By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    વેનેઝૂએલા ભૂકંપમાં અત્યાર સુધીમાં 235નાં મોતની પુષ્ટી : 39000 લોકો ગુમ
    16 hours ago
    LPG-LNGની મુસીબત ખતમ! : 30 જહાજ હોર્મુઝ ક્રોસ કરી ભારત પહોંચ્યા, હવે 26 બાકી રહ્યા
    2 days ago
    દક્ષિણ અમેરિકાના વેનેઝુએલા દેશ માં 7.2 અને 7.5 તીવ્રતાના બે ભૂકંપના આંચકા
    2 days ago
    યુરોપ બન્યુ ભઠ્ઠી : 26 દેશમાં હીટવેવ
    3 days ago
    નતાશા ડોલ સાથેની હિંસા અને વાયરલ ટ્રેન્ડ
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    આસામના હાઇવે પર લંગડાતી મળેલી હાથણી માણકીની પીડાનો આવ્યો અંત : સારવાર માટે વનતારા લવાઇ
    14 hours ago
     1 જુલાઈથી પાસપોર્ટ બનશે મોંઘો : કેન્દ્ર સરકારે ચાર્જમાં રૂ.2,000 સુધીનો વધાર્યો કર્યો
    14 hours ago
    રામ મંદિર ચોરી કેસ, FIR શંકાના પરિઘમાં : મુખ્ય ખલનાયકોને બચાવી લેવાયા, ટટપૂજિંયા સાગરિતોને ફસાવી દેવાયા
    15 hours ago
    5 લાખ ફોલોઅર્સ એટલે હવે ‘સેલિબ્રિટી’નો દરજ્જો!
    16 hours ago
    સરકારે રાતો રાત પ્રતિબંધ હટાવ્યા : હવે તરત જ મળી જશે LPG બાટલા
    16 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    હવે મેડલ જીતે કે ન જીતે, તમામ એથ્લેટ્સને 10,000 અમેરિકન ડોલર(રૂ.9,43,600) અપાશે
    15 hours ago
    વિરાટ કોહલીના ‘One8’ શૂઝ માત્ર 24 કલાકમાં જ વેચાઈ ગયા 140 કરોડના શૂઝ!
    2 days ago
    લિયોનલ મેસ્સીએ બનાવ્યો ઈતિહાસ : ફુટબોલ વિશ્વકપમાં સૌથી વધુ ગોલ કરવાનો રેકોર્ડ
    4 days ago
    રોનાલ્ડોના કરિયરનો સૌથી મોટો ફ્લોપ શો! ટીમ માટે બન્યો બોજ, ટાર્ગેટ પર 0 શોટ
    1 week ago
    ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    16 hours ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 days ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 week ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    2 weeks ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 days ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    લાખાપરના નિરાધાર વૃધ્ધ દંપતીની નવ વીઘા જમીન બોગસ દસ્તાવેજ બનાવી ચાર શખ્સે પડાવી લીધી
    2 days ago
    લગ્ન બાદ આધારકાર્ડમાં નામ બદલાવા બારકોડ મેરેજ સર્ટિફિકેટની માંગ પરંતુ પંચાયતમાંથી બારકોડ વિનાનું જ નીકળે છે મેરેજ સર્ટિફિકેટ
    2 days ago
    અંજારના સતાપરમાં ડુપ્લિકેટ જામુન દારૂની ફેક્ટરી ઝડપાઈ
    2 days ago
    રાજકોટ બાર એસો.ની કારોબારીમાં નિર્ણય : સોમવારે તમામ કોર્ટમાં હડતાલ
    2 days ago
    10 વર્ષમાં 88 પેપર લીક થતા 48 પરીક્ષા ફરીથી લેવાઈ : ડૉ. રાજદીપસિંહ જાડેજા
    3 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ‘સૌરાષ્ટ્રના સુભાષ’ શામળદાસ ગાંધી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Bhavy Raval > ‘સૌરાષ્ટ્રના સુભાષ’ શામળદાસ ગાંધી
AuthorBhavy Raval

‘સૌરાષ્ટ્રના સુભાષ’ શામળદાસ ગાંધી

Khaskhabar Editor
Last updated: 2022/02/04 at 2:42 PM
Khaskhabar Editor 4 years ago
Share
8 Min Read
SHARE

ગુજરાતી પત્રકારત્વના શૈલીકાર અને યુગધર્મી પત્રકાર છે, શામળદાસ ગાંધી
કલમની સાથે જરૂર પડ્યે તલવાર ઉઠાવનાર રાષ્ટ્રવાદી પત્રકાર

– ભવ્ય રાવલ

શામળદાસ ગાંધી સૌરાષ્ટ્રના ખ્યાતનામ પત્રકારો પૈકીના એક પત્રકાર છે. શામળદાસ ગાંધીએ પત્રકારત્વની શરૂઆત 1923માં રણછોડદાસ લોટાવાળાના હિંદુસ્તાન પત્રથી કરી હતી. શરૂઆતમાં પત્રનું સમગ્ર સંચાલન સંભાળ્યા બાદ તેઓ તેના તંત્રી બની ગયા. શામળદાસ ગાંધી હિંદુસ્તાન પત્રના તંત્રી બન્યા પછી તેમાં તેમણે ધરમૂળથી ફેરફારો કરી નાખ્યા. હિંદુસ્તાન પત્રમાં જાહેરખબરોની જગ્યાએ સમાચારો વધુ છાપવાની શરૂઆત થઈ સાથેસાથે હિંદુસ્તાન પત્રમાં કાર્ટૂનો અને તસવીરો છાપવાની શરૂઆત પણ શામળદાસ ગાંધીએ કરી દીધી. શામળદાસ ગાંધીના તંત્રીસ્થાનેથી હિંદુસ્તાન પત્રમાં કરવામાં આવેલા ધરખમ ફેરફારો બાદ તે પત્ર ખૂબ પ્રસિદ્ધિ પામ્યું. સમય પસાર થતા શામળદાસ ગાંધીને હિંદુસ્તાન પત્રના માલિક રણછોડદાસ લોટાવાળા સાથે વૈચારિક મતભેદ થતા તેમણે હિંદુસ્તાન પત્ર છોડી પોતાનું સ્વતંત્ર સાપ્તાહિક કર્મભૂમિ શરૂ કર્યું, જે લાંબુ ન ચાલ્યું.

- Advertisement -

શામળદાસ ગાંધીએ શરૂ કરેલા સાપ્તાહિક કર્મભૂમિના બાળમરણ થયા બાદ તેમણે કાઠિયાવાડના દેશી રાજ્યોમાં થતા જોરજુલ્મો પર કાઠિયાવાડની કાળરાત્રિ નામુનું પુસ્તક લખ્યું અને પછી તેઓ અમૃતલાલ શેઠના જન્મભૂમિ પત્રમાં જોડાઈ ગયા અને અહીંથી શામળદાસ ગાંધીએ એક સમર્થ પત્રકાર તરીકે પોતાની ક્ષમતાનો પૂરો પરિચય આપ્યો. હિંદુસ્તાન પત્રની જેમ જન્મભૂમિ પત્રને એક નવું સ્વરૂપ આપવામાં શામળદાસ ગાંધીએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. શામળદાસ ગાંધી પાંચથી છ વર્ષ સુધી જન્મભૂમિ પત્રના મુખ્ય સૂત્રધાર રહ્યા. જન્મભૂમિ પત્રના તંત્રી તરીકે સમાચારની રજૂઆત, સમાચારના મથાળા, અખબારનું લે-આઉટ, ડિઝાઈન વગેરે બાબતમાં શામળદાસ ગાંધી ખૂબ જ ચોક્કસાઈ રાખતા. તેઓ જે અગ્રલેખ લખતા તે આકર્ષક અને નોંધનીય રહેતા. કોઈ ઘટના પર તેઓ જન્મભૂમિનો ખાસ વધારો બહાર પાડતા. ગુજરાતી પત્રકારત્વની દુનિયામાં શામળદાસ ગાંધી જન્મભૂમિ પત્રને એક નવી ઊંચાઈ સુધી લઈ ગયા હતા અને જ્યારે જન્મભૂમિ પત્ર પર આર્થિક સંકટ આવ્યું ત્યારે પણ તેમણે તેનું સંચાલન સુંદર રીતે કરી બતાવ્યું હતું.

કહેવાય છે કે, પત્રકાર તરીકે શામળદાસ ગાંધીનું તેજ તેઓ મુંબઈના જન્મભૂમિ પત્રમાં જોડાયા ત્યારથી વિશેષ રીતે ઝળક્યું હતું. ક્રમશ: પ્રગતિ કરીને તેઓ જન્મભૂમિ પત્રમાં ઉપતંત્રી બન્યા અને 1937થી 1940 દરમિયાન જન્મભૂમિના તંત્રી તરીકે રહ્યા. હિંદુસ્તાન પત્રમાં રણછોડદાસ લોટાવાળા સાથે જેમ શામળદાસ ગાંધીને વૈચારિક મતભેદો થયા અને તેમણે હિંદુસ્તાન પત્ર છોડ્યું તેમ શામળદાસ ગાંધીને જન્મભૂમિ પત્રના સ્થાપક અમૃતલાલ શેઠ સાથે પણ વૈચારિક મતભેદ થયા અને તેમણે જન્મભૂમિ પત્ર છોડ્યું. શામળદાસ ગાંધી પોતાના કેટલાંક સાથીઓ સાથે જન્મભૂમિ પત્રમાંથી છૂટા પડ્યા અને ત્રણ-ચાર મહિનાના ટૂંકા સમયગાળામાં તેમણે ફરી પોતાનું સ્વતંત્ર પત્ર વંદે માતરમ શરૂ કર્યું. 15 માર્ચ, 1941ના રોજ શરૂ થયેલા વંદે માતરમ પત્રએ ટૂંકા ગાળામાં મોટી નામના હાંસલ કરી લીધી. શામળદાસ ગાંધી રાષ્ટ્રવાદી પત્રકારના પ્રતિક હતા તો વંદે માતરમ રાષ્ટ્રવાદી પત્રકારત્વનું પ્રતિબિંબસમું પત્ર હતું.
પોતે જે પત્રમાં હોય તે પત્રને માત્ર સફળતાના શિખરો સર કરાવવા બદલ જ નહીં પરંતુ બીજા અનેક કારણોસર શામળદાસ ગાંધીને શૈલીકાર અને યુગધર્મી પત્રકાર કહેવાય છે. એક પત્રકાર, તંત્રી તરીકે શામળદાસ ગાંધીની લેખન અને રજૂઆત શૈલીમાં જોમ જુસ્સો હતો.

શામળદાસ ગાંધીમાં એડિટર સાથે રિપોટરના બધા જ ગુણો – લક્ષણો હતા. શામળદાસ ગાંધીની કસાયેલી કલમ સચોટ આલેખન કરવામાં એટલી માહેર હતી કે રિપોટર તરીકે તેમના સમાચાર હોય કે એડિટર તરીકે તેમના તંત્રીલેખ હોય એ બંનેમાં તેમની હથોટી ઉડીને આંખે વળગતી હતી. ભારતની આઝાદીમાં ફાળો નોંધાવનાર પત્રો જન્મભૂમિ અને વંદે માતરમ બંનેના તેઓ તંત્રી બન્યા હતા અને જૂનાગઢને આઝાદી અપાવવામાં પણ તેમને મહત્વપૂર્ણ ફાળો રહ્યો હતો. તેમણે મુંબઈ જઈ સૌરાષ્ટ્રનું નામ રોશન કર્યું, ગુજરાતી પત્રકારત્વનું ગૌરવ વધાર્યું તેથી ફક્ત ગુજરાતી પત્રકારત્વમાં જ નહીં પરંતુ ગુજરાતના ઈતિહાસમાં પણ શામળદાસ ગાંધીનું નામ સુવર્ણ અક્ષરે અંકિત છે. શામળદાસ ગાંધીના સમકાલીનો અને ઈતિહાસવિદ્દોએ શામળદાસ ગાંધીના પત્રકાર ઉપરાંત આંદોલનકારી, સ્વતંત્રસેનાની, રાજકારણી તરીકેના વિવિધ પાસાંઓની પ્રસંશા કરી નોંધ લીધી છે.

- Advertisement -

મોહનદાસ ગાંધીના મોટાભાઈ લક્ષ્મીદાસ ઉર્ફે કાળિદાસ ગાંધીના મોટા પુત્ર શામળદાસ ગાંધીએ મુંબઈમાં પત્રકારત્વની કામગીરી દરમિયાન સામાજિક આદોલનકર્તાની ભૂમિકા ભજવી હતી. મુંબઈમાં સૌરાષ્ટ્રની જનતાના પ્રશ્નોને વાચા આપનાર કાઠિયાવાડ મંડળ રચાયું હતું. મુંબઈમાં એક નીડર અને બાહોશ પત્રકાર તરીકેની ફરજો બજાવવા ઉપરાંત તે રાજદ્વારી તથા સામાજિક પ્રવૃત્તિઓના ક્ષેત્રે પણ સક્રિય કામગીરી બજાવતા હોય મુંબઈમાં સૌરાષ્ટ્રની પ્રજાના પ્રશ્નોને વાચા આપનાર કાઠિયાવાડ પ્રજામંડળના તે પ્રમુખ હતા. જૂન 1947માં મુંબઈના આઝાદ મેદાન ઉપર મળેલા કાઠિયાવાડ પ્રજા સંમેલનના તે સ્વાગત પ્રમુખ હતા. તે સંમેલનમાં તેમણે જામ-જૂથ યોજનાનો પ્રતિકાર કરવા પ્રજાને અને નેતાઓને અનુરોધ કર્યો હતો.

તા. 25 સપ્ટેમ્બર, 1947ના રોજ જૂનાગઢના વતનીઓની એક જાહેર સભા મુંબઈ માધવબાગમાં મળી. આ સભામાં આરઝી હકૂમતની (કામચલાઉ સરકાર) રચના કરવાનો અને જૂનાગઢમાંથી નવાબને તલવારના જોરે હાંકી કાઢી કાઢવાનો નિર્ણય લેવાયો. શામળદાસ ગાંધી આ કામચલાઉ સરકારના વડા બન્યા. શામળદાસ ગાંધીની આગેવાની હેઠળ વંદે માતરમના કાર્યાલયમાં આરઝી હકુમતની સ્થાપના અને જૂનાગઢની આઝાદી માટે ઉચ્ચસ્તરીય બેઠક થયા બાદ 1947માં જ્યારે જૂનાગઢના નવાબે પાકિસ્તાન સાથે જોડાવાની જાહેરાત કરી ત્યારે જૂનાગઢના બહુમતી નાગરિકો ભારત સાથે જોડાવા માગતા હતા અને તેમની આ લાગણી દર્શાવવા તેમણે દેશવટાની સરકાર રચી અને તેમના વડા શામળદાસ ગાંધીને બનાવ્યા. જ્યારે ભારતીય દળો જૂનાગઢ અને તેના તાબા હેઠળના માંગરોળ (જૂનાગઢ) અને માણાવદરમાં પ્રવેશ્યા ત્યારે નવાબના દિવાન શાહનવાઝ ભુટ્ટોએ શામળદાસ ગાંધીને જૂનાગઢનું સુકાન સંભાળવા આમંત્ર્યા, પરંતુ તેમણે તે પ્રસ્તાવ ભારત સરકારની તરફેણમાં જતો કર્યો.

સૌરાષ્ટ્ર રાજ્યના પ્રધાનમંડળમાં જૂનાગઢના પ્રતિનિધિ શામળદાસ ગાંધીને સ્થાન આપવામાં આવ્યું. 25 જાન્યુઆરી 1949થી 18 જાન્યુઆરી 1950 એટલે કે લગભગ એક વર્ષ સુધી તે સૌરાષ્ટ્રમાં મહેસૂલ પ્રધાન હતા. શામળદાસ ગાંધીને હિંદુસ્તાન અને જન્મભૂમિના માલિકો સાથે થયેલા વૈચારિક મતભેદની જેમ સરકારના માલિકો સાથે પણ વૈચારિક મતભેદ થતા તેઓ પ્રધાનમંડળમાંથી છૂટા થઈ ગયા અને પછી પત્રકાર શામળદાસ ગાંધી અને તેમનું પત્ર વંદે માતરમ આર્થિક ભીંસમાં આવી પડ્યાં. શામળદાસ ગાંધી પોતાના જીવનના અંતિમ વર્ષોમાં આઝાદ ભારતમાં ચૂંટણી પણ લડ્યા અને હાર્યા પણ ખરા, અંતે હદયરોગના હુમલાથી તેમનું નિધન થયું. શામળદાસ ગાંધીના અવસાન બાદ તેમનું પત્ર વંદે માતરમ પણ બંધ પડ્યું. તેઓ અંતિમ શ્વાસ સુધી ગુજરાતી પત્રકારત્વ સાથે જોડાયેલા રહ્યા હતા. કેટલાંક અભ્યાસુંઓ રાજકરણના ક્ષેત્રમાં ભલે તેમને નિષ્ફળ ગણાવે પણ પત્રકારત્વના ક્ષેત્રમાં સો ટકા સફળ રહ્યાં હતા, ગુજરાતી પત્રકારત્વના શૈલીકાર અને યુગધર્મી પત્રકાર શામળદાસ ગાંધી.

વધારો : આઝાદીની જંગમાં શામળદાસ ગાંધીએ જરૂર પડ્યે કલમની સાથે તલવાર પણ ઉપાડી હોય એવા ઘણા કિસ્સા મૌજૂદ છે. આરઝી હકૂમતના પ્રમુખ તરીકે તેમણે પોતાની લડતને જૂનાગઢના નવાબી તંત્ર સામેની લડત ગણાવી હતી અને આ લડતને તેમણે ધર્મયુદ્ધનું નામ આપ્યું હતું. બાહોશ વર્તન-વ્યવહાર અને બેબાક વાણીને કારણે શામળદાસ ગાંધી સૌરાષ્ટ્રના સુભાષ તરીકે ઓળખવા લાગ્યા હતા. આરઝી હકૂમતનું પાંચ સભ્યોનું બનેલું પ્રધાનમંડળ મુંબઈથી રાજકોટ આવવા રવાના થયું ત્યારે શામળદાસ ગાંધીને અમૃતલાલ શેઠે તલવાર બંધાવી હતી. પત્રકાર શામળદાસ ગાંધીના હાથમાં કલમની જગ્યાએ યુદ્ધના પ્રતિક તરીકે તલવાર ભેટ અપાઈ હતી ત્યારે જૂનાગઢમાંથી નવાબી શાસનનો આજથી અંત આવે છે એવો ઢંઢેરો પીટવામાં આવ્યો હતો.

You Might Also Like

ઓશોના સામ્રાજ્યની સેકન્ડ-ઇન-કમાન્ડમા આનંદ શીલાની ડાયરી : તેને ન મારશો

અમીરોને કરોડોના હેરકટ અને મધ્યમ વર્ગ પર સરફેસી એક્ટનો કોરડો

ગુજરાતના મૂળ નિવાસી અને 18 વર્ષથી વધુ વયના ભૂમિહીન ખેડૂતોને જ મળશે જમીન

સૌથી ઉત્તમ કોણ ?

ગીતાનો દિવ્ય સંદેશ અને પરમ સત્ય

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ઉંમર નાની પણ ઉદ્દેશ્ય મોટો
Next Article પરફેકટ મેરેજ લાઈફ જેવું કશું હોતું નથી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

રોહિદાસપરામાં ઘર પાસે રમતી બાળકીનું કારની ઠોકરે મોત

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
આસામના હાઇવે પર લંગડાતી મળેલી હાથણી માણકીની પીડાનો આવ્યો અંત : સારવાર માટે વનતારા લવાઇ
મવડીમાં રહેતા યુવકની રાવકી ગામે નોકરીએ ગયા બાદ ભેદી સંજોગોમાં ખાણમાંથી લાશ મળી
ગીર સોમનાથઃ વેરાવળમાં ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં વેરાવળમાં AAPની ભવ્ય પદયાત્રા
ભીમ અગિયારસે રાજકોટ જિલ્લામાં જુગાર રમતા 4 મહિલા સહીત 42 ઝડપાયા
આંતરરાષ્ટ્રીય ડ્રગ વિરોધી દિવસ નિમિતે શહેર પોલીસ દ્વારા મેરેથોનનું આયોજન
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

ઓશોના સામ્રાજ્યની સેકન્ડ-ઇન-કમાન્ડમા આનંદ શીલાની ડાયરી : તેને ન મારશો

Khaskhabar Editor Khaskhabar Editor 7 days ago
Author

અમીરોને કરોડોના હેરકટ અને મધ્યમ વર્ગ પર સરફેસી એક્ટનો કોરડો

Khaskhabar Editor Khaskhabar Editor 7 days ago
Author

ગુજરાતના મૂળ નિવાસી અને 18 વર્ષથી વધુ વયના ભૂમિહીન ખેડૂતોને જ મળશે જમીન

Khaskhabar Editor Khaskhabar Editor 7 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?