‘ઝીરો વેસ્ટ ટુ લેન્ડફિલ’ને હાંસલ કરવાનો લક્ષ્યાંક
ખાસ-ખબર સંવાદદાતા
વિશ્ર્વ પર્યાવરણ દિવસ પર અદાણી પોર્ટ્સ એન્ડ જઊણ લિમિટેડ (અઙજઊણ) જે ભારતની સૌથી મોટી ખાનગી મલ્ટી-પોર્ટ ઓપરેટર કંપની છે તેને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યકક્ષાના મંત્રી (વન અને પર્યાવરણ) જગદીશભાઈ વિશ્ર્વકર્મા (પંચાલ) દ્વારા તેની પ્લાસ્ટિક વેસ્ટ કલેકશનની પહેલ માટે સ્વીકૃતિ આપી સન્માનિત કરવામાં આવી હતી. આ સન્માન ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (જીપીસીબી)ના માર્ગદર્શન હેઠળ મુન્દ્રાની આસપાસના ગામોમાં જવાબદારીપૂર્વક પ્લાસ્ટિક કચરાના સંકલન અને તેના ટકાઉ નિકાલ મામલે દ્રષ્ટાંતરૂપ કામ કરવા માટે આપવામાં આવ્યું છે. વિશ્ર્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે સ્નેહલ જરીવાલા, હેડ-એન્વાયરમેન્ટ, અઙજઊણ અને મુન્દ્રાના નાનાકપાયા ગામના સરપંચ જખુભાઈ સોધમએ અઙજઊણ ટીમ વતી આ સન્માન સ્વીકાર્યું હતું.
- Advertisement -
‘ઝીરો વેસ્ટ ટુ લેન્ડફિલ’ના વિચારને આચરણમાં મૂકીને અઙજઊણ લાંબા સમયથી પર્યાવરણને પ્રદૂષણથી મુક્ત રાખવામાં પોતાનું યોગદાન આપી રહ્યું છે. કંપની દ્વારા આ પહેલની શરૂઆત વર્ષ 2014માં કરવામાં આવી હતી. ‘સ્વચ્છ ભારત અભિયાન’ના વડાપ્રધાનના વિઝનને ધ્યાનમાં રાખીને અઙજઊણએ ‘ઝીરો વેસ્ટ ટુ લેન્ડફિલ’ના પોતાના લક્ષ્યને મેળવવા માટે ‘ફાઈવ-આર’ એટલે કે રિડ્યુસ-રિપ્રોસેસ-રિયુઝ-રિસાયકલ-રિકવર પર આધાર રાખીને વેસ્ટ મેનેજમેન્ટને પોતાના લક્ષ્યને હાંસલ કરી રહ્યું છે. આ પહેલ હેઠળ કોઈ પણ નક્કર- પ્લાસ્ટિક વેસ્ટને લેન્ડફિલ કે સળગાવવા માટે મોકલવામાં આવતો નથી તેના બદલે તે કચરાનો પુન:ઉપયોગ કરી શકાય તે વાત પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે.
અઙજઊણ મુન્દ્રાએ અદાણી ફાઉન્ડેશન સાથે મળીને પ્લાસ્ટિક વેસ્ટ કલેકશન ડ્રાઈવ અને તેના ટકાઉ નિકાલ માટે નાનાકપાયા, વાંધ, નવીનાળ, બોરાણા, જરપારા જેવા મુન્દ્રાની આસપાસના કેટલાક ગામોથી શરૂઆત કરી હતી. તે બાદ જીપીસીબીના માર્ગદર્શન હેઠળ ગામની સફાઈ ટીમના સહયોગથી જુદા જુદા પાર્સલમાં પ્લાસ્ટિક કચરાને એકત્રિત કરવાનું શરૂ કર્યું હતું. આ ડ્રાઈવ દરમિયાન વર્ષ 2021માં, ઓકટોબર અને નવેમ્બર મહિનામાં કુલ 7,605 કિલો પ્લાસ્ટિક કચરો એકત્રિત કરવામાં આવ્યો હતો.
આ ઘનકચરાને જમીનમાં દાટવાને બદલે સિમેન્ટ પ્લાન્ટમાં કો-પ્રોસેસિંગ માટે મોકલી તેનો નિકાલ કરવામાં આવ્યો. અઙજઊણ દ્વારા મુન્દ્રા ખાતે મટિરિયલ રિકવરી ફેસિલિટી (એમઆરએફ) પણ ઈન્ટોલ કરવામાં આવી છે જેથી જોખમી કચરા અને રિફ્યુઝ ઈંધણ (નોન-રિસાયકલ પ્લાસ્ટિક કચરા)ને યોગ્ય રીતે અલગ કરી તેનો નિકાલ કરી શકાય.
કંપનીએ તેના વિઝનને અનુરૂપ વર્ષ 2016માં ગ્રીન વોરિયર્સની એક ટીમ બનાવી હતી અને સિંગલ યુઝ પ્લાસ્ટિક મટિરિયલ્સ જેમ કે પોલિથીન બેગ, ચાના કપ, પાણીના પાઉચના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો હતો.
આ ઉપરાંત કંપનીની અંદર, શાળાઓમાં અને મુન્દ્રાની આસપાસના ગામોમાં વિવિધ જગ્યાએ તેણે આ અંગે જાગૃતિ કાર્યક્રમો, ક્લિન-અપ પ્રવૃત્તિઓ અને પ્લાસ્ટિક ફ્રી સ્તરની ચકાસણી કરી અને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન થાય તે માટે અનેક પ્રયાસો કર્યા જે પ્રયાસોને જોતાં સરકાર દ્વારા પણ તેના આ કાર્યને વિશ્ર્વ પર્યાવરણ દિવસ પર બિરદાવવામાં આવ્યું છે.