિભાગ દ્વારા દાળ અને ચણાના જથ્થામાં 50% કાપ મૂકવામાં આવ્યો છે, જે આ મહિને પણ યથાવત જોવા મળ્યો છે. જેના કારણે દુકાનદારો દ્વારા રજૂઆત પણ કરવામાં આવી છે.
- Advertisement -
રાજકોટ જિલ્લા પૂરવઠા અધિકારી રાજેશ્રી વાગવાણીએ જણાવ્યું કે, રાજકોટ જિલ્લાના 12 જેટલા ગોડાઉન પર પૂરવઠા વિભાગના સસ્તા અનાજનો જથ્થો સંગ્રહ કરવામાં આવે છે. નિયમિત રીતે જથ્થાનું વિતરણ પણ કરવામાં આવે છે. ઘઉં અને ચોખાનો જથ્થો પૂરતો છે, પરંતુ દાળ અને ચણાના જથ્થામાં 50 ટકા જેટલો કાપ મૂકવામાં આવ્યો છે. રાજ્યના પૂરવઠા વિભાગને પણ અનેક વખત રજૂઆત કરવામાં આવી છે.
આ વખતે પણ અમારા દ્વારા રાજ્ય પૂરવઠા વિભાગને જાણ કરવામાં આવી છે. જે દુકાનદારો વહેલી પરમિટ મૂકવામાં આવે તેઓને પહેલાં જથ્થો ફાળવવામાં આવે છે. જિલ્લાના અલગ અલગ 12 જેટલા ગોડાઉન માંથી તાલુકાઓ જથ્થાનું વિતરણ કરવામાં આવે છે. આ વખતે પણ દાળ અને ચણાનો જથ્થો ઓછો હોવાને કારણે અમે રાજ્યના પુરવઠા વિભાગને રજૂઆત પણ કરી છે. અને પૂરતો જથ્થો આપવા માટેની પણ માંગ કરી છે. જો કે દિવાળી બાદથી જથ્થો ઓછો મળી રહ્યો છે. જેવો જથ્થો મળશે એટ્લે દુકાનદારોને વિતરણ કરી દેવામાં આવશે.