By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    યુરોપમાં ગરમીનો કાળો કેર : 7 દિવસમાં 10560નાં મોત
    17 hours ago
    મિડલ ઇસ્ટમાં મહાયુધ્ધ : USએ ઈરાન પર 5 કલાક સુધી ધડાધડ મિસાઈલો છોડી
    18 hours ago
    UAEમાં લાગ્યો કેરળના ટેક્નિશિયનને 78 કરોડનો જૅકપોટ
    18 hours ago
    બેંગકોકના પબમાં આગ : 30 મિનિટમાં 27 લોકો જીવતા ભડથું થઇ ગયા
    2 days ago
    ઇરાન પર ફરી હુમલા કરવા ઇચ્છે છે ઇઝરાયલ : ટ્રમ્પની મંજૂરીની રાહ
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    હવે ગુજરાતમાં બાળકો માટે સોશિયલ મીડિયા પ્રતિબંધની તૈયારી
    16 hours ago
    હાફિઝ સઈદ વિરુદ્ધ જમ્મુ કોર્ટમાંથી બિન-જામીનપાત્ર વોરંટ જાહેર
    17 hours ago
    વૃધ્ધના ખાતામાં અચાનક આવી ગયા 759 કરોડ રૂપિયા
    17 hours ago
    ભારતીય રેલવેના AC કોચમાં ચોરી : આંકડો 104.51 કરોડ
    2 days ago
    7 દિવસમાં ગુજરાતમાં ફરી વેગ પકડશે ચોમાસું
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ઈટાલીના સ્ટાર ટેનિસ ખેલાડી જેનિક સિનરે શાનદાર પ્રદર્શન : વિમ્બલ્ડન પુરુષ સિંગલ્સનો ખિતાબ પાંચમી વાર પોતાનાં નામે કર્યો
    2 days ago
    રાજકોટની સબ-જૂનિયર ગર્લ્સ ફૂટબોલ ટીમ ફાઇનલમાં, સુરતને 3-0થી હરાવી કરી શાનદાર એન્ટ્રી
    5 days ago
    FIFA વર્લ્ડ કપ : ફ્રાન્સની મોરોક્કોને 2-0થી હરાવી સેમિફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી
    5 days ago
    ગુજરાતના એકમાત્ર ખેલાડી ભાવેશ તાવિયાએ ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ
    6 days ago
    ટ્રોફીથી માત્ર ત્રણ જીત દૂર! ક્વાર્ટર ફાઈનલમાં પહોંચેલી 8 ટીમમાંથી કોણ લખશે ઈતિહાસનું નવું પ્રકરણ?
    6 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    18 hours ago
    મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
    2 days ago
    ચોમાસામાં દર વર્ષે ડૂબતા વિસ્તારો હવે મનપાની રડાર પર : ગ્રીન-યલો-રેડ ઝોનથી થશે મોનિટરિંગ
    2 days ago
    સૌરાષ્ટ્રનો સૌથી મોટો મેળો મોંઘો પડશે ?
    5 days ago
    રાજકોટીયન્સ સાવધાન : ભારે વરસાદે શહેરના 87 રસ્તા બનશે જળબંબાકાર!
    6 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટમાં 23 એપ્રિલથી ‘ગૌધામ શિવ કથા મહોત્સવ’નો ભવ્ય પ્રારંભ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજકોટમાં 23 એપ્રિલથી ‘ગૌધામ શિવ કથા મહોત્સવ’નો ભવ્ય પ્રારંભ
રાજકોટ

રાજકોટમાં 23 એપ્રિલથી ‘ગૌધામ શિવ કથા મહોત્સવ’નો ભવ્ય પ્રારંભ

Khaskhabar Editor
Last updated: 2026/04/20 at 4:45 PM
Khaskhabar Editor 3 months ago
Share
8 Min Read
SHARE

સાંસ્કૃતિક રંગત, ગૌસેવા અને સંસ્કારનો અનોખો સમન્વય

મવડી વિસ્તારમાં 80 ફૂટ રોડ પરના અમૃત વાટિકા ગ્રાઉન્ડમાં રોજ બપોરે 3 થી 6 શ્રોતાઓને શિવકથાનું રસપાન ગિરિબાપુ કરાવશે : રોજ રાત્રે 8 વાગ્યે ‘દિવ્ય ભક્તિ સંધ્યા’નું ભવ્ય આયોજન

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

રાજકોટ શહેરમાં આધ્યાત્મિકતા અને સંસ્કૃતિનો અનોખો સંગમ જોવા મળશે, જ્યાં ‘ગૌધામ શિવ કથા મહોત્સવ’નો ભવ્ય પ્રારંભ 23 એપ્રિલથી થવા જઈ રહ્યો છે. 1 મે સુધી ચાલનારા આ મહોત્સવનું આયોજન મવડી વિસ્તારમાં 80 ફૂટ રોડ પર સર્વોદય સ્કૂલ નજીક આવેલા અમૃત વાટિકા ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું છે. આ મહોત્સવ દરમિયાન દરરોજ બપોરે 3 થી 6 વાગ્યા સુધી શિવ કથાનું આયોજન કરવામાં આવશે, જ્યારે રાત્રે 8 વાગ્યે ડાયરો, ઝાંખી અને રસગરબા જેવા સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા ભક્તોને આધ્યાત્મિક આનંદ સાથે મનોરંજન પણ મળશે. આયોજકોના જણાવ્યા મુજબ, આ માત્ર કથા પૂરતી સીમિત નથી, પરંતુ ભક્તિ, સેવા અને સંસ્કૃતિનો સમન્વય કરતું એક વિશેષ અનુભવ છે.
આ આયોજન ‘જય સરદાર ગૌશાળા’ દ્વારા કરવામાં આવ્યું છે, જે છેલ્લા કેટલાય વર્ષોથી ગૌસેવા ક્ષેત્રે મહત્વપૂર્ણ કાર્ય કરી રહી છે. 2001માં માત્ર 25 ગાયોથી શરૂ થયેલું આ સેવા કાર્ય આજે વિશાળ સ્વરૂપ ધારણ કરી ચૂક્યું છે, જ્યાં 2000થી વધુ જીવોની સંભાળ પ્રેમ, જવાબદારી અને સંકલ્પ સાથે લેવામાં આવે છે. ગૌશાળામાં ગૌમાતાની સંભાળ માટે પૌષ્ટિક આહાર, સ્વચ્છ અને અનુકૂળ વાતાવરણ તેમજ સતત આરોગ્ય ચકાસણી જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. અનુભવી ડોક્ટરોની ટીમ દ્વારા નિયમિત સારવાર અને કાળજી આપવામાં આવે છે, જેના કારણે ગૌમાતાના આરોગ્ય અને સુરક્ષાને પ્રાથમિકતા આપવામાં આવે છે.
આ ઉપરાંત, ગૌસેવાને લોકભાગીદારી સાથે જોડવા માટે લોકો પોતે ગૌમાતાને ખવડાવી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. જન્મદિવસ કે અન્ય ખાસ પ્રસંગોને ગૌસેવા સાથે જોડવાની પણ અનોખી તક આપવામાં આવે છે, જેનાથી સેવા સાથે સંસ્કારનું સંવર્ધન થાય છે. 1000થી વધુ કાર્યકર્તાઓ અને સભ્યોની મજબૂત ટીમ દ્વારા સંચાલિત આ ગૌશાળા પારદર્શક વ્યવસ્થા અને વિશ્વાસના આધારે કાર્ય કરે છે. દરેક પ્રવૃત્તિ સંકલ્પ, અનુશાસન અને જવાબદારી સાથે આગળ વધે છે, જે આ મહોત્સવને વધુ અર્થપૂર્ણ બનાવે છે. આ રીતે, રાજકોટમાં યોજાનાર ‘ગૌધામ શિવ કથા મહોત્સવ’ ભક્તિ, સેવા અને સંસ્કૃતિના ત્રિવેણી સંગમ તરીકે શહેરવાસીઓ માટે એક યાદગાર અને પ્રેરણાદાયી પ્રસંગ બની રહેશે.

કથા સાથે ભક્તિમય કાર્યક્રમો રજૂ કરાશે

- Advertisement -

રાજકોટમાં આયોજિત ગૌધામ શિવ કથા મહોત્સવ અંતર્ગત દરરોજ રાત્રે 8 વાગ્યે ‘દિવ્ય ભક્તિ સંધ્યા’નું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભક્તિ, સંગીત અને સંસ્કૃતિનો અનોખો સમન્વય જોવા મળશે. વિવિધ દિવસોમાં જાણીતા કલાકારો અને કલાકારમંડળીઓ દ્વારા ભક્તિમય કાર્યક્રમો રજૂ થશે, જે શહેરવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. 25 એપ્રિલ, શનિવારે લોકગાયિકા અલ્પા પટેલ પોતાના સુરીલા સ્વરોથી ભક્તિરસ વરસાવશે, જ્યારે હાસ્ય કલાકાર હિતેશ અંટાળા પ્રેક્ષકોને મનોરંજન સાથે હસાવશે. 26 એપ્રિલ, રવિવારે યોગિતા પટેલ, પ્રદીપ પાઘડી અને કૌશિક પટેલ દ્વારા સંગીતમય પ્રસ્તુતિઓ યોજાશે. 27 એપ્રિલ, સોમવારે લોકસાહિત્યકાર રાજભા ગઢવી અને લોકગાયિકા શ્રુતિ પટેલ ભક્તિ અને લોકસાહિત્યનો રંગ ચઢાવશે, જ્યારે હાર્દિક જે. સોરઠીયા કાર્યક્રમનું સંચાલન સંભાળશે. આ દિવસે ચંદ્રશેખર દ્વારા ભગવાન શિવની આરાધનામાં ધુન, ભજન અને શિવ તાંડવનું વિશેષ પ્રદર્શન પણ થશે. 28 એપ્રિલ, મંગળવારે જયપુરની ‘રામ દીવાના’ ટીમ દ્વારા ઈશ્વર કી ભક્તિમય ઝાંખી અંતર્ગત વિશેષ નૃત્ય પ્રસ્તુતિ યોજાશે. ત્યારબાદ 29 એપ્રિલ, બુધવારે રાસ-ગરબા દ્વારા ભક્તિ અને લોકનૃત્યનો આનંદ માણવા મળશે. આ સિવાય 23, 24 અને 30 એપ્રિલના રોજ પણ સંગીતમય ભક્તિ કાર્યક્રમો યોજાશે, જે ભક્તોને આધ્યાત્મિક અનુભવ સાથે જોડશે. ‘રાગમાં ભક્તિ, ભક્તિમાં શિવ અને શિવમાં પરમ પૂર્ણતા’ના સૂત્ર સાથે આયોજિત આ સંધ્યા ભક્તોને સ્વર દ્વારા શિવ સુધીની પવિત્ર યાત્રાનો જીવંત અનુભવ કરાવશે. આ સમગ્ર કાર્યક્રમનું સંકલન તેજસ શિશાંગીયા દ્વારા કરવામાં આવ્યું છે અને જીલ એન્ટરટેનમેન્ટ તથા આરડી ગ્રુપના સહયોગથી આ ભવ્ય આયોજન સાકાર થઈ રહ્યું છે.

ગૌધામ શિવ કથા મહોત્સવના પ્રસંગો

23-04-2026, ગુરુવાર સવારે 8:00 વાગ્યે : પોથીયાત્રા : પ્રગટેશ્ર્વર મહાદેવથી વિધિવત પ્રસ્થાન
23-04-2026 (ગુરુવાર) : કથા પ્રારંભ
24-04-2026 (શુક્રવાર) : શિવ કથા રસપાન
25-04-2026 (શનિવાર) : શિવ કથા રસપાન
26-04-2026 (રવિવાર) : શિવ કથા રસપાન
27-04-2026 (સોમવાર) : શિવ કથા રસપાન
28-04-2026 (મંગળવાર) : સતી પ્રાગટ્ય
29-04-2026 (બુધવાર) : શિવ-પાર્વતી વિવાહ
30-04-2026 (ગુરુવાર) : શિવ કથા રસપાન
01-05-2026 (શુક્રવાર) : સવારે 9:00 વાગ્યે કથા પૂર્ણાહુતિ

કથા માટે ટ્રસ્ટીઓ સ્વખર્ચ કરશે, ટ્રસ્ટના ફંડનો નહીં થાય ઉપયોગ : દાતાઓનું દાન માત્ર ગૌસેવા માટે જ 

આ કથાનો રોજ 45થી 50 હજાર ભાવિકો લાભ લેશે. કથા દરમિયાન રોજ પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ 50 હજાર લોકો પ્રસાદી લઇ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત રાજકોટ વોલન્ટરી લાઇફ બ્લડ બેંક અને બાલાજી ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટના સહયોગથી 25 અને 28 એપ્રિલ તેમજ 1 મેના રોજ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ છે. રાજકોટમાં યોજાનારા ગૌધામ શિવ કથા મહોત્સવને લઈ એક મહત્વપૂર્ણ અને વિશ્વાસજનક પાસું સામે આવ્યું છે. આયોજકો દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ સમગ્ર કથાનું આયોજન તમામ ટ્રસ્ટીઓ પોતાના સ્વખર્ચે કરશે, જેમાં ટ્રસ્ટના એકપણ રૂપિયાનો ઉપયોગ કરવામાં નહીં આવે. આ નિર્ણયથી પારદર્શિતા અને નિષ્ઠાને વધુ મજબૂતી મળી રહી છે, આયોજકોના જણાવ્યા મુજબ, આ પહેલનો મુખ્ય ઉદ્દેશ ગૌસેવા અને ધાર્મિક પ્રવૃત્તિઓને નિષ્કપટતા સાથે આગળ વધારવાનો છે. આ ઉપરાંત, ભક્તો અને દાતાઓ દ્વારા આપવામાં આવતું દાન પણ માત્ર ગૌસેવાના લાભાર્થે જ ઉપયોગમાં લેવામાં આવશે. ગૌમાતાની સેવા, સંભાળ અને આરોગ્ય માટે આ રકમ ખર્ચવામાં આવશે, જે ગૌશાળાના કાર્યને વધુ સશક્ત બનાવશે. આ પ્રકારની પારદર્શક કાર્યપદ્ધતિ ગૌસેવાના ક્ષેત્રે એક સકારાત્મક સંદેશ આપી રહી છે અને સમાજમાં વિશ્વાસ વધારવાનું કામ કરી રહી છે.

દોહન અને વ્યાપારથી દૂર રહી માત્ર ગૌસેવા પર ભાર : દૂધનો ઉપયોગ માત્ર વાછરડાં માટે જ

રાજકોટમાં ગૌસેવાના ક્ષેત્રે એક અનોખું અને સંવેદનશીલ ઉદાહરણ સામે આવ્યું છે, જ્યાં ગૌમાતાઓને માત્ર આશ્રય પૂરતો જ નહીં, પરંતુ પરિવારના લાડકવાયા સંતાન જેવી લાગણી સાથે સંભાળવામાં આવે છે. અહીં ગૌસેવાને વ્યાપારિક પ્રવૃત્તિથી સંપૂર્ણપણે અલગ રાખીને શુદ્ધ સેવા અને સંરક્ષણ પર કેન્દ્રિત કરવામાં આવી છે. આ ગૌશાળામાં ગૌમાતાઓનું દોહન કરવામાં આવતું નથી, તેમજ ગૌઉત્પાદનોના કોઈપણ પ્રકારના વેપારથી પણ દૂર રહેવામાં આવે છે. ગાયનું દૂધ માત્ર નાના વાછરડાઓ માટે જ ઉપયોગમાં લેવામાં આવે છે, જે ગૌપ્રેમ અને કરુણાના ઊંડા મૂલ્યોને પ્રતિબિંબિત કરે છે. આ અભિગમ દ્વારા ગૌસેવામાં નિષ્ઠા, સહઅસ્તિત્વ અને સંવેદનશીલતા જેવા ગુણોને પ્રોત્સાહન આપવામાં આવે છે. ગૌમાતાઓની સંભાળ સંપૂર્ણ આત્મીયતા સાથે કરવામાં આવે છે, જેમાં તેમના આરોગ્ય, સુરક્ષા અને આરામને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવે છે. આ પ્રકારની સેવા પદ્ધતિ ગૌસેવાને માત્ર ધાર્મિક કે પરંપરાગત પ્રવૃત્તિ તરીકે નહીં, પરંતુ માનવતા અને સંસ્કારના જીવંત ઉદાહરણ તરીકે રજૂ કરે છે. રાજકોટમાં ચાલી રહેલું આ કાર્ય સમાજ માટે પ્રેરણારૂપ બની રહ્યું છે, જ્યાં સેવા અને કરુણા સાથે ગૌમાતાઓનું સન્માન જાળવવામાં આવે છે.

You Might Also Like

રાજકોટ કેન્સર હોસ્પિટલ બહાર આડેધડ પાર્કિંગ, રોડ પર ખોદકામ, ટ્રાફિક જામ અને ગંદકીથી હજારો દર્દીઓ પરેશાન

આરોગ્ય વિભાગની 121 પેઢી-રેસ્ટોરન્ટમાં તપાસ, 180 કિલો પ્રિન્ટેડ પસ્તી જપ્ત, 55 કિલો અખાદ્ય જથ્થો નાશ

ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?

રાજ્યસભામાં વરણી બાદ રાજકોટમાં માનસિંહજી પરમારનું ભવ્ય સન્માન

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી : BA-MAના એક્સટર્નલના 3 હજાર વિદ્યાર્થી એક વર્ષથી પરિક્ષાની રાહમાં

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રોમાંચક મેચનો આનંદ માણવા પ્રેક્ષકો ઉમટ્યા
Next Article સુરેન્દ્રનગર જિલ્લામાં રાજ્યવ્યાપી વેંચાતા નકલી ઘી કૌભાંડનો પર્દાફાશ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

હવે ગુજરાતમાં બાળકો માટે સોશિયલ મીડિયા પ્રતિબંધની તૈયારી

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
હાફિઝ સઈદ વિરુદ્ધ જમ્મુ કોર્ટમાંથી બિન-જામીનપાત્ર વોરંટ જાહેર
યુરોપમાં ગરમીનો કાળો કેર : 7 દિવસમાં 10560નાં મોત
રાજકોટ કેન્સર હોસ્પિટલ બહાર આડેધડ પાર્કિંગ, રોડ પર ખોદકામ, ટ્રાફિક જામ અને ગંદકીથી હજારો દર્દીઓ પરેશાન
ધોરાજીના મોટી મારડ ગામે વાડીમાં દંપતિની ઘાતકી હત્યા
વૃધ્ધના ખાતામાં અચાનક આવી ગયા 759 કરોડ રૂપિયા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટ કેન્સર હોસ્પિટલ બહાર આડેધડ પાર્કિંગ, રોડ પર ખોદકામ, ટ્રાફિક જામ અને ગંદકીથી હજારો દર્દીઓ પરેશાન

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
રાજકોટ

આરોગ્ય વિભાગની 121 પેઢી-રેસ્ટોરન્ટમાં તપાસ, 180 કિલો પ્રિન્ટેડ પસ્તી જપ્ત, 55 કિલો અખાદ્ય જથ્થો નાશ

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
TALK OF THE TOWNરાજકોટ

ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?