ટ્રસ્ટનું નામ રોશન કરવા બદલ અભિનંદન પાઠવતા ટ્રસ્ટના ચેરમેન વિજય રૂપાણી અને અંજલી રૂપાણી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.13
- Advertisement -
ધો. 10ની બોર્ડની પરીક્ષામાં શ્રી પુજીત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટના 7માંથી 3 વિદ્યાર્થીઓ દવે પરમ 99.91 પી.આર., વડગામા શ્રેયા 99.91 પી.આર., ચુડાસમા રીયા 99.91 પીઆર સાથે ત્રણેય બાળકોએ સમગ્ર ગુજરાત બોર્ડમાં નવમો ક્રમાંક મેળવી તેમજ ધો. 10ના બધા વિદ્યાર્થીઓએ એ-1 મેળવી ડંકો વગાડ્યો છે. સતત 24માં વર્ષે 100 ટકા પરિણામનો સિલસિલો જોળવી રાખતાં ધો. 10ના છાત્રોને ઝળહળતી સફળતા મેળવી ટ્રસ્ટનું નામ રોશન કરવા બદલ ટ્રસ્ટના ચેરમેન વિજય રૂપાણી અને અંજલી રૂપાણીએ અભિનંદન પાઠવ્યા હતા.
ધો. 10નું પરિણામ જાહેર થતાં પુજીત રૂપાણી મેમો. ટ્રસ્ટ અંતર્ગત ચાલતા જ્ઞાન પ્રબોધિની શૈક્ષણિક પ્રોજેક્ટના ધો. 10ના 7 બાળકોમાંથી 3 બાળકો બોર્ડમાં ચમક્યા છે તેમજ બધા બાળકો એ-1 ગ્રેડ સાથે ઉત્તિર્ણ થયા છે. જેમાં દવે પરમ 99.91 પી.આર. (સમગ્ર ગુજરાત બોર્ડમાં નવમો), વડગામા શ્રેયા 99.91 પી.આર. (સમગ્ર ગુજરાત બોર્ડમાં નવમો) અને ચુડાસમા રીયા 99.91 પી.આર. (સમગ્ર ગુજરાત બોર્ડમાં નવમો) ક્રમાંક તેમજ મછોયા આયુષી 99.76 પી.આર., પરમાર તન્વી 99.68 પી.આર., પાટડીયા સ્મિત 99.35 પી.આર., લોખીલ રાજ 98.74 પી.આર. મેળવી ધો. 10ના બધા જ બાળકોએ બોર્ડમાં એ-1 ગ્રેડ મેળવેલ છે. આ ઝળહળતી સફળતા પ્રાપ્ત કરવા માટે ટ્રસ્ટના ચેરમેન વિજય રૂપાણી તથા ટ્રસ્ટી અંજલી રૂપાણીએ બધા જ બાળકોને અભિનંદન પાઠવી ઉચ્ચ કારકિર્દી માટે શુભેચ્છા પાઠવી હતી.
સતત 24માં વર્ષે આ પ્રોજેક્ટ અંતર્ગત અભ્યાસ કરતા બાળકોનું 100 ટકા પરિણામ આવ્યું છે. આ અગાઉ પણ આ ટ્રસ્ટના બાળકો બોર્ડમાં નંબર મેળવી ચૂક્યા છે. આ વર્ષે પણ આ પરંપરા જાળવી રાખી છે. આજના આ પરિણામમાં દવે પરમે વિજ્ઞાનમાં 100માંથી 100, સામાજિક વિજ્ઞાનમાં 100માંથી 100, વડગામા શ્રેયાએ સંસ્કૃતમાં 100માંથી 100, મછોયા આયુષીએ ગણિતમાં 100માંથી 100 ગુણ મેળવેલ છે.
વિદ્યાર્થીઓના ઘડતરની વ્યક્તિગત કાળજી લેવા માટે ટ્રસ્ટી અંજલી રૂપાણીના માર્ગદર્શન હેઠળ ટ્રસ્ટીઓ મહેશભાઈ ભટ્ટ, ડો. મેહુલભાઈ રૂપાણી, કમિટી મેમ્બર્સ જયેશભાઈ ભટ્ટ, હિંમતભાઈ માલવિયા, હસુભાઈ ગણાત્રા, સી. કે. બારોટ, મીરાબેન મહેતા, ગીતાબેન તન્ના, ભારતીબેન બારોટ તથા વહિવટી અધિકારી ભાવેનભાઈ ભટ્ટે જહેમત ઉઠાવી છે.