બે મહિનાથી જોવાતી રાહમાં ફી નિયમન સમિતિના સભ્યો નિમાયા
રાજકોટમાં અધ્યક્ષ તરીકે પી.જે. અગ્રાવત રિપીટ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે હાર્દિક વ્યાસની નિમણૂક
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.30
રાજ્યમાં વર્ષ 2017થી ફી નિયમન સમિતિની રચના કરવામાં આવી છે. છેલ્લા કેટલાક સમયથી અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતના FRCના સભ્યોની નિમણૂક થઇ ન હતી, જેથી શિક્ષણ વિભાગ દ્વારા આજે ચારેય ઝોનના અધ્યક્ષ સહિતના સભ્યોની નિયુક્તિ કરવામાં આવી છે. અમદાવાદના અધ્યક્ષ તરીકે નિવૃત્ત પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ હર્ષિત વોરાની નિમણૂક કરાઈ છે. ઋછઈના હોદ્દેદારોની નિયુક્તિથી હવે સ્કૂલોએ કરેલી ફી વધારા દરખાસ્ત પર નિર્ણય થશે. ચારેય ઝોનના સભ્યોની ત્રણ વર્ષ માટે નિમણૂક કરવામાં આવી છે. દરેક ઝોનમાં એક અધ્યક્ષ અને ચાર સભ્યોની નિમણૂક કરવામાં આવી છે. અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા ચારેય ઝોનના FRCના સભ્યોની શિક્ષણ વિભાગ દ્વારા નિમણૂક કરવામાં આવી છે. અમદાવાદના ઋછઈ અધ્યક્ષ તરીકે નિવૃત્ત પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ હર્ષિત વોરાની નિયુક્તિ કરાઈ છે. શાળા સંચાલક મંડળના પ્રતિનિધિ તરીકે જિગર દેસાઈ, શિક્ષણશાસ્ત્રી તરીકે યોગેશ રાવલ, સિવિલ એન્જિનિયર તરીકે જિમી પટેલ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે દિવ્યાંગ પઢિયાની નિયુક્તિ કરાઈ છે. આ ઉપરાંત રાજકોટના અધ્યક્ષ તરીકે પી.જે. અગ્રાવત, સુરતના અધ્યક્ષ તરીકે અતુલ રાવલ અને વડોદરાના અધ્યક્ષ તરીકે મહંમદહનીફ સિંધીની નિમણૂક કરાઈ છે.
રાજકોટમાં અધ્યક્ષ તરીકે પી.જે. અગ્રાવત, શાળા સંચાલક મંડળના પ્રતિનિધિ તરીકે પ્રભુભાઈ સિંધવ, શિક્ષણશાસ્ત્રી તરીકે મુકુન્દરાય મહેતા, સિવિલ એન્જિનિયર તરીકે પ્રવીણ વસાનિયા અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે હાર્દિક વ્યાસની નિમણૂક કરાઈ છે. વડોદરામાં અધ્યક્ષ તરીકે મહંમદહનીફ સિંધી, શાળા સંચાલક મંડળના પ્રતિનિધિ તરીકે ધર્મેન્દ્રસિંહ રાજપૂત, શિક્ષણશાસ્ત્રી તરીકે જયેશ પટેલ, સિવિલ એન્જિનિયર તરીકે ઇન્દ્રજિત પટેલ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે કૃણાલ બ્રહ્મભટ્ટની નિયુક્તિ કરાઈ છે. સુરતમાં અધ્યક્ષ તરીકે અતુલ રાવલ, શાળા સંચાલક મંડળના પ્રતિનિધિ તરીકે અમિત અગ્રવાલ, શિક્ષણશાસ્ત્રી તરીકે શાંતિલાલ પટેલ, સિવિલ એન્જિનિયર તરીકે અભિજિતસિંહ સોલંકી અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે અતુલ સોજીત્રાની નિમણૂક કરાઈ છે.