સ્વ. મધુબેન શુક્લને ભાવભીની શ્રદ્ધાંજલિ : પ્રાર્થના સભામાં રાજકીય-સામાજીક ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા
સ્વ. ચીમનભાઈ શુક્લની રાજકીય પ્રગતિમાં સ્વ. મધુબેનનો સિંહફાળો રહ્યો છે : વજુભાઈ વાળા
- Advertisement -
સ્વ.મધુકાકીના હાથના રોટલા ખાઈ જાહેર જીવન ક્ષેત્રે અનેક લોકો આગળ વધ્યા છે : પરસોતમભાઈ રૂપાલા
પ્રત્યેક સંતાનોની પ્રગતિમાં માતાનું યોગદાન મહત્વનું હોય છે, મધુકાકી વાત્સલ્યની મૂર્તિ હતા : અનિરુદ્ધ દવે
સ્વ.મધુબેને મનોહરસિંહજી જાડેજાને રાખડી બાંધી વિજયભવના આશીર્વાદ આપ્યા’તા : માંધાતાસિંહજી જાડેજા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગુજરાતમાં જનસંઘના સ્થાપક કાર્યકરોમાં સ્થાન ધરાવતા અને પૂર્વ રાજ્યસભા સાંસદ તરીકે સેવા આપનાર ચીમનભાઈ શુક્લની ધર્મપત્ની સ્વ. મધુબેન શુક્લના અવસાન બાદ યોજાયેલી પ્રાર્થના સભા ભાવવિભોર વાતાવરણ વચ્ચે સંપન્ન થઈ હતી. નૂતનનગર સ્થિત હોલ ખાતે યોજાયેલી આ પ્રાર્થના સભામાં પરિવારજનોને સાંત્વના પાઠવવા માટે વિશાળ સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. શુક્લ પરિવારના કૌશિકભાઈ શુક્લ, કશ્યપભાઈ શુક્લ, નેહલભાઈ શુક્લ તથા કાશ્મીરાબેન નથવાણી સહિતના સભ્યોને સાંત્વના આપવા સાધુ-સંતો, રાજકીય નેતાઓ, સામાજિક આગેવાનો તેમજ સંસ્થાકીય ક્ષેત્રના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, સંગઠન મહામંત્રી રત્નાકરજી તેમજ પૂર્વ કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ સહિતના અનેક આગેવાનોએ ટેલિફોનિક રીતે પણ સાંત્વના પાઠવી હતી.
આ પ્રસંગે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ સ્વ. મધુબેનને શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં જણાવ્યું હતું કે, જનસંઘના સમયથી ચીમનભાઈ શુક્લ સાથેનો પરિવારિક નાતો રહ્યો હતો અને જીવનના દરેક સુખ-દુ:ખમાં સાથે રહેનાર મધુબેન એ સંબંધોની જીવંત સાક્ષી રહ્યા હતા. તેમણે મધુબેનના સૌજન્ય અને સન્માનભાવને યાદ કરતાં તેમને શ્રદ્ધાંજલિ પાઠવી. પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ પોતાના સંદેશમાં જણાવ્યું કે, ચીમનભાઈ શુક્લની રાજકીય સફરમાં સ્વ. મધુબેન શુક્લનો મહત્વનો અને મૌન ફાળો રહ્યો હતો, જે પરિવાર અને સમાજ માટે પ્રેરણારૂપ છે. રાજકોટના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલાએ પોતાની યાદો વહેંચતા જણાવ્યું કે, રાજકીય જીવનની શરૂઆતમાં જ્યારે અમરેલીથી રાજકોટ આવવાનું થતું ત્યારે ચીમનભાઈના ઘરે જ રહેવાની અને ભોજન કરવાની વ્યવસ્થા થતી હતી, અને મધુબેનના હાથના ભોજનની મીઠી યાદો આજે પણ મનમાં તાજી છે.
પ્રદેશ ભાજપના મહામંત્રી અને રાજકોટ મહાનગરના પ્રભારી અનિરુદ્ધ દવે એ જણાવ્યું કે, ચીમનભાઈના ઘરે આવવા જતાં મધુબેનનો આદર અને સ્નેહ હંમેશા અનુભવો મળતો, અને તેઓ સાચા અર્થમાં વાત્સલ્યની મૂર્તિ હતા. રાજકોટના રાજવી માંધાતાસિંહએ પણ શ્રદ્ધાંજલિ પાઠવતા જણાવ્યું કે, મધુબેન તેમના પિતા મનોહરસિંહજી જાડેજાને રાખડી બાંધી આશીર્વાદ આપતા હતા, જે એક સકારાત્મક અને મજબૂત લોકશાહી સંબંધોનું ઉત્તમ ઉદાહરણ હતું. પ્રાર્થના સભા દરમિયાન ભાવવિભોર માહોલ વચ્ચે ઉપસ્થિત સૌએ સ્વ. મધુબેન શુક્લના વ્યક્તિત્વ, સ્નેહ અને સંસ્કારપૂર્ણ જીવનને યાદ કરી તેમને અંતિમ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
આ તકે પ્રાર્થના સભામાં શ્રધાંજલિ પાઠવવા શંકરસિંહ વાઘેલા, વજુભાઈ વાળા, અનિરુદ્ધભાઈ દવે, કિરીટસિંહ રાણા, રમેશભાઈ ધડુક, પરસોતમભાઈ રૂપાલા, રામભાઈ મોકરિયા દર્શિતાબેન શાહ, ઉદયભાઈ કાનગડ, રમેશભાઈ ટીલાળા, જયરાજસિંહ જાડેજા, ડો. ભરતભાઈ બોઘરા, ડો. માધવ દવે, રમેશભાઈ રૂપાપરા, ધનસુખભાઈ ભંડેરી, મુકેશભાઈ દોશી, કમલેશભાઈ જોષીપુરા, ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, હસુભાઈ દવે, નરેન્દ્રભાઈ દવે, રામજીભાઇ માવાણી, રમાબેન માવાણી, નીતિનભાઈ ભારદ્વાજ, ડો. વલ્લભભાઈ કથીરીયા, જ્યોતીન્દ્રભાઈ મહેતા, જવાહરભાઈ ચાવડા, જનકભાઇ કોટક, પ્રતાપભાઇ કોટક, ઉમેશભાઈ રાજ્યગુરુ, માંધાતાસિંહજી જાડેજા, અંજલીબેન રૂપાણી, અલકાબેન ભારદ્વાજ, ભાવનાબેન જોષીપુરા, અશોકભાઈ ડાંગર, નરેન્દ્રભાઈ સોલંકી, ડો. જૈમનભાઈ ઉપાધ્યાય, ડો. હેમાંગભાઈ વસાવડા, જીતુભાઈ મહેતા, પ્રદીપસિંહ વાઘેલા, ઇન્દ્રનીભાઇ રાજ્યગુરુ, લલિતભાઈ કાગથરા, કલ્પક ત્રીવેદી, મુરલીભાઈ દવે, સતીષભાઈ મહેતા, રાજુભાઈ ધ્રુવ, લાખાભાઇ સાગઠીયા, ટપુભાઈ લીંબાસીયા, ભાનુભાઈ મેતા, કલ્પકભાઈ મણિયાર, હંસિકાબેન મણિયાર,ડી.કે. સખીયા, જીમ્મીભાઈ અડવાણી, પ્રવીણભાઈ માકડિયા, યુસુફભાઇ જુણેજા, શાંતુભાઈ રૂપારેલીયા, ડી.વી. મહેતા, ભરતભાઈ મકવાણા, લાભુભાઈ ખીમાણીયા, રાજુભાઈ બોરીચા, પિયુષભાઈ શાહ, યોગેન્દ્રસિંહ જાડેજા, વલ્લભભાઈ દુધાત્રા, લલિતભાઈ વાડોલિયા, અતુલભાઇ રાજાણી, વી.પી. વૈષ્ણવ, જયેશભાઈ ઉપાધ્યાય, દેવાંગભાઈ માંકડ, ડો.પ્રદીપભાઈ ડવ, સુરેન્દ્રસિંહ વાળા, પુષ્કરભાઈ પટેલ, રાજદીપસિંહ જાડેજા, માવજીભાઈ ડોડીયા, ખીમજીભાઇ મકવાણા, નિલેશભાઈ શાહ, ચમનભાઈ સિંધવ, દલસુખભાઈ જાગાણી, જયંતભાઈ ધોળકિયા, પ્રભાતભાઈ ડાંગર, કાંતિભાઈ ઘેટિયા, ધર્મેન્દ્રભાઇ મીરાણી, વિજયભાઈ ચૌહાણ, ચંદુભાઈ શિંગાળા, જ્વલંતભાઇ છાયા, હર્ષદભાઈ ગોહેલ, હરેશભાઈ સોની, જે.પી. ત્રીવેદી, જયેન્દ્રભાઈ મહેતા, વિનુભાઇ ઘવા, પરષોત્તમભાઈ પીપળીયા, સજ્જાદ હીરા, નરેન્દ્રસિંહ ઠાકુર, વિજયભાઈ ભટાસણા, કિશોરભાઇ રાઠોડ, કરણાભાઈ માલધારી, હિરેનભાઇ મહેતા, ડો. સંજીવભાઈ ઓઝા, બળવંતભાઈ જાની, અપૂર્વભાઈ મણિયાર, બકુલભાઈ નથવાણી, નીતિનભાઈ નથવાણી, ગોપાલભાઈ માકડિયા, વિનુભાઇ પરમાર, તેજસભાઇ ત્રીવેદી, મિલનભાઈ શુક્લ, હરેશભાઈ જોષી, સમીરભાઈ ખીરા, રસિકભાઈ કાવઠિયા, અજયભાઈ પરમાર, મનીષભાઇ ચાંગેલા, નિદતભાઈ બારોટ, નાથાભાઈ ટોળિયા, દિલીપભાઈ પટેલ, મેહુલભાઈ રૂપાણી, પ્રવીણભાઈ રાઠોડ, ભીમાભાઇ કેશવાલા, સાકિરભાઈ સાડીકોટ, હાસ્મીન યુસુફભાઈ, અનિલભાઈ દેસાઈ, ચેતનભાઈ રામાણી, નીતિનભાઈ ઢાંકેચા, સી.ટી.પટેલ, કમલેશભાઈ શાહ, દેવાંગભાઈ દવે, હબીબભાઈ જુમાણી, હબીબ ગનીભાઈ, દિગુભા વાધેલા જયંતભાઈ પંડ્યા, મહેશભાઈ રાજપુત, જનાર્દનભાઈ પંડ્યા, દિનુમામા, ઉપેનભાઈ મોદી, ધીરુભાઈ સરવૈયા, ડો. ચંદારાણા, વસા બ્રધર્સ, ડો. ત્રિવેદી ન્યૂરો સર્જન, શિવભાઈ દવે, યોગીભાઈ પઢિયાર, કુલપતિ ઉત્પલભાઈ જોષી, નવીનભાઈ શેઠ, રામજીભાઇ શિયાણી, દેવાંગભાઈ પારેખ, મનીષ રાડિયા, એ.જી. મોદન, કૌશિકભાઇ મહેતા, શૈલેષભાઈ ઠાકર, પારસ મોદી, ધીરુભાઈ મહેતા, બલરામભાઇ કારીયા, રમેશભાઈ ઘોડાસરા, લીલાભાઇ કડછા, પાર્થભાઇ ગણાત્રા, જયેશભાઈ વસા, રમેશભાઈ ફળદુ, ગંભીરસિંહ પરમાર, નિતેશ કથીરીયા, પ્રવીણભાઈ ધોળકિયા, હીરાભાઈ જાગરણા, ડો. કમલભાઈ ડોડીયા, વશરામભાઇ સાગઠીયા, રાજુભાઈ પોબારૂ, જયંતીભાઈ સરધારા, દશરથભાઈ વાળા, ડો.સુરેશભાઈ જોષીપુરા, ધ્રુવ કુંડલ, જયદેવ જોષી, હબીબ કટારીયા, રાજુભાઈ જોષી, જે.ડી.ડાંગર, દિવ્યરાજસિંહ ગોહિલ, જયેશભાઈ સંઘાણી સહિતના સાથે ઉપસ્થિત રહ્યાં હતાં.



