મહેશ રાજપૂતે દિલ્હી ખાતે અનિલ જયહિન્દ સાથે કરી સંગઠન અંગે ચર્ચા
સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જિલ્લા-શહેર પ્રમુખોની દરખાસ્ત મંજૂર
- Advertisement -
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓબીસી ડિપાર્ટમેન્ટના સંગઠનને વધુ મજબૂત અને સક્રિય બનાવવા માટે નવી નિમણૂંકોને મંજૂરી આપવામાં આવી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓબીસી ડિપાર્ટમેન્ટના ચેરમેન ડૉ. મહેશભાઈ રાજપૂતે આ
અંગે માહિતી આપતા જણાવ્યું છે કે તા. ૧૦ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ નવી દિલ્હી ખાતે કોંગ્રેસ હેડક્વાર્ટર ખાતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ઓબીસી ડિપાર્ટમેન્ટના ચેરમેન અનિલ જયહિન્દ સાથે ગુજરાતના સંગઠન અંગે મહત્વપૂર્ણ
ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. દિલ્હી ખાતે યોજાયેલી આ બેઠક દરમિયાન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓબીસી ડિપાર્ટમેન્ટના સંગઠનને વધુ સક્રિય બનાવવા તથા વિવિધ વિસ્તારોમાં સંગઠનાત્મક જવાબદારીઓ સોંપવા અંગે
વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં પ્રદેશ સ્તરે મીડિયા કામગીરી માટે તેમજ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિવિધ જિલ્લા-શહેરોમાં ઓબીસી ડિપાર્ટમેન્ટના સંગઠનને મજબૂત બનાવવા માટે પ્રમુખોની નિમણૂક
અંગેની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી.ડૉ. મહેશભાઈ રાજપૂતે રજૂ કરેલી દરખાસ્તને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ઓબીસી ડિપાર્ટમેન્ટના ચેરમેન અનિલ જયહિન્દ દ્વારા બીજા જ દિવસે એટલે કે તા. ૧૧ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ
મંજૂરી આપવામાં આવી હતી.
આ મંજૂરી અંતર્ગત ભાર્ગવ કિશોરભાઈ પઢીયારની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓબીસી ડિપાર્ટમેન્ટના મીડિયા કન્વીનર તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર ઝોન અને ઉત્તર ગુજરાત ઝોન હેઠળના વિવિધ જિલ્લા
તથા શહેર કોંગ્રેસ ઓબીસી ડિપાર્ટમેન્ટના પ્રમુખોની નિમણૂક અંગેની દરખાસ્તને પણ મંજૂરી આપવામાં આવી છે. કોંગ્રેસ ઓબીસી ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવેલી આ સંગઠનાત્મક કવાયતને આગામી સમયમાં ઓબીસી સમાજ
સુધી પક્ષની નીતિઓ અને કાર્યક્રમોને વધુ અસરકારક રીતે પહોંચાડવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત જેવા વિસ્તારોમાં જિલ્લા અને શહેર સ્તરે સંગઠનને સક્રિય કરીને ઓબીસી
સમાજ સાથે વધુ સીધો સંપર્ક સ્થાપિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ડૉ. મહેશભાઈ રાજપૂતે જણાવ્યું કે સંગઠનના વિસ્તરણ અને મજબૂતીકરણની પ્રક્રિયાના ભાગરૂપે વિવિધ જવાબદારીઓ સોંપવામાં આવી છે. નવી
નિમણૂંકો બાદ પ્રદેશથી લઈને જિલ્લા અને શહેર સ્તર સુધી ઓબીસી ડિપાર્ટમેન્ટની કામગીરીને વધુ સુવ્યવસ્થિત બનાવવામાં આવશે.




