ત્રિકોણબાગ કા રાજા ગણપતિ મહોત્સવના અવિરત 22માં વર્ષે ગજાનન ઉપાસક જીમ્મી અડવાણીનું બેનમૂન આયોજન
તમામ ધર્મ, સંપ્રદાયના વંદનીય સંતો, સામાજિક અને રાજકીય પક્ષના આગેવાનો દરરોજ એક મંચ ઉપર: પંડિતો દ્વારા આરતી કરાશે
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ગણપતિ ઉત્સવને નવો આયામ આપીને ગુંજતો કરનાર ‘ત્રિકોણબાગ કા રાજા’ ગણપતિ મહોત્સવનો આગામી 10 સપ્ટેમ્બર શુક્રવારથી ત્રિકોણ બાગ ખાતે કોવિડ-19 ગાઈડ લાઈન સાથે વિશાળ સુશોભીત પરિસરમાં મંગલ પ્રારંભ થશે. પ્રથમ દિવસે 10 સપ્ટેમ્બરે સવારે 10-30 વાગ્યે પંડાલમાં પ્રસ્થાપિત થનાર ગણેશજીની મૂર્તિ અજંતા-ઈલોરાની શિલ્પકલા કૃતિની ઝાંખી કરાવે તેવી ઇકો-ફ્રેન્ડલી મનમોહક મૂર્તિ અનુપમ અને ભાવવાહી છે. ત્રિકોણબાગ કા રાજા ભવ્ય રાજમહેલના દ્વારે પ્રસન્ન મુદ્રામાં બેઠેલા દ્રશ્યમાન થશે. ગણપતિજીનું આ દિવ્ય દર્શન ભાવિકોને સુખદ અનુભૂતિ કરાવશે. આ મહાકાય મૂર્તિને હીરા-મોતી અને વસ્ત્રાલંકારોથી શણગારીને રંગબેરંગી રોશનીમાં ઝળહળતી કરાશે. ગુજરાતમાં આવું અલભ્ય દર્શન ગુજરાતમાં ક્યાંય જોવા નહીં મળે.

- Advertisement -
ભૂદેવો દ્વારા વૈદિક મંત્રોચ્ચારો સાથે પ્રસ્થાપિત થનાર દર્શનીય મૂર્તિની ગણપતિ મહોત્સવના 10 દિવસ દરમિયાન દરરોજ સવાર-સાંજ તમામ ધર્મ, સંપ્રદાયના સન્માનીય સંતો, સામાજિક અને રાજકીય પક્ષના આગેવાનો, વિવિધ ક્ષેત્રના મહાનુભાવો તથા ભાવિકજનોનો સમુદાય એક મંચ ઉપર પંડિતો દ્વારા લાઈવ પૂજા-આરતી કરશે. ગણપતિ મહોત્સવના દસ દિવસના આરાધનાના આનુસંગિક સાંસ્કૃતિક અને સેવાકીય કાર્યક્રમોની વિગતો આપતાં જીમ્મી અડવાણી જણાવે છે કે આ વર્ષે તા. 11 શનિવારે રાત્રે 8-30 વાગ્યે ચંદ્રેશ ગઢવી, બલરાજ ગઢવી અને સાથી કલાકારોનો ભવ્ય હાસ્ય દરબાર, તા. 12 રવિવારે સવારે 10-30 વાગ્યે ગરીબ દર્દીઓના લાભાર્થે જાહેર જનતા માટે મહારક્તદાન શિબિર અને રાત્રે 8-30 વાગ્યે મુંબઈના ચૈતાલી છાયાની મેજીકલ મ્યુઝિક નાઈટ, તા. 13 સોમવારે રાત્રે 8-30 વાગ્યે નિરવ રઘુવંશી, રાકેશભાઈ ભટ્ટ કથાકાર દ્વારા શિવ આરાધનાનો કાર્યક્રમ, તા. 14 મંગળવારે રાત્રે 8-30 વાગ્યે જયેશ દવે અને સાથી કલાકારો કસુંબીનો રંગ કાર્યક્રમ, તા. 15 બુધવારે રાત્રે 8-30 વાગ્યે વિશાલ વરૂ અને સાથી કલાકારોનો લોકડાયરો, તા. 16 ગુરુવારે રાત્રે 8-30 વાગ્યે મયુર બુદ્ધદેવ અને સાથી કલાકારો દ્વારા શ્રીનાથજી સત્સંગ, તા. 17 શુક્રવારે રાત્રે 8-30 વાગ્યે સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ પૂજારી શ્રી કિશોરબાપુના વરદહસ્તે સંગીતમય ઓમકાર આરતી અને રાત્રે 9-30 વાગ્યે નિલેશ વસાવડા, અખિલ પટેલ અને સાથી કલાકારોનો શ્રી કૃષ્ણની બાળ લીલાનો કાર્યક્રમ અને તા. 18 શનિવારે સાંજે 5-30 કલાકે ભગવાન સત્યનારાયણ દેવની સંગીતમય કથા, રાત્રે 8-30 કલાકે ગુજરાતની ગુલદસ્તો, કલાકારો આશિષ કોટક, કાજલ કથરેચા અને સમાપનમાં તા. 19 રવિવારે સવારે 10-30 વાગ્યે પૂર્ણાહુતિ પૂજા તથા ત્રિકોણ બાગ ચોક ખાતે જ ગણેશજીની મૂર્તિની પૂજા અને કૃત્રિમ તળાવમાં વિસર્જનનો અંતિમ કાર્યક્રમ છે.
ત્રિકોણ બાગ કા રાજાના તમામ સાંસ્કૃતિક કાર્યક્રમો ઓનલાઈન નિહાળી શકાશે. લક્ષ્ય ઈવેન્ટ દ્વારા આયોજીત આ કાર્યક્રમોમાં મ્યુઝિકલ ડાયરેકટર તરીકે પ્રશાંતભાઈ સરપદડિયા સેવાઓ આપશે. ત્રિકોણબાગ કા રાજા ગણપતિ મહોત્સવ ખરા અર્થમાં લોકભાગીદારીથી, સમાજના તમામ વર્ગના લોકોના સદ્ભાવ- સહયોગથી યોજાતો સંપૂર્ણપણે સાર્વજનિક ગણપતિ મહોત્સવ છે. અહીં ગણપતિ દેવની ઉપાસના ભક્તિભાવથી થાય છે. ત્રિકોણ બાગ કા રાજા તેમની સન્મુખ આવતા સૌ કોઈની મનોકામના પૂર્ણ કરે છે. લાખો શ્રદ્ધાઓનું આસ્થાધામ છે. રાજકોટ શહેરમાં ગણપતિ ઉત્સવ ઉજવનારા અનેક મંડળો અહીં દર્શનાર્થે હંમેશા પધારે છે. ત્રિકોણ બાગ કા રાજા ગણપતિ ઉત્સવની માતૃસંસ્થા છે.
ત્રિકોણબાગ કા રાજા ગણપતિ મહોત્સવ 2021ના સમગ્ર આયોજનને સાંગોપાંગ સફળ બનાવવા સાર્વજનિક ગણેશ મહોત્સવ સમિતિના જીમ્મી અડવાણી, જયપાલસિંહ જાડેજા, ચંદુભાઈ પાટડિયા, સંજયભાઈ ટાંક, નિલેશ ચૌહાણ, અભિષેક કણસાગરા, બિપીનભાઈ મકવાણા, ભરત રેલવાણી, દિલીપ પાંધી, ધવલ કાચા, ધવલ અડવાણી, વંદન ટાંક, કમલેશભાઈ, રાજન દેસાણી, ભરત મકવાણા, નાગજીભાઈ બાંભવા, પ્રકાશ ઝીંઝુવાડીયા, હર્ષ રાણપરા, હાર્દિક વિઠલાણી, કિસન સિદ્ધપુરા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.
- Advertisement -



