– દોઢ કલાકની જહેમત બાદ જૂનાગઢ જંગલમાં સલામત સ્થળે મુક્ત કરાયો
રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પાટણવાવ ગામે કપાસનાં ખેતરમાં મગર દેખાયો હોવાની માહિતી મળતા પાટણવાવના સરપંચ પ્રવિણભાઈ પેથાણીએ વન વિભાગને જાણ કરતાં તુરત જ ટીમ દોડી ગઈ હતી. વન વિભાગના અધિકારીઓની દોઢ કલાકની જહેમત બાદ મગરને રેસ્ક્યુ કરી સલામત સ્થળે મુક્ત કરાયો હતો.
- Advertisement -
પાટણવાવના ખેડૂત ભગાભાઈ રામજીભાઈ સાવલિયાના કપાસના ખેતરમાં આ મહાકાય મગરમચ્છ જોવા મળ્યો હતો. ફોરેસ્ટ ઓફિસર નિહારીકાબેન પંડ્યા, ફોરેસ્ટર હિરેનભાઈ વાડોદરિયા અને મેહુલભાઈ મકવાણાએ દોઢથી બે કલાકની ભારે જહેમત બાદ મગરને રેસ્ક્યુ કરી જુનાગઢના જંગલમાં છોડી દેવામાં આવ્યો હતો.