By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ‘અમેરિકાએ પસ્તાવું પડશે…’ હિન્દ મહાસાગરમાં જહાજ તોડી પાડવા અંગે ઈરાનની ચેતવણી
    5 hours ago
    ઓપરેશન ‘લાયન્સ રોર’: હુમલા બાદ ઇઝરાયલના PM નેતન્યાહૂએ કહ્યું- ‘ઈરાને પરમાણુ કાર્યક્રમ ખતમ કરવો જ પડશે’
    5 days ago
    ઈરાનમાં હુમલા બાદ ઈઝરાયલ પર ત્રણ દેશોનો એક સાથે એટેક, તેલ અવીવમાં સાયરનો ગૂંજી ઉઠી
    5 days ago
    અફઘાનિસ્તાને જલાલાબાદમાં પાકિસ્તાનનું ફાઈટર જેટ તોડી પાડ્યું, પાયલોટને બંધક બનાવ્યો: અફઘાન સેનાનો દાવો
    5 days ago
    અમેરિકા અને ઈઝરાયલનો ઈરાન પર ભીષણ હુમલો, ઈરાનનો 70 મિસાઈલ સાથે વળતો પ્રહાર
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ગુજરાત ગેસ દ્વારા ‘ફોર્સ મેજ્યોર’ જાહેર: ઉદ્યોગો માટે ગેસમાં 50% કાપ અને ઘરેલું પુરવઠો જાળવવા અગ્રતા
    2 hours ago
    ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનની ટ્રાયલ સફળ, 80 કિમીની ઝડપે દોડી
    2 hours ago
    હિરોશીમાથી વધુ તબાહી મચાવવા ટ્રમ્પનો પ્લાન?
    2 hours ago
    અમેરિકાએ ઈરાનના 20 વૉરશિપ ડુબાડ્યા
    2 hours ago
    નીતિશ કુમાર રાજ્યસભાની ચૂંટણી લડશે તો બિહારના નવા CM કોણ બનશે? રેસમાં 3 દિગ્ગજ
    4 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ટીમ ઈન્ડિયા સેમિ ફાઈનલમાં પહોંચે તો કોની સામે થશે ટક્કર, જાણો સંપૂર્ણ માહિતી
    5 days ago
    ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપથી બહાર થઈ જશે! ઝિમ્બાબ્વે સામે સૂર્યાની આ ભૂલ ભારે પડશે
    6 days ago
    ટીમ ઈન્ડિયાના બેટર્સની સૌથી મોટી નબળાઈ બધી ટીમ જાણી ગઇ, હવે શું કરશે સૂર્યા-ગંભીર?
    1 week ago
    ભારતીય ટીમ માટે રાહતના સમાચાર! ઈજાગ્રસ્ત થતાં બચી ગયો શિવમ દુબે, વીડિયો આવ્યો સામે
    1 week ago
    ‘રન રેટ 9.5 હતો 15 નહીં, તો આટલી ઉતાવળ કેમ?’, ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી પર ભડક્યા ગાવસ્કર
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    યુદ્ધ વચ્ચે દુબઈમાં ફસાઈ બોલિવૂડની જાણીતી અભિનેત્રી, આંખમાં આંસુ સાથે કહ્યું- મુંબઈ પરત આવવું છે
    4 hours ago
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    2 weeks ago
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    2 weeks ago
    ‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ
    2 weeks ago
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રામકથા શ્રવણ અર્થે બહારગામથી આવેલા ભાવિકો માટે શહેરના વીર તાત્યાટોપે ટાઉનશિપ ખાતે ઉતારાની અફલાતૂન વ્યવસ્થા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રામકથા શ્રવણ અર્થે બહારગામથી આવેલા ભાવિકો માટે શહેરના વીર તાત્યાટોપે ટાઉનશિપ ખાતે ઉતારાની અફલાતૂન વ્યવસ્થા
રાજકોટ

રામકથા શ્રવણ અર્થે બહારગામથી આવેલા ભાવિકો માટે શહેરના વીર તાત્યાટોપે ટાઉનશિપ ખાતે ઉતારાની અફલાતૂન વ્યવસ્થા

Khaskhabar Editor
Last updated: 2024/11/21 at 5:00 PM
Khaskhabar Editor 1 year ago
Share
4 Min Read
SHARE

ઉતારામાં 4500થી 5000 માણસોને રહેવા-જમવા, ચા-પાણી-નાસ્તા સહિતની સંપૂર્ણ સુવિધાનું જડબેસલાક આયોજન

સદ્ભાવના વૃદ્ધાશ્રમનાં નવનિર્મિત ભવનના લાભાર્થે તા. 23થી રાજકોટમાં મોરારિબાપુના શ્રીમુખે વૈશ્ર્વિક રામકથા

- Advertisement -

ભાવિકોને કથાસ્થળે પહોંચાડી પરત લાવવા માટે વાહનની પણ વ્યવસ્થા: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ વગેરે જગ્યાઓ પર ઉતારાની વ્યવસ્થા કરાઈ
ઉતારા માટે રજિસ્ટ્રેશન કથાસ્થળ, રેસકોર્સ ગ્રાઉન્ડ, એરપોર્ટવાળા ગેઈટ પાસે તા. 22, 23 નવેમ્બરના રોજ સવારના 7-00થી મોડી રાત સુધી ચાલુ રહેશે: કથા દરમિયાન પણ રજિસ્ટ્રેશન ચાલું રહેશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

સેવાનું પરમ ધામ સર્જવાની નેમ સાથે શહેરની ભાગોળે જામનગર રોડ, પડધરી પાસે સદ્ભાવના વૃદ્ધાશ્રમનું નિર્માણ થવા જઈ રહ્યું છે તેમજ વૈશ્ર્વિક પર્યાવરણના જતન માટે કરોડોની સંખ્યામાં વૃક્ષો વાવવાના ઉમદા હેતુથી સદ્ભાવના વૃદ્ધાશ્રમ દ્વારા મોરારિબાપુના શ્રીમુખે વૈશ્ર્વિક રામકથાનું આયોજન રાજકોટના આંગણે કરવામાં આવ્યું છે, રાજકોટમાં 12 વર્ષ પછી વૃદ્ધો અને વડીલોના શુભાર્થે મોરારિબાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. રામકથા તા. 23 નવેમ્બરથી શરૂ થઈને તા. 1 ડીસેમ્બર સુધી ચાલશે. દરરોજ 50 હજારથી વધુ લોકો રામકથા શ્રવણ કરશે અને પ્રસાદ ગ્રહણ કરશે.

ત્યારે આ રાજકોટના આંગણે આ ભવ્યાતિભવ્ય આયોજનને આખરીઓપ અપાઈ રહ્યો છે ત્યારે રાજકોટ શહેર- જિલ્લા તેમજ બહારગામ અને દેશ-વિદેશથી બહોળી સંખ્યામાં ભક્ત સમુદાય રામકથા શ્રવણનો લ્હાવો લેવા રાજકોટના આંગણે પધારી રહ્યો છે ત્યારે રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે રામકથા મધ્યસ્થ કાર્યાલય ખાતે મહેમાનોને રહેવાની (ઉતારા)ની વ્યવસ્થા અંતર્ગત સાધુ-સંતો, વી.આઈ.પી. મહેમાનો, કલાકારો, સંગીતકારો સહિત ભાવિકો માટે ઉતારાની વ્યવસ્થાનું સુચારૂ આયોજન હાથ ધરવામાં આવી રહ્યું છે.

- Advertisement -

આ રામકથા દરમિયાન વિવિધ સામાજિક- સેવાકીય સંસ્થાઓ તેમજ શ્રેષ્ઠીઓ, પ્રબુદ્ધ નાગરિકો પોતપોતાની રીતે આ ધાર્મિકોત્સવમાં યથાશક્તિ પોતાનું યોગદાન આપી આ સેવાયજ્ઞમાં સેવારૂપી આહુતિ આપી રહ્યા છે. જેમાં દેશ-વિદેશથી રામકથા શ્રવણ કરવા આવનાર ભાવિકો માટે ઉતારાની વ્યવસ્થા માટે આવાસ સમિતિના કિરીટભાઈ ગોહેલ, શૈલેષભાઈ ભીમાણીની ટીમ દ્વારા ઉતારાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉતારામાં રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તા સહિત ભાવિકોને કથાસ્થળે પહોંચાડી પરત લાવવા માટે વાહનની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

ત્યારે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવની ભાવના ચરિતાર્થ કરવાના હેતુથી આ વૈશ્ર્વિક રામકથા સદ્ભાવનાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ રામકથા શ્રવણઅર્થે બહારગામથી આવેલા ભાવિકો માટે શહેરના વીર તાત્યાટોપે ટાઉનશીપ, ઈન્ડિયન ઓઈલ પેટ્રોલ પંપની પાછળ, સોરઠીયાવાડી, 80 ફૂટ મેઈન રોડ, રાજકોટ ખાતે ઉતારો રાખવામાં આવ્યો છે તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ વગેરે જગ્યાઓ પર ઉતારાની વ્યવસ્થા કરવામાં આવેલી છે. આ ઉતારામાં 4500થી 5000 માણસોને રહેવા તથા ત્રણેય ટાઈમ જમવા, ચા-પાણી-નાસ્તા સહિતની સંપૂર્ણ સુવિધાનું જડબેસલાક આયોજન કરવામાં આવ્યું છે.

રામકથા દરમિયાન બહારગામથી આવેલા ભાવિકો માટે ઉતારાની સંપૂર્ણ વ્યવસ્થા આવાસ સમિતિના કિરીટભાઈ ગોહેલ, શૈલેષભાઈ ભીમાણી, પંકજભાઈ ચગ, સુધીરભાઈ પટેલ, હસુભાઈ સોની, અજયભાઈ જાદવ, મનસુખભાઈ પટોળીયા, પાર્થભાઈ સોજીત્રા, રમેશભાઈ પંડ્યા, પ્રદિપભાઈ રાણપરા, ચંદ્રેશભાઈ પરમાર, રમેશભાઈ દોમડીયા, ભરતભાઈ ચાવડા, દિલીપભાઈ ત્રિવેદી, સુનીલભાઈ બક્ષી સહિતના સંભાળી રહ્યા છે.

વધુમાં માહિતી આપતાં આવાસ સમિતિના કિરીટભાઈ ગોહેલ અને શૈલેષભાઈ ભીમાણીની ટીમે જણાવેલ હતું કે સદ્ભાવના વૃદ્ધાશ્રમનું નિર્માણ થવા જઈ રહ્યું છે તેમજ વૈશ્ર્વિક પર્યાવરણના જતન માટે કરોડોની સંખ્યામાં વૃક્ષો વાવવાના ઉમદા હેતુથી સદ્ભાવના વૃદ્ધાશ્રમ દ્વારા મોરારિબાપુના શ્રીમુખે વૈશ્ર્વિક રામકથાનું આયોજન રાજકોટના આંગણે કરવામાં આવ્યું છે ત્યારે કથાશ્રવણ માટે બહારગામથી લાખો ભાવિકો ઉમટી પડવાના છે ત્યારે આ ભાવિકોને કોઈ અગવડતા ન પડે તે માટે શહેરના વિવિધ સ્થળોએ તેમના ઉતારાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉતારામાં ભાવિકોને રહેવા-જમવા-ચા-પાણી અને નાસ્તાની સુવિધાની સાથોસાથ કથા સ્થળ સુધી લેવા-મૂકવા માટે વાહનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ ઉતારામાં તા. 22, 23 નવેમ્બરના રોજ સવારના 7-00થી જ મોડી રાત સુધી ચાલુ રહેશે, જેમાં ઉતારા માટેનું રજિસ્ટ્રેશન કથા સ્થળ: રેસકોર્સ ગ્રાઉન્ડ, એરપોર્ટવાળા ગેઈટ પરથી જ થશે તેમજ કથા દરમિયાન ચાલુ દિવસોમાં પણ રજિસ્ટ્રેશન ચાલુ રહેશે. રજિસ્ટ્રેશન માત્ર કથાસ્થળ ઉપર જ કરવામાં આવશે જેની ખાસ નોંધ લેવા જણાવેલું હતું. આજરોજ ‘ખાસ-ખબર’ની મુલાકાતે કિરીટ ગોહેલ, હસુભાઈ સોની, પંકજભાઈ ચગ, અજયભાઈ જાદવ, રમેશભાઈ પંડ્યા, શૈલેષભાઈ ભીમાણી આવ્યા હતા.

You Might Also Like

રાજકોટમાં કેકેવી ચોક પાસે ધુળેટીની રાત્રે યુવકની પથ્થરના ઘા ઝીંકી હત્યા

ચૂંટણી પહેલા રાજકોટમાં વિકાસની હારમાળા: 470 કરોડના કામો મંજૂર

દેશમાં બીજા ક્રમે સૌથી ગરમ શહેર રાજકોટ…

રાજકોટ જિલ્લાનાં 84 આરોગ્ય કેન્દ્રોમાં 23 કૂતરાં, સિવિલ હોસ્પિટલમાં ‘શૂન્ય’

રંગોના તહેવારમાં રંગાયું રાજકોટ

TAGGED: Rajkot, Ram Katha, Veer Tatyatope Township
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article PM મોદી ડોમિનિકાના સર્વોચ્ચ સન્માન ‘ડોમિનિકા એવોર્ડ ઑફ ઑનર’થી સન્માનિત
Next Article રાજકોટમાં મોરારિબાપુના શ્રીમુખે વૈશ્ર્વિક રામકથામાં પધારનારા 10 હજારથી વધુ મહેમાનોનું થશે અદકેરૂ સ્વાગત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સુરેન્દ્રનગર

ઝાલાવાડમાં ધૂળેટીનો પર્વ હર્ષોલ્લાસ સાથે ઉજવાયો

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
મોરબી: યંગ ઇન્ડિયા ગ્રુપે વંચિત બાળકો અને વૃદ્ધાશ્રમના વડીલો સાથે મનાવ્યો રંગોત્સવ
ધુળેટી પર્વ પર દુર્ઘટનાઓની હારમાળા કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત, એક લાપતા
રાજકોટમાં કેકેવી ચોક પાસે ધુળેટીની રાત્રે યુવકની પથ્થરના ઘા ઝીંકી હત્યા
ચૂંટણી પહેલા રાજકોટમાં વિકાસની હારમાળા: 470 કરોડના કામો મંજૂર
હર્ષદ મંદિર-ઉપરકોટ કિલ્લા સહિતના સ્થળો માટે કરોડોની ગ્રાન્ટ ફાળવાઈ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટમાં કેકેવી ચોક પાસે ધુળેટીની રાત્રે યુવકની પથ્થરના ઘા ઝીંકી હત્યા

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
રાજકોટ

ચૂંટણી પહેલા રાજકોટમાં વિકાસની હારમાળા: 470 કરોડના કામો મંજૂર

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
રાજકોટ

દેશમાં બીજા ક્રમે સૌથી ગરમ શહેર રાજકોટ…

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?