બાળપણમાં મોટાભાગે માતા પોતાની દીકરીને પરાણે પકડીને તેના ખુલ્લા વાળને બાંધી દેતા હતા. આપણે જેને ચોટલો કે ચોટી કહીએ છીએ. માતા પોતાની દિકરીના વાળનું ધ્યાન રાખતી એટલે ત્યારે વાળ ખરવાની કે તુટવાની સમસ્યાઓ થતી પણ નહી. પરંતૂ આપણે આપણી ત્વચાની જેટલી કાળજી રાખીએ છીએ એટલી જ કાળજી વાળની પણ લેવી જોઈએ.
હેલ્ધી બનાવવા માટે સૌથી જરૂરી છે…
- Advertisement -
– વાળને પરસેવાથી બચાવવા જોઇએ
-વાળને સારી રીતે તેલ લગાવવુ
ઘણીવાર સ્ત્રીઓમાં મૂંઝવણ હોય છે કે વાળ બાંધવા જોઈએ કે ખોલવા જોઈએ, જ્યારે વધુ વાળ તૂટી જાય છે.
ઓછા વાળ તૂટવા
રાતે સુતી વખતે ઘણા લોકોને આદત હોય છે, પોતાના વાળને ખુલ્લા મુકીને સુઇ જવાની, તેનાથી વાળ શુષ્ક અને નિર્જીવ બને છે.પણ ઘણા લોકો જાણતા નથી કે, વાળ બાંધીને રાખવાથી તે ઓછા તૂટે છે. જ્યારે વાળ ખુલ્લા રાખવામાં આવે છે ત્યારે તેની શુષ્કતા વધી જાય છે. તમારી અનુકૂળતા મુજબ, તમારે તમારા વાળ બાંધીને સૂવા જોઈએ.
- Advertisement -
ફ્રીઝી હેર
ફ્રિઝી વાળથી બચવા માટે રાત્રે સૂતી વખતે વાળમાં સાટીનનો સ્કાર્ફ બાંધવો જોઈએ. આનાથી વાળ સુરક્ષિત રહે છે અને સવારે ફ્રિઝી થતા નથી. વાળ ખુલ્લા રાખવાથી તે વિખેરાયેલા રહે છે. વાળમાં ભેજ ઓછો થવાને કારણે આવું થાય છે અને વાળ ડ્રાય થઈ જાય છે.
વાળમાં શાઇનિંગ વધે છે
એવું કહેવાય છે કે, રાત્રે વાળમાં કાંસકો ન કરવો જોઈએ પરંતુ આ માત્ર એક દંતકથા છે. રાત્રે વાળ કોમ્બેડ કરીને સૂવાથી તેમાં ગુંચ થતી નથી.
જો વાળ ઓછા ગુંચવાશે તો તે ઓછા તૂટશે. કોમ્બિંગ કરવાથી વાળમાં લગાવેલું તેલ ઉપરથી નીચે સુધી પહોંચે છે. તેનાથી વાળને પોષણ પણ મળે છે. તેથી જ કોમ્બિંગ કરવાથી વાળ વધુ તૂટતા નથી. તેથી રાત્રે વાળમાં કોમ્બેડ કરવુ સારુ છે.
વાળ સિલ્કી રહેશે
રાત્રે સૂતી વખતે અઠવાડિયામાં બે કે ત્રણ વખત વાળમાં સારી રીતે માલિશ કરવી જોઇએ
આમ કરવાથી માથાની ચામડીમાં રક્ત પરિભ્રમણ વધે છે, જેના કારણે વાળને જરૂરી પોષક તત્વો મળી રહે છે. તેમજ વાળ શાઇનિંગ થાય છે.
વાળ ખોલ્યા પછી માથાની આંગળીઓ વડે મસાજ કરવાથી તણાવ ઓછો થાય છે. તેનાથી વાળ સિલ્કી રહે છે. એટલા માટે વાળ બાંધવા જોઈએ. વાળને બાંધતી વખતે એ વાતનું ધ્યાન રાખો કે, વાળને થોડા ઢીલા બાંધવા જોઇએ, વાળને વધારે ટાઈટ ન બાંધવા જોઇએ.