By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હોર્મુઝ નાકાબંધી વચ્ચે તેલનો ખેલ, અમેરિકા જોતું રહી ગયું, ભારત-પાક. અને ચીનને મોટો ફાયદો
    19 hours ago
    USના વિઝા હવે ફટાફટ!
    2 days ago
    ઈઝરાયલમાં ગૂંજશે ‘જય ભવાની’: છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમા સ્થાપિત થશે
    2 days ago
    ફરી યુદ્ધ: ઈરાન-ઈઝરાયલ વચ્ચે બે મહિના બાદ ફરી તનાવ, સામ-સામા હુમલા શરૂ
    3 days ago
    તમામ ભારતીયો તાત્કાલિક ઈરાન છોડે: મિડલ ઈસ્ટમાં ફરી યુદ્ધના એંધાણ થતાં નવી એડવાઈઝરી જાહેર
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઈઝરાયલમાં ગૂંજશે ‘જય ભવાની’: છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સ્થાપિત થશે
    17 hours ago
    ઈઝરાયલ બાદ હવે USની ઈરાન પર એરસ્ટ્રાઈક
    17 hours ago
    પાકિસ્તાનની અફઘાનિસ્તાન પર ફરી એરસ્ટ્રાઈક: 11 બાળક સહિત 13નાં મોત
    17 hours ago
    પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે!
    2 days ago
    કાલે નેહરુનો રેકોર્ડ તોડશે મોદી
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બાંગ્લાદેશ ક્રિકેટ ટીમે રચ્યો ઇતિહાસ, 21 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાને વન-ડેમાં હરાવવામાં સફળ
    18 hours ago
    ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત, અફઘાનિસ્તાન સામેની વન-ડે સીરિઝમાંથી બહાર
    19 hours ago
    ભારતની ટેસ્ટ ઇતિહાસમાં સૌથી મોટી જીત: અફઘાનિસ્તાનને એક ઇનિંગ્સ અને 300 રનથી હરાવ્યું
    3 days ago
    ‘કોઈના પડછાયામાં નથી રહેવું…’, T20 કેપ્ટન બનતા જ શ્રેયસ અય્યરે બતાવ્યા કડક તેવર
    3 days ago
    T20 માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત: શ્રેયસ અય્યર કૅપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, સૂર્યકુમાર યાદવ આઉટ
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    1 week ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    1 week ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    2 weeks ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    3 weeks ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 week ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    8 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    10 દિવસ સુધીના ટોકન આપી લોકોને ચોક્કસ સમયે બોલાવાશેઃ ડૉ. મેયર નેહલ શુક્લ
    19 hours ago
    જન્મ-મરણના દાખલાનું સર્વર ડાઉન થતા મનપા કચેરીએ ભારે હોબાળો
    19 hours ago
    રાજકોટ એસ.ટી. વિભાગને વધુ 5 નવી વોલ્વો બસોની ભેટ
    2 days ago
    ભારતમાં જન્મ લેનાર પ્રત્યેક વ્યક્તિ હિન્દુ છે : ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી
    3 days ago
    સ્કૂલ ચલે હમ : વેકેશન પૂરું, આજથી સ્કૂલો શરૂ
    3 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સંવત્સરી નિમિત્તે: પ્રાયશ્ચિત વિજ્ઞાન
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > સંવત્સરી નિમિત્તે: પ્રાયશ્ચિત વિજ્ઞાન
Author

સંવત્સરી નિમિત્તે: પ્રાયશ્ચિત વિજ્ઞાન

Khaskhabar Editor
Last updated: 2024/09/14 at 4:32 PM
Khaskhabar Editor 2 years ago
Share
7 Min Read
SHARE

કાર્તિકોલોજી: કાર્તિક મહેતા

કોરા કાગઝ નામની એક હિન્દી ફિલ્મનું ટાઇટલ સોન્ગ છે “મેરા જીવેન કોરા કાગઝ.. કોરા હી રહ ગયા”
તદ્દન ખોટી વાત છે. જીવન કોઈનું કદી કોરો કાગળ નથી હોતું. માણસ માતાના પેટમાં હોય ત્યારથી પોતાના મગજમાં ડેટા ભરવાનું શરુ કરી દે છે. હિન્દૂ સભ્યતા આ ડેટાને “સંસ્કાર” કહે છે. આથી બાળક ગર્ભમાં હોય ત્યારે જે ક્રિયા કરવામાં આવે તે ગર્ભ સંસ્કાર. બાળક માતાના પેટમાં હોય ત્યારે બહારના અવાજો સાંભળીને રિએક્ટ કરે છે, થડકાર આવે તો એકદમ સવળે છે જેને માતા ફીલ કરી શકે છે.
ગર્ભ સંસ્કારથી શરુ થયેલી આ યાત્રા અંતિમ સંસ્કારે પુરી થાય છે. માણસ માતાના પેટમાં હોય ત્યારથી મગજમાં ડેટા ભરવાનું શરુ કરી દે છે. યોગસૂત્રોમાં પતંજલિ કહે છે કે: “સ્મૃતિસંસ્કારયોરેકરૂપત્વાત” અર્થાત સ્મૃતિ અને સંસ્કાર સમય જતા એક જ થઇ જાય છે. મગજમાં ડેટા ભરી ભરીને જ માણસ બોલતા શીખે છે, હાવભાવ શીખે છે, કોઈ પરિસ્થિતિમાં કેવું રિએક્ટ કરવું તે શીખે છે, તરતા શીખે છે, વાહન ચલાવતા શીખે છે.

- Advertisement -

ધીમે ધીમે એ ડેટા એટલો સોલિડ બને છે કે તે “સંસ્કાર” બની જાય છે. એકવાર સાયકલ શીખી જાય એને બીજીવાર શીખવી નથી પડતી.
હજારો વર્ષો સુધી એક જ પ્રકારનું કામ કરવાનું થાય તો તે એટલા ગાઢ સંસ્કાર બને છે કે તે આગલી પેઢીમાં ઉતારી આવે છે.
અમુક વિચારધારાઓ પ્રાચીન સમયથી માને છે કે મગજ જ આ જગતનું રચયિતા છે. જો મગજ નથી તો આ જગતનું અસ્તિત્વ નથી. પ્રાણીનું મૃત્યુ થાય એટલે તેની માટે સૃષ્ટિનો નાશ થઇ જાય છે. ભારતીય શાસ્ત્રોમાં મૃત્યુને પણ “પ્રલય” કહેવાય છે. કેમકે મૃત્યુ પણ એક રીતે સૃષ્ટિનો નાશ થવાની ઘટના છે. એક જાણીતો કોયડો છે કે પ્રાણીઓ વીનાનું એક જંગલ છે. એમાં બે વૃક્ષો ઘસાઈને આગ લાગી. જો કોઈ પ્રાણીઓ છે જ નહીં તો કેમ નક્કી કરવું કે એ આગ ખરેખર લાગી? કોણ નક્કી કરે કે આગ લાગી કે નહિ ? કેમકે આગને “જોવા” કે “અનુભવવા” વાળું તો કોઈ છે જ નહિ.
આમ, મગજ જ આપણને દેખાતી અનુભવાતી સૃષ્ટિનું નિર્માતા છે એ વાત એક દ્રષ્ટિએ સાચી છે.

માણસના મગજમાં ડીલીટ બટન નથી. મગજમાં ઉતરી ગયેલા નેગેટિવ ડેટાને કાઢવો જરૂરી છે નહીંતર તે અનેક સમસ્યાઓ ઉભી કરી શકે છે. માણસ શત્રુને, દુર્ઘટનાને, ઝઘડાને કે બીજી દુ:ખ દાયક ક્રિયાઓને ક્યારેય ભૂલી શકતો નથી. એકવાર બાળક ગરમ વાસણને હાથ લગાડે અને દાઝે પછી બીજી વાર કદી એવું સાહસ કરતું નથી. એકવાર સટાબાજીમાં કોઈ બરાબર ખોટ કરે પછી ઘણા બીજીવાર ખો ભૂલી જાય છે.

પરંતુ આવા નેગેટિવ પ્રકારના ડેટા અથવા સંસ્કારને કારણે માણસ સતત પીડાય છે, ભયભીત રહે છે, અકારણ દુ:ખી રહે છે, અનેક રોગોનો ભોગ બને છે.
અષ્ટાનગ યોગના પ્રણેતા પતંજલિ સંસ્કારને “બીજ” કહે છે. આ દુનિયાની તમામ ક્રિયાઓ વિચારોથી શરુ થાય છે અને વિચારો સંસ્કાર/ડેટા રૂપે રહેલા બીજથી જન્મે છે. આથી મહર્ષિ પતંજલિ જણાવે છે કે નિર્બીજ સમાધિ એટલે કે ચિત્તમાં કોઈપણ વિચાર હોય નહિ એવી સમાધિ જ યોગ છે. યોગમાર્ગના પાંચ યમ/નિયમ, જૈનોના પંચ વ્રત, બૌદ્ધોના પંચશીલ ત્રણેય એક જ છે. આ નિયમો ચિત્તની શુદ્ધિ માટે છે જેથી એકેય નેગેટિવ વિચાર જન્મે નહીં, નેગેટિવ વિચાર જન્મે નહીં તો કોઈ અપરાધ કરે નહિ અને એક આદર્શ સમાજની રચના શક્ય બને. મૂળે એક વાત પાકી છે કે મગજમાંથી નેગેટિવ વિચારોને કાઢવા અનિવાર્ય છે. આની માટે બે માર્ગ છે. એક છે પ્રાયશ્ર્ચિત અને બીજો છે પશ્ર્ચાતાપ.
પશ્ર્ચાતાપ એટલે પાછળથી તપવું. કોઈ ભૂલ થઇ કે કોઈ અણગમતું થયું એટલે માણસ એ બન્યા બાદ સતત બળવા લાગે છે.
જાણીતા અમેરિકન વિચારક પોલ ગુડમેન કહે છે કે “ગિલ્ટ (પશ્ર્ચાતાપ)ને કારણે આજ સુધી કોઈનું કલ્યાણ થયું નથી, તે એક નકામી ચીજ છે”
નેગેટિવ સંસ્કારોને કાઢવા માટે પશ્ચાતાપનો રસ્તો તો ખોટો છે.
બીજો એક રસ્તો છે જેના વડે નેગેટિવ સંસ્કારો/મેમરી ને કાઢી શકાય અને તે છે પ્રાયશ્ર્ચિત.
પ્રાય: + ચિત્ત અર્થાત ચિત્તને એની પ્રાય એટલે કે જૂની અવસ્થામાં પાછું લાવવું.
નેગેટિવ વિચારો કાઢવાનો આ એક બહેતરીન માર્ગ છે.
આપણે ભારતીયો ચન્દ્ર સૂર્ય અને ગુરુ એમ ત્રણ અવકાશી પીન્ડોથી આપણા જીવનની ઘટનાઓને માપીએ છીએ.આપણે દરેક કાર્ય આ ત્રણ અવકાશી પિંડોની ગતિને આધારે કરીએ છીએ. ચન્દ્ર દરરોજ પૃથ્વી ફરતે એક ચક્કર લગાવે છે. એટલે દરરોજ ઉઠીને આપણે એક વાર સ્નાન કરીએ છીએ. તે એક રીતે “પ્રાયશ્ર્ચિત” ની ક્રિયાનું દૈહિક સ્વરૂપ છે. અંગ્રેજો આપણે ત્યાં આવ્યા એ પહેલા અઠવાડિયા સુધી નહાતા નહોતા. નાહતા શીખ્યા બાદ તેઓ પણ ભારતીયો જેવા ક્લચર્ડ બન્યા છે.
સૂર્ય ફરતે પૃથ્વી એક ચક્કર 365 દિવસમાં પૂરું કરે છે, ગુરુ એક રાશિમાંથી બીજી રાશિમાં 360 દિવસે જાય છે. આથી દર 360 અથવા 365 દિવસે સંવત્સર મનાવામાં આવે છે, ત્રિવેણી સંગમ જ્યા ગંગા યમુના અને સરસ્વતીનો સંગમ હોય ત્યાં સ્નાન કરવાની પરમ્પરા હજારો વર્ષો જૂની છે. દર બાર વર્ષે મહા કુમ્ભ થાય ત્યારે એ ત્રિવેણી સંગમમાં સ્નાન કરવાનું મહત્તમ છે કેમકે દર બાર વર્ષે ગુરુ સૂર્ય ફરતે પોતાની પ્રદક્ષિણા પૂર્ણ કરે છે.
ત્રિવેણી સંગમની નદીઓ ગંગા યમુના અને સરસ્વતી તંત્ર માર્ગમાં ઈડા પિંગળા અને સુષુમ્ણા તરીકે ઓળખાતી શક્તિઓના સાંકેતિક નામો છે. ત્રણેય શક્તિઓ એક થાય એ ઘટના એટલે યોગ એવું હઠયોગશાસ્ત્ર કહે છે. આથી દરેક વર્ષે ત્રિવેણી સંગમમાં સ્નાન કરીને શરીર સાથે ચિત્તને શુદ્ધ કરવાનો પ્રયાસ થાય છે આથી ત્રિવેણી સંગમ્મ્મ સ્નાન પાપોનો નાશ કરવાવાળું કહેવાય છે.
જૈન પંથીઓ દર સંવત્સરે મિચ્છામિ દુક્કડમ કરીને એકબીજાની નેગેટિવ સ્મૃતિઓ ડીલીટ કરે છે જેથી નવા વર્ષનો પ્રારંભ શુદ્ધ ચિત્તથી થાય.
આ બધી ક્રિયાઓ પ્રાયશ્ર્ચિત છે. ખ્રિસ્તી ધર્મમાં કેથાર્સીસનું મહત્વ છે. જીસસ ક્રાઈસ્ટે મનુષ્ય જાતિઓના પાપના પ્રાયશ્ચિત રૂપે પોતાનું બલિદાન આપ્યું કહેવાય છે. ચર્ચોમાં ક્ધફેશનલની વ્યવાસ્થા હોય છે જ્યા વ્યક્તિ જઈને પોતાની ભૂલોનો એકરાર કરીને હળવો થઇ શકે છે. આ પ્રાયશ્ર્ચિત જ છે.
બધી કળાઓનો મૂળ હેતુ માણસના મનમાં રહેલા દબાયેલા ભાવને બહાર લાવવાનો છે. કળાથી નકારાત્મક મેમરી ઉપર સારી મેમરીનો ઢોળ ચડે છે.કેથાર્સીસનું પોતાનું અલાયદું વિજ્ઞાન છે અને આ વિજ્ઞાન આપણા યોગીઓ અને મુનિઓ પહેલેથી જાણતા આવ્યા છે.
આથી આજે પણ અનેક હાડમારી ગરીબી ભ્રષ્ટાચાર વગેરે હોવા છતાં ભારતમાં વસ્તી દીઠ ક્રાઇમ રેટ એકદમ ઓછો છે જયારે વિકસિત દેશોમાં વસ્તીદીઠ ક્રાઈમરેટ ઘણો ઊંચો છે. આ ચોક્કસ ગૌરવ લેવા જેવી બાબત છે પણ એનું શ્રેય આપણા કોઈ નેતા કે અભિનેતાને નહિ પણ આપણા મહાન પૂર્વજોને જાય છે જેણે યોગમાર્ગ થી વિશ્વને જીવતા શીખવ્યું છે.

- Advertisement -

You Might Also Like

વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટ, એક દુર્ઘટના, અનેક પ્રશ્ર્નો

યહૂદી સંસ્કૃતિમાં ગહન વ્યાપારી ડહાપણ

સિદ્ધયોગમાં મંત્ર-જાપ, ધ્યાન-સાધના અને કુંડલિની જાગરણનું મહત્ત્વ

વાણી અને વર્તન દ્વારા પરિચય

અમેરિકાનું ‘મેકએલન’ વિશ્ર્વનું સૌથી મેદસ્વી શહેર

TAGGED: The Science of Atonement
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ધારો કે આંખ હો કુંવારી કન્યકા તો પાંપણે ફરક્યું તે કોણ ? ધારો કે ફરક્યું તે નૈં કહું – નું નામ તો હોઠ પરે મલક્યું તે કોણ ?
Next Article થાનગઢમાંથી વિસ્તારમાં એક શખ્સને ગેરકાયદે હથિયાર સાથે ઝડપી લીધો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સુરેન્દ્રનગર

5,000 એકર જમીન ખાનગી કંપનીને ફાળવવા સામે અગરિયાઓનો વિરોધ

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
સુરેન્દ્રનગર જિલ્લામાં PIની બદલી
દ્વારકામાં તાલુકા પેન્શનર મંડળની વાર્ષિક સાધારણ સભા યોજાઈ: નિવૃત્ત અધિકારીઓએ આપ્યું જરૂરી માર્ગદર્શન
પી.ડી.યુ. હૉસ્પિટલના પેથોલોજી લેબ ટેન્ડર પ્રક્રિયામાં અનિયમિતતાનો આક્ષેપ
ભરૂચની જામા મસ્જિદમાંથી મળી જૈન દેવી-દેવતાઓની પૌરાણિક પ્રતિમાઓ
રાજકોટ-અમદાવાદ હાઈવેની કામગીરી 8 વર્ષે પણ અધૂરી, હવે જાન્યુઆરી સુધીમાં પૂર્ણ થશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Hemadri Acharya Dave

વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટ, એક દુર્ઘટના, અનેક પ્રશ્ર્નો

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
મનીષ આચાર્ય

યહૂદી સંસ્કૃતિમાં ગહન વ્યાપારી ડહાપણ

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
Author

સિદ્ધયોગમાં મંત્ર-જાપ, ધ્યાન-સાધના અને કુંડલિની જાગરણનું મહત્ત્વ

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?