ઉનાળાની શરૂઆતમાં જ તાપમાન 40 ડીગ્રીને આંબી ગયુ છે તો આગળ હજુ તાપમાન કેટલું સખત બનશે તે કલ્પનાથી તરે છે. ત્યારે ઉનાળામાં લોકો ગરમી રાહત મેળવવા ઠંડક વાલી વસ્તુઓ ગ્રહણ કરે છે. આથી ગરમીમાં કુત્રિમ ફ્રીઝ જેવી ઠંડક આપતું કુદરતી ફ્રીઝ એટલે કે માટલાનું પાણી પીવાનું લોકો વધુ પસંદ કરે છે. માટલાનું પાણી પીવાથી અનેકો ફાયદાઓ થાય છે. કૃત્રિમ કરતા કુદરતી રીતે ઠંડા થતા પાણીથી આરોગ્યની જાણવણી થાય છે. આથી બજારમાં માટલાનું વેચાણ પણ વધ્યુ છે
બજારમાં શ્રીનાથ માટી અને ગુરૂવાળી માટીના માટલાનું વેચાણ -અમદાવાદ, થી પણ મંગાવવામાં આવે છે. હાલ બજારમાં અવનવી ડીઝાઈન વાળા માટલાનું વેચાણ થઈ રહેયું છે. જેનો ભાવ રૂમ.200 થી શરૂ થઈ રૂ.5મ00 સુધીના છે જે લોકો માટીના માટલાનું પાણી પીવાથી દેવાયેલ હોય તેઓ માટલાનું જ પાણી પીવે છે.આથી ઘરોમાં ઓફીસોમાં જાહેર સ્થળોએ માટલા રાખવાનો આગ્રહ વધુ હોય છે. લાલ રંગના સાદા માટલા રાજસ્થાનથી તો સફેદ માટલા મોરબી અને થાનગઢથી ચિત્રોવાળા, કચ્છી માટલા, છોટા ઉદ્દેપુરના કાળીમાટીના માટલાનું બજારમાં વેચાણ થઈ રહ્યું છે