ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ શહેરનાં જયશ્રી ટોકીઝ ફાટક પાસે આવેલ જલારામ સોસાયટી બ્લોક નં.30માં રહેતા અમૃતલાલ કાંનજીભાઇ કારીયાના ઘરમાં આજે વ્હેલી સવારે આગ લાગતા જૂનાગઢ મનપા ફાયર વિભાગ દોડી આવ્યુ હતુ. અને બે કલાકની જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી. મકાનમાં આગ લાગતા ઘરનું ફર્નીચર અને ચીજવસ્તુઓ બળીને ખાક થઇ ગઇ હતી. સદનશીબે આગની ઘટનામાં કોઇ જાનહાની થઇ ન હતી. ફાયર વિભાગે સતત પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં કરી હતી.
જૂનાગઢના જલારામ સોસાયટીમાં આગ
![](https://khaskhabarrajkot.com/wp-content/uploads/2023/01/1-30.jpg)