By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    યુરોપમાં ગરમીનો પ્રકોપ : 1300થી વધુ નાગરીકના મોત
    2 hours ago
    ટ્રમ્પ ભારત આવશે, અમેરિકી વિદેશ મંત્રી રૂબિયોનું નિવેદન
    2 days ago
    વેનેઝૂએલા ભૂકંપમાં અત્યાર સુધીમાં 235નાં મોતની પુષ્ટી : 39000 લોકો ગુમ
    3 days ago
    LPG-LNGની મુસીબત ખતમ! : 30 જહાજ હોર્મુઝ ક્રોસ કરી ભારત પહોંચ્યા, હવે 26 બાકી રહ્યા
    4 days ago
    દક્ષિણ અમેરિકાના વેનેઝુએલા દેશ માં 7.2 અને 7.5 તીવ્રતાના બે ભૂકંપના આંચકા
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મુંબઈમાં મેઘરાજાની ધડબડાટી, ટ્રાફિક ઠપ, સબ-વે બંધ, જનજીવન ખોરવાયું
    21 minutes ago
    મનીષ બન્યો મોઈન ખાન
    2 hours ago
    પરીક્ષાના એક દિવસ અગાઉ પેપર લીક થતાં મહારાષ્ટ્ર TET એક્ઝામ મોકૂફ, ટૂંક સમયમાં જાહેર કરાશે નવી તારીખ
    2 days ago
    આસામના હાઇવે પર લંગડાતી મળેલી હાથણી માણકીની પીડાનો આવ્યો અંત : સારવાર માટે વનતારા લવાઇ
    3 days ago
     1 જુલાઈથી પાસપોર્ટ બનશે મોંઘો : કેન્દ્ર સરકારે ચાર્જમાં રૂ.2,000 સુધીનો વધાર્યો કર્યો
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આયર્લેન્ડના ફાસ્ટ બોલર જય મુન્દ્રાએ ભારતીય બેટ્સમેનને ધૂળ ચાંટતા કર્યા
    2 hours ago
    વુમન્સ T-20 વર્લ્ડકપમાંથી ભારત બહાર
    2 hours ago
    ઇંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
    2 hours ago
    હવે મેડલ જીતે કે ન જીતે, તમામ એથ્લેટ્સને 10,000 અમેરિકન ડોલર(રૂ.9,43,600) અપાશે
    3 days ago
    વિરાટ કોહલીના ‘One8’ શૂઝ માત્ર 24 કલાકમાં જ વેચાઈ ગયા 140 કરોડના શૂઝ!
    4 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 days ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 days ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 days ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 week ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 days ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટની તમામ અદાલતોમાં વકીલોની હડતાળ, કોર્ટ કાર્યવાહી ઠપ
    10 minutes ago
    શાપરમાં અઢી કરોડની લૂંટને અંજામ આપનાર ત્રિપુટી ઝડપાઇ
    30 minutes ago
    માલીયાસણ પાસે ટોલનાકાનું ૭૫ ટકા કામ પૂર્ણ : થોડા મહિનામાં જ સૌરાષ્ટ્રના લાખો વાહનચાલકો પર વધારાનો બોજ
    1 hour ago
    લાખાપરના નિરાધાર વૃધ્ધ દંપતીની નવ વીઘા જમીન બોગસ દસ્તાવેજ બનાવી ચાર શખ્સે પડાવી લીધી
    4 days ago
    લગ્ન બાદ આધારકાર્ડમાં નામ બદલાવા બારકોડ મેરેજ સર્ટિફિકેટની માંગ પરંતુ પંચાયતમાંથી બારકોડ વિનાનું જ નીકળે છે મેરેજ સર્ટિફિકેટ
    4 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સંવત્સરી નિમિત્તે: પ્રાયશ્ચિત વિજ્ઞાન
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > સંવત્સરી નિમિત્તે: પ્રાયશ્ચિત વિજ્ઞાન
Author

સંવત્સરી નિમિત્તે: પ્રાયશ્ચિત વિજ્ઞાન

Khaskhabar Editor
Last updated: 2024/09/14 at 4:32 PM
Khaskhabar Editor 2 years ago
Share
7 Min Read
SHARE

કાર્તિકોલોજી: કાર્તિક મહેતા

કોરા કાગઝ નામની એક હિન્દી ફિલ્મનું ટાઇટલ સોન્ગ છે “મેરા જીવેન કોરા કાગઝ.. કોરા હી રહ ગયા”
તદ્દન ખોટી વાત છે. જીવન કોઈનું કદી કોરો કાગળ નથી હોતું. માણસ માતાના પેટમાં હોય ત્યારથી પોતાના મગજમાં ડેટા ભરવાનું શરુ કરી દે છે. હિન્દૂ સભ્યતા આ ડેટાને “સંસ્કાર” કહે છે. આથી બાળક ગર્ભમાં હોય ત્યારે જે ક્રિયા કરવામાં આવે તે ગર્ભ સંસ્કાર. બાળક માતાના પેટમાં હોય ત્યારે બહારના અવાજો સાંભળીને રિએક્ટ કરે છે, થડકાર આવે તો એકદમ સવળે છે જેને માતા ફીલ કરી શકે છે.
ગર્ભ સંસ્કારથી શરુ થયેલી આ યાત્રા અંતિમ સંસ્કારે પુરી થાય છે. માણસ માતાના પેટમાં હોય ત્યારથી મગજમાં ડેટા ભરવાનું શરુ કરી દે છે. યોગસૂત્રોમાં પતંજલિ કહે છે કે: “સ્મૃતિસંસ્કારયોરેકરૂપત્વાત” અર્થાત સ્મૃતિ અને સંસ્કાર સમય જતા એક જ થઇ જાય છે. મગજમાં ડેટા ભરી ભરીને જ માણસ બોલતા શીખે છે, હાવભાવ શીખે છે, કોઈ પરિસ્થિતિમાં કેવું રિએક્ટ કરવું તે શીખે છે, તરતા શીખે છે, વાહન ચલાવતા શીખે છે.

- Advertisement -

ધીમે ધીમે એ ડેટા એટલો સોલિડ બને છે કે તે “સંસ્કાર” બની જાય છે. એકવાર સાયકલ શીખી જાય એને બીજીવાર શીખવી નથી પડતી.
હજારો વર્ષો સુધી એક જ પ્રકારનું કામ કરવાનું થાય તો તે એટલા ગાઢ સંસ્કાર બને છે કે તે આગલી પેઢીમાં ઉતારી આવે છે.
અમુક વિચારધારાઓ પ્રાચીન સમયથી માને છે કે મગજ જ આ જગતનું રચયિતા છે. જો મગજ નથી તો આ જગતનું અસ્તિત્વ નથી. પ્રાણીનું મૃત્યુ થાય એટલે તેની માટે સૃષ્ટિનો નાશ થઇ જાય છે. ભારતીય શાસ્ત્રોમાં મૃત્યુને પણ “પ્રલય” કહેવાય છે. કેમકે મૃત્યુ પણ એક રીતે સૃષ્ટિનો નાશ થવાની ઘટના છે. એક જાણીતો કોયડો છે કે પ્રાણીઓ વીનાનું એક જંગલ છે. એમાં બે વૃક્ષો ઘસાઈને આગ લાગી. જો કોઈ પ્રાણીઓ છે જ નહીં તો કેમ નક્કી કરવું કે એ આગ ખરેખર લાગી? કોણ નક્કી કરે કે આગ લાગી કે નહિ ? કેમકે આગને “જોવા” કે “અનુભવવા” વાળું તો કોઈ છે જ નહિ.
આમ, મગજ જ આપણને દેખાતી અનુભવાતી સૃષ્ટિનું નિર્માતા છે એ વાત એક દ્રષ્ટિએ સાચી છે.

માણસના મગજમાં ડીલીટ બટન નથી. મગજમાં ઉતરી ગયેલા નેગેટિવ ડેટાને કાઢવો જરૂરી છે નહીંતર તે અનેક સમસ્યાઓ ઉભી કરી શકે છે. માણસ શત્રુને, દુર્ઘટનાને, ઝઘડાને કે બીજી દુ:ખ દાયક ક્રિયાઓને ક્યારેય ભૂલી શકતો નથી. એકવાર બાળક ગરમ વાસણને હાથ લગાડે અને દાઝે પછી બીજી વાર કદી એવું સાહસ કરતું નથી. એકવાર સટાબાજીમાં કોઈ બરાબર ખોટ કરે પછી ઘણા બીજીવાર ખો ભૂલી જાય છે.

પરંતુ આવા નેગેટિવ પ્રકારના ડેટા અથવા સંસ્કારને કારણે માણસ સતત પીડાય છે, ભયભીત રહે છે, અકારણ દુ:ખી રહે છે, અનેક રોગોનો ભોગ બને છે.
અષ્ટાનગ યોગના પ્રણેતા પતંજલિ સંસ્કારને “બીજ” કહે છે. આ દુનિયાની તમામ ક્રિયાઓ વિચારોથી શરુ થાય છે અને વિચારો સંસ્કાર/ડેટા રૂપે રહેલા બીજથી જન્મે છે. આથી મહર્ષિ પતંજલિ જણાવે છે કે નિર્બીજ સમાધિ એટલે કે ચિત્તમાં કોઈપણ વિચાર હોય નહિ એવી સમાધિ જ યોગ છે. યોગમાર્ગના પાંચ યમ/નિયમ, જૈનોના પંચ વ્રત, બૌદ્ધોના પંચશીલ ત્રણેય એક જ છે. આ નિયમો ચિત્તની શુદ્ધિ માટે છે જેથી એકેય નેગેટિવ વિચાર જન્મે નહીં, નેગેટિવ વિચાર જન્મે નહીં તો કોઈ અપરાધ કરે નહિ અને એક આદર્શ સમાજની રચના શક્ય બને. મૂળે એક વાત પાકી છે કે મગજમાંથી નેગેટિવ વિચારોને કાઢવા અનિવાર્ય છે. આની માટે બે માર્ગ છે. એક છે પ્રાયશ્ર્ચિત અને બીજો છે પશ્ર્ચાતાપ.
પશ્ર્ચાતાપ એટલે પાછળથી તપવું. કોઈ ભૂલ થઇ કે કોઈ અણગમતું થયું એટલે માણસ એ બન્યા બાદ સતત બળવા લાગે છે.
જાણીતા અમેરિકન વિચારક પોલ ગુડમેન કહે છે કે “ગિલ્ટ (પશ્ર્ચાતાપ)ને કારણે આજ સુધી કોઈનું કલ્યાણ થયું નથી, તે એક નકામી ચીજ છે”
નેગેટિવ સંસ્કારોને કાઢવા માટે પશ્ચાતાપનો રસ્તો તો ખોટો છે.
બીજો એક રસ્તો છે જેના વડે નેગેટિવ સંસ્કારો/મેમરી ને કાઢી શકાય અને તે છે પ્રાયશ્ર્ચિત.
પ્રાય: + ચિત્ત અર્થાત ચિત્તને એની પ્રાય એટલે કે જૂની અવસ્થામાં પાછું લાવવું.
નેગેટિવ વિચારો કાઢવાનો આ એક બહેતરીન માર્ગ છે.
આપણે ભારતીયો ચન્દ્ર સૂર્ય અને ગુરુ એમ ત્રણ અવકાશી પીન્ડોથી આપણા જીવનની ઘટનાઓને માપીએ છીએ.આપણે દરેક કાર્ય આ ત્રણ અવકાશી પિંડોની ગતિને આધારે કરીએ છીએ. ચન્દ્ર દરરોજ પૃથ્વી ફરતે એક ચક્કર લગાવે છે. એટલે દરરોજ ઉઠીને આપણે એક વાર સ્નાન કરીએ છીએ. તે એક રીતે “પ્રાયશ્ર્ચિત” ની ક્રિયાનું દૈહિક સ્વરૂપ છે. અંગ્રેજો આપણે ત્યાં આવ્યા એ પહેલા અઠવાડિયા સુધી નહાતા નહોતા. નાહતા શીખ્યા બાદ તેઓ પણ ભારતીયો જેવા ક્લચર્ડ બન્યા છે.
સૂર્ય ફરતે પૃથ્વી એક ચક્કર 365 દિવસમાં પૂરું કરે છે, ગુરુ એક રાશિમાંથી બીજી રાશિમાં 360 દિવસે જાય છે. આથી દર 360 અથવા 365 દિવસે સંવત્સર મનાવામાં આવે છે, ત્રિવેણી સંગમ જ્યા ગંગા યમુના અને સરસ્વતીનો સંગમ હોય ત્યાં સ્નાન કરવાની પરમ્પરા હજારો વર્ષો જૂની છે. દર બાર વર્ષે મહા કુમ્ભ થાય ત્યારે એ ત્રિવેણી સંગમમાં સ્નાન કરવાનું મહત્તમ છે કેમકે દર બાર વર્ષે ગુરુ સૂર્ય ફરતે પોતાની પ્રદક્ષિણા પૂર્ણ કરે છે.
ત્રિવેણી સંગમની નદીઓ ગંગા યમુના અને સરસ્વતી તંત્ર માર્ગમાં ઈડા પિંગળા અને સુષુમ્ણા તરીકે ઓળખાતી શક્તિઓના સાંકેતિક નામો છે. ત્રણેય શક્તિઓ એક થાય એ ઘટના એટલે યોગ એવું હઠયોગશાસ્ત્ર કહે છે. આથી દરેક વર્ષે ત્રિવેણી સંગમમાં સ્નાન કરીને શરીર સાથે ચિત્તને શુદ્ધ કરવાનો પ્રયાસ થાય છે આથી ત્રિવેણી સંગમ્મ્મ સ્નાન પાપોનો નાશ કરવાવાળું કહેવાય છે.
જૈન પંથીઓ દર સંવત્સરે મિચ્છામિ દુક્કડમ કરીને એકબીજાની નેગેટિવ સ્મૃતિઓ ડીલીટ કરે છે જેથી નવા વર્ષનો પ્રારંભ શુદ્ધ ચિત્તથી થાય.
આ બધી ક્રિયાઓ પ્રાયશ્ર્ચિત છે. ખ્રિસ્તી ધર્મમાં કેથાર્સીસનું મહત્વ છે. જીસસ ક્રાઈસ્ટે મનુષ્ય જાતિઓના પાપના પ્રાયશ્ચિત રૂપે પોતાનું બલિદાન આપ્યું કહેવાય છે. ચર્ચોમાં ક્ધફેશનલની વ્યવાસ્થા હોય છે જ્યા વ્યક્તિ જઈને પોતાની ભૂલોનો એકરાર કરીને હળવો થઇ શકે છે. આ પ્રાયશ્ર્ચિત જ છે.
બધી કળાઓનો મૂળ હેતુ માણસના મનમાં રહેલા દબાયેલા ભાવને બહાર લાવવાનો છે. કળાથી નકારાત્મક મેમરી ઉપર સારી મેમરીનો ઢોળ ચડે છે.કેથાર્સીસનું પોતાનું અલાયદું વિજ્ઞાન છે અને આ વિજ્ઞાન આપણા યોગીઓ અને મુનિઓ પહેલેથી જાણતા આવ્યા છે.
આથી આજે પણ અનેક હાડમારી ગરીબી ભ્રષ્ટાચાર વગેરે હોવા છતાં ભારતમાં વસ્તી દીઠ ક્રાઇમ રેટ એકદમ ઓછો છે જયારે વિકસિત દેશોમાં વસ્તીદીઠ ક્રાઈમરેટ ઘણો ઊંચો છે. આ ચોક્કસ ગૌરવ લેવા જેવી બાબત છે પણ એનું શ્રેય આપણા કોઈ નેતા કે અભિનેતાને નહિ પણ આપણા મહાન પૂર્વજોને જાય છે જેણે યોગમાર્ગ થી વિશ્વને જીવતા શીખવ્યું છે.

- Advertisement -

You Might Also Like

લીલાછમ નિઃશબ્દતાની વચ્ચે કુદરતની ચંચળતા એમેઝોનના જંગલોમાં

દર્દીએ ગ્રાહક અને તબીબી સારવાર એ સેવા ગણાશે : સુપ્રીમ કોર્ટનો ચુકાદો

300 વર્ષ જૂની ક્લાસિક નવલકથાનો નવો આયામ

બ્યૂરોક્રેસીમાં ‘ગાંધીનગર લોબી’ મજબૂત : ગુજરાતમાં 18 GASના IASને પ્રમોશન માસ્ટરસ્ટ્રોક

આઇકોનિક અમેરિકન ટેક્નોલોજી જાયન્ટ ઝેરોક્ષ કોર્પોરેશનનો ઇતિહાસ, તેનું વૈશ્વિક યોગદાન અને તેની આજ

TAGGED: The Science of Atonement
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ધારો કે આંખ હો કુંવારી કન્યકા તો પાંપણે ફરક્યું તે કોણ ? ધારો કે ફરક્યું તે નૈં કહું – નું નામ તો હોઠ પરે મલક્યું તે કોણ ?
Next Article થાનગઢમાંથી વિસ્તારમાં એક શખ્સને ગેરકાયદે હથિયાર સાથે ઝડપી લીધો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

અમદાવાદમાં 149મી રથયાત્રાનો મંગલ પ્રારંભ : ભક્તિભાવપૂર્વક નીકળી ભવ્ય જળયાત્રા

Khaskhabar Editor Khaskhabar Editor 3 minutes ago
રાજકોટ મનપાની 15 સમિતિના ચેરમેનોએ ચાર્જ સંભાળ્યો
રાજકોટની તમામ અદાલતોમાં વકીલોની હડતાળ, કોર્ટ કાર્યવાહી ઠપ
જંગલેશ્વર ડિમોલિશનના ખર્ચ મામલે તપાસ સમિતિ બનશેઃ મેયર ડૉ. નેહલ શુક્લ
વાઇબ્રન્ટ ગુજરાત રિજિનલ કોન્ફરન્સમાં iNDEXTbને ગિનેસ વર્લ્ડ રેકોર્ડનું સન્માન
મુંબઈમાં મેઘરાજાની ધડબડાટી, ટ્રાફિક ઠપ, સબ-વે બંધ, જનજીવન ખોરવાયું
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

લીલાછમ નિઃશબ્દતાની વચ્ચે કુદરતની ચંચળતા એમેઝોનના જંગલોમાં

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
Author

દર્દીએ ગ્રાહક અને તબીબી સારવાર એ સેવા ગણાશે : સુપ્રીમ કોર્ટનો ચુકાદો

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
Author

300 વર્ષ જૂની ક્લાસિક નવલકથાનો નવો આયામ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?