દેશની ટોચની કોર્પોરેટ કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા 22 જાન્યુઆરી સોમવારે અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસે તેના દેશભરની ઓફિસમાં કર્મચારીઓ માટે આખા દિવસની રજા જાહેર કરી છે. તમામ કર્મચારીઓ પ્રતિષ્ઠા મહોત્સવ નિહાળી શકે તે સંદર્ભે આ નિર્ણય લેવાયો છે.
ઉલ્લેખનિય છે કે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી આ દિવસે મહોત્સવમાં ખાસ આમંત્રિત છે અને અયોધ્યામાં ઉપસ્થિત રહેશે. રિલાયન્સ પહેલા કેન્દ્રીય સરકારે તેની કચેરીઓમાં અડધા દિવસની રજા જાહેર કરી હતી અને આ ઉપરાંત સ્ટોક માર્કેટ પણ પૂરા દિવસ સુધી સોમવારે બંધ રહેશે. ૨૨ જાન્યુઆરી બપોરે ૧૨.૩૦ કલાકે યોજાશે પ્રતિષ્ઠા મહોત્સવ.