By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમે ગેમ-ચેન્જર હારી ગયા: મંત્રીએ સ્વીકાર્યું કે પાકિસ્તાન CPECથી લાભ મેળવવામાં નિષ્ફળ ગયું
    1 day ago
    કિવ પર રશિયાના હુમલામાં ઓછામાં ઓછા 4 માર્યા ગયા, 27 ઘાયલ
    1 day ago
    જાપાન PM સાને ટાકાઇચીની સવારે 3 વાગ્યે બેઠક બોલાવી
    2 days ago
    લોરેનશ બિશ્નોઈના ખાસ એવા જોરા સિદ્ધુની હત્યાનો દાવો,રોહિત ગોદરાએ લીધી જવાબદારી
    2 days ago
    યુએસ સેક્રેટરી ઑફ સ્ટેટ રુબિયોએ દિલ્હી બ્લાસ્ટને ‘આતંકવાદી હુમલો’ ગણાવ્યો
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રાજસ્થાનના શાકભાજી વિક્રેતા અમિત સેહરાને 11 કરોડની લોટરી લાગી
    1 day ago
    ચૂંટાયેલા નેતાઓ ક્યારે લેશે શપથ? ચાલો જાણીયે
    1 day ago
    જમ્મુ કાશ્મીરમાં ઘટેલી ઘટના અંગે કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સ્પષ્ટતા
    1 day ago
    ઝારખંડ: રાંચી હટિયા ડેમમાં ત્રણ પોલીસકર્મીઓના મોત, એક લાપતા
    1 day ago
    આવતા વર્ષે પશ્ચિમ બંગાળના લોકો જંગલરાજને પણ નકારી દેશે : પ્રધાનમંત્રી મોદી
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL 2026: રાજસ્થાન રોયલ્સે જાડેજા અને કુરાનની જગ્યાએ સંજુ સેમસનને ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે સોદો કર્યો
    1 day ago
    ભારત સામે આફ્રિકાની ખરાબ હાલત
    2 days ago
    BCCIની કોહલી અને રોહિતને કડક સૂચના: ભારત માટે રમવું હોય તો ઘરેલું ક્રિકેટ ફરજિયાત
    4 days ago
    હોમકમિંગ? જાડેજાની પહેલી લવ સ્ટોરી: રાજસ્થાન રોયલ્સ!
    6 days ago
    પ્રાધાનમંત્રી બાદ ભારતીય મહિલા ટીમ મળી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    દુબઈમાં રૂ.4000 કરોડનો શાહરુખ ખાનના નામ પર બનશે ટાવર
    1 day ago
    ડીપફેક શોષિત સેલેબ્સની લિસ્ટમાં શાહરૂખ ખાન ટોપ પર
    1 day ago
    રાજકુમાર રાવ અને પત્રલેખા તેમની લગ્નની ચોથી એનિવર્સરીના દિવસે માતા-પિતા બન્યા
    1 day ago
    ‘નદિયા કા પાર’ ફેમ કામિની કૌશલનું 98 વર્ષની વયે નિધન
    2 days ago
    ગોવિંદાને હોસ્પિટલમાંથી મળી રજા, ગઈ કાલે બેહોશ થયા હતા
    4 days ago
  • ધર્મ
    ધર્મShow More
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    3 weeks ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 weeks ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 weeks ago
    લક્ષ્મી પૂજનના દિવસે મહાલક્ષ્મી માતાજીનું અલૌકિક સ્વરૂપ: રાજાશાહી આભૂષણોમાં દર્શન
    4 weeks ago
    આજે ધનતેરસ સાંજે કરો આ ઉપાય, ક્યારેય ધનની કમી નહિ થાય
    4 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 days ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    2 weeks ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    3 weeks ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    3 weeks ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સંવત્સરી નિમિત્તે: પ્રાયશ્ચિત વિજ્ઞાન
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > સંવત્સરી નિમિત્તે: પ્રાયશ્ચિત વિજ્ઞાન
Author

સંવત્સરી નિમિત્તે: પ્રાયશ્ચિત વિજ્ઞાન

Khaskhabar Editor
Last updated: 2024/09/14 at 4:32 PM
Khaskhabar Editor 1 year ago
Share
7 Min Read
SHARE

કાર્તિકોલોજી: કાર્તિક મહેતા

કોરા કાગઝ નામની એક હિન્દી ફિલ્મનું ટાઇટલ સોન્ગ છે “મેરા જીવેન કોરા કાગઝ.. કોરા હી રહ ગયા”
તદ્દન ખોટી વાત છે. જીવન કોઈનું કદી કોરો કાગળ નથી હોતું. માણસ માતાના પેટમાં હોય ત્યારથી પોતાના મગજમાં ડેટા ભરવાનું શરુ કરી દે છે. હિન્દૂ સભ્યતા આ ડેટાને “સંસ્કાર” કહે છે. આથી બાળક ગર્ભમાં હોય ત્યારે જે ક્રિયા કરવામાં આવે તે ગર્ભ સંસ્કાર. બાળક માતાના પેટમાં હોય ત્યારે બહારના અવાજો સાંભળીને રિએક્ટ કરે છે, થડકાર આવે તો એકદમ સવળે છે જેને માતા ફીલ કરી શકે છે.
ગર્ભ સંસ્કારથી શરુ થયેલી આ યાત્રા અંતિમ સંસ્કારે પુરી થાય છે. માણસ માતાના પેટમાં હોય ત્યારથી મગજમાં ડેટા ભરવાનું શરુ કરી દે છે. યોગસૂત્રોમાં પતંજલિ કહે છે કે: “સ્મૃતિસંસ્કારયોરેકરૂપત્વાત” અર્થાત સ્મૃતિ અને સંસ્કાર સમય જતા એક જ થઇ જાય છે. મગજમાં ડેટા ભરી ભરીને જ માણસ બોલતા શીખે છે, હાવભાવ શીખે છે, કોઈ પરિસ્થિતિમાં કેવું રિએક્ટ કરવું તે શીખે છે, તરતા શીખે છે, વાહન ચલાવતા શીખે છે.

- Advertisement -

ધીમે ધીમે એ ડેટા એટલો સોલિડ બને છે કે તે “સંસ્કાર” બની જાય છે. એકવાર સાયકલ શીખી જાય એને બીજીવાર શીખવી નથી પડતી.
હજારો વર્ષો સુધી એક જ પ્રકારનું કામ કરવાનું થાય તો તે એટલા ગાઢ સંસ્કાર બને છે કે તે આગલી પેઢીમાં ઉતારી આવે છે.
અમુક વિચારધારાઓ પ્રાચીન સમયથી માને છે કે મગજ જ આ જગતનું રચયિતા છે. જો મગજ નથી તો આ જગતનું અસ્તિત્વ નથી. પ્રાણીનું મૃત્યુ થાય એટલે તેની માટે સૃષ્ટિનો નાશ થઇ જાય છે. ભારતીય શાસ્ત્રોમાં મૃત્યુને પણ “પ્રલય” કહેવાય છે. કેમકે મૃત્યુ પણ એક રીતે સૃષ્ટિનો નાશ થવાની ઘટના છે. એક જાણીતો કોયડો છે કે પ્રાણીઓ વીનાનું એક જંગલ છે. એમાં બે વૃક્ષો ઘસાઈને આગ લાગી. જો કોઈ પ્રાણીઓ છે જ નહીં તો કેમ નક્કી કરવું કે એ આગ ખરેખર લાગી? કોણ નક્કી કરે કે આગ લાગી કે નહિ ? કેમકે આગને “જોવા” કે “અનુભવવા” વાળું તો કોઈ છે જ નહિ.
આમ, મગજ જ આપણને દેખાતી અનુભવાતી સૃષ્ટિનું નિર્માતા છે એ વાત એક દ્રષ્ટિએ સાચી છે.

માણસના મગજમાં ડીલીટ બટન નથી. મગજમાં ઉતરી ગયેલા નેગેટિવ ડેટાને કાઢવો જરૂરી છે નહીંતર તે અનેક સમસ્યાઓ ઉભી કરી શકે છે. માણસ શત્રુને, દુર્ઘટનાને, ઝઘડાને કે બીજી દુ:ખ દાયક ક્રિયાઓને ક્યારેય ભૂલી શકતો નથી. એકવાર બાળક ગરમ વાસણને હાથ લગાડે અને દાઝે પછી બીજી વાર કદી એવું સાહસ કરતું નથી. એકવાર સટાબાજીમાં કોઈ બરાબર ખોટ કરે પછી ઘણા બીજીવાર ખો ભૂલી જાય છે.

પરંતુ આવા નેગેટિવ પ્રકારના ડેટા અથવા સંસ્કારને કારણે માણસ સતત પીડાય છે, ભયભીત રહે છે, અકારણ દુ:ખી રહે છે, અનેક રોગોનો ભોગ બને છે.
અષ્ટાનગ યોગના પ્રણેતા પતંજલિ સંસ્કારને “બીજ” કહે છે. આ દુનિયાની તમામ ક્રિયાઓ વિચારોથી શરુ થાય છે અને વિચારો સંસ્કાર/ડેટા રૂપે રહેલા બીજથી જન્મે છે. આથી મહર્ષિ પતંજલિ જણાવે છે કે નિર્બીજ સમાધિ એટલે કે ચિત્તમાં કોઈપણ વિચાર હોય નહિ એવી સમાધિ જ યોગ છે. યોગમાર્ગના પાંચ યમ/નિયમ, જૈનોના પંચ વ્રત, બૌદ્ધોના પંચશીલ ત્રણેય એક જ છે. આ નિયમો ચિત્તની શુદ્ધિ માટે છે જેથી એકેય નેગેટિવ વિચાર જન્મે નહીં, નેગેટિવ વિચાર જન્મે નહીં તો કોઈ અપરાધ કરે નહિ અને એક આદર્શ સમાજની રચના શક્ય બને. મૂળે એક વાત પાકી છે કે મગજમાંથી નેગેટિવ વિચારોને કાઢવા અનિવાર્ય છે. આની માટે બે માર્ગ છે. એક છે પ્રાયશ્ર્ચિત અને બીજો છે પશ્ર્ચાતાપ.
પશ્ર્ચાતાપ એટલે પાછળથી તપવું. કોઈ ભૂલ થઇ કે કોઈ અણગમતું થયું એટલે માણસ એ બન્યા બાદ સતત બળવા લાગે છે.
જાણીતા અમેરિકન વિચારક પોલ ગુડમેન કહે છે કે “ગિલ્ટ (પશ્ર્ચાતાપ)ને કારણે આજ સુધી કોઈનું કલ્યાણ થયું નથી, તે એક નકામી ચીજ છે”
નેગેટિવ સંસ્કારોને કાઢવા માટે પશ્ચાતાપનો રસ્તો તો ખોટો છે.
બીજો એક રસ્તો છે જેના વડે નેગેટિવ સંસ્કારો/મેમરી ને કાઢી શકાય અને તે છે પ્રાયશ્ર્ચિત.
પ્રાય: + ચિત્ત અર્થાત ચિત્તને એની પ્રાય એટલે કે જૂની અવસ્થામાં પાછું લાવવું.
નેગેટિવ વિચારો કાઢવાનો આ એક બહેતરીન માર્ગ છે.
આપણે ભારતીયો ચન્દ્ર સૂર્ય અને ગુરુ એમ ત્રણ અવકાશી પીન્ડોથી આપણા જીવનની ઘટનાઓને માપીએ છીએ.આપણે દરેક કાર્ય આ ત્રણ અવકાશી પિંડોની ગતિને આધારે કરીએ છીએ. ચન્દ્ર દરરોજ પૃથ્વી ફરતે એક ચક્કર લગાવે છે. એટલે દરરોજ ઉઠીને આપણે એક વાર સ્નાન કરીએ છીએ. તે એક રીતે “પ્રાયશ્ર્ચિત” ની ક્રિયાનું દૈહિક સ્વરૂપ છે. અંગ્રેજો આપણે ત્યાં આવ્યા એ પહેલા અઠવાડિયા સુધી નહાતા નહોતા. નાહતા શીખ્યા બાદ તેઓ પણ ભારતીયો જેવા ક્લચર્ડ બન્યા છે.
સૂર્ય ફરતે પૃથ્વી એક ચક્કર 365 દિવસમાં પૂરું કરે છે, ગુરુ એક રાશિમાંથી બીજી રાશિમાં 360 દિવસે જાય છે. આથી દર 360 અથવા 365 દિવસે સંવત્સર મનાવામાં આવે છે, ત્રિવેણી સંગમ જ્યા ગંગા યમુના અને સરસ્વતીનો સંગમ હોય ત્યાં સ્નાન કરવાની પરમ્પરા હજારો વર્ષો જૂની છે. દર બાર વર્ષે મહા કુમ્ભ થાય ત્યારે એ ત્રિવેણી સંગમમાં સ્નાન કરવાનું મહત્તમ છે કેમકે દર બાર વર્ષે ગુરુ સૂર્ય ફરતે પોતાની પ્રદક્ષિણા પૂર્ણ કરે છે.
ત્રિવેણી સંગમની નદીઓ ગંગા યમુના અને સરસ્વતી તંત્ર માર્ગમાં ઈડા પિંગળા અને સુષુમ્ણા તરીકે ઓળખાતી શક્તિઓના સાંકેતિક નામો છે. ત્રણેય શક્તિઓ એક થાય એ ઘટના એટલે યોગ એવું હઠયોગશાસ્ત્ર કહે છે. આથી દરેક વર્ષે ત્રિવેણી સંગમમાં સ્નાન કરીને શરીર સાથે ચિત્તને શુદ્ધ કરવાનો પ્રયાસ થાય છે આથી ત્રિવેણી સંગમ્મ્મ સ્નાન પાપોનો નાશ કરવાવાળું કહેવાય છે.
જૈન પંથીઓ દર સંવત્સરે મિચ્છામિ દુક્કડમ કરીને એકબીજાની નેગેટિવ સ્મૃતિઓ ડીલીટ કરે છે જેથી નવા વર્ષનો પ્રારંભ શુદ્ધ ચિત્તથી થાય.
આ બધી ક્રિયાઓ પ્રાયશ્ર્ચિત છે. ખ્રિસ્તી ધર્મમાં કેથાર્સીસનું મહત્વ છે. જીસસ ક્રાઈસ્ટે મનુષ્ય જાતિઓના પાપના પ્રાયશ્ચિત રૂપે પોતાનું બલિદાન આપ્યું કહેવાય છે. ચર્ચોમાં ક્ધફેશનલની વ્યવાસ્થા હોય છે જ્યા વ્યક્તિ જઈને પોતાની ભૂલોનો એકરાર કરીને હળવો થઇ શકે છે. આ પ્રાયશ્ર્ચિત જ છે.
બધી કળાઓનો મૂળ હેતુ માણસના મનમાં રહેલા દબાયેલા ભાવને બહાર લાવવાનો છે. કળાથી નકારાત્મક મેમરી ઉપર સારી મેમરીનો ઢોળ ચડે છે.કેથાર્સીસનું પોતાનું અલાયદું વિજ્ઞાન છે અને આ વિજ્ઞાન આપણા યોગીઓ અને મુનિઓ પહેલેથી જાણતા આવ્યા છે.
આથી આજે પણ અનેક હાડમારી ગરીબી ભ્રષ્ટાચાર વગેરે હોવા છતાં ભારતમાં વસ્તી દીઠ ક્રાઇમ રેટ એકદમ ઓછો છે જયારે વિકસિત દેશોમાં વસ્તીદીઠ ક્રાઈમરેટ ઘણો ઊંચો છે. આ ચોક્કસ ગૌરવ લેવા જેવી બાબત છે પણ એનું શ્રેય આપણા કોઈ નેતા કે અભિનેતાને નહિ પણ આપણા મહાન પૂર્વજોને જાય છે જેણે યોગમાર્ગ થી વિશ્વને જીવતા શીખવ્યું છે.

- Advertisement -

You Might Also Like

બિહાર વિધાનસભા ચૂંટણી: મહાગઠબંધન કેમ હાર્યું ? NDA શા માટે જીત્યું ?

જરૂરી છે માણસનું માણસ થવું !

અમેરિકન ગ્રીનકાર્ડ ખોવાયું છે? હવે ચિંતા કરવાની જરૂર નથી!

તને મેં ઝંખી છે-યુગોથી ધીખેલા પ્રખર સહરાની તરસથી

આતંકવાદનો રામબાણ રશિયન ઉપાય

TAGGED: The Science of Atonement
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ધારો કે આંખ હો કુંવારી કન્યકા તો પાંપણે ફરક્યું તે કોણ ? ધારો કે ફરક્યું તે નૈં કહું – નું નામ તો હોઠ પરે મલક્યું તે કોણ ?
Next Article થાનગઢમાંથી વિસ્તારમાં એક શખ્સને ગેરકાયદે હથિયાર સાથે ઝડપી લીધો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટ મનપાની ટી.પી.શાખાનું ડિમોલીશન: વોર્ડ નં-3માં 27.58 કરોડની જમીન ખુલ્લી કરાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 24 hours ago
મેટોડા વાડીમાં ઉતારેલો 68.32 લાખનો દારૂ કટિંગ થાય તે પૂર્વે એલસીબીનો દરોડો
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનો અમરેલી જિલ્લામાં બે દિવસીય પ્રવાસ
રાજકોટ-પોરબંદર નવી લોકલ ટ્રેનનું વીરપુર ખાતે ઢોલ-નગારા સાથે ભવ્ય સ્વાગત
સ્નેહમિલનમાં આદર્શ વૈદિક વિવાહનો પ્રસ્તાવ રજુ થયો અને 181 લગ્નના દાતા વરસી પડ્યા
રાજકોટમાં સહકાર ભારતીના ‘સહકાર સપ્તાહ’નો પ્રારંભ: 4 ઝોનમાં જ્ઞાન સત્ર અને મહિલા સંમેલન યોજાશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Hemadri Acharya Dave

બિહાર વિધાનસભા ચૂંટણી: મહાગઠબંધન કેમ હાર્યું ? NDA શા માટે જીત્યું ?

Khaskhabar Editor Khaskhabar Editor 24 hours ago
Author

જરૂરી છે માણસનું માણસ થવું !

Khaskhabar Editor Khaskhabar Editor 24 hours ago
Author

અમેરિકન ગ્રીનકાર્ડ ખોવાયું છે? હવે ચિંતા કરવાની જરૂર નથી!

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?