By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અલાસ્કામાં 6.2ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ નુકસાન થયું નથી
    20 hours ago
    એક કલાકમાં પાંચ શક્તિશાળી ભૂકંપ બાદ રશિયામાં સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે
    22 hours ago
    ડેલ્ટા બોઇંગ 767 ફ્લાઇટ લોસ એન્જલસ પરત ફર્યું, એન્જિનમાં આગ લાગતાં ઇમરજન્સી લેન્ડિંગ કરાયું
    22 hours ago
    સાઉદીના ‘સ્લીપિંગ પ્રિન્સ’ અલવાલીદ બિન ખાલેદનું 20 વર્ષ કોમામાં રહ્યા બાદ અવસાન
    22 hours ago
    ઇન્ડોનેશિયાની જહાજમાં આગ લાગવાથી ત્રણ લોકોના મોત, 150થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા
    22 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઈમરજન્સીના છેલ્લા દિવસે મે UPSC ઇન્ટરવ્યુ આપ્યો, દબાણ હેઠળ બોલવાનું શીખ્યા: જયશંકર
    18 hours ago
    2006 મુંબઈ સિરિયલ બ્લાસ્ટ કેસના તમામ આરોપી નિર્દોષ જાહેર
    18 hours ago
    શશિ થરૂર હવે આપણામાંથી નથી: કોંગ્રેસ નેતાના પ્રહારથી તિરાડ ખુલી ગઈ
    21 hours ago
    જમ્મુ અને કાશ્મીર: કટરામાં માતા વૈષ્ણો દેવી યાત્રા રૂટ પર ભૂસ્ખલન; 10 ઘાયલ
    22 hours ago
    સંસદનું ચોમાસુ સત્રની આજથી શરૂઆત: ઓપરેશન સિંદૂર પર ચર્ચાની માંગણી સાથે વિપક્ષનો હોબાળો
    23 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતીય ક્રિકેટ ટીમે માન્ચેસ્ટર યુનાઇટેડ ક્લબની મુલાકાત લીધી: ખેલાડીઓએ જર્સીની આપ-લે કરી
    18 hours ago
    ICC ટેસ્ટ રેન્કિંગમાં રૂટ નંબર 1 બેટર: બોલરોમાં બુમરાહ તથા ઓલરાઉન્ડરમાં જાડેજા મોખરે
    5 days ago
    ‘બેંગલુરુ નાસભાગ માટે કોહલી જ જવાબદાર’
    5 days ago
    વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટના પતન માટે ભારત, ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ જવાબદાર – ભૂતપૂર્વ ક્રિકેટરોએ ચોંકાવનારા દાવા કર્યા
    5 days ago
    IND vs ENG 2025: ઇંગ્લેન્ડને ત્રીજી ટેસ્ટમાં આચારસંહિતાનો ભંગ કરવા બદલ દંડ ફટકાર્યો
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    દુબઈના યુટ્યુબરે ફરારીને લિવિંગ રૂમ માટે ઘરની સજાવટમાં ફેરવી દીધી: ‘મારો નવો $500,000નો ઝુમ્મર’
    21 hours ago
    અમિતાભ બચ્ચનના કલ્ટ ક્લાસિક ડોન પાછળના કલાકાર ચંદ્ર બારોટનું 86 વર્ષની વયે અવસાન
    21 hours ago
    ક્યૂંકી સાસ ભી કભી બહુ થી નવો પ્રોમો: સ્મૃતિ ઈરાનીની તુલસી ‘સંસ્કાર’ના મહત્વ વિશે વાત કરે છે, બાને શ્રદ્ધાંજલિ આપે છે
    3 days ago
    સિદ્ધાર્થ મલ્હોત્રા બન્યો પિતા, કિયારા અડવાણીએ દીકરીને જન્મ આપ્યો
    5 days ago
    અરિજિત સિંહ દિગ્દર્શક બન્યા, સમગ્ર ભારતમાં જંગલ એડવેન્ચર ફિલ્મનું દિગ્દર્શન કરશે
    6 days ago
  • ધર્મ
    ધર્મShow More
    તુલસીના છોડમાંથી વધારે માત્રામાં મંજરી પણ ધન મેળવવા માટે ઉપયોગી બને છે
    3 days ago
    મંદિરમાં રાખેલું જળ શિવલિંગ પર ચડાવવું કેટલું યોગ્ય છે
    1 week ago
    ગુરુ પૂર્ણિમા: જાણો પૂજા અને સ્નાન-દાન માટે શુભ સમય અને પૂજા વિધિ
    2 weeks ago
    ગુરુપૂર્ણિમાએ ઘરે આ વસ્તુ લાવવાથી થશે, લક્ષ્મી માતાનો વરસાદ
    2 weeks ago
    દર બુધવારે ગણેશજીની પૂજા સાચી પદ્ધતિ અને યોગ્ય રીતે કરવામાં આવે બધી મનોકામના પૂર્ણ થશે
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટની શાળા નં.19માં શોષણકાંડની ભોગ બનેલી પીડિતા સગીરા હોવાનો ધડાકો
    3 days ago
    વીજકરંટથી જ મોરનું મોત થયું હોવાનો PM રીપોર્ટમાં ઘટસ્ફોટ
    4 days ago
    વડાળી ગામે નદીમાંથી વીજપોલ હટાવી લેવા પવનચક્કીની વિન્ડ વર્લ્ડ કંપનીને નોટિસ ફટકારી
    2 weeks ago
    રાતોરાત રૈયા સર્કલ પર રસ્તા પર પેચવર્કની કામગીરી શરૂ
    2 weeks ago
    ડૉ. શિલ્પન ગોંડલિયાની ઘોર બેદરકારી: ઓપરેશન વખતે મહિલાની પેશાબની નળી ડેમેજ કરી નાખી
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટની સિટી બસોમાં ડ્રાઈવર સીટ પર પણ હવે CCTV લાગશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજકોટની સિટી બસોમાં ડ્રાઈવર સીટ પર પણ હવે CCTV લાગશે
રાજકોટ

રાજકોટની સિટી બસોમાં ડ્રાઈવર સીટ પર પણ હવે CCTV લાગશે

Khaskhabar Editor
Last updated: 2025/04/22 at 4:28 PM
Khaskhabar Editor 3 months ago
Share
5 Min Read
SHARE

અકસ્માત બાદ સફાળી જાગેલી RMCની વિચારણા : કેપેસિટી કરતા વધુ મુસાફરો નહીં બેસાડાય

ઘોડા છૂટી ગયા પછી તબેલામાં તાળાં મારવા જેવો ઘાટ

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.22
રાજકોટનાં ઇન્દિરા સર્કલ પાસે તાજેતરમાં સર્જાયેલા અકસ્માતમાં ચાર નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. જેમાં ડ્રાઇવર પોતે બ્રેક મારી હોવા છતાં નહીં લાગ્યાનું રટણ કરે છે. જ્યારે આરટીઓની તપાસમાં બ્રેકમાં કોઈ ખામી નહીં હોવાનું અગાઉ સામે આવી ચૂક્યું છે. ત્યારે આવી ઘટનાઓ ફરીવાર ન બને તે માટે મનપા તંત્ર પણ સતર્ક બન્યું છે અને વિવિધ પગલાંઓ લેવા વિચારણા હાથ ધરવામાં આવી છે. જેમાં અમદાવાદ બાદ રાજકોટની સિટિબસોમાં ચાલકો ઉપર કેમેરા લગાવીને ડ્રાઈવરો ઉપર નજર રાખવા વિચારણા ચાલી રહી છે. તેમજ સિટીબસોમાં કેપેસિટી કરતા વધુ મુસાફરો નહીં બેસાડી સમયાંતરે તેનું ચેકીંગ પણ કરવામાં આવનાર છે. જોકે છેલ્લા 3 વર્ષથી રાજકોટની સિટિબસ સેવાને ત્રણ વર્ષમાં રૂ. 65 કરોડ જેટલી ખોટ થઈ હોવાનું પણ સામે આવ્યું છે. પ્રાપ્ત વિગત મુજબ ગત 16 એપ્રિલને બુધવારના રોજ ઇન્દિરા સર્કલ પાસે ટ્રાફિક સિગ્નલ ખુલતા જ પુરપાટ ઝડપે આવેલી સિટીબસે હડફેટે લેતા 4 વ્યક્તિઓનાં મોત નિપજ્યા હતા. બાદમાં ડ્રાઇવરને લોકોએ ઢોર માર મારતા તેને સારવાર માટે ખસેડાયો હતો. હાલ ડ્રાઇવર સ્વસ્થ થતા પોલીસે તેની ધરપકડ કરી છે. અને પોલીસ દ્વારા કરવામાં આવેલી પૂછપરછમાં ડ્રાઇવરે પોતે બ્રેક મારવાનો પ્રયાસ કર્યા છતાં બ્રેક ન લાગયાનું રટણ કરાયું છે. જોકે બનાવના દિવસે જ આરટીઓની તપાસમાં આ બસની બ્રેકમાં કોઈ વાંધો નહીં હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને હવે પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ થઈ રહી છે. સમગ્ર બનાવને લઈને મનપા તંત્ર પણ સતર્ક બન્યું છે. અને ફરીવાર આવી દુર્ઘટના ન બને તે માટે પગલાંઓ લેવાનું શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આગામી સમયમાં ડ્રાઇવર ઉપર નજર રાખવા માટે ખાસ કેમેરા લગાવવાની વિચારણા ચાલી રહી હોવાનું મેયર નયના પેઢાડીયાએ જણાવ્યું હતું. તેમજ આવી દુર્ઘટનાઓમાં કેપેસિટી કરતા વધુ મુસાફરો ભરવાનું કારણ પણ હોઈ શકે તેમ છે. જેને લઈને હવેથી બસની સીટીંગ કેપેસિટી કરતા માત્ર 8-10 મુસાફરો વધુ ભરવાનો નિર્ણય લેવાયો છે. તેમજ મનપાની ટીમો દ્વારા સમયાંતરે આ માટેનું ચેકીંગ પણ કરવામાં આવનાર હોવાનું મેયરે જણાવ્યું હતું. જોકે રાજકોટની સિટીબસ સેવા છેલ્લા 3 વર્ષથી ખોટમાં ચાલતી હોવાનું સામે આવ્યું છે. મેયર નયના પેઢડીયાનાં જણાવ્યા મુજબ લોકોને સારી સુવિધા આપવા માટે સિટિબસ સેવા શરૂ કરવામાં આવી હતી. જેમાં નફો કમાવાનો કોઈ ઉદ્દેશ પહેલાથી રખાયો નથી. મનપાની રાજકોટ રાજપથ લિમિટેડ દ્વારા ચાલતી સિટીબસોમાં વિદ્યાર્થીઓ, સિનિયર સિટીઝનો તેમજ મહિલાઓ વધુ મુસાફરી કરે છે. આ પૈકી વિદ્યાર્થીઓને ખાસ કંસેશન પાસ કાઢી આપવામાં આવે છે. સિનિયર સિટીઝનો માટે મુસાફરી તદ્દન ફ્રી હોય છે. જેના કારણે આ સેવા હાલ તો ખોટમાં ચાલી રહી છે. જેમાં ગત વર્ષે રૂ. 28.38 કરોડની ખોટ ગઈ છે. આ પહેલા 2023-24 વર્ષમાં રૂ. 20 કરોડ અને વર્ષ 2022-23માં રૂ. 17 કરોડ જેટલી ખોટ ગઈ છે. જે મનપા અને સરકાર દ્વારા જ ભરપાઈ કરવામાં આવે છે.

સિટી બસ સેવામાં કુલ 224 બસનો કાફલો

રાજકોટમાં હાલમાં કુલ 224 બસો ચાલે છે. જેમાં 100 CNG બસો શહેરના જુદા-જુદા વિસ્તારમાં અને 124 ઇલેક્ટ્રીક બસો બીઆરટીએસ રૂટ પર ચલાવવામાં આવી રહી છે. જેના દ્વારા કુલ 80 જેટલા રૂટ પર સાવ નજીવા ભાડામાં સિટીબસો દોડાવવામાં આવે છે. જેનો મોટી સંખ્યામાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો લાભ લે છે. સિટિબસ સેવા નહીં નફો અને નહીં નુકસાનનાં ધોરણે ચલાવવાનો પહેલાથી જ નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે તેમાં છેલ્લા ત્રણ વર્ષથી ખોટનો સામનો કરવો પડી રહ્યો છે. આમ છતાં લોકોની સુવિધા માટે સિટિબસ સેવા ચાલુ રાખવામાં આવી છે.

- Advertisement -

હાલ કોઈપણ જૂની ડીઝલ બસો ચાલતી નથી

રાજકોટમાં હાલ કોઈપણ જૂની ડીઝલ બસો ચાલતી નથી. તમામ બસો એકદમ નવી ઇલેક્ટ્રીક અને ઈગૠ દ્વારા ચાલતી બસો છે. જેમાં બીઆરટીએસ રૂટ ઉપર મુસાફરોની સંખ્યા વધુ હોવાથી તેના બસ સ્ટેશનોમાં પણ કુલર મુકવામાં આવ્યા છે. તેમજ બસની અંદર પીવાના ઠંડા પાણીની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. અને લોકોને સારામાં સારી સુવિધા આપવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે.

ડ્રાઈવર બેદરકારીથી બસ ચાલવતો માલૂમ પડે તો 155304 પર ફરિયાદ કરવા અપીલ

રાજકોટ શહેરમાં ચાલતી કુલ 224 બસમાં હાલ 278 ડ્રાઇવર અને 240 કંડકટર ફરજ બજાવે છે. આ પૈકી ડ્રાઇવર માટે માટે 8 પાસ તેમજ હેવી લાયસન્સ હોવું ફરજીયાત હોય છે. ડ્રાઇવર દ્વારા કોઈ બેદરકારી દાખવવામાં આવતી હોય તો 155304 ઉપર ફોન કરવા લોકોને પણ અપીલ કરવામાં આવે છે. ત્યારે આવી કોઈપણ બાબત સામે આવે તો તંત્રને જાણ કરવાની અપીલ પણ મેયરે કરી છે.

5 મહિનામાં 3 અકસ્માતમાં 6 લોકોનાં મોત

રાજકોટમાં સિટીબસો પુરપાટ ઝડપે ચાલતી હોવાની અનેક ફરિયાદો અગાઉ પણ સામે આવી ચૂકી છે. જેમાં 5 મહિનામાં ત્રણ જેટલા મોટા અકસ્માત સર્જાઈ ચુક્યા છે. એટલું જ નહીં આ અકસ્માતોમાં 6 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે ત્રણ લોકો ઘાયલ થયા હતા.

You Might Also Like

રાજકોટમાં પ્રભારી મંત્રી રાઘવજી પટેલ દ્વારા વરસાદથી પ્રભાવિત રસ્તાઓની સમીક્ષા કરાઇ

રઘુવંશી તરંગ લેડીઝ ક્લબ દ્વારા પ્રતિભા સન્માન સમારોહ: 100 વિદ્યાર્થીઓનું બહુમાન

વિશ્ર્વ હિન્દુ પરિષદ દ્વારા ‘સૂત્ર સ્પર્ધા’નું આયોજન વિજેતા સ્પર્ધકને એવોર્ડથી સન્માનવામાં આવશે

લોઠડાં હત્યા કેસ: આરોપી ભલાભાઈ બાવળીયાને ગુજરાત હાઈકોર્ટમાંથી જામીન મળ્યા

ધારાસભ્ય ડૉ. દર્શિતા શાહે લોકોમાં વ્યાપેલી ગેરસમજ દૂર કરવા ઘરે સ્માર્ટ મીટર લગાવ્યું

TAGGED: cctv, Rajkot, Rajkot's city buses
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ભાજપ, આપ અને કોંગ્રેસને આડે હાથે લેતા શંકરસિંહ વાઘેલા
Next Article હેમુ ગઢવી હોલ પાછળ ‘ખાઉં ગલી’માં મનપાની ફૂડ વિભાગની ટીમ ત્રાટકી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટમાં પ્રભારી મંત્રી રાઘવજી પટેલ દ્વારા વરસાદથી પ્રભાવિત રસ્તાઓની સમીક્ષા કરાઇ

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
રઘુવંશી તરંગ લેડીઝ ક્લબ દ્વારા પ્રતિભા સન્માન સમારોહ: 100 વિદ્યાર્થીઓનું બહુમાન
ગુજરાતના ખેલાડીઓએ આંતરરાષ્ટ્રીય-રાષ્ટ્રીય કક્ષાએ 17 સુવર્ણ, રજત અને કાંસ્ય પદક હાંસલ કર્યા
બોટાદમાં પ્રભારી મંત્રી ભાનુબેન બાબરીયા દ્વારા વિકાસ કામોની સમીક્ષા કરાઇ
વિશ્ર્વ હિન્દુ પરિષદ દ્વારા ‘સૂત્ર સ્પર્ધા’નું આયોજન વિજેતા સ્પર્ધકને એવોર્ડથી સન્માનવામાં આવશે
લોઠડાં હત્યા કેસ: આરોપી ભલાભાઈ બાવળીયાને ગુજરાત હાઈકોર્ટમાંથી જામીન મળ્યા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટમાં પ્રભારી મંત્રી રાઘવજી પટેલ દ્વારા વરસાદથી પ્રભાવિત રસ્તાઓની સમીક્ષા કરાઇ

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
રાજકોટ

રઘુવંશી તરંગ લેડીઝ ક્લબ દ્વારા પ્રતિભા સન્માન સમારોહ: 100 વિદ્યાર્થીઓનું બહુમાન

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
રાજકોટ

વિશ્ર્વ હિન્દુ પરિષદ દ્વારા ‘સૂત્ર સ્પર્ધા’નું આયોજન વિજેતા સ્પર્ધકને એવોર્ડથી સન્માનવામાં આવશે

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?