-ગુલાબી નોટ પાછી ખેંચવાના નિર્ણયને 3 માંથી 2 લોકોનું સમર્થન
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાએ 2000 ની નોટ પાછી ખેંચવાનો નિર્ણય લીધા બાદ તેનો નિકાલ કરવાની મથામણમાં છે ત્યારે એક સર્વેમાં એવો મહત્વનો ખુલાસો થયો છે કે દેશનાં 64 ટકા લોકો પાસે 2000 ની નોટ જ નથી.2000 ની નોટ 30 સપ્ટેમ્બર સુધીમાં બેંકોમાં જમા કરાવી દેવાની ગાઈડલાઈન જાહેર થયા બાદ તાત્કાલીક પ્રત્યાઘાત હેઠળ સોના-ચાંદી જેવી ચીજોમાં ખરીદી વધી રહી હતી. જોકે 2016 ની નોટબંધી જેવો ગભરાટ સામાન્ય વર્ગમાં ન હતો.બેંકોમાં નોટો બદલવાની સવલતો શરૂ થયા પછી પણ ખાસ ઘસારો નથી. આ તકે એજન્સી લોકલ સર્કલ દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. તેમાં 3 માંથી બે લોકોએ ગુલાબી નોટ પાછી ખેચવાના નિર્ણયનું સમર્થન કર્યુ હતું.
- Advertisement -
સર્વેના તારણો પ્રમાણે શુક્રવારે 2000 ની નોટ પાછી ખેચવાના નિર્ણય બાદ 34 ટકા લોકોએ આ ગુલાબી નોટનો ઉપયોગ કર્યો હતો. દેશના 31 જીલ્લામાં 57000 થી વધુ લોકોને સર્વેમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. તેમાં બે ટકા લોકોએ કોઈ જવાબ આપ્યા ન હતા. 91 ટકા લોકોએ એમ કહ્યું કે 2000 ની નોટ વટાવવામાં કે વાપરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો અર્થાત તે સ્વીકારવામાં વેપારી કે અન્ય લોકોએ આનાકાની કરી હતી. સર્વે રીપોર્ટ પ્રમાણે 74 ટકા લોકોએ 2000 ની નોટ પાછી ખેચવાનું સમર્થન કર્યું હતું. જયારે 22 ટકા લોકો વિરૂદ્ધમાં હતા. 12 ટકા લોકોને આવા કદમથી કોઈ ફેર પડયો ન હોવાનું કહ્યું હતું. જયારે બે ટકા લોકોમાં કોઈ ટીપ્પણી કરી ન હતી.
મહત્વની વાત એ સામે આવી ચે કે 64 ટકા લોકોએ 2000 ની એક માત્ર નોટ ન હોવાનું કહ્યું હતું.15 ટકા લોકોએ 20,000 ના મુલ્યની 6 ટકા લોકોએ 1 લાખના મુલ્યની 2 ટકા લોકોએ બે લાખના મુલ્યની હોવાનું સ્વીકાર્યું હતું. બે ટકા લોકોએ 10 લાખ કે તેથી વધુની ગુલાબી નોટ હોવાની કબુલાત આપી હતી. બે ટકા લોકોએ જવાબ આપવાનું ટાળ્યુ હતું. સર્વેનાં તારણો પ્રમારે માત્ર 6 ટકા લોકો પાસે જ એક લાખ કે તેથી વધુનાં મુલ્યની ગુલાબી નોટ છે. સર્વેમાં સામેલ 68 ટકા લોકોએ કહ્યું કે 30 સપ્ટેમ્બર પછી પણ આ નોટ કાયદેસરની જ રહેનાર હોવાથી કાળુ નાણુ ધરાવનારા લોકોને રાહત રહેશે.આ લોકોએ 2000 ની નોટ બેંક ખાતામાં જ જમા કરાવવાનું ફરજીયાત કરવા તથા એકસચેંજની સુવિધા રદ કરવાનો અભિપ્રાય દર્શાવ્યો હતો.