એમ્યુઝમેન્ટ પાર્કની વિવિધ રાઈડ્સ બંધ રહેશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડિયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર ડી. પી. દેસાઈ, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનીષભાઈ રાડીયા એક સંયુક્ત યાદીમાં જણાવે છે કે, આગામી પવિત્ર શ્રાવણ માસના તહેવારોને ધ્યાને લઈ રાજકોટના શહેરીજનો તથા આસપાસના વિસ્તારોના નાગરિકો નવું નજરાણું અટલ સરોવરની મુલાકાત લઈ અભિભૂત થાય તે હેતુસર અટલ સરોવર મુલાકાતીઓ માટે હરવા ફરવા તેમજ નિહાળવા માટે આવતીકાલે ગુરૂવારથી ફરી શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અટલ સરોવરમાં આવેલ એમ્યુઝમેન્ટ પાર્કની વિવિધ રાઇડ્સ મુલાકાતીઓ માટે હાલ બંધ રાખવામાં આવશે.
- Advertisement -
અટલ સરોવરના લોકાર્પણ બાદ અટલ સરોવરની મુલાકાત માટે રાજકોટના શહેરીજનો તથા આસપાસના વિસ્તારોના નાગરિકોનો મોટા પ્રમાણમાં ધસારો જોવા મળેલો હતો પરંતુ શહેરમાં નાના મૌવા રોડ પાસે આવેલ ટી.આર.પી. ગેમ ઝોનમાં બનેલ આગની દુર્ઘટના બાદ રાજ્ય સરકારની સૂચના અન્વયે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અટલ સરોવર મુલાકાતીઓ માટે સંપૂર્ણ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જો કે આવતીકાલથી અટલ સરોવર ફરી શરૂ થશે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડિયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર ડી. પી. દેસાઈ, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનીષભાઈ રાડીયા રાજકોટ શહેરના નવા નજરાણા અટલ સરોવરની મુલાકાત લેવા શહેરીજનોને અપીલ
કરી હતી.