By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    શ્રીલંકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેની રાજ્ય ભંડોળના દુરુપયોગ કેસમાં ધરપકડ
    3 days ago
    દક્ષિણ અમેરિકામાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીનો કોઈ ખતરો નથી
    3 days ago
    ટ્રમ્પનો અજીબો-ગરીબ હુકમ મેક્સિકો બોર્ડર વૉલ કાળા રંગે રંગાશે, ઘૂસણખોરોને રોકવા નવી તરકીબ
    4 days ago
    જુમ્માની નમાઝ ફરજિયાત: મલેશિયાના રાજ્યમાં નવું કડક ફરમાન, ઉલ્લંઘન પર જેલની સજા
    4 days ago
    ‘પુરસ્કૃત મુક્ત અને લોકશાહી ભાગીદાર’: નિક્કી હેલીએ ભારતને ચીનનો સામનો કરવા માટે ચાવીરૂપ ગણાવ્યું
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પટનામાં ટ્રક અને રિક્ષા વચ્ચે અકસ્માત, 10નાં મોત નિપજ્યાં: મૃતકોમાં 8 મહિલા
    2 days ago
    કોકિલાબેન હોસ્પિટલમાં ને અનિલ અંબાણીના ઘરે દરોડા
    2 days ago
    હોશિયારપુરમાં LPG ટેન્કર અને પિકઅપ ટ્રક વચ્ચે ટક્કર, વિસ્ફોટમાં 2 લોકોના મોત, 50થી વધુ ઘાયલ
    2 days ago
    મતદાર યાદી સુધારણા માટે આધાર કાર્ડ માન્ય ગણાશે: ચૂંટણી પંચને સુપ્રીમ કોર્ટનો આદેશ
    2 days ago
    ભારતમાં TikTok પાછું આવ્યું? ચીની એપના પાછા ફરવાની ચર્ચા વચ્ચે સરકારે જવાબ આપ્યો
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    એશિયા કપમાં ભારત – પાકિસ્તાન મેચ યોજાશે : સરકારે મંજૂરી આપી
    3 days ago
    એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, સૂર્યા કેપ્ટન અને ગિલ વાઈસ કેપ્ટન
    6 days ago
    સચિન તેંડુલકરના પુત્ર અર્જુનની સગાઈ સાનિયા ચંડોક સાથે થઈ
    2 weeks ago
    8 વર્ષના રિલેશન બાદ રોનાલ્ડો અને જોર્જિના કરશે લગ્ન, સગાઈની તસ્વીર થઈ વાઈરલ
    2 weeks ago
    દેવયાનીબા ઝાલાએ વર્લ્ડ એથ્લેટિક્સ ટૂર્નામેન્ટમાં સિલ્વર મેડલ જીતી ગુજરાતનું ગૌરવ વધાર્યું
    2 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    એઆઈ નવી ઊભરતી પ્રતિભા અને મ્યુઝિકની ક્રિએટિવિટીને ગળે ટુંપો દઈ દેશે: આશા ભોસલે
    3 days ago
    શ્રીમતી કોમલ હાથી પણ તારક મહેતા શો છોડશે?
    5 days ago
    રાજસ્થાનની મનિકા વિશ્વકર્માએ મિસ યુનિવર્સ ઈન્ડિયા 2025નો તાજ પહેર્યો
    6 days ago
    ચાલો આજે જાણીએ બચ્ચન પરિવારની વહુ અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સૌથી સુંદર એક્ટ્રેસ ઐશ્વર્યા રાયની નેટવર્થ વિશે
    2 weeks ago
    કપિલ શર્માના કેનેડા કાફેમાં મહિનામાં બીજી વાર 25થી વધુ ગોળીબાર
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    પર્યુષણ પર્વ નિમિત્તે : તીર્થંકરની માતાને આવેલા ચૌદ મહા સ્વપ્નોનું મહાત્મ્ય
    2 days ago
    ગણેશ ચતુર્થી:ગણપતિજીની સ્થાપના કરતી વખતે આ બાબતોનું ખાસ ધ્યાન રાખો
    2 days ago
    ગણેશ ચતુર્થી: આ વર્ષે ગણેશ ચતુર્થીએ આપનાવો આ ઉપાય
    3 days ago
    જન્માષ્ટમીના દિવસે ભગવાન વિષ્ણુને પ્રિય એવા તુલસીના છોડ સાથે આવું ક્યારેય પણ ન કરશો
    2 weeks ago
    ભાઈ અને બહેનના પ્રેમનો પવિત્ર દિવસ એટલે રક્ષાબંધન
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કરોડોના કૌભાંડનાં તાર પોરબંદર સુધી પહોંચે છે
    4 days ago
    દિનેશ સદાદિયાને બચાવવા કિરીટ પરમાર, આરદેશણા, પૂજારા અને દિક્ષિત પટેલનાં ધમપછાડા
    5 days ago
    સુનિલ દેત્રોજાએ સાધુ વાસવાણી રોડ પર આવેલી શ્રી બાબુભાઇ વૈદ્ય લાઇબ્રેરીની પથારી ફેરવી નાંખી
    5 days ago
    માનીતા શિક્ષકોને સાચવી લેવા નિયમ વિરૂદ્ધ બે પાળીમાં ચાલતી સ્કૂલો
    2 weeks ago
    શિક્ષણ સમિતિમાં ‘ઑફિસ કામગીરી’નાં બહાને જલ્સા કરે છે એક ડઝન શિક્ષકો
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સુરોખાર : ફટાકડાથી વિશ્વયુદ્ધ સુધીનો વિલન
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > સુરોખાર : ફટાકડાથી વિશ્વયુદ્ધ સુધીનો વિલન
Author

સુરોખાર : ફટાકડાથી વિશ્વયુદ્ધ સુધીનો વિલન

Khaskhabar Editor
Last updated: 2024/10/31 at 1:53 PM
Khaskhabar Editor 10 months ago
Share
8 Min Read
SHARE

કાર્તિકોલોજી: કાર્તિક મહેતા

ફટાકડા, કારના ટર્બો ચાર્જર અને જેટ પ્લેનના એન્જિન વચ્ચે એક સામ્યતા છે, આ ત્રણેય દહન માટે પુષ્કળ ઑક્સિજન ખેંચે છે

- Advertisement -

જોકે દિવાળી સાથે ફટાકડાને ખાસ લેવાદેવા નથી પણ આપણે ત્યાં એક પ્રથા શરૂ થાય પછી ધીમે ધીમે એ એટલી આરૂઢ થઈ જાય છે કે મૂળ માહાત્મ્ય ભુલાઈ જાય છે અને આવી પ્રથાઓ પડી રહે છે જેમ જીવ જતો રહે અને નિર્જીવ શરીર પડ્યું રહે એમ. ખેર, ફટાકડા માત્ર હાનિકારક ધુમાડો અને ઝેરી પાર્ટિકલ (કણો) પેદા કરે એવું નથી તે હવાનો પુષ્કળ ઓકિસજન પણ ‘ખાઈ’ જાય છે. જેમ જેટ પ્લેન ને ઉડવા માટે કે કારને એકદમ તાકાતથી ચાલવા માટે પુષ્કળ ઓકસીજન જોઈએ એમ ફટાકડાને પણ ધડાકા ભેર ફૂટવા માટે પુષ્કળ ઓકસીજન જોઈએ. આ ઓકસીજન એને હવામાંથી પૂરતો નથી મળતો. પ્રચંડ ધડાકો કરવા માટે પુષ્કળ ઓકસીજન પેદા કરતું રસાયણ ફટાકડામાં ઉમેરવું પડે છે જેને ઓક્સીડાઈઝર કહેવાય છે. ઓક્સિડાઈઝર તરીકે ફટાકડામાં હમેશા પોટેશિયમ નાઇટ્રેટ (ઊંગઘ3) નો ઉપયોગ થતો આવ્યો છે. પોટેશિયમ નાઇટ્રેટ એક અતિ જાણીતું રસાયણ છે જે વિશ્વના ટોપ 10 ઉપયોગી રસાયણમાં આવે છે.

પરંતુ આ પોટેશિયમ નાઇટ્રેટે વિશ્વનો ઇતિહાસ બદલી નાખેલો છે એની વાત આજે કરવી છે. ફટાકડા એ બોમ્બ જેવા જીવલેણ શસ્ત્રનું નાનું સ્વરુપ છે. રૂડયાર્ડ કિપ્લિંગે જંગલ બૂક નામની વાર્તા લખેલી એમાં માણસ ના રક્ત ફૂલ (એટલે કે અગ્નિ) નામના શસ્ત્ર થી હિંસકમાં હિંસક પ્રાણીઓ પણ ભયભીત થઈ જાય છે એવી વાત આવે છે.પણ આગ સાથે જો પ્રચંડતા ભળે તો એ વધુ ઘાતક બને. ભારતીયો ફટાકડા પ્રાચીન સમયથી ફોડે છે એના ખાસ પુરાવા નથી પણ ભારતીયો પ્રેકટિકલ હતા. એમણે ફટાકડાનો પ્રેકટીકલ ઉપયોગ શોધી કાઢેલો. ભારતીયો બારૂદ એટલે કે દારૂગોળા અથવા ગન પાઉડર બનાવવાની પ્રક્રિયા થી પ્રાચીન સમય થી વાકેફ હતા. આમ તો ગન પાઉડરની બનાવટનો શ્રેય ચાઈનીઝોને અપાય છે પરંતુ આ ચાઇનીઝ દાવાનું ખંડન એક જર્મન વંશી સંસ્કૃત પ્રોફેસરે કર્યું હતું. ગુસ્તાવ ઓપર્ટ નામના એક જર્મન પ્રોફેસર હતા જે મદ્રાસ પ્રેસિડેનસી કોલેજમાં સંસ્કૃત ભણાવતા હતા. એમણે પ્રાચીન ભારતીય યુદ્ધ કળાઓ ઉપર 1880મા શોધ નિબંધ લખ્યો ને દર્શાવ્યું કે હિંદુઓ (ભારતીયો) પ્રાચીન કાળથી ગન પાઉડર અર્થાત્ બારૂદ બનાવી જાણે છે. ગુસ્તાવે આ વાતને સાબિત કરતા અનેક પુરાવા પણ રજૂ કરેલા છે. (સર્ચ : On the weapons, army organisation and political maxims of ancient hindoos with special reference to gun powder to firearms, Oppert G 1880) ગુસ્તાવે શુક્રનીતિ સાર નામના અસુર ગુરુ શુક્રાચાર્ય દ્વારા લિખિત ગ્રંથમાંથી ગન પાઉડર(બારુદ/દારૂગોળો) બનાવવાની વિધિ ને પુરાવા તરીકે રજૂ કરી. આ વિધિમાં પોટેશિયમ નાઇટ્રેટ એટલે કે સુરોખાર એક અતિ અગત્યનું ઘટક છે. ગુસ્તાવે શુક્ર નીતિ સાર નામના અસુર ગુરુ શુક્રાચાર્ય દ્વારા લિખિત ગ્રંથમાંથી ગન પાઉડર(બારુદ/દારૂગોળો) બનાવવાની વિધિ ને પુરાવા તરીકે રજૂ કરી. આ વિધિમાં પોટેશિયમ નાઇટ્રેટ એટલે કે સુરોખાર એક અતિ અગત્યનું ઘટક છે. ઇસ 1605મા સ્પેનના રાજાએ ભારતથી પોટેશિયમ નાઇટ્રેટ મંગાવ્યું હતું એના ઐતિહાસિક પુરાવા છે. ભારતમાં પોટેશિયમ નાઇટ્રેટ ને સુરોખાર /શોરક /શુરા /શોરા/ સુવર્ચલ લવણ જેવા અનેક નામથી ઓળખાય છે.

આ શોરા શબ્દ છેક ફારસીમાં જઈને છેવટે સોડા શબ્દને જનમ આપે છે. ફ્રાન્સના રાજા લૂઈ 16માં એ પણ 1680મા ભારતથી હાઈ કવાલિતી સુરોખાર મંગાવેલો. યુરોપિયનો ને ત્યાં સુરોખાર (પોટેશિયમ નાઇટ્રેટ) બનતો જ નહોતો કેમકે એમને તે બનાવતા આવડતું નહોતું. આ કામ લુણીયા તરીકે ઓળખાતા લોકો ભારતમાં કરતા. સુરોખાર એક પ્રકારનું લવણ એટલે કે ક્ષાર જ છે. ભારતમાં બિહાર નું સુરોખાર શ્રેષ્ઠ ગુણવત્તાનું સુરોખાર કહેવાતું હતું. આથી જ્યારે ઇસ્ટ ઇન્ડીયા કંપનીએ ભારતમાં ધામાં નાખ્યા ત્યારે એની સહુથી મોટી નિર્યાત અફીણ કે ગળી કે કાપડ નહિ પણ સોલ્ટ પેટર અર્થાત્ સુરોખાર હતી. તેઓ અહીથી હજારો ટન ના હિસાબે સુરોખાર લઈ જતા અને એનો ગન પાઉડર બનાવીને પોતાની સૈન્ય શક્તિ વધારતા હતા. એથી એક સમય એવો આવ્યો કે ભારતમાં બેસ્ટ તોપચીઓ ફ્રેન્ચ અને અંગ્રેજ મૂળના હતા. ઇસ 1839મા જોહન ક્લાર્ક નામનો એક આસિસ્ટન્ટ સર્જન મદ્રાસ અંગ્રેજી આર્મીમાં ફરજ બજાવતો હતો તે નોંધે છે કે “કોઈ એવી રાસાયણિક પ્રક્રિયા છે જે આપણને સમજાતી નથી પણ એના વડે (ભારતીયો) સુરોખાર બનાવે છે”. સુરોખાર બનાવવા માટેની કાચી સામગ્રી બહુ નવાઈ પમાડે એવી હતી. એ હતી સડેલ વનસ્પતિ અને પ્રાણીઓ ના અવશેષ !! ભારતીયો આ સડવા માંડેલ ચીજોમાંથી એકદમ સફેદ ક્રિસ્ટલ જેવો સુરોખાર પેદા કરતા હતા જેની એક વિશિષ્ટ પણ એકદમ દેશી પ્રક્રિયા હતી. ઇસ 1912મા નેચર મેગેઝિન માં પ્રકાશિત થયેલ એક શોધપત્ર નોંધે છે કે ભારતીયો વિશ્વનું સહુથી વધુ પોટેશિયમ નાઇટ્રેટ (સુરોખાર) સપ્લાય કરે છે. હવે પ્રશ્ન એમ થવો જોઈએ કે કેમ સુરોખાર તરફ યુરોપિયનો ને આટલો પ્રેમ હતો? કેમ તે લોકો ભારતથી મોં માંગ્યા ભાવે સુરોખાર ખરીદીને પોતાની નાવોમાં ભરીને યુરોપ પહોચાડતા હતા? અંગ્રેજો અને બીજી યુરોપિયન પ્રજાઓના આ સુરોખાર પ્રેમ નું કારણ હતું : ગન પાઉડર એટલે કે બારૂદ બનાવવા માટે અનિવાર્ય જરુરીયાત. યુરોપિયનો એ અમેરિકા શોધી લીધું હતું. ત્યાં શાસન માટે સતત યુદ્ધો અને સંઘર્ષો થતા હતા. વળી એમને યુરોપમાં અંદર અંદર પણ છમકલાં ચાલુ રહેતા. આથી સખત માત્રામાં બારૂદ (ગન પાઉડર) ની જરૂર પડતી. આ ગન પાઉડર બનાવવા માટે પોટેશિયમ નાઇટ્રેટ અથવા સુરોખાર અનિવાર્ય હતો.

- Advertisement -

અમેરિકાની સિવિલ વોર્સ (ગૃહ યુદ્ધ) , યુરોપના ઇંગ્લેન્ડ ફ્રાન્સ વચ્ચેના સતત હાલતા વિગ્રહ અને બીજા અનેક લોહિયાળ યુદ્ધોમાં જે તોપ અને બંદૂકો ગરજી તે બધીમાં ભારતીય પોટેશિયમ નાઇટ્રેટ હતો. પ્રથમ વિશ્વયુદ્ધ અને બીજું વિશ્વ યુદ્ધ થયું ત્યારે તો વિશાળ માત્રામાં પોટેશિયમ નાઇટ્રેટ ની જરૂર પડી હતી. પરંતુ બડભાગી (કે બદનસીબ??) યુરોપિયનો ને એ યુદ્ધો થતા પહેલા દક્ષિણ અમેરિકાના પેરુ દેશમાં પક્ષીઓ એ દરિયા કિનારે કરેલી હગાર (ચરક) ના વિશાળ ડુંગરા મળી આવ્યા જેમાં પોટેશિયમ નાઇટ્રેટ (સુરોખાર) મોટી માત્રામાં ઉપલબ્ધ હતો..યુરોપિયનો એ ચાઇનીઝ ગુલામોને ત્યાં મોકલીને એ પહાડો ખોદવાનું કામ શરૂ કર્યું. અને આં વિશાળ પોટેશિયમ નાઇટ્રેટ ના જથ્થાથી જે વિશાળ પાયે ગન પાઉડર બન્યો એને પરિણામે પહેલું અને બીજું વિશ્વયુદ્ધ થયા જેમાં લાખો માણસો મૃત્યુ પામ્યા. જો સુરોખાર ના હોત તો અંગ્રેજો ભારતમાં ના આવ્યા હોત, ભારત કદી ગુલામ બન્યું ના હોત, કદાચ હજી અમેરિકા યુરોપના તાબામાં હોત , એકેય વિશ્વયુદ્ધ થયું ના હોત , ફ્રેન્ચ અને અંગ્રેજ લડ્યા ના હોત, અનેક બોમ્બ ધડાકા અને અનેક નિર્દોષ પ્રાણીઓ અને મનુષ્યોની કતલ પણ ના થઈ હોત. એકેય બોમ્બ, એકેય ગન ના બન્યા હોત, અમેરિકામાં ગન કલ્ચર આવ્યું ના હોત,રાસાયણિક ખાતરની કથિત ક્રાંતિ પણ ના આવી હોત. એકદમ ઉચ્ચ ગુણવતા નું ખાતર , શીતક (પાણી ઠંડું કરવા કે બરફ બનાવવા વપરાતો પદાર્થ) , ફૂડ પ્રિઝરવેટીવ અને એક જોરદાર આયુર્વેદિક ઔષધિ એવું સુરોખાર મનુષ્યો માટે “રક્ત-ફૂલ” નીવડ્યું. . જેણે અનેક નિર્દોષ લોકો અને પ્રાણીઓના રક્ત વહાવ્યા. એક ઉત્તમ શોધ જ્યારે અધમ લોકોના હાથમાં જાય ત્યારે શું થાય તે જોવા જેવું છે. દિવાળી આવે ત્યારે જોજો કે તમે સુરોખાર નો યોગ્ય ઉપયોગ કરી રહ્યા છો કે નહિ.. ધડાકા અને ધુમાડા યુદ્ધ સમયે કરવાના હોય છે, (પણ હવે જગત એકેય યુદ્ધ ખમી શકે એમ નથી) આનંદ તો આત્મીયતાના ઉજાસથી વ્યક્ત થઈ શકે છે. શું કહો છો?

You Might Also Like

અનંત અંબાણીનું ‘વનતારા’: ધન અને સંવેદનશીલતાનું અજોડ સંયોજન

કાયદો અને કરુણાનો સંગમ જજ કેપ્રિઓનું ન્યાયદર્શન

બ્રોકોલી એ કુદરતી રીતે આવિર્ભાવ પામેલું નહી પણ માનવી દ્વારા વિકસાવવામાં આવેલું શાક છે

બોલો જય દ્વારિકાધીશ

હાઇ ફ્રિકવન્સી ટ્રેડિંગ : કાબે અર્જુન લૂંટીયો..

TAGGED: firecrackers, World Wars
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સત્યનો સાથ આપી ધૈર્ય રાખો અને સૌનું સન્માન જાળવશો તો જીત નિશ્ચિત
Next Article ડ્રાયફ્રુટ્સની રસઝરતી વાતો: ઓછા જાણીતા પરંતુ વધુ સ્વાસ્થ્યપ્રદ વિવિધ ડ્રાયફ્રૂટ્સ વિશે જાણીએ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

અનંત અંબાણીનું ‘વનતારા’: ધન અને સંવેદનશીલતાનું અજોડ સંયોજન

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
કાયદો અને કરુણાનો સંગમ જજ કેપ્રિઓનું ન્યાયદર્શન
બ્રોકોલી એ કુદરતી રીતે આવિર્ભાવ પામેલું નહી પણ માનવી દ્વારા વિકસાવવામાં આવેલું શાક છે
બોલો જય દ્વારિકાધીશ
હાઇ ફ્રિકવન્સી ટ્રેડિંગ : કાબે અર્જુન લૂંટીયો..
કામ પ્રત્યેનું સમર્પણ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

અનંત અંબાણીનું ‘વનતારા’: ધન અને સંવેદનશીલતાનું અજોડ સંયોજન

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
Hemadri Acharya Dave

કાયદો અને કરુણાનો સંગમ જજ કેપ્રિઓનું ન્યાયદર્શન

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
મનીષ આચાર્ય

બ્રોકોલી એ કુદરતી રીતે આવિર્ભાવ પામેલું નહી પણ માનવી દ્વારા વિકસાવવામાં આવેલું શાક છે

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?