દુનિયાભરમાં દર વર્ષે 6 મેનાં રોજ ‘નો ડાયટ ડે’ ઊજવવામાં આવે છે. વજન ઉતારવા લોકો શા માટે ડાયટનો વિરોધ કરી રહ્યાં છે? આવો જાણીએ.
દુનિયાભરમાં દર વર્ષે 6 મેનાં રોજ ‘નો ડાયટ ડે’ ઊજવવામાં આવે છે. આ દિવસ ઊજવવાનો મુખ્ય ઉદેશ્ય પોતાના શરીરને જેવું છે તેવું સ્વીકારવાનાં વિચારને પ્રોત્સાહન આપવાનો છે. આ દિવસે મુખ્યત્વે ડાયટિંગ અને પ્રતિબંધિત આહારનાં સેવનની આદતને લીધે શરીરને અનુભવવી પડતી મુશ્કેલીઓ અંગે જાગરૂકતા ફેલાવવામાં આવે છે.
- Advertisement -
શા માટે ઉજવવામાં આવે છે આ દિવસ?
ઈન્ટરનેશનલ નો ડાયટ ડેનો ઈતિહાસ ઘણો જૂનો છે. આ દિવસે લોકોને વજન ઘટાડવા કે ફૂડનો ત્યાગ કરવાની જગ્યાએ પોતાની સારસંભાળ અને આત્મપ્રેમ પર ધ્યાન આપવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. આ દિવસનો મુખ્ય લક્ષ્ય વજન ઘટાડવા કે પ્રતિબંધિત આહાર ખાવાની પેટર્ન પર ધ્યાન આપવાની જગ્યાએ લોકોને સ્વાસ્થ આદતો અને સકારાત્મક શરીરની ઈમેજ બનાવવા માટે પ્રોત્સાહિત કરવાનું છે. સામાન્ય શબ્દોમાં વાત કરીએ તો આ દિવસ પોતાના શરીરની સામે લડવાની જગ્યાએ આત્મપ્રેમ કરી અને જેવા છીએ તેવા સ્વીકારવાનો છે.
શું છે ઈતિહાસ?
ઈન્ટરનેશનલ નો ડાયટ ડેનાં મૂળ બ્રિટિશ નારીવાદી અને આહાર-વિરોધી પ્રચારક મેરી ઈવાંસ યંગનાં કામથી ઉત્પન્ન થઈ હતી જેમણે 1990નાં દશકાની શરૂઆતમાં ‘ડાયટ બ્રેકર્સ’ નામક એક સમૂહની સ્થાપના કરી હતી. આ સમૂહની વિચારધારા હતી કે તમારું શરીર જેવું છે તેવું જ સ્વીકાર્ય હોવું જોઈએ..તમારે તમારા શરીરને પ્રેમ કરવો જોઈએ…
ડાયટિંગ અને કસરત કર્યા વગર આ રીતે ઉતારી શકાય છે વજન:
- Advertisement -
અનહેલ્ધી ફૂડથી દૂર રહેવું: બની શકે છે જંક ફૂડથી દૂર રહીને આપણે આપણાં સ્વાસ્થ્યને મજબૂત બનાવી શકીએ છીએ. ખાવાની ખૂબ ઈચ્છા થાય તો એટલા પ્રમાણમાં જ ખાઓ જેનાથી તમારું વજન વધે નહીં.
1. પીતાં રહો પાણી
શરીરમાં પાણીની કમી થવાથી પણ વજન વધવાની સમસ્યા થાય છે. જો વજન ઘટાડવા માંગતા હોવ તો દિવસમાં સમયસર પાણી પીતાં રહેવું જોઈએ. વજન ઉતારવાની સાથે સાથે પાણી પીવાના બીજા પણ ઘણા લાભ છે.
2. પૂરતી ઊંઘ લો
ઓછી ઊંઘ પણ વધતાં વજન પાછળ કારભૂત છે. વ્યક્તિએ સાતથી આઠ કલાકની પૂરતી ઊંઘ લેવી જ જોઈએ.
3. ધીમે ધીમે જમો
સરખી રીતે ન જમવાના કારણે સ્થૂળતા અને ગેસની સમસ્યાઓ વધે છે. એવામાં જમવા બેસો ત્યારે બીજી કોઈ પ્રવૃત્તિ કરવી નહીં અને ધીમે ધીમે ચાવીને ખાવું જોઈએ.
4. ચાલવા જવું
હલકી ફૂલકી વોકને એક્સરસાઈઝ ન કહી શકાય પણ આમ કરવાથી વજન ઘટાડવામાં ખૂબ મદદ મળે છે.