પ્રકાશનાં પર્વનો પ્રારંભ: કાલે વાઘ બારસ, જૂનાગઢની બજારમાં ભીડ જામી
જૂનાગઢ શહેરમાં વિવિધ સંસ્થા, ગૌશાળાએ, ધાર્મિક સંસ્થાઓ કરી રહી છે ફટકાડાનું વેંચાણ
- Advertisement -
ફટાકડાંની આવકમાંથી ગાયની સેવા, વિદ્યાર્થીઓ, જરૂરિયાતમંદ લોકો પાછળ કરાય છે ખર્ચ
ખાસ-ખબર સંવાદદાતા
પ્રકાશનાં પર્વનો પ્રારંભ થયો છે. કાલે વાઘ બારસની ઉજવણી કરવામાં આવશે. દિવાળીનાં તહેવારને લઇ જૂનાગઢની બજારમાં ભીડ જોવા મળી છે. લોકો ખરીદી કરવા માટે ઉમટી પડ્યાં છે. દિવાળીનાં તહેવારને લઇ શહેરમાં ફટકાડાનાં સ્ટોલ ઉભા કરવામાં આવ્યાં છે.જૂનાગઢમાં જુદીજુદી સામાજીક,ધાર્મિક સંસ્થા અને ગૌ શાળા દ્વારા ફટાકડાંંનાં સ્ટોલ ઉભા કરવામાં આવ્યાં છે. અહીંથી થતી આવકની રકમ વર્ષભર જુદીજુદી સામાજીક પ્રવૃતિમાં વાપરવામાં આવશે. આ રકમનો ગાયની સેવા,જરૂરિયાતમંદ લોકોની સેવા, શિક્ષણ,આરોગ્ય વગેરે સેવામાં ઉપયોગ કરવામાં આવશે.
સૌરાષ્ટ્ર પ્રદેશ આદિ અનાદિ કાળ થી સેવાની જ્યોત જલાવી છે,ત્યારે હિન્દૂ ધર્મનું દિવાળી અને નૂતન પર્વને સેવા સાથે જોડીને અનોખી રીતે ઉજવણી કરતી સામાજીક સંસ્થાઓ જૂનાગઢ શહેરમાં 200 જેટલા ફટાકડાંંના સ્ટોલ જોવા મળે છે. ક્યાંકને કાયક તેની પાછળ સામાજીક પ્રવૃત્તિ જોવા મળી રહી છે,એજ રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશ વાસીઓને અનુરોધ કર્યો છે લોકલ ફોર વોકલ અને સ્વદેશી ચીજ વસ્તુ ઉપર વધુ ધ્યાન આપીને દેશને આત્મનિર્ભર બનવા તરફ આગળ વધવા આહ્વાન કર્યું છે.શહેરના ઝાંઝરડા રોડ પર કીરણભાઈ પુરોહિત વર્ષો થી સ્વદેશી ફટાકડાંંનું વેંચાણ કરી રહ્યા છે.ભારત દેશ માં ઉત્પાદન થયેલ ફટાકડાંંનું વેંચાણ કરીને સ્વદેશી ફટાકડાંં લોકો વધુ ખરીદી કરે તેવી અપીલ કરે છે.એજ રીતે રોટરી ક્લબ દ્વારા શિવમ પાર્ટી પ્લોટમાં ફટાકડાંંનો મીની મોલ ઉભો કર્યો છે. રોટરી ક્લબ ઘણા વર્ષો થી ફટાકડાંંના વેંચાણમાંથી સામાજીક સેવા કરે છે. રોટરી ક્લ ના પ્રમુખના જણાવ્યા અનુસાર મુખ્ય ઉદેશ શિક્ષણ અને એજ્યુકેશન છે,જે અવાક થાય તેમાંથી વિદ્યાર્થી ભાઈ બેહનોના શિક્ષણ પાછળ ખર્ચ કરવામાં આવે છે,જેમાં ચોપડા, સ્કૂલ બેગ સ્કૂલ ફી સાથે તાજેતરમાં સરકારી ક્ધયા શાળા ચાર અને દોલતપરામાં આવેલ ગ્રામ ઉદ્યોગ સ્કૂલને કોમ્પિયુટર લેબ અર્પણ કરવામાં આવી હતી.તેની સાથે મેડિકલ ક્ષેત્રમાં લોકોને સહાય રૂપ થવા કૃત્રિમ હાથ એલેન ફોર 100 જેટલા જરૂરિયાત મંદ દર્દીને કૃત્રિમ હાથ બેસાડવામાં આવ્યા હતાં.જેમાં દર્દીનો રહેવા જમવા સહીતનો ખર્ચ રોટરી સંસ્થા આપે છે.આ જ રીતે ઝાંઝરડા રોડ આવેલ ગૌકુલેશ ગૌશાળા વર્ષો થી ફટાકડાંં સ્ટોલ ઉભો કરીને તેમાંથી થતી અવાકમાંથી નિરાધાર અને ગાયોની સેવા કરે છે,જયારે ધોરાજીથી માધવ ગૌશાળાએ રાહત દરે ફટાકડાંંનો મેગા મોલ ઉભો કરીને ગૌશાળા માટે સેવા કરે છે.જૂનાગઢ જેસીઆઈ સંસ્થા દ્વારા ઝાંઝરડા રોડ પર ફટાકડાંંનું વેંચાણ કરીને તેમાંથી થતી અવાકમાંથી પ્રતિ વર્ષ શિશુ મંગલ સંસ્થાની અનાથ દીકરીઓના લગ્ન કરાવે છે. જરૂરિયાત મંદ વિદ્યાર્થીને રાહત દરે ચોપડા વિતરણ તેમજ ઉતરાયણમાં ખાદ્ય ચીજ વસ્તુ સાથે પતંગ દોરા સાથે 400 જેટલી કીટ બનાવી જરૂરિયાત મંદ સંસ્થામાં આપવામાં આવે છે. અને વાર તેહવારમાં વૃદ્ધા શ્રમ અને વિકલાંગ બાળકોને ભોજન કરાવે છે.
- Advertisement -
લોકલ ફોર વોકલ સ્વદેશી ફટાકડાંં સ્ટોલ
શહેરના ઝાંઝરડા રોડ પર સ્વદેશી ફટાકડાંં નો સ્ટોલ વર્ષો થી કરાવવામાં આવેછે જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નો અનુરોધ છે કે દેશ આત્મ નિર્ભર બને અને સ્વદેશી ચીજ વસ્તુ નો ઉપયોગ વધુ થાય તેમાટે ચાઈનીઝ ફટાકડાંંં ની જગ્યા એ દેશમાં બનેલ ફટાકડાંંનું વેંચાણ કિરણભાઈ પુરોહિત દ્વારા કરવામાં આવે છે.
JCI અને રીટરી ક્લબ સામાજીક પ્રવૃત્તિ
જૂનાગઢ શહેરની રોટરી ક્લબ અને જેસીઆઈ સંસ્થા દ્વારા દિવાળી પર્વ માં ફટાકડાં સ્ટોલ ઉભા કરીને તેમાંથી થતી અવાકમાંથી વર્ષ ભર અનેક સેવાકીય પ્રવૃત્તિ કરીને જરૂરિયાતમંદ લોકોની મદદ કરે છે. જેમાં શિક્ષણ, મેડિકલ નિરાધાર ગાયો અને શિશુ મંગલ સંસ્થાની દીકરીને લગ્ન કરી આપે છે. આમ દિવાળી પર્વ માં પણ સેવા કાર્ય કરતી સંસ્થા ખુબ ઉમદા સેવા કરે છે.
ગણપતિ મંદિરનાં નિર્માણ માટે ફટાકડાંંનો સ્ટોલ ઉભો કર્યો
જૂનાગઢમાં વિવિધ સંસ્થાઓએ તો સ્ટોલ ઉભા કર્યા છે. પરંતું જૂનાગઢનાં ઝાંઝરડા રોડ ઉપર મધુવન યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા ફટાકડાંંનો સ્ટોલ ઉભો કરવામાં આવ્યો છે. ફટાકડાંંની આવકની રકમ ગણપતી મંદિરનાં નિર્માણમાં વાપરવામાં આવશે. યુવકો દ્વારા ફટાકડાંંનું વેંચાણ કરવામાં આવી રહ્યું છે.