રાજ્યમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાયો છે. કચ્છમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો આવ્યો છે. વિગતો મુજબ ભચાઉથી 10 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયુ છે. આ સાથે રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.2 નોંધાઈ છે. મહત્વનું છે કે, હજી ગઈકાલે જ નર્મદા જીલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. કેવડીયાથી માત્ર 5 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ હોવાનું જાણવા મળ્યું છે.
ગુજરાતમાં અને ખાસ કરી કચ્છમાં વારંવાર ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. આ બધાની વચ્ચે ફરી એકવાર કચ્છની ધરા ભૂકંપના આંચકાથી ધ્રુજી ઉઠી છે. કચ્છના ભચાઉથી 10 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું હતું માહિતી મુજબ આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.2 નોંધાઈ છે. જોકે આ ભૂકંપને કારણે હજી સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે નથી આવ્યા.
- Advertisement -
નર્મદા જિલ્લામાં આવ્યો હતો ભૂકંપ
રાજ્યના કચ્છ અને અમરેલીમાં વારંવાર ભૂકંપના આંચકા અનુભવાય છે. આ દરમિયાન ગઈકાલે નર્મદા જીલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. કેવડીયાથી માત્ર 5 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ હોવાનું જાણવા મળ્યું છે. રિક્ટર સ્કેલ પર નર્મદા જીલ્લામાં 3.1ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો.