By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારતીય ક્રૂ મેમ્બર્સ ધરાવતા જહાજ પર અમેરિકાના હુમલા બાદ ભારત લાલઘૂમ
    11 hours ago
    કૈલાશ માનસરોવર યાત્રામાં ભારતીયોને નો એન્ટ્રી
    13 hours ago
    હોર્મુઝ નાકાબંધી વચ્ચે તેલનો ખેલ, અમેરિકા જોતું રહી ગયું, ભારત-પાક. અને ચીનને મોટો ફાયદો
    2 days ago
    USના વિઝા હવે ફટાફટ!
    2 days ago
    ઈઝરાયલમાં ગૂંજશે ‘જય ભવાની’: છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમા સ્થાપિત થશે
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મહિલાઓને ‘હોમ મેકર’ નહીં ‘નેશન બિલ્ડર’ કહો! અકસ્માત વળતરમાં ગૃહિણીઓના કામનું માસિક મૂલ્ય 30,000 નક્કીઃ સુપ્રીમ કોર્ટ
    10 hours ago
    ઈઝરાયલમાં ગૂંજશે ‘જય ભવાની’: છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સ્થાપિત થશે
    1 day ago
    ઈઝરાયલ બાદ હવે USની ઈરાન પર એરસ્ટ્રાઈક
    1 day ago
    પાકિસ્તાનની અફઘાનિસ્તાન પર ફરી એરસ્ટ્રાઈક: 11 બાળક સહિત 13નાં મોત
    1 day ago
    પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે!
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    સૌથી મોટો વુમન્સ T-20 વર્લ્ડકપ કાલથી શરૂ
    11 hours ago
    બાંગ્લાદેશ ક્રિકેટ ટીમે રચ્યો ઇતિહાસ, 21 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાને વન-ડેમાં હરાવવામાં સફળ
    1 day ago
    ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત, અફઘાનિસ્તાન સામેની વન-ડે સીરિઝમાંથી બહાર
    2 days ago
    ભારતની ટેસ્ટ ઇતિહાસમાં સૌથી મોટી જીત: અફઘાનિસ્તાનને એક ઇનિંગ્સ અને 300 રનથી હરાવ્યું
    3 days ago
    ‘કોઈના પડછાયામાં નથી રહેવું…’, T20 કેપ્ટન બનતા જ શ્રેયસ અય્યરે બતાવ્યા કડક તેવર
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    1 week ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    1 week ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    2 weeks ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    3 weeks ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 week ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    8 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ–જેતપુર હાઇવે પર ચોમાસા પહેલા તાત્કાલિક કામગીરી કરો : કોંગ્રેસની NHAIને રજૂઆત
    14 hours ago
    10 દિવસ સુધીના ટોકન આપી લોકોને ચોક્કસ સમયે બોલાવાશેઃ ડૉ. મેયર નેહલ શુક્લ
    2 days ago
    જન્મ-મરણના દાખલાનું સર્વર ડાઉન થતા મનપા કચેરીએ ભારે હોબાળો
    2 days ago
    રાજકોટ એસ.ટી. વિભાગને વધુ 5 નવી વોલ્વો બસોની ભેટ
    3 days ago
    ભારતમાં જન્મ લેનાર પ્રત્યેક વ્યક્તિ હિન્દુ છે : ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી
    3 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટની સિટી બસોમાં ડ્રાઈવર સીટ પર પણ હવે CCTV લાગશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજકોટની સિટી બસોમાં ડ્રાઈવર સીટ પર પણ હવે CCTV લાગશે
રાજકોટ

રાજકોટની સિટી બસોમાં ડ્રાઈવર સીટ પર પણ હવે CCTV લાગશે

Khaskhabar Editor
Last updated: 2025/04/22 at 4:28 PM
Khaskhabar Editor 1 year ago
Share
5 Min Read
SHARE

અકસ્માત બાદ સફાળી જાગેલી RMCની વિચારણા : કેપેસિટી કરતા વધુ મુસાફરો નહીં બેસાડાય

ઘોડા છૂટી ગયા પછી તબેલામાં તાળાં મારવા જેવો ઘાટ

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.22
રાજકોટનાં ઇન્દિરા સર્કલ પાસે તાજેતરમાં સર્જાયેલા અકસ્માતમાં ચાર નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. જેમાં ડ્રાઇવર પોતે બ્રેક મારી હોવા છતાં નહીં લાગ્યાનું રટણ કરે છે. જ્યારે આરટીઓની તપાસમાં બ્રેકમાં કોઈ ખામી નહીં હોવાનું અગાઉ સામે આવી ચૂક્યું છે. ત્યારે આવી ઘટનાઓ ફરીવાર ન બને તે માટે મનપા તંત્ર પણ સતર્ક બન્યું છે અને વિવિધ પગલાંઓ લેવા વિચારણા હાથ ધરવામાં આવી છે. જેમાં અમદાવાદ બાદ રાજકોટની સિટિબસોમાં ચાલકો ઉપર કેમેરા લગાવીને ડ્રાઈવરો ઉપર નજર રાખવા વિચારણા ચાલી રહી છે. તેમજ સિટીબસોમાં કેપેસિટી કરતા વધુ મુસાફરો નહીં બેસાડી સમયાંતરે તેનું ચેકીંગ પણ કરવામાં આવનાર છે. જોકે છેલ્લા 3 વર્ષથી રાજકોટની સિટિબસ સેવાને ત્રણ વર્ષમાં રૂ. 65 કરોડ જેટલી ખોટ થઈ હોવાનું પણ સામે આવ્યું છે. પ્રાપ્ત વિગત મુજબ ગત 16 એપ્રિલને બુધવારના રોજ ઇન્દિરા સર્કલ પાસે ટ્રાફિક સિગ્નલ ખુલતા જ પુરપાટ ઝડપે આવેલી સિટીબસે હડફેટે લેતા 4 વ્યક્તિઓનાં મોત નિપજ્યા હતા. બાદમાં ડ્રાઇવરને લોકોએ ઢોર માર મારતા તેને સારવાર માટે ખસેડાયો હતો. હાલ ડ્રાઇવર સ્વસ્થ થતા પોલીસે તેની ધરપકડ કરી છે. અને પોલીસ દ્વારા કરવામાં આવેલી પૂછપરછમાં ડ્રાઇવરે પોતે બ્રેક મારવાનો પ્રયાસ કર્યા છતાં બ્રેક ન લાગયાનું રટણ કરાયું છે. જોકે બનાવના દિવસે જ આરટીઓની તપાસમાં આ બસની બ્રેકમાં કોઈ વાંધો નહીં હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને હવે પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ થઈ રહી છે. સમગ્ર બનાવને લઈને મનપા તંત્ર પણ સતર્ક બન્યું છે. અને ફરીવાર આવી દુર્ઘટના ન બને તે માટે પગલાંઓ લેવાનું શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આગામી સમયમાં ડ્રાઇવર ઉપર નજર રાખવા માટે ખાસ કેમેરા લગાવવાની વિચારણા ચાલી રહી હોવાનું મેયર નયના પેઢાડીયાએ જણાવ્યું હતું. તેમજ આવી દુર્ઘટનાઓમાં કેપેસિટી કરતા વધુ મુસાફરો ભરવાનું કારણ પણ હોઈ શકે તેમ છે. જેને લઈને હવેથી બસની સીટીંગ કેપેસિટી કરતા માત્ર 8-10 મુસાફરો વધુ ભરવાનો નિર્ણય લેવાયો છે. તેમજ મનપાની ટીમો દ્વારા સમયાંતરે આ માટેનું ચેકીંગ પણ કરવામાં આવનાર હોવાનું મેયરે જણાવ્યું હતું. જોકે રાજકોટની સિટીબસ સેવા છેલ્લા 3 વર્ષથી ખોટમાં ચાલતી હોવાનું સામે આવ્યું છે. મેયર નયના પેઢડીયાનાં જણાવ્યા મુજબ લોકોને સારી સુવિધા આપવા માટે સિટિબસ સેવા શરૂ કરવામાં આવી હતી. જેમાં નફો કમાવાનો કોઈ ઉદ્દેશ પહેલાથી રખાયો નથી. મનપાની રાજકોટ રાજપથ લિમિટેડ દ્વારા ચાલતી સિટીબસોમાં વિદ્યાર્થીઓ, સિનિયર સિટીઝનો તેમજ મહિલાઓ વધુ મુસાફરી કરે છે. આ પૈકી વિદ્યાર્થીઓને ખાસ કંસેશન પાસ કાઢી આપવામાં આવે છે. સિનિયર સિટીઝનો માટે મુસાફરી તદ્દન ફ્રી હોય છે. જેના કારણે આ સેવા હાલ તો ખોટમાં ચાલી રહી છે. જેમાં ગત વર્ષે રૂ. 28.38 કરોડની ખોટ ગઈ છે. આ પહેલા 2023-24 વર્ષમાં રૂ. 20 કરોડ અને વર્ષ 2022-23માં રૂ. 17 કરોડ જેટલી ખોટ ગઈ છે. જે મનપા અને સરકાર દ્વારા જ ભરપાઈ કરવામાં આવે છે.

સિટી બસ સેવામાં કુલ 224 બસનો કાફલો

રાજકોટમાં હાલમાં કુલ 224 બસો ચાલે છે. જેમાં 100 CNG બસો શહેરના જુદા-જુદા વિસ્તારમાં અને 124 ઇલેક્ટ્રીક બસો બીઆરટીએસ રૂટ પર ચલાવવામાં આવી રહી છે. જેના દ્વારા કુલ 80 જેટલા રૂટ પર સાવ નજીવા ભાડામાં સિટીબસો દોડાવવામાં આવે છે. જેનો મોટી સંખ્યામાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો લાભ લે છે. સિટિબસ સેવા નહીં નફો અને નહીં નુકસાનનાં ધોરણે ચલાવવાનો પહેલાથી જ નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે તેમાં છેલ્લા ત્રણ વર્ષથી ખોટનો સામનો કરવો પડી રહ્યો છે. આમ છતાં લોકોની સુવિધા માટે સિટિબસ સેવા ચાલુ રાખવામાં આવી છે.

- Advertisement -

હાલ કોઈપણ જૂની ડીઝલ બસો ચાલતી નથી

રાજકોટમાં હાલ કોઈપણ જૂની ડીઝલ બસો ચાલતી નથી. તમામ બસો એકદમ નવી ઇલેક્ટ્રીક અને ઈગૠ દ્વારા ચાલતી બસો છે. જેમાં બીઆરટીએસ રૂટ ઉપર મુસાફરોની સંખ્યા વધુ હોવાથી તેના બસ સ્ટેશનોમાં પણ કુલર મુકવામાં આવ્યા છે. તેમજ બસની અંદર પીવાના ઠંડા પાણીની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. અને લોકોને સારામાં સારી સુવિધા આપવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે.

ડ્રાઈવર બેદરકારીથી બસ ચાલવતો માલૂમ પડે તો 155304 પર ફરિયાદ કરવા અપીલ

રાજકોટ શહેરમાં ચાલતી કુલ 224 બસમાં હાલ 278 ડ્રાઇવર અને 240 કંડકટર ફરજ બજાવે છે. આ પૈકી ડ્રાઇવર માટે માટે 8 પાસ તેમજ હેવી લાયસન્સ હોવું ફરજીયાત હોય છે. ડ્રાઇવર દ્વારા કોઈ બેદરકારી દાખવવામાં આવતી હોય તો 155304 ઉપર ફોન કરવા લોકોને પણ અપીલ કરવામાં આવે છે. ત્યારે આવી કોઈપણ બાબત સામે આવે તો તંત્રને જાણ કરવાની અપીલ પણ મેયરે કરી છે.

5 મહિનામાં 3 અકસ્માતમાં 6 લોકોનાં મોત

રાજકોટમાં સિટીબસો પુરપાટ ઝડપે ચાલતી હોવાની અનેક ફરિયાદો અગાઉ પણ સામે આવી ચૂકી છે. જેમાં 5 મહિનામાં ત્રણ જેટલા મોટા અકસ્માત સર્જાઈ ચુક્યા છે. એટલું જ નહીં આ અકસ્માતોમાં 6 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે ત્રણ લોકો ઘાયલ થયા હતા.

You Might Also Like

પ્લેન ક્રેશની તપાસ પર સંપૂર્ણ વિશ્વાસ છે : ઋષભ રૂપાણી

નવનિર્મિત સાંઢીયા પુલનું શનિવારે Dy.CM હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ

કિડની અવેરનેસ સેમિનાર : કિડની રોગો, અંગદાન અને સ્વસ્થ જીવનશૈલી અંગે નિષ્ણાતો આપશે માર્ગદર્શન

વિજય રૂપાણી મેમોરિયલની જનકલ્યાણકારી પહેલ : રાજકોટમાં 14 જૂને વિનામૂલ્યે સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ

ધરમનગર વિસ્તારમાં દૂષિત પાણી મુદ્દે મહિલાઓનો ઉગ્ર વિરોધ

TAGGED: cctv, Rajkot, Rajkot's city buses
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ભાજપ, આપ અને કોંગ્રેસને આડે હાથે લેતા શંકરસિંહ વાઘેલા
Next Article હેમુ ગઢવી હોલ પાછળ ‘ખાઉં ગલી’માં મનપાની ફૂડ વિભાગની ટીમ ત્રાટકી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

મહિલાઓને ‘હોમ મેકર’ નહીં ‘નેશન બિલ્ડર’ કહો! અકસ્માત વળતરમાં ગૃહિણીઓના કામનું માસિક મૂલ્ય 30,000 નક્કીઃ સુપ્રીમ કોર્ટ

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
પ્લેન ક્રેશની તપાસ પર સંપૂર્ણ વિશ્વાસ છે : ઋષભ રૂપાણી
સૌથી મોટો વુમન્સ T-20 વર્લ્ડકપ કાલથી શરૂ
ભારતીય ક્રૂ મેમ્બર્સ ધરાવતા જહાજ પર અમેરિકાના હુમલા બાદ ભારત લાલઘૂમ
નવનિર્મિત સાંઢીયા પુલનું શનિવારે Dy.CM હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ
કિડની અવેરનેસ સેમિનાર : કિડની રોગો, અંગદાન અને સ્વસ્થ જીવનશૈલી અંગે નિષ્ણાતો આપશે માર્ગદર્શન
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

પ્લેન ક્રેશની તપાસ પર સંપૂર્ણ વિશ્વાસ છે : ઋષભ રૂપાણી

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
રાજકોટ

નવનિર્મિત સાંઢીયા પુલનું શનિવારે Dy.CM હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
રાજકોટ

કિડની અવેરનેસ સેમિનાર : કિડની રોગો, અંગદાન અને સ્વસ્થ જીવનશૈલી અંગે નિષ્ણાતો આપશે માર્ગદર્શન

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?