1956થી 1960 સુધી રાજકોટમાં બોમ્બે હાઈકોર્ટની સર્કિટ બેંચ સફળતાપૂર્વક કાર્યરત હતી
વર્ષ 1981માં જસ્ટિસ જસવંત સિંહ પંચે જણાવ્યું હતું કે હાઈકોર્ટની નવી બેંચની સ્થાપના સામાન્ય નિયમ ન બની શકે, પરંતુ અત્યંત વિકટ અને જરૂરી સંજોગોમાં અપવાદ તરીકે જ થવી જોઈએ
- Advertisement -
ગુજરાત રાજ્યના ભૌગોલિક રીતે વિશાળ એવા સૌરાષ્ટ્ર અને કચ્છ ઝોનના સંદર્ભમાં આ સિદ્ધાંત અત્યંત સુસંગત બને છે. આ પ્રદેશના છેવાડાના વિસ્તારોમાંથી અસીલોને (કશશિંલફક્ષતિં) પોતાના કાનુની અધિકારોના રક્ષણ માટે અમદાવાદ સ્થિત ગુજરાત હાઈકોર્ટ સુધી લાંબી મુસાફરી કરવી પડે છે, જે તેમના પર આર્થિક અને માનસિક બોજ વધારે છે. આ ઐતિહાસિક અને ભૌગોલિક વાસ્તવિકતાને ધ્યાનમાં રાખીને સૌરાષ્ટ્રના કેન્દ્ર સમાન રાજકોટ શહેરમાં ગુજરાત હાઈકોર્ટની કાયમી ખંડપીઠ સ્થાપવાની માંગ છેલ્લા ઘણાં દાયકાઓથી અવિરતપણે ઉઠી રહી છે. તાજેતરમાં રાજકોટ બાર એસોસિએશન દ્વારા આ માંગને કાનુની, આંકડાકીય અને વહીવટી સ્તરે સચોટ રીતે રજૂ કરવા માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે.
રાજકોટમાં ઉચ્ચ ન્યાયિક સંસ્થાની માંગ એ કોઈ નવીન કે અચાનક ઉદ્ભવેલી ઘટના નથી, પરંતુ તેનો પાયો બ્રિટિશ કાળ અને આઝાદી પછીના શરૂઆતના વર્ષોમાં રહેલો છે. રાજકોટ ઐતિહાસિક રીતે સમગ્ર સૌરાષ્ટ્ર પ્રદેશનું રાજકીય અને ન્યાયિક વહીવટનું કેન્દ્ર રહ્યું છે. આ ઐતિહાસિક વારસાને સમજવો એ વર્તમાન માંગની કાયદેસરતા સ્થાપિત કરવા માટે અત્યંત જરૂરી છે.
બ્રિટિશ શાસન દરમિયાન રાજકોટમાં જ્યુડિશિયલ કમિશનની કાયમી બેઠક અસ્તિત્વમાં હતી, જે સમગ્ર પ્રદેશના ન્યાયિક વહીવટ પર દેખરેખ રાખતી હતી. આઝાદી બાદ જ્યારે ભારતમાં રાજ્યોનું ભાષાકીય ધોરણે પુનર્ગઠન કરવાની પ્રક્રિયા શરૂ થઈ ત્યારે સ્ટેટ રિઓર્ગેનાઈઝેશન એક્ટ 1956 અમલમાં આવ્યો. આ કાયદા અન્વયે સૌરાષ્ટ્ર અને કચ્છ જેવા અગાઉના સ્વતંત્ર પ્રદેશોને ‘બૃહદ મુંબઈ’ (ઇજ્ઞળબફુ જફિંયિં) રાજ્યમાં વિલીન કરવામાં આવ્યા હતા.
આ વિશાળ સૌરાષ્ટ્ર રાજ્યમાં ન્યાયિક વહીવટને સુલભ બનાવવાના ઉદ્દેશથી બોમ્બે હાઈકોર્ટના તત્કાલીન મુખ્ય ન્યાયાધીશ એમ. સી. ચાગલાએ 1956ના અધિનિયમની કલમ 51(3) અંતર્ગત પોતાની વિશેષ સત્તાનો ઉપયોગ કરીને નાગપુર અને રાજકોટ ખાતે બોમ્બે હાઈકોર્ટની બેંચની સ્થાપના કરી હતી. પરિણામ સ્વરૂપ 1956થી 1960 સુધી રાજકોટમાં બોમ્બે હાઈકોર્ટની સર્કિટ બેંચ સફળતાપૂર્વક કાર્યરત હતી, જેણે સ્થાનિક સ્તરે હજારો અસીલોને ન્યાય પૂરો પાડ્યો હતો.
જો કે વર્ષ 1960માં જ્યારે ‘બોમ્બે ઓર્ગેનાઈઝેશન એક્ટ, 1960’ પસાર થયો ત્યારે આ દ્વિભાષી રાજ્યનું મહારાષ્ટ્ર અને ગુજરાત એમ બે અલગ રાજ્યોમાં વિભાજન કરવામાં આવ્યું. આ કાયદાની કલમ 41 દ્વારા મહારાષ્ટ્ર રાજ્ય માટે નાગપુર ખાતે બોમ્બે હાઈકોર્ટની કાયમી બેંચ જાળવી રાખવાની સ્પષ્ટ કાનુની જોગવાઈ કરવામાં આવી, પરંતુ આશ્ર્ચર્યજનક રીતે ગુજરાત રાજ્યના સંદર્ભમાં રાજકોટ ખાતે ચાલતી બેંચને કાયમી કરવા માટે અથવા ગુજરાતના અન્ય કોઈ પણ ભૌગોલિક વિસ્તાર માટે આવી કોઈ જોગવાઈ કરવામાં આવી ન હતી. આ ઐતિહાસિક અન્યાય રાજકોટ બાર એસોસિએશન અને સૌરાષ્ટ્રના કાનુની નિષ્ણાતોની વર્તમાન માંગનો સૌથી સબળ અને મુખ્ય આધાર બનાવે છે.
રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખના મતાનુસાર જો મહારાષ્ટ્રમાં તેની વસ્તીના આધારે બહુવિધ બેંચો હોઈ શકે તો તે જ ગુણોત્તર લાગુ પાડીને ગુજરાતમાં ઓછામાં ઓછી ત્રણ બેંચ હોવી જોઈએ. જો કે માગણી માત્ર એક વધારાની બેંચ પૂરતી સીમિત છે. વધુમાં કાયદા પંચના 230માં અહેવાલમાં પણ નોંધવામાં આવ્યું છે કે મોટા રાજ્યોમાં પડતર કેસો ઘટાડવા અને સુલભતા વધારવા નવી બેંચો સ્થાપવી આવશ્યક છે. સૌરાષ્ટ્ર અને કચ્છના ઔદ્યોગિકરણ (મોરબી, રાજકોટ, જામનગર, ગાંધીધામ)ને કારણે પણ સ્થાનિક સ્તરે અદાલતી કાર્યવાહીની જરૂરિયાત વધી છે. વર્ષ 1981માં રચાયેલા જસ્ટિસ જસવંત સિંહ પંચે ભારપૂર્વક જણાવ્યું હતું કે હાઈકોર્ટની નવી બેંચની સ્થાપના સામાન્ય નિયમ ન બની શકે, પરંતુ અત્યંત વિકટ અને જરૂરી સંજોગોમાં અપવાદ તરીકે જ થવી જોઈએ. જો કે આ પંચના ધારાધોરણો અને માપદંડોને રાજકોટની માગણી સાથે સરખાવવામાં આવે તો તે બધી જ કસોટીઓ પર ખરી ઉતરે છે.
જો કોઈ કારણોસર રાજકોટમાં કાયમી બેંચની સ્થાપના શક્ય ન બને તો ન્યાય પ્રણાલીને છેવાડાના વિસ્તારો સુધી પહોંચાડવા માટે કેટલાક અત્યંત અસરકારક અને આધુનિક વિકલ્પો અપનાવી શકાય છે. સૌ પ્રથમ અને સૌથી વ્યવહારુ ઉકેલ ‘સર્કિટ બેંચ’ની સ્થાપના છે. સર્કિટ બેંચ કાયમી ધોરણે રાજકોટમાં રહેતી નથી, પરંતુ હાઈકોર્ટના ન્યાયાધીશોની ટુકડી સમયાંતરે રાજકોટ આવીને સ્થાનિક કેસોની સુનાવણી કરી શકે છે. આનાથી હાઈકોર્ટના કાયમી વિભાજનનો પ્રશ્ર્ન ઊભો થતો નથી અને ખર્ચ પણ નિયંત્રણમાં રહે છે પરંતુ તે રાજકોટ બાર એસોસિએશનને મંજૂર હોવાનું જણાતું નથી.
બીજો મહત્ત્વનો વિકલ્પ આધુનિક ટેકનોલોજી અને ડિજિટલ ન્યાયતંત્રનો છે. હાઈબ્રીડ હિયરિંગ અને વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા વકીલો પોતાના સ્થાનિક જિલ્લા કોર્ટમાંથી જ હાઈકોર્ટમાં દલીલો કરી શકે તેવી વ્યવસ્થા મજબૂત બનાવવી જોઈએ. ઈ-ફાઈલિંગ 2.0, વર્ચ્યુઅલ જસ્ટિસ ક્લોક અને નેશનલ સર્વિસ એન્ડ ટ્રેકિંગ ઓફ ઈલેકટ્રોનિક્સ પ્રોસેસિ (ગજઝઊઙ) જેવી એપ્લીકેશનોનો વ્યાપ વધારવો જોઈએ. આ ઉપરાંત સ્થાનિક ભાષામાં ચુકાદાઓનો અનુવાદ અને તાલુકા કક્ષાએ ઈ-સેવા કેન્દ્રોની સ્થાપના દ્વારા છેવાડાના અસીલોને ડિજિટલ મદદ પહોંચાડી શકાય પરંતુ પોતાના હક્કના ભોગે આવી સવલતોથી રાજકોટ બાર એસોસિએશન રાજી થાય તેમ જણાતું નથી.
સ્થાનિક જિલ્લા ન્યાય તંત્રનું સુદૃઢીકરણ પણ અતિઆવશ્યક છે. રાજકોટ, મોરબી અને જામનગર જેવા ઔદ્યોગિક વિસ્તારોમાં વાણિજ્યિક વિવાદો માટે વધુ વિશેષ અદાલતો (જાયભશફહશુયમ ઈજ્ઞીિતિં)ની રચના કરવી જોઈએ તેમજ વૈકલ્પિક વિવાદ નિવારણ પ્રણાણી (અઉછ) અંતર્ગત મધ્યસ્થી અને આર્બિટ્રેશન કેન્દ્રો સ્થાપીને તેમજ નિયમિત ધોરણે મેગા લોકઅદાલતનું આયોજન કરીને હાઈકોર્ટ પરનું ભારણ મોટા પાયે ઘટાડી શકાય છે પરંતુ આ બાબત પૂર્ણ રીતે હાઈકોર્ટનો વિકલ્પ પૂરો પાડતું ન હોય તે પણ અસ્વીકાર્ય બની શકે છે.
વર્તમાન કાનુની માળખા, વહીવટી મર્યાદાઓ અને બાર એસોસિએશનોના સંભવિત વિરોધને જોતાં આ પ્રક્રિય અત્યંત લાંબી અને જટિલ છે. જ્યાં સુધી કાયમી બેંચ માટે સંપૂર્ણ સહમતિ ન સધાય ત્યાં સુધી સર્કિટ બેંચની શરૂઆત, ડિજિટલ ન્યાય તંત્રનો વ્યાપક ઉપયોગ અને સ્થાનિક અદાલતોને વધુ સશક્ત બનાવવા જેવા વૈકલ્પિક ઉકેલોનો તત્કાળ અમલ થવો જોઈએ જેથી છેવાડાના માનવીને સરળતાથી અને સમયસર ન્યાય મળી શકે.




