પીઆઈ સહિતના પોલીસ સ્ટાફે સાયબર ક્રાઇમથી કેવી રીતે બચી શકાય તેનું વિસ્તૃત માર્ગદર્શન આપ્યું
ખાસ-ખબર સંવાદદાતા
હળવદની મહર્ષિ ગુરુકુળમાં સાયબર ક્રાઈમ વિશે સેમિનાર યોજાયો હતો જેમાં હળવદ પીઆઈ સહિતના પોલીસ સ્ટાફે સાયબર ક્રાઈમથી કેવી રીતે બચી શકાય તેનું વિધાર્થીઓને વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. હળવદની મહર્ષિ ગુરુકુળ કોલેજના વિદ્યાર્થીઓ માટે સાયબર ક્રાઈમની જાગૃતિ માટે પોલીસ દ્વારા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. મહર્ષિ ગુરુકુળમાં કોલેજના વિદ્યાર્થીઓ માટે સાયબર સિક્યુરિટી બાબતે યોજાયેલા સેમિનારમાં હળવદ પોલીસ સ્ટેશનના પીઆઈ દીપકભાઈ ઢોલએ વિદ્યાર્થીઓને સાયબર સિક્યુરિટી બાબતે માર્ગદર્શન આપ્યું હતું. હાલના સમયમાં સાયબર ક્રાઇમ ખૂબ વધી ગયો છે, વિવિધ પ્રકારે ક્રાઈમ થાય છે તેની સિક્યુરિટી માટે, તે ક્રાઈમ અટકાવવા માટે, તેની માહિતી મેળવવા માટે અને વિદ્યાર્થીઓને વિવિધ પ્રકારે અવગત કરવા માટે આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેથી સમાજમાં આ ક્રાઈમ વિશે માહિતી મળે અને લોકો છેતરાતા અટકે તે માટે પોલીસે વિદ્યાર્થીઓ જાગૃત કરવાનો સરાહનીય પ્રયાસ કર્યો હતો.