By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    3 days ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    3 days ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    4 days ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    6 days ago
    ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો
    7 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    વિશ્વ હાથી દિવસ : વનતારાએ ભારત અને વૈશ્વિક સ્તરે હાથી કલ્યાણના ફેલાવાના કાર્યક્રમોનો વિસ્તાર કર્યો
    16 hours ago
    ગુરૂગ્રામમાં 271 કરોડનું એક પેન્ટહાઉસ ખરીદાયું
    16 hours ago
    ફિટનેસના શોર્ટકટ માટે ક્રિકેટરોમાં વજન ઘટાડવાના ઇન્જેક્શન લેવાનો ટ્રેન્ડ
    16 hours ago
    દેશમાં 61 હજારથી વધુ દર્દી કિડની ટ્રાન્સપ્લાન્ટની રાહમાં
    16 hours ago
    સંસદમાં દરેક મુદ્દે જવાબ આપીશ, વિપક્ષ સદન ચાલવા દેઃ અમિત શાહ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 week ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    2 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    2 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    2 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    4 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    4 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ભૂરખિયા હનુમાનદાદાના દર્શને ઘણી વાર ગયા હશો, પણ તેનો ઈતિહાસ જાણો છો?
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > ભૂરખિયા હનુમાનદાદાના દર્શને ઘણી વાર ગયા હશો, પણ તેનો ઈતિહાસ જાણો છો?
Authorધર્મ

ભૂરખિયા હનુમાનદાદાના દર્શને ઘણી વાર ગયા હશો, પણ તેનો ઈતિહાસ જાણો છો?

Khaskhabar Editor
Last updated: 2023/12/18 at 5:26 PM
Khaskhabar Editor 3 years ago
Share
8 Min Read
SHARE

સંત દામોદરદાસજીના સ્વપ્નમાં હનુમાનજી આવ્યા કહ્યું કે , હું ચૈત્ર સુદ પૂનમની મધરાતે આ સ્થળે પ્રગટ થઈશ!

રાજકોટ, ભૂરખિયા હનુમાનદાદાના દર્શને ઘણાં લોકો ઘણીવાર ગયા હશે, પણ તેમનો ઈતિહાસ કેટલા લોકો જાણે છે? તમને ખબર છે કે ભૂરખિયા હનુમાનદાદા અહીં કેવી રીતે બિરાજ્યા? ચલો તે અંગે વાત કરીએ, સૌરાષ્ટ્રના સીમાડે વિરમગામ નામનું શહેર આવેલુ છે,આ વિરમગામની ભાગોળે ગોલવાડ દરવાજા બહારના મેદાનમાં મહંત શ્રી રઘુવીરદાસજીની જમાત હતી, તેમાં 300 જેટલા ખાખી સાધુઓની જમાત હતી. આ જમાત નિશાન, ડંકા, છત્તર, છડી અને ચમર જેવી રાજવી ઠાઠવાળી હતી. તેની પાસે 10 ઘોડા, 25 ઊંટ, અને જાતવંત ઉંચી જાતના ઘોડાઓની પાયગા જેવી રિયાસત સહિત ડેરા તંબુ સમિયાણા, રાવટીઓ લશ્કરી ઢબે ખડી કરી દીધી હતી.મહંત રઘુવીરદાસજી મહાન અને પ્રભાવશાળી સંત હતાં. મહંત રઘુવીરદાસજી રામાનંદી સંપ્રદાયના સુપ્રસિધ્ધ મહાત્મા તરીકે પ્રખ્યાત હતાં. તેમના પરમ શિષ્ય દામોદરદાસજી મહાવીર રામાયણના પ્રખર વક્તા હતાં. આ મહાત્મા દામોદરદાસજી પોતાની સ્વતંત્ર રાવટીમાં એક રાત્રે નિદ્રાધીન હતાં, રાત્રે તેમને એક અદભૂત સપનુ આવ્યું. આ સ્વપ્નમાં મહાવીર, કષ્ટભંજક શ્રી હનુમાનજીના દર્શન થયા, હનુમાનજી તેમને સપનામાં આદેશ આપ્યો કે, સભાડ (હાલનું દામનગર), અને લાઠી વચ્ચે મોટુ જંગલ છે, આ જંગલમાં એક મોટો ટેકરો છે, ત્યાં તમે ચૈત્ર સુદ પૂર્ણિમાની રાતે પહોચી જજો, પૂર્ણિમાની મધરાત એટલે કે રાતે 12 વાગે ત્યાં મારુ પ્રાગટ્ય થશે. (આ વખતે ચૈત્ર સુદ પૂર્ણિમા, અને હનુમાન જયંતિ મંગળવાર તા. 26-4-24 ના આવે છે.) આવો આદેશ આપી હનુમાનજી અંતરધ્યાન થયા, સંત દામોદરદાસજી એકાએક જાગી ગયા, તેઓ આસન પર બેસીને ભગવાન રામ,સીતાજીનું સ્મરણ કરવા લાગ્યા,આમ વિચારો અને રામસ્મરણમાં પરોઢિયુ થઈ ગયુ સૂર્યોદય પણ થઈ ગયો હતો. આથી તેમણે ગુરુદેવ મહંતશ્રી રઘુવીરદાસજી પાસે જઈને પ્રણામ કરીને બેઠા, તેમણે ચોતરફ દ્રષ્ટી કરીને જોઈ લીધુ કે સર્વ સંતસમાજ આવી ગયો છે. દામોદરદાસજીએ ઉભા થઈને ગુરુદેવ તથા સંત સમાજને વંદન કર્યા, ગુરુદેવની આજ્ઞા લઈને તેમણે આવેલા સ્વપ્નની અને હનુમાનજી એ આપેલા આદેશની વાત કરી.જમાતમાંથી છૂટા થવા ગુરુદેવને સવિનય વિનંતી કરી આજ્ઞા માંગી,બીજાથી સંતસમાજ વાકેફ થતાં જ જમાતના મહંત રઘુવીરદાસજી એ શ્રી પંચ (જમાતના આગેવાનો)ને સંબોધી દામોદરદાસજીને જમાતમાં થઈ છૂટા કરવા અંગે ચર્ચા કરી, સૌ સહમત થયા. દામોદરદાસજી ને જમાત તરફથી વિદાયમાન અપાયું વિશેષમાં રઘુવીરદાસજીએ શુભાશિષ આપતા કહ્યું કે, દામોદરદાસજીની વિદાયથી મુઝે એક સુપાત્ર ઔર વિદ્વાન શિષ્ય કે વિયોગકા અનુભવ હો રહી હૈ, મગર સીતારામજીકી કૃપાસે વહ એક શુભકાર્ય કે નિમિત હોકર અપને ધર્મકાર્ય ઉજ્જવલ બનાનેમે કાર્યશીલ હો રહી હૈ,ઈસલિયે મે સગર્વિત ઔર આનંદિત હો રહી હું, મેરા હાર્દિક આશિર્વાદ હૈ કી આપવા કાર્ય શીઘ્રહી સફલ હો. આજસે તુમ્હારી સર્વ રીતિ પ્રગતિ શ્રી સીતારામજી કરેંગે શુભસ્ય શીઘ્રમ્ ભવેત્આ રીતના આશિર્વાદ આપી સફળતા ઈચ્છી. મહાત્મા દામોદરદાસજી સૌની વિદાય લઈ ને નીકળી ગયા,એ જમાનામાં આજની જેમ સુખ સગવડતાવાળી પ્રવાસની કે બસની સુવિધા ન હતી. આથી પગપાળા પ્રવાસ શરુ કર્યો. પ્રવાસ દરમિયાન જ્યા રાત્રી પડે ત્યાં ગામના ચોરામાં મુકામ કરી પ્રાત:કાળ થતા સેવાપૂજાનું નિત્યકર્મ પૂર્ણ કરી પ્રવાસમાં આગળ વધતા હતાં. આમ કરતા કરતા તેઓ વર્ધમાનપૂરી (હાલનું : વઢવાણ) પહોચ્યા, ત્યા ચોકમાં રામજી મંદિરમાં રાત્રી નિવાસ કર્યો. સવારે એક મહાત્મા પાસે લાઠી અને સભાડ(દામનગર) કેમ પહોચવું તેની માહિતી મેળવી. આ માહિતીના આધારે પ્રવાસ કરતા કરતા ચૈત્રમાસ બેસતા સુધીમાં દામોદરદાસજી નિયત સ્થળે આવી પહોંચ્યા, આંકડા,લીમડા અને આવળોના જૂથની ઘાટી ઝાડીમાંથી પસાર થતા મળેલા આદેશ મુજબની મોટા બાવળવાળી ટેકરી ઉપર આવી પહોંચ્યા ટેકરી પરથી રૂડુ મેથળી ગામ જોયું,એકાદ અઠવાડિયુ મેથળી ગામમાં ગાળવાનો વિચાર કરી તેમણે મેથળીના ચોરે નિવાસ કર્યો. ગામલોકોને ચોરે બોલાવી પોતાના આગમનની વિગતો જણાવી, સાથોસાથ હનુમાનજીએ સ્વપ્નમાં આપેલા આદેશની વાત કરી. આ આદેશ મીથ્યા જવાનો નથી એવું ભારપૂર્વક કહ્યું. ગામલોકો દામોદરદાસજીની વાત સાંભળી ખુશ થયા, આમ ત્યા અઠવાડિયુ પસાર કરીને ચૈત્ર સુદ પૂનમ 1642 નો દિવસ નજીક આવતા મેથળીના ચોરેથી દામોદરદાસજીએ ઉઠાવી કષ્ટભંજક હનુમાનજીએ સ્વપ્નમાં આપેલા આદેશવાળા સ્થળે જંગલમાં ઘાટી આવા ટેકરા ઉપર નાની પર્ણકૂટી તૈયાર કરાવી ત્યાં નિવાસ શરુ કર્યો. મહાત્મા દામોદરદાસજી અને મેથળી ગામના ગરાસદારો (લાઠીના રાજવી એ ચારણોને મેથળી ગામ દસોંદી તરીકે પોષણક્ષમ માટે બક્ષીસમાં આપેલું આથી ચારણો મેથળીના મૂળ ગરાસદાર ગણાય છે)

- Advertisement -

આ સ્થાનનું નામ ભૂરખિયા કેમ પડ્યું?

સંત દામોદરદાસજી પણ મસ્ત બનીને પોતાની પ્રિય ધૂન:
સિતારામજીકી જય, પ્યારે રાઘવકી જય,
બોલો કૃપાળુ હનુમાનજીકી જય,જય,જય

ચૈત્ર સુદ 15 નો દિવસ નજીક આવતા દામોદરદાસજી તથા ખેડૂતો અને કપોળ વણિકનું કુટુંબ (પારેખ) ચૈત્રી પૂર્ણિમાની રાહ જોતા હતાં. આ વાતની જાણ આજુબાજુના ગામો જેવાકે, સભાડ (દામનગર), ભીંગરાડ, આંસોદર, રસનાળ, અને લાઠીના ગ્રામવાસીઓને થઈ હતી. તેથી તે સર્વે પણ હનુમાનજીના પ્રાગટ્યની આતુરતાથી રાહ જોતા હતાં. આ વાવડ લાખેણાના રાજવી મોટા લાખાજીરાજને થઈ, આથી તેઓ પણ રથ જોડીને દામોદરદાસજીના દર્શને જઈ આવ્યા, લાઠીની જનતા કષ્ટભંજન હનુમાનજીના પ્રાગટ્યના દર્શન કરવા ભજનમંડળીઓ સાથે ભજનની રમઝટ બોલાવતી હાજર થઈ ગઈ હતી. સમયને જતા વાર ન લાગી,વિક્રમસંવત 1642ના ચૈત્ર સુદ પૂનમનો શુભ દિવસ આવ્યો, આ નિર્જન જંગલમાં જ્યા ઢોર ચરાવનાર ગોવાળ કે રડ્યાખડ્યા વટેમાર્ગુ સિવાય કવચિત જ કોઈ જોવામાં આવતું,ત્યાં આજે માનવમહેરામણ હલક્યો હતો.ભજનમંડળી ભજનની રમઝટ બોલાવતી હતી, તો વળી કોઈ સ્થળે રાસ મંડળીઓ રાસની રંગત બોલાવતા હતી. કોઈ સ્થળે ધૂન મંડળીઓ પ્રભુના નામની ધૂનમાં મસ્ત બની હતી. એક વખતનું ઉજ્જડ જંગલ માનવસમુદાયના પ્રભાવથી જીવંત બનીને ભક્તિભાવની રંગતે રંગાઈને આનંદની હેલીમાં ડૂબ્યા હતું. પૂર્ણિમાનો પૂર્ણ કળાએ ખીલેલો ચંદ્ર આકાશમાં પ્રકાશી તેના મધુરા શીતલ કિરણોથી રાત્રીના અજવાળી રહ્યો હતો. આમ જંગલનું વાતાવરણ મંગલમય બન્યું હતું. પોતાના ઈષ્ટદેવ કષ્ટભંજક હનુમાનજીના પ્રાગટ્યની ઘડીઓ નજીક આવતા સંત દામોદરદાસજી પણ મસ્ત બનીને પોતાની પ્રિય ધૂન: સીતારામજીકી જય, પ્યારે રાઘવકી જય, બોલો કૃપાળુ હનુમાનજીકી જય,જય,જય ગાતા હતાં.પોતાના હાથમાં રહેલા લોખંડના ચીપીયાના કડામાં ભરાવેલી કડીઓ હાથ વડે ખખડાવી તાલ પૂરી રહ્યા હતાં. બરાબર મધરાત્રીનો સમય થતાં તોપ જેવા પ્રચંડ ધડાકો થયો, ધડાકાના અવાજ સાથે ટેકરી પરનો મોટો બાવળિયો મૂળ સાથે ફેંકાઈને દૂર જઈને પડ્યો. માટીની ડમરીથી આંધી છવાઈ ગઈ, કેટલાક લોકો આમતેમ ભાગવા લાગ્યા, તો કેટલાક મસ્ત બનીને નાચવા લાગ્યા. ફરીથી પૂર્વવત શાંતિ છવાઈ ગઈ, થોડાવખત પહેલા જ્યા મોટો ટેકરો દેખાતો હતો, તે સ્થળ તદન સપાટ ભૂમિ જેવુ જોવા મળ્યું. મશાલોના અજવાળે એક ઊંચા ઓટલા ઉપર સિંદુરથી બંબોળ હનુમાનજીના સૌને દર્શન થયા. સંત દામોદરદાસજીએ હરખઘેલા બની હર્ષાવેશમાં આવીને બુલંદ અવાજે ભૂરખિયા હનુમાનજીની જય*ના જયનાદો કરાવ્યા.હનુમાનજી પ્રગટ થયાની વાત દૂરદૂરના ગામો અને શહેરો નહીં સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રસરી જતાં સૌ કોઈ ભૂરખિયા હનુમાનજીના દર્શને આવવા લાગ્યા. જનતામાં શ્રધ્ધાની ભાવના જાગૃત થવા લાગી. કારણ કે જે કોઈ પણ વ્યક્તિ જે કાર્ય માટે માનતા કરે કે બાધા આખડી રાખે તુરત જ તેમના કાર્યો સિધ્ધ થવા લાગ્યા.
આ સ્થાનનું નામ ભૂરખિયા હનુમાનદાદા સંત દામોદરદાસજીએ રાખ્યુ છે, ભૂ એટલે પૃથ્વી, ધરતી, જમીન જે કહો તે ચાલે, રખિયા એટલે રખેવાળ, રક્ષક, જોકે ભૂરખિયા હનુમાનદાદા માત્ર જમીનનું જ રક્ષણ કરતા નથી, તેઓ તો જે માંગે ઈ આપે છે, બળ,બુધ્ધિ, વિદ્યા, ધન, કોઈ દીકરા માટે સંસ્કારી નવવધુ માંગે છે, તો કોઈ દીકરી માટે ખાનદાન પરિવારનો જમાઈ માંગે છે, કોઈ સારી નોકરી માંગે છે તો કોઈ સારો ધંધો માંગે છે, આમ જેને જે પસંદ આવે ઈ માંગે છે. ભૂરખિયા હનુમાનદાદા તેને આપે પણ છે. જોકે આ દાદાના સાનિધ્યમાં ધંધો કરનારા રીતસર લૂંટફાટ ચલાવે છે, આ લખનારને તેનો જાત અનુભવ થયો છે, હનુમાન ચાલીસાની ગોરખપુરની બૂક માત્ર પાંચ રૂપિયાની પ્રિન્ટ છે, જે 20 રૂપિયામાં વેચે છે, આ લૂંટ અટકાવવા ભૂરખિયા હનુમાનદાદાના સેવકોએ જાતે આગળ આવવુ જોઈએ, મેનેજમેન્ટ વતી પોતાનો સ્ટોર કરવો જોઇએ. પોતે ધાર્મિક પુસ્તકોનું વેચાણ કરવુજોઈએ, એવુ સજેશન છે.

- Advertisement -

 

You Might Also Like

કનેસરા ગામ પાસે કંનનાથ મહાદેવ, દુઃખભંજન હનુમાનજી અને ખોડિયાર માતાજીનું મંદિરનો ત્રિવેણી સંગમ

શિવભક્તનો અદભુત સેવાયજ્ઞ : રામનાથધામનું નવસર્જન

અમે લોકોને ખુશ કરવા નથી બેઠાં

ખાસ-ખબરની છ વર્ષની ખબર

બેંક લોનમાં જામીનદાર બનવું એ ગંભીર કાનૂની જવાબદારી

TAGGED: BhurkhiaHanumanDada
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પ્રજા-પોલીસ વચ્ચેના સંવાદ સેતુ હેઠળ ‘ત્રણ વાત તમારી, ત્રણ અમારી’ કાર્યક્રમ યોજાયો
Next Article હવે ગાયના છાણથી રોકેટ સ્પેસ માટે ઉડાન ભરશે : સંશોધન

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

દંડનો ડર નહીં, મોતનો વિચાર નહીં! : ગુજરાતમાં 48.7 ટકા માર્ગ અકસ્માતો `જીવલેણ’

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
અખંડ ભારત સંકલ્પ દિવસ નિમિત્તે રાજકોટમાં ભવ્ય ત્રિશુલ દીક્ષા કાર્યક્રમ
કનેસરા ગામ પાસે કંનનાથ મહાદેવ, દુઃખભંજન હનુમાનજી અને ખોડિયાર માતાજીનું મંદિરનો ત્રિવેણી સંગમ
શિવભક્તનો અદભુત સેવાયજ્ઞ : રામનાથધામનું નવસર્જન
બેટ દ્વારકામાં સરકારી જમીન પર દબાણના આક્ષેપોઃ બે ટ્રસ્ટીઓ પાસે નગરપાલિકાએ પુરાવા માંગ્યા
મેમો ફાડવામાં પોલીસની ઝડપ, ટ્રાફિક હટાવવામાં ધીમી ગતિ કેમ ?
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

AuthorBhavy Raval

કનેસરા ગામ પાસે કંનનાથ મહાદેવ, દુઃખભંજન હનુમાનજી અને ખોડિયાર માતાજીનું મંદિરનો ત્રિવેણી સંગમ

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
Authorરાજકોટ

શિવભક્તનો અદભુત સેવાયજ્ઞ : રામનાથધામનું નવસર્જન

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
AuthorKinnar Acharya

અમે લોકોને ખુશ કરવા નથી બેઠાં

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?