By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેરેબિયન ક્રૂઝમાં નોરો વાઇરસ ફેલાયો, 3000થી વધુ મુસાફરોમાંથી 115માં સંક્રમણ ફેલાયો
    3 days ago
    ટ્રમ્પની ઈરાનને ચેતવણી, ‘પ્રોજેક્ટ ફ્રીડમ પ્લસ’ તૈયાર; આજે રાત્રે આવનારા એક પત્ર પર દુનિયાની નજર!
    3 days ago
    ‘ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાની એરફોર્સને અમે મદદ કરી હતી..’, ચીને પહેલીવાર સત્ય સ્વીકાર્યું
    3 days ago
    અમેરિકા સામે કરગરવા લાગ્યું પાકિસ્તાન, કહ્યું – જપ્ત કરેલા ઈરાની જહાજમાંથી અમારા લોકોને છોડી દો
    4 days ago
    પુતિનની સુરક્ષા માટે કરાઈ અભેદ્ય કિલ્લેબંધી, જાણો હત્યાનો ડર કે રશિયામાં સત્તા પલટાનો ખતરો
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઑફની રેસમાંથી બહાર: રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ 2 વિકેટથી હરાવ્યું
    10 hours ago
    મનાલી નજીક ગુજરાતી પરિવારની કાર ખાઈમાં ખાબકી, 6નાં મોત
    10 hours ago
    એક વર્ષ સોનું ન ખરીદો: વિદેશ પ્રવાસ પણ ટાળવા વડાપ્રધાન મોદીની અપીલ
    10 hours ago
    ‘દુનિયાની કોઈપણ શક્તિ ભારતને દબાવી શકે નહીં’
    10 hours ago
    બંગાળના CM બનતાં જ પ્રથમ કેબિનેટમાં શુભેન્દુ સરકારના મોટા નિર્ણય, બોર્ડર હવે BSFને હવાલે
    11 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL માં વિવાદ, MI સામે જીત બાદ RCB સ્ટાર ટિમ ડેવિડનો અશ્લીલ ઈશારો
    12 hours ago
    IPLમાં મહેસાણાના ઉર્વિલ પટેલનો સપાટો: 13 બોલમાં ફિફ્ટી ફટકારી, ચિઠ્ઠીમાં લખ્યું હતું- This is for you, Papa
    12 hours ago
    યશસ્વી જયસ્વાલ અને શેફાલી વર્મા મુસીબતમાં! NADAએ ફટકારી નોટિસ, શું IPL વચ્ચે લાગશે પ્રતિબંધ?
    3 days ago
    ટીમ ઈન્ડિયામાં થશે સત્તા પરિવર્તન! સૂર્યાનું પત્તું કાપી T20 માટે શ્રેયસ નવો કેપ્ટન બનશે તેવી ચર્ચા
    3 days ago
    દારૂ પીને ગાડી ચલાવતા ઝડપાયો ઓસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ સ્ટાર ખેલાડી! કોર્ટમાં ગુનાની કબૂલાત કરવા પણ તૈયાર
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    6 days ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    2 weeks ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    2 weeks ago
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    3 weeks ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ‘સૌરાષ્ટ્રના સુભાષ’ શામળદાસ ગાંધી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Bhavy Raval > ‘સૌરાષ્ટ્રના સુભાષ’ શામળદાસ ગાંધી
AuthorBhavy Raval

‘સૌરાષ્ટ્રના સુભાષ’ શામળદાસ ગાંધી

Khaskhabar Editor
Last updated: 2022/02/04 at 2:42 PM
Khaskhabar Editor 4 years ago
Share
8 Min Read
SHARE

ગુજરાતી પત્રકારત્વના શૈલીકાર અને યુગધર્મી પત્રકાર છે, શામળદાસ ગાંધી
કલમની સાથે જરૂર પડ્યે તલવાર ઉઠાવનાર રાષ્ટ્રવાદી પત્રકાર

– ભવ્ય રાવલ

શામળદાસ ગાંધી સૌરાષ્ટ્રના ખ્યાતનામ પત્રકારો પૈકીના એક પત્રકાર છે. શામળદાસ ગાંધીએ પત્રકારત્વની શરૂઆત 1923માં રણછોડદાસ લોટાવાળાના હિંદુસ્તાન પત્રથી કરી હતી. શરૂઆતમાં પત્રનું સમગ્ર સંચાલન સંભાળ્યા બાદ તેઓ તેના તંત્રી બની ગયા. શામળદાસ ગાંધી હિંદુસ્તાન પત્રના તંત્રી બન્યા પછી તેમાં તેમણે ધરમૂળથી ફેરફારો કરી નાખ્યા. હિંદુસ્તાન પત્રમાં જાહેરખબરોની જગ્યાએ સમાચારો વધુ છાપવાની શરૂઆત થઈ સાથેસાથે હિંદુસ્તાન પત્રમાં કાર્ટૂનો અને તસવીરો છાપવાની શરૂઆત પણ શામળદાસ ગાંધીએ કરી દીધી. શામળદાસ ગાંધીના તંત્રીસ્થાનેથી હિંદુસ્તાન પત્રમાં કરવામાં આવેલા ધરખમ ફેરફારો બાદ તે પત્ર ખૂબ પ્રસિદ્ધિ પામ્યું. સમય પસાર થતા શામળદાસ ગાંધીને હિંદુસ્તાન પત્રના માલિક રણછોડદાસ લોટાવાળા સાથે વૈચારિક મતભેદ થતા તેમણે હિંદુસ્તાન પત્ર છોડી પોતાનું સ્વતંત્ર સાપ્તાહિક કર્મભૂમિ શરૂ કર્યું, જે લાંબુ ન ચાલ્યું.

- Advertisement -

શામળદાસ ગાંધીએ શરૂ કરેલા સાપ્તાહિક કર્મભૂમિના બાળમરણ થયા બાદ તેમણે કાઠિયાવાડના દેશી રાજ્યોમાં થતા જોરજુલ્મો પર કાઠિયાવાડની કાળરાત્રિ નામુનું પુસ્તક લખ્યું અને પછી તેઓ અમૃતલાલ શેઠના જન્મભૂમિ પત્રમાં જોડાઈ ગયા અને અહીંથી શામળદાસ ગાંધીએ એક સમર્થ પત્રકાર તરીકે પોતાની ક્ષમતાનો પૂરો પરિચય આપ્યો. હિંદુસ્તાન પત્રની જેમ જન્મભૂમિ પત્રને એક નવું સ્વરૂપ આપવામાં શામળદાસ ગાંધીએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. શામળદાસ ગાંધી પાંચથી છ વર્ષ સુધી જન્મભૂમિ પત્રના મુખ્ય સૂત્રધાર રહ્યા. જન્મભૂમિ પત્રના તંત્રી તરીકે સમાચારની રજૂઆત, સમાચારના મથાળા, અખબારનું લે-આઉટ, ડિઝાઈન વગેરે બાબતમાં શામળદાસ ગાંધી ખૂબ જ ચોક્કસાઈ રાખતા. તેઓ જે અગ્રલેખ લખતા તે આકર્ષક અને નોંધનીય રહેતા. કોઈ ઘટના પર તેઓ જન્મભૂમિનો ખાસ વધારો બહાર પાડતા. ગુજરાતી પત્રકારત્વની દુનિયામાં શામળદાસ ગાંધી જન્મભૂમિ પત્રને એક નવી ઊંચાઈ સુધી લઈ ગયા હતા અને જ્યારે જન્મભૂમિ પત્ર પર આર્થિક સંકટ આવ્યું ત્યારે પણ તેમણે તેનું સંચાલન સુંદર રીતે કરી બતાવ્યું હતું.

કહેવાય છે કે, પત્રકાર તરીકે શામળદાસ ગાંધીનું તેજ તેઓ મુંબઈના જન્મભૂમિ પત્રમાં જોડાયા ત્યારથી વિશેષ રીતે ઝળક્યું હતું. ક્રમશ: પ્રગતિ કરીને તેઓ જન્મભૂમિ પત્રમાં ઉપતંત્રી બન્યા અને 1937થી 1940 દરમિયાન જન્મભૂમિના તંત્રી તરીકે રહ્યા. હિંદુસ્તાન પત્રમાં રણછોડદાસ લોટાવાળા સાથે જેમ શામળદાસ ગાંધીને વૈચારિક મતભેદો થયા અને તેમણે હિંદુસ્તાન પત્ર છોડ્યું તેમ શામળદાસ ગાંધીને જન્મભૂમિ પત્રના સ્થાપક અમૃતલાલ શેઠ સાથે પણ વૈચારિક મતભેદ થયા અને તેમણે જન્મભૂમિ પત્ર છોડ્યું. શામળદાસ ગાંધી પોતાના કેટલાંક સાથીઓ સાથે જન્મભૂમિ પત્રમાંથી છૂટા પડ્યા અને ત્રણ-ચાર મહિનાના ટૂંકા સમયગાળામાં તેમણે ફરી પોતાનું સ્વતંત્ર પત્ર વંદે માતરમ શરૂ કર્યું. 15 માર્ચ, 1941ના રોજ શરૂ થયેલા વંદે માતરમ પત્રએ ટૂંકા ગાળામાં મોટી નામના હાંસલ કરી લીધી. શામળદાસ ગાંધી રાષ્ટ્રવાદી પત્રકારના પ્રતિક હતા તો વંદે માતરમ રાષ્ટ્રવાદી પત્રકારત્વનું પ્રતિબિંબસમું પત્ર હતું.
પોતે જે પત્રમાં હોય તે પત્રને માત્ર સફળતાના શિખરો સર કરાવવા બદલ જ નહીં પરંતુ બીજા અનેક કારણોસર શામળદાસ ગાંધીને શૈલીકાર અને યુગધર્મી પત્રકાર કહેવાય છે. એક પત્રકાર, તંત્રી તરીકે શામળદાસ ગાંધીની લેખન અને રજૂઆત શૈલીમાં જોમ જુસ્સો હતો.

શામળદાસ ગાંધીમાં એડિટર સાથે રિપોટરના બધા જ ગુણો – લક્ષણો હતા. શામળદાસ ગાંધીની કસાયેલી કલમ સચોટ આલેખન કરવામાં એટલી માહેર હતી કે રિપોટર તરીકે તેમના સમાચાર હોય કે એડિટર તરીકે તેમના તંત્રીલેખ હોય એ બંનેમાં તેમની હથોટી ઉડીને આંખે વળગતી હતી. ભારતની આઝાદીમાં ફાળો નોંધાવનાર પત્રો જન્મભૂમિ અને વંદે માતરમ બંનેના તેઓ તંત્રી બન્યા હતા અને જૂનાગઢને આઝાદી અપાવવામાં પણ તેમને મહત્વપૂર્ણ ફાળો રહ્યો હતો. તેમણે મુંબઈ જઈ સૌરાષ્ટ્રનું નામ રોશન કર્યું, ગુજરાતી પત્રકારત્વનું ગૌરવ વધાર્યું તેથી ફક્ત ગુજરાતી પત્રકારત્વમાં જ નહીં પરંતુ ગુજરાતના ઈતિહાસમાં પણ શામળદાસ ગાંધીનું નામ સુવર્ણ અક્ષરે અંકિત છે. શામળદાસ ગાંધીના સમકાલીનો અને ઈતિહાસવિદ્દોએ શામળદાસ ગાંધીના પત્રકાર ઉપરાંત આંદોલનકારી, સ્વતંત્રસેનાની, રાજકારણી તરીકેના વિવિધ પાસાંઓની પ્રસંશા કરી નોંધ લીધી છે.

- Advertisement -

મોહનદાસ ગાંધીના મોટાભાઈ લક્ષ્મીદાસ ઉર્ફે કાળિદાસ ગાંધીના મોટા પુત્ર શામળદાસ ગાંધીએ મુંબઈમાં પત્રકારત્વની કામગીરી દરમિયાન સામાજિક આદોલનકર્તાની ભૂમિકા ભજવી હતી. મુંબઈમાં સૌરાષ્ટ્રની જનતાના પ્રશ્નોને વાચા આપનાર કાઠિયાવાડ મંડળ રચાયું હતું. મુંબઈમાં એક નીડર અને બાહોશ પત્રકાર તરીકેની ફરજો બજાવવા ઉપરાંત તે રાજદ્વારી તથા સામાજિક પ્રવૃત્તિઓના ક્ષેત્રે પણ સક્રિય કામગીરી બજાવતા હોય મુંબઈમાં સૌરાષ્ટ્રની પ્રજાના પ્રશ્નોને વાચા આપનાર કાઠિયાવાડ પ્રજામંડળના તે પ્રમુખ હતા. જૂન 1947માં મુંબઈના આઝાદ મેદાન ઉપર મળેલા કાઠિયાવાડ પ્રજા સંમેલનના તે સ્વાગત પ્રમુખ હતા. તે સંમેલનમાં તેમણે જામ-જૂથ યોજનાનો પ્રતિકાર કરવા પ્રજાને અને નેતાઓને અનુરોધ કર્યો હતો.

તા. 25 સપ્ટેમ્બર, 1947ના રોજ જૂનાગઢના વતનીઓની એક જાહેર સભા મુંબઈ માધવબાગમાં મળી. આ સભામાં આરઝી હકૂમતની (કામચલાઉ સરકાર) રચના કરવાનો અને જૂનાગઢમાંથી નવાબને તલવારના જોરે હાંકી કાઢી કાઢવાનો નિર્ણય લેવાયો. શામળદાસ ગાંધી આ કામચલાઉ સરકારના વડા બન્યા. શામળદાસ ગાંધીની આગેવાની હેઠળ વંદે માતરમના કાર્યાલયમાં આરઝી હકુમતની સ્થાપના અને જૂનાગઢની આઝાદી માટે ઉચ્ચસ્તરીય બેઠક થયા બાદ 1947માં જ્યારે જૂનાગઢના નવાબે પાકિસ્તાન સાથે જોડાવાની જાહેરાત કરી ત્યારે જૂનાગઢના બહુમતી નાગરિકો ભારત સાથે જોડાવા માગતા હતા અને તેમની આ લાગણી દર્શાવવા તેમણે દેશવટાની સરકાર રચી અને તેમના વડા શામળદાસ ગાંધીને બનાવ્યા. જ્યારે ભારતીય દળો જૂનાગઢ અને તેના તાબા હેઠળના માંગરોળ (જૂનાગઢ) અને માણાવદરમાં પ્રવેશ્યા ત્યારે નવાબના દિવાન શાહનવાઝ ભુટ્ટોએ શામળદાસ ગાંધીને જૂનાગઢનું સુકાન સંભાળવા આમંત્ર્યા, પરંતુ તેમણે તે પ્રસ્તાવ ભારત સરકારની તરફેણમાં જતો કર્યો.

સૌરાષ્ટ્ર રાજ્યના પ્રધાનમંડળમાં જૂનાગઢના પ્રતિનિધિ શામળદાસ ગાંધીને સ્થાન આપવામાં આવ્યું. 25 જાન્યુઆરી 1949થી 18 જાન્યુઆરી 1950 એટલે કે લગભગ એક વર્ષ સુધી તે સૌરાષ્ટ્રમાં મહેસૂલ પ્રધાન હતા. શામળદાસ ગાંધીને હિંદુસ્તાન અને જન્મભૂમિના માલિકો સાથે થયેલા વૈચારિક મતભેદની જેમ સરકારના માલિકો સાથે પણ વૈચારિક મતભેદ થતા તેઓ પ્રધાનમંડળમાંથી છૂટા થઈ ગયા અને પછી પત્રકાર શામળદાસ ગાંધી અને તેમનું પત્ર વંદે માતરમ આર્થિક ભીંસમાં આવી પડ્યાં. શામળદાસ ગાંધી પોતાના જીવનના અંતિમ વર્ષોમાં આઝાદ ભારતમાં ચૂંટણી પણ લડ્યા અને હાર્યા પણ ખરા, અંતે હદયરોગના હુમલાથી તેમનું નિધન થયું. શામળદાસ ગાંધીના અવસાન બાદ તેમનું પત્ર વંદે માતરમ પણ બંધ પડ્યું. તેઓ અંતિમ શ્વાસ સુધી ગુજરાતી પત્રકારત્વ સાથે જોડાયેલા રહ્યા હતા. કેટલાંક અભ્યાસુંઓ રાજકરણના ક્ષેત્રમાં ભલે તેમને નિષ્ફળ ગણાવે પણ પત્રકારત્વના ક્ષેત્રમાં સો ટકા સફળ રહ્યાં હતા, ગુજરાતી પત્રકારત્વના શૈલીકાર અને યુગધર્મી પત્રકાર શામળદાસ ગાંધી.

વધારો : આઝાદીની જંગમાં શામળદાસ ગાંધીએ જરૂર પડ્યે કલમની સાથે તલવાર પણ ઉપાડી હોય એવા ઘણા કિસ્સા મૌજૂદ છે. આરઝી હકૂમતના પ્રમુખ તરીકે તેમણે પોતાની લડતને જૂનાગઢના નવાબી તંત્ર સામેની લડત ગણાવી હતી અને આ લડતને તેમણે ધર્મયુદ્ધનું નામ આપ્યું હતું. બાહોશ વર્તન-વ્યવહાર અને બેબાક વાણીને કારણે શામળદાસ ગાંધી સૌરાષ્ટ્રના સુભાષ તરીકે ઓળખવા લાગ્યા હતા. આરઝી હકૂમતનું પાંચ સભ્યોનું બનેલું પ્રધાનમંડળ મુંબઈથી રાજકોટ આવવા રવાના થયું ત્યારે શામળદાસ ગાંધીને અમૃતલાલ શેઠે તલવાર બંધાવી હતી. પત્રકાર શામળદાસ ગાંધીના હાથમાં કલમની જગ્યાએ યુદ્ધના પ્રતિક તરીકે તલવાર ભેટ અપાઈ હતી ત્યારે જૂનાગઢમાંથી નવાબી શાસનનો આજથી અંત આવે છે એવો ઢંઢેરો પીટવામાં આવ્યો હતો.

You Might Also Like

વિટામિન, પ્રોટીન અને એનો ધંધો

પોતાના દિવ્યાંગ બાળકના ઉછેર સાથે અનેક દિવ્યાંગ બાળકો માટે આશાનું કિરણ બન્યાં: બીજલ હરખાણી

મા બસ એક શબ્દ, પણ બાળક માટે આખું બ્રહ્માંડ

કોકમ યાની કી ગાર્સિનિયા કંબોજિઆ

બીજાનો વિચાર પણ કરવો

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ઉંમર નાની પણ ઉદ્દેશ્ય મોટો
Next Article પરફેકટ મેરેજ લાઈફ જેવું કશું હોતું નથી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

મિશ્ર ઋતુની અસર: અઠવાડિયામાં સામાન્ય તાવ, શરદી-ઉધરસના 1400થી વધુ કેસ

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
પીએમ મોદીના કાર્યક્રમમાં જોડાવા રાજકોટથી ભાજપના કાર્યકરોનો મહાસંગમ ઉમટ્યો
બેડલા ગામે પત્ની સાથે આડા સંબંધની શંકાએ યુવકની હત્યા કરી લાશ સ્મશાનમાં દાટી દીધી
પત્ની સાથે આડા સંબંધ ધરાવતા શખ્સની પાઇપ ફટકારી, ગળામાં કુહાડી ઝીંકી હત્યા
20મીએ થશે લોકાર્પણ, 600 મીટર લાંબા બ્રિજથી વાહન ચાલકોને ટ્રાફિકથી મળશે મુક્તિ
866 જર્જરિત મિલકતોને મનપાની નોટિસ, જોખમી બાંધકામો દૂર કરવા કડક આદેશ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

વિટામિન, પ્રોટીન અને એનો ધંધો

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
Author

પોતાના દિવ્યાંગ બાળકના ઉછેર સાથે અનેક દિવ્યાંગ બાળકો માટે આશાનું કિરણ બન્યાં: બીજલ હરખાણી

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
Author

મા બસ એક શબ્દ, પણ બાળક માટે આખું બ્રહ્માંડ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?