ગુજરાત હજી 2001નો કચ્છનો ભૂકંપ ભૂલ્યું નથી. જેણે છેક અમદાવાદ સુધી વિનાશ વેર્યો હતો.
નાના આંચકામાં તો કચ્છમાં સામાન્ય બની ગયા છે. કચ્છમાં બુધવારે મોડી રાત્રે રિકટેર સ્કેલ પર 3.6ની તીવ્રતાનો આંચકો નોંધાયો છે. ધોળાવીરાથી 26 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ હોવાનું સિસ્મોલોજી વિભાગ તરફથી જાણવા મળ્યું છે.આંચકાથી લોકોમાં ફફડાટ વ્યાપ્યો છે.
- Advertisement -
કચ્છમાં કતરોલ હિલ ફોલ્ટથી દર વર્ષે 2.1 મીલીમીટર ખસી રહી છે
ઉલ્લેખનીય છે કે, આ જ વર્ષના માર્ચ મહીનામાં આવેલા સર્વેમાં જણાવાયું છે કે, કચ્છના કતરોલ હિલ ફોલ્ટથી દર વર્ષે 2.1 મીલીમીટર ખસી રહી છે. તેના કારણે ભારતીય પ્લેટ પર અત્યંત ખતરનાક અસર થશે. 2001ના ભૂકંપ બાદ કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભૂકંપના નાના આંચકા એ સામાન્ય બાબત બની ગઈ છે. પણ છેલ્લા થોડા માસમાં ભચાઉ, રાપરની આસપાસ જે આંચકા લાગ્યા હતા તેથી સંશોધનકર્તાઓનું ધ્યાન તેમના ભણી આકર્ષાયુ હતું.અમદાવાદ સહિતના શહેરોમાં ભૂકંપનું મોટું જોખમ હોવાનું તારણ આપવામાં આવ્યું હતું. અને ખાસ કરીને રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ક્ષેત્રોમાં 2001ની સ્ટાઈલથી અમદાવાદ સુધી તેની મોટી અસર થશે તેવી સંભાવના પણ વ્યકત કરવામા આવી હતી.
ભૂકંપ આવે તો શું કરવું?
ત્યારે ભૂકંપ આવતો કઈ વાતનું ધ્યાન રાખવું તે લોકોએ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. લોકોએ ભૂકંપ આવે ત્યારે તુરંત ઓફિસ કે ઘરે હોય ખુલ્લા મેદાન તરફ ભાગવું અને ઈમારત, વીજળીના થાંભલા કે કોઈ દરવાજા હોય ત્યાથી દૂર રહેવું. આ ઉપરાંત અનેક ઉપાયો છે જે ભૂકંપથી રક્ષા કરી શકે છે.
સિસ્મોલોજી વિભાગની સાંત્વના
સિસ્મોલોજી વિભાગ તરફથી કહેવામાં આવ્યું છે કે ગુજરાતમાં ભૂકંપથી ડરશો નહીં, 5-6 વર્ષે ભૂકંપ આવે છે. કચ્છમાં 5ની તીવ્રતાનો ભૂકંપ પણ સામાન્ય છે. હવેના આફ્ટર શોક સાવ સામાન્ય. લોકોએ ગભરાવાની જરૂર નહીં.
- Advertisement -