ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સ્થાપના દિવસ નિમિત્તે રથયાત્રા પરિભ્રમણ
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.9
- Advertisement -
ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીની સ્થાપના દિવસની ઉજવણી ના ભાગરૂપે બ્લડ ડોનેશન માટે લોકોમાં જાગૃતિ લાવવા ગીર સોમનાથ જિલ્લામાં પરિભ્રમણ કરી રહેલ રથયાત્રાનું ગીરના પાટનગર તાલાલા શહેરમાં લોકોએ ઉમળકાભેર સ્વાગત કર્યું હતું.
તાલાલા નગરમાં સરદાર ચોકમાં રથયાત્રાનું તાલાલા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના ચેરમેન યોગેશભાઈ ઉનડકટ,પ્રબુદ્ધ નાગરિકો તથા સંસ્થાના સભ્યોએ પુષ્પ વર્ષા કરી યાત્રાનું શાહી સ્વાગત કર્યું હતું.સરદાર પટેલ ની પ્રતિમા ને ફૂલહાર કરી પ્રસ્થાન થયેલ રથયાત્રાએ નગરના મુખ્ય માર્ગો ઉપર પરિભ્રમણ કર્યું હતું.રથયાત્રા દરમ્યાન બ્લડ ડોનેશન કરવા માનવતા,એકતા વિગેરે સંસ્થાના સાત જન સુખાકારીના કાર્યોથી લોકોને અવગત કર્યા.
આ કાર્યક્રમમાં ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સેક્રેટરી અમરભાઈ ઉનડકટ,સભ્ય ડો.જગત ઉનડકટ,હિતેશભાઈ છગ,પરેશભાઈ રાયચુરા,યુવા રઘુવંશી સોશ્યલ ગૃપ નાં ધર્મેન્દ્ર રાયચુરા તથા નગરપાલિકાની ટીમ વિગેરે ભાગ લીધો હતો.