By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કોણ કરી રહ્યું છે વિજ્ઞાનીઓનો શિકાર? અમેરિકા-ચીનના 20 એક્સપર્ટ ગાયબ કે મૃત, દુનિયામાં ફફડાટ
    2 days ago
    હોર્મુઝ સંકટ વચ્ચે નવો ટ્વીસ્ટ! ઓઇલના ભાવ ઘટાડવા હાથ મિલાવશે ટ્રમ્પ-પુતિન? G20 સમિટ પર દુનિયાની નજર
    2 days ago
    ઈસ્લામાબાદમાં વાટાઘાટોની શક્યતા વચ્ચે સમુદ્રમાં યુદ્ધ જેવી સ્થિતિ! અમેરિકાએ ફરી ઈરાનની દુખતી નસ દબાવી
    2 days ago
    ભારતને ‘નર્ક’ ગણાવનારા ટ્રમ્પને ઈરાનનો જડબાતોડ જવાબ, શેર કર્યો મહારાષ્ટ્રનો શાનદાર VIDEO
    3 days ago
    યુદ્ધ વચ્ચે ચાબહાર પોર્ટ અંગે ભારત સરકાર લેશે મોટો નિર્ણય, 12 કરોડ ડૉલર લાગેલા છે દાવ પર
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કોહલીના ‘ડ્રોપ કેચ’થી ગુજરાતની દશા બગડી: બેંગ્લોર પાંચ વિકેટે જીત સાથે પોઇન્ટ ટેબલમાં બીજા ક્રમે
    1 day ago
    અરવિંદ કેજરીવાલ દિલ્હીના ‘રહેમાન ડકૈત’: ભાજપનો આક્ષેપ
    1 day ago
    મણિપુર ફરી ભડકે બળ્યું: નાગા-કુકી જૂથો વચ્ચે ગોળીબાર, 3 લોકોનાં મોત: ઘરોમાં આગચંપી
    1 day ago
    ભારત વિશ્ર્વગુરુ ચોક્કસ બનશે, કોઈ શંકા નથી: મોહન ભાગવત
    1 day ago
    મે-જૂનથી જ ચોમાસા પર અલ નીનોનો પ્રભાવ રહેશે
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    MI vs CSK ની મેચમાં ઝઘડો! બે સ્ટાર ખેલાડી વચ્ચે તુ..તુ..મેં..મેં.., સૂર્યકુમાર પણ ભડક્યો
    3 days ago
    લખનઉનો હારનો સિલસિલો યથાવત : લૉ- સ્કોરિંગ મેચમાં રાજસ્થાને 40 રને હરાવ્યું
    3 days ago
    ચાલુ IPLમાં સ્ટાર બોલર પર તૂટ્યો દુ:ખનો પહાડ, માતાના અંતિમ સંસ્કાર કરી ટીમમાં પરત ફર્યો
    4 days ago
    હૈદરાબાદની સતત ત્રીજી જીત, દિલ્હીને 47 રનથી હરાવ્યું
    4 days ago
    અમદાવાદમાં પહેલીવાર મુંબઈ ઈન્ડિયન્સે જીતનો સ્વાદ ચાખ્યો
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    4 days ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    2 weeks ago
    ‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!
    2 weeks ago
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    2 weeks ago
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સંવત્સરી નિમિત્તે: પ્રાયશ્ચિત વિજ્ઞાન
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > સંવત્સરી નિમિત્તે: પ્રાયશ્ચિત વિજ્ઞાન
Author

સંવત્સરી નિમિત્તે: પ્રાયશ્ચિત વિજ્ઞાન

Khaskhabar Editor
Last updated: 2024/09/14 at 4:32 PM
Khaskhabar Editor 2 years ago
Share
7 Min Read
SHARE

કાર્તિકોલોજી: કાર્તિક મહેતા

કોરા કાગઝ નામની એક હિન્દી ફિલ્મનું ટાઇટલ સોન્ગ છે “મેરા જીવેન કોરા કાગઝ.. કોરા હી રહ ગયા”
તદ્દન ખોટી વાત છે. જીવન કોઈનું કદી કોરો કાગળ નથી હોતું. માણસ માતાના પેટમાં હોય ત્યારથી પોતાના મગજમાં ડેટા ભરવાનું શરુ કરી દે છે. હિન્દૂ સભ્યતા આ ડેટાને “સંસ્કાર” કહે છે. આથી બાળક ગર્ભમાં હોય ત્યારે જે ક્રિયા કરવામાં આવે તે ગર્ભ સંસ્કાર. બાળક માતાના પેટમાં હોય ત્યારે બહારના અવાજો સાંભળીને રિએક્ટ કરે છે, થડકાર આવે તો એકદમ સવળે છે જેને માતા ફીલ કરી શકે છે.
ગર્ભ સંસ્કારથી શરુ થયેલી આ યાત્રા અંતિમ સંસ્કારે પુરી થાય છે. માણસ માતાના પેટમાં હોય ત્યારથી મગજમાં ડેટા ભરવાનું શરુ કરી દે છે. યોગસૂત્રોમાં પતંજલિ કહે છે કે: “સ્મૃતિસંસ્કારયોરેકરૂપત્વાત” અર્થાત સ્મૃતિ અને સંસ્કાર સમય જતા એક જ થઇ જાય છે. મગજમાં ડેટા ભરી ભરીને જ માણસ બોલતા શીખે છે, હાવભાવ શીખે છે, કોઈ પરિસ્થિતિમાં કેવું રિએક્ટ કરવું તે શીખે છે, તરતા શીખે છે, વાહન ચલાવતા શીખે છે.

- Advertisement -

ધીમે ધીમે એ ડેટા એટલો સોલિડ બને છે કે તે “સંસ્કાર” બની જાય છે. એકવાર સાયકલ શીખી જાય એને બીજીવાર શીખવી નથી પડતી.
હજારો વર્ષો સુધી એક જ પ્રકારનું કામ કરવાનું થાય તો તે એટલા ગાઢ સંસ્કાર બને છે કે તે આગલી પેઢીમાં ઉતારી આવે છે.
અમુક વિચારધારાઓ પ્રાચીન સમયથી માને છે કે મગજ જ આ જગતનું રચયિતા છે. જો મગજ નથી તો આ જગતનું અસ્તિત્વ નથી. પ્રાણીનું મૃત્યુ થાય એટલે તેની માટે સૃષ્ટિનો નાશ થઇ જાય છે. ભારતીય શાસ્ત્રોમાં મૃત્યુને પણ “પ્રલય” કહેવાય છે. કેમકે મૃત્યુ પણ એક રીતે સૃષ્ટિનો નાશ થવાની ઘટના છે. એક જાણીતો કોયડો છે કે પ્રાણીઓ વીનાનું એક જંગલ છે. એમાં બે વૃક્ષો ઘસાઈને આગ લાગી. જો કોઈ પ્રાણીઓ છે જ નહીં તો કેમ નક્કી કરવું કે એ આગ ખરેખર લાગી? કોણ નક્કી કરે કે આગ લાગી કે નહિ ? કેમકે આગને “જોવા” કે “અનુભવવા” વાળું તો કોઈ છે જ નહિ.
આમ, મગજ જ આપણને દેખાતી અનુભવાતી સૃષ્ટિનું નિર્માતા છે એ વાત એક દ્રષ્ટિએ સાચી છે.

માણસના મગજમાં ડીલીટ બટન નથી. મગજમાં ઉતરી ગયેલા નેગેટિવ ડેટાને કાઢવો જરૂરી છે નહીંતર તે અનેક સમસ્યાઓ ઉભી કરી શકે છે. માણસ શત્રુને, દુર્ઘટનાને, ઝઘડાને કે બીજી દુ:ખ દાયક ક્રિયાઓને ક્યારેય ભૂલી શકતો નથી. એકવાર બાળક ગરમ વાસણને હાથ લગાડે અને દાઝે પછી બીજી વાર કદી એવું સાહસ કરતું નથી. એકવાર સટાબાજીમાં કોઈ બરાબર ખોટ કરે પછી ઘણા બીજીવાર ખો ભૂલી જાય છે.

પરંતુ આવા નેગેટિવ પ્રકારના ડેટા અથવા સંસ્કારને કારણે માણસ સતત પીડાય છે, ભયભીત રહે છે, અકારણ દુ:ખી રહે છે, અનેક રોગોનો ભોગ બને છે.
અષ્ટાનગ યોગના પ્રણેતા પતંજલિ સંસ્કારને “બીજ” કહે છે. આ દુનિયાની તમામ ક્રિયાઓ વિચારોથી શરુ થાય છે અને વિચારો સંસ્કાર/ડેટા રૂપે રહેલા બીજથી જન્મે છે. આથી મહર્ષિ પતંજલિ જણાવે છે કે નિર્બીજ સમાધિ એટલે કે ચિત્તમાં કોઈપણ વિચાર હોય નહિ એવી સમાધિ જ યોગ છે. યોગમાર્ગના પાંચ યમ/નિયમ, જૈનોના પંચ વ્રત, બૌદ્ધોના પંચશીલ ત્રણેય એક જ છે. આ નિયમો ચિત્તની શુદ્ધિ માટે છે જેથી એકેય નેગેટિવ વિચાર જન્મે નહીં, નેગેટિવ વિચાર જન્મે નહીં તો કોઈ અપરાધ કરે નહિ અને એક આદર્શ સમાજની રચના શક્ય બને. મૂળે એક વાત પાકી છે કે મગજમાંથી નેગેટિવ વિચારોને કાઢવા અનિવાર્ય છે. આની માટે બે માર્ગ છે. એક છે પ્રાયશ્ર્ચિત અને બીજો છે પશ્ર્ચાતાપ.
પશ્ર્ચાતાપ એટલે પાછળથી તપવું. કોઈ ભૂલ થઇ કે કોઈ અણગમતું થયું એટલે માણસ એ બન્યા બાદ સતત બળવા લાગે છે.
જાણીતા અમેરિકન વિચારક પોલ ગુડમેન કહે છે કે “ગિલ્ટ (પશ્ર્ચાતાપ)ને કારણે આજ સુધી કોઈનું કલ્યાણ થયું નથી, તે એક નકામી ચીજ છે”
નેગેટિવ સંસ્કારોને કાઢવા માટે પશ્ચાતાપનો રસ્તો તો ખોટો છે.
બીજો એક રસ્તો છે જેના વડે નેગેટિવ સંસ્કારો/મેમરી ને કાઢી શકાય અને તે છે પ્રાયશ્ર્ચિત.
પ્રાય: + ચિત્ત અર્થાત ચિત્તને એની પ્રાય એટલે કે જૂની અવસ્થામાં પાછું લાવવું.
નેગેટિવ વિચારો કાઢવાનો આ એક બહેતરીન માર્ગ છે.
આપણે ભારતીયો ચન્દ્ર સૂર્ય અને ગુરુ એમ ત્રણ અવકાશી પીન્ડોથી આપણા જીવનની ઘટનાઓને માપીએ છીએ.આપણે દરેક કાર્ય આ ત્રણ અવકાશી પિંડોની ગતિને આધારે કરીએ છીએ. ચન્દ્ર દરરોજ પૃથ્વી ફરતે એક ચક્કર લગાવે છે. એટલે દરરોજ ઉઠીને આપણે એક વાર સ્નાન કરીએ છીએ. તે એક રીતે “પ્રાયશ્ર્ચિત” ની ક્રિયાનું દૈહિક સ્વરૂપ છે. અંગ્રેજો આપણે ત્યાં આવ્યા એ પહેલા અઠવાડિયા સુધી નહાતા નહોતા. નાહતા શીખ્યા બાદ તેઓ પણ ભારતીયો જેવા ક્લચર્ડ બન્યા છે.
સૂર્ય ફરતે પૃથ્વી એક ચક્કર 365 દિવસમાં પૂરું કરે છે, ગુરુ એક રાશિમાંથી બીજી રાશિમાં 360 દિવસે જાય છે. આથી દર 360 અથવા 365 દિવસે સંવત્સર મનાવામાં આવે છે, ત્રિવેણી સંગમ જ્યા ગંગા યમુના અને સરસ્વતીનો સંગમ હોય ત્યાં સ્નાન કરવાની પરમ્પરા હજારો વર્ષો જૂની છે. દર બાર વર્ષે મહા કુમ્ભ થાય ત્યારે એ ત્રિવેણી સંગમમાં સ્નાન કરવાનું મહત્તમ છે કેમકે દર બાર વર્ષે ગુરુ સૂર્ય ફરતે પોતાની પ્રદક્ષિણા પૂર્ણ કરે છે.
ત્રિવેણી સંગમની નદીઓ ગંગા યમુના અને સરસ્વતી તંત્ર માર્ગમાં ઈડા પિંગળા અને સુષુમ્ણા તરીકે ઓળખાતી શક્તિઓના સાંકેતિક નામો છે. ત્રણેય શક્તિઓ એક થાય એ ઘટના એટલે યોગ એવું હઠયોગશાસ્ત્ર કહે છે. આથી દરેક વર્ષે ત્રિવેણી સંગમમાં સ્નાન કરીને શરીર સાથે ચિત્તને શુદ્ધ કરવાનો પ્રયાસ થાય છે આથી ત્રિવેણી સંગમ્મ્મ સ્નાન પાપોનો નાશ કરવાવાળું કહેવાય છે.
જૈન પંથીઓ દર સંવત્સરે મિચ્છામિ દુક્કડમ કરીને એકબીજાની નેગેટિવ સ્મૃતિઓ ડીલીટ કરે છે જેથી નવા વર્ષનો પ્રારંભ શુદ્ધ ચિત્તથી થાય.
આ બધી ક્રિયાઓ પ્રાયશ્ર્ચિત છે. ખ્રિસ્તી ધર્મમાં કેથાર્સીસનું મહત્વ છે. જીસસ ક્રાઈસ્ટે મનુષ્ય જાતિઓના પાપના પ્રાયશ્ચિત રૂપે પોતાનું બલિદાન આપ્યું કહેવાય છે. ચર્ચોમાં ક્ધફેશનલની વ્યવાસ્થા હોય છે જ્યા વ્યક્તિ જઈને પોતાની ભૂલોનો એકરાર કરીને હળવો થઇ શકે છે. આ પ્રાયશ્ર્ચિત જ છે.
બધી કળાઓનો મૂળ હેતુ માણસના મનમાં રહેલા દબાયેલા ભાવને બહાર લાવવાનો છે. કળાથી નકારાત્મક મેમરી ઉપર સારી મેમરીનો ઢોળ ચડે છે.કેથાર્સીસનું પોતાનું અલાયદું વિજ્ઞાન છે અને આ વિજ્ઞાન આપણા યોગીઓ અને મુનિઓ પહેલેથી જાણતા આવ્યા છે.
આથી આજે પણ અનેક હાડમારી ગરીબી ભ્રષ્ટાચાર વગેરે હોવા છતાં ભારતમાં વસ્તી દીઠ ક્રાઇમ રેટ એકદમ ઓછો છે જયારે વિકસિત દેશોમાં વસ્તીદીઠ ક્રાઈમરેટ ઘણો ઊંચો છે. આ ચોક્કસ ગૌરવ લેવા જેવી બાબત છે પણ એનું શ્રેય આપણા કોઈ નેતા કે અભિનેતાને નહિ પણ આપણા મહાન પૂર્વજોને જાય છે જેણે યોગમાર્ગ થી વિશ્વને જીવતા શીખવ્યું છે.

- Advertisement -

You Might Also Like

ઓસ્કાર એવોર્ડ્સમાં અપાયેલું એક અદ્ભુત વક્તવ્ય

ભારતીય છો તો ભારતીય બનીને જ રહો, નહીં કે દેશના ગુનેગાર

ગુજરાતમાં ભાજપના સતત વિજય પાછળનું શું છે રહસ્ય?

બૈરન, પ્રેમ, આશિકી અને લિમરન્સ

સોર્સોપ એટલે કે હનુમાનફળ: એક અદભૂત સ્વાદિષ્ટ ઔષધીય ફ્રુટ

TAGGED: The Science of Atonement
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ધારો કે આંખ હો કુંવારી કન્યકા તો પાંપણે ફરક્યું તે કોણ ? ધારો કે ફરક્યું તે નૈં કહું – નું નામ તો હોઠ પરે મલક્યું તે કોણ ?
Next Article થાનગઢમાંથી વિસ્તારમાં એક શખ્સને ગેરકાયદે હથિયાર સાથે ઝડપી લીધો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

ઓસ્કાર એવોર્ડ્સમાં અપાયેલું એક અદ્ભુત વક્તવ્ય

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ભારતીય છો તો ભારતીય બનીને જ રહો, નહીં કે દેશના ગુનેગાર
ગુજરાતમાં ભાજપના સતત વિજય પાછળનું શું છે રહસ્ય?
બૈરન, પ્રેમ, આશિકી અને લિમરન્સ
સોર્સોપ એટલે કે હનુમાનફળ: એક અદભૂત સ્વાદિષ્ટ ઔષધીય ફ્રુટ
લપસ્યો છું, પડ્યો નથી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

ઓસ્કાર એવોર્ડ્સમાં અપાયેલું એક અદ્ભુત વક્તવ્ય

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
Author

ભારતીય છો તો ભારતીય બનીને જ રહો, નહીં કે દેશના ગુનેગાર

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
Author

ગુજરાતમાં ભાજપના સતત વિજય પાછળનું શું છે રહસ્ય?

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?