By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
    1 day ago
    કોલેસ્ટ્રોલથી પીડાતા દર્દીઓ માટે આશાસ્પદ અને ક્રાંતિકારી શોધ : Verve-102 જીન થેરાપી
    2 days ago
    ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં
    4 days ago
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    2 weeks ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પુણેમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ
    1 day ago
    પૂરમાં ગંભીર ઇજાગ્રસ્ત 53 વર્ષીય હાથિણ ‘જોયમોતી’ને એરલિફ્ટ કરી વનતારા લવાઈ
    1 day ago
    બ્રિટીશ એજન્સીનો રિપોર્ટ : અલ-નીનો 100 વર્ષનું સૌથી ભયંકર, 2027માં ગરમી ભૂક્કા બોલાવશે
    1 day ago
    ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ, અન્ય રાજ્યોમાંથી આયાત ચાલુ
    2 days ago
    શીખોની મુક્તિ માટે પંજાબ બંધ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    4 days ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 week ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અવસાન નોંધ, મરણ નોંધ, ઉઠમણું-બેસણું અને શ્રદ્ધાંજલિ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Bhavy Raval > અવસાન નોંધ, મરણ નોંધ, ઉઠમણું-બેસણું અને શ્રદ્ધાંજલિ
AuthorBhavy Raval

અવસાન નોંધ, મરણ નોંધ, ઉઠમણું-બેસણું અને શ્રદ્ધાંજલિ

Khaskhabar Editor
Last updated: 2022/02/01 at 1:51 PM
Khaskhabar Editor 5 years ago
Share
9 Min Read
SHARE

– ભવ્ય રાવલ

ગુજરાતી અખબારો-પત્રોમાં અવસાન નોંધ કે મરણ નોંધ ઘણા દસકોથી છપાતી આવે છે. ગુજરાતી અખબારો-પત્રોમાં પ્રકાશિત થતી મરનારની નોંધને મરણ નોંધ કહેવાય છે. અવસાન પામનાર વ્યક્તિની અખબારમાં છપાતી નોંધ એટલે અવસાન નોંધ. મોટેભાગે તે અખબારો-પત્રોના દૃતીય અથવા તૃતીય પાનાં પર પ્રકાશિત કરવામાં આવે છે. ગુજરાતી અખબારો-પત્રોમાં છપાતી અવસાન નોંધ, મરણ નોંધ, શ્રદ્ધાંજલિમાં મૃત્યુ પામનાર વ્યક્તિનું નામ, તારીખ, તિથી, ઉઠમણા, બેસણાની માહિતી અને પરિવારના સભ્યોની વિગત હોય છે. શ્રદ્ધાંજલિમાં ક્યારેક શોક સંદેશ કે શાયરી પણ હોય છે. અને હા, ન માત્ર માણસ પરંતુ ક્યારેક પરિવારના અભિન્ન અંગ બની ગયેલા પાલતું પ્રાણીઓની પણ શ્રદ્ધાંજલિ અખબારમાં જોવા મળતી હોય છે અને એના પણ ઉઠમણાં – બેસણા થતા હોય છે.

- Advertisement -

ગુજરાતી અખબારોમાં હિંદુ, મુસ્લિમ, પારસી, જૈન પરિવારો દ્વારા અપાતી અવસાન નોંધ, મરણ નોંધ અને શ્રદ્ધાંજલિ જોઈ શકાય છે. તેને શોક સંદેશ પણ કહી શકાય. ગુજરાતી અખબારોમાં મોટાભાગે હિંદુઓની અવસાન નોંધ અને શ્રદ્ધાંજલિ આવતી હોય છે. પારસીઓ અને મુસ્લિમોમાં અવસાન નોંધ અને શ્રદ્ધાંજલિ આપવાનું ચલણ ઓછું છે. જોકે હવે સમય બદલાયો છે ત્યારે જેઓ દરરોજ મુંદ્રાથી લઈ મુંબઈ સુધીના ગુજરાતી અખબારોમાં નજર નાખતા હશે તેઓને અવારનવાર મુસ્લિમ, પારસી, જૈન, વ્હોરાની અવસાન નોંધ અથવા શ્રદ્ધાંજલિ પણ જોવા મળતી હશે. અવસાન નોંધ આપનાર અને લખનાર બંનેએ એક વાત ધ્યાનમાં રાખવી જરૂરી છે. ઘણી અવસાન નોંધમાં રાખેલ છે, થયેલ છે જેવા શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. રાખેલ છે, થયેલ છે જેવા શબ્દો સાચા નથી. અવસાન નોંધમાં લખાવા જોઈએ એ સાચા શબ્દો છે – થયું છે, રાખ્યું છે. આમ છતાં ઘણી અવસાન નોંધમાં થયેલ છે, રાખેલ છે જેવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે.

ગુજરાતી અખબારો જન્મની નોંધ છાપી આપતા નથી, મરણની નોંધ છાપી આપે છે. એ મુજબ પણ મરણ નોંધનું મહત્વ છે. જો કોઈ વ્યક્તિનું કુદરતી અવસાન થાય તો તે વ્યક્તિના પરિવાર-કુટુંબ તરફથી અખબારમાં અવસાન નોંધ આપવામાં આવે છે જેમાં અવસાન પામેલી વ્યક્તિ વિશે આપેલી નોંધ અખબાર દ્વારા લઈ લેવામાં આવે છે અને જો કોઈ વ્યક્તિનું કુદરતી અવસાન થતું નથી તો અકસ્માતમાં મરનાર વ્યક્તિની નોંધ અખબારને વિવિધ સ્થાનો આપોઆપ આપી દેતા હોય છે, અથવા અખબારના ખબરપત્રીઓ એ ખુદ મેળવી લેતા હોય છે. આ રીતે પણ ઘણીવાર મરનારની નોંધ સમાચારસ્વરૂપે અખબારોમાં આવી જતી હોય છે. આ સાથે અન્ય એક ઉડીને આંખે વળગવા જેવી વાત છે, સામાન્ય માણસના મૃત્યુની નોંધ કરતા જાણીતા માણસના મૃત્યુની નોંધને અખબારમાં વધુ સ્થાન મળતું હોય છે. જેના અલગઅલગ ઘણા કારણો હોય શકે. આટલું જ નહીં પરંતુ..

ગુજરાતી પત્રકારત્વ સહિત સૌ કોઈએ અગાઉથી જ એ સ્વીકારી લીધું છે કે, મૃત્યુ પામનાર દરેક વ્યક્તિ સ્વર્ગમાં જ જાય છે. એ દેવલોક જ જાય છે, શ્રીજીચરણ જ હોય છે, કૈલાસવાસી જ થાય છે. અરિહંતશરણ જ પામે છે. અલ્લાહ પાકની રહમતમાં જ પહોંચે છે. ગમે તેવી સારી-ખરાબ વ્યક્તિ હોય મરનારની અવસાન નોંધ, શ્રદ્ધાંજલિમાં નામની આગળ સ્વ. જ લખાય છે. છપાય છે અને વંચાય છે. ગુજરાતી પત્રકારત્વ સહિતની દુનિયામાં મરનાર વ્યક્તિ નર્કમાં જતી નથી. જન્નત નશીન જ થાય છે. દોઝકમાં જતી નથી. અવસાન નોંધમાં સ્વ. સાથે તેના નામની આગળ ક્યારેક શ્રી/શ્રીમતી પણ વાચવા મળે અને ક્યારેક ગં.સ્વ. પણ. મરનારની નોંધમાં દરેક વ્યક્તિને આદર-સન્માન અપાઈ છે. ઊંચનીચના ભેદભાવ કે તેની કરમકુંડલી જોવામાં આવતી નથી. ગુજરાતી અખબારો અવસાન નોંધ નિ:શુલ્ક – મફત – વિનામૂલ્યે છાપી આપે છે પરંતુ ફોટોવાળી કે અન્ય શોક સંદેશ સાથેની વિસ્તૃત માહિતીવાળી શ્રદ્ધાંજલિના પૈસા વસૂલે છે. ક્યારેક એક આખા પાનાંની શ્રદ્ધાંજલિ અખબારમાં આવે છે. કોલમ – સેન્ટીમીટરના ભાવ મુજબ દરેક અખબારોમાં શ્રદ્ધાંજલિના ભાવ અલગ-અલગ હોય છે. મરનાર વ્યક્તિના બેસણા – ઉઠમણાની માહિતી આપતી અવસાન નોંધ – મરણ નોંધ કોઈપણ અખબાર એકવાર વિનામૂલ્યે પ્રસિદ્ધ કરી આપતું હોય છે પરંતુ ત્યારબાદ માસિક કે વાર્ષિક પુણ્યતિથિની શ્રદ્ધાંજલિ પ્રસિદ્ધ કરવાના કોલમ – સેન્ટીમીટર મુજબ ભાવ ચૂકવવા પડે છે.

- Advertisement -

કેટલાંક ગુજરાતી અખબારોના જાહેરખબર વિભાગ સંબંધિત માર્કેટિંગ વિભાગના માણસો સ્મશાનમાંથી મરનારના સગા-સંબંધીઓનો સંર્પક મેળવી સવિનય જાહેરખબર સ્વરૂપે શ્રદ્ધાંજલિ આપવા જણાવે છે.

ગુજરાતી અખબારોમાં ક્યારેક જગ્યાનો અભાવ હોય અને અવસાન નોંધ વધુ પ્રમાણમાં હોય તો કેટલાંક સમાચારો અને જાહેરાતો કાઢીને પણ અવસાન નોંધને સ્થાન આપવામાં આવે છે. ગુજરાતી પત્રકારત્વના ઈતિહાસમાં આજ સુધી એવી કોઈ ઘટના બન્યાનું જાણ નથી કે મૃતકના પરિવાર તરફથી આપવામાં આવેલી અવસાન નોંધ અખબાર દ્વારા છાપી દેવામાં આવી ન હોય. ફક્ત ગુજરાતી પત્રકારત્વ જ નહીં પરંતુ ગુજરાતમાં વસતા અને ગુજરાત સાથે સંબંધ ધરાવતા દરેક વ્યક્તિ અવસાન નોંધની અગત્યતા અને અનિવાર્યતા સ્વીકારે છે. ક્યારેક વિદેશમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું હોય અને અહીં ગુજરાતી અખબારમાં તેની અવસાન નોંધ પણ વાંચવે મળે. વળી, એ વાંચતાવાંચતા જ જાણ થાય કે આ તો આપણા સગા, સ્નેહી, સ્વજન છે અને આપણે એકાએક દુ:ખી થઈ જઈએ. નોંધનીય બાબત એ છે કે, દરેક વખતે ઓળખીતા, જાણીતા મૃતકની નોંધ વાંચી હૈયું એકાદ ધબકારો ચૂકી જાય એવું પણ હોતું નથી. ક્યારેક કોઈ મૃતકની નોંધ હાશકારો પણ આપી જતી હોય છે. ગુજરાતી અખબારોમાં દુ:ખદ અવસાન બહુ સામાન્ય શબ્દ છે. સ્વાભાવિક છે કે કોઈપણ વ્યક્તિનું અવસાન દુ:ખદ જ ગણાય આમ છતાં અમુક વ્યક્તિનું અવસાન એકલદોકલ વ્યક્તિ માટે આનંદદાયી પણ હોય શકે છે.

વધુ એક રસપ્રદ બાબત. ગુજરાતી પત્રકારત્વમાં દૈનિક અખબારોની સૌથી મોટી ખાસિયત અવસાન નોંધ છે. ગુજરાતી દૈનિકો અવસાન નોંધ વિના અધૂરા છે. આજે સમાચારો પ્રસિદ્ધ કરવાની બાબતમાં ડિજીટલ મીડિયા પ્રિન્ટ મીડિયાથી ઘણું આગળ છે પરંતુ અવસાન નોંધ પ્રસિદ્ધ કરવાની બાબતમાં પ્રિન્ટ મીડિયાનો હજુ પણ કોઈ વિકલ્પ નથી. અખબારમાં આવેલી અવસાનની નોંધ કે સમાચાર દસ્તાવેજીકરણ માટે ખૂબ જ ઉપયોગી પુરવાર થતા આવ્યા છે. શહેર કે ગામમાં વસતા સૌ કોઈને પરિવારની વ્યક્તિ અવસાન પામી છે તેની જાણકારી આપવા તથા ઉઠમણા – બેસણાની માહિતી પહોચાડવા પારિવારિક સભ્યો દ્વારા અખબારોમાં આપવામાં આવતી અને અખબારો દ્વારા પ્રસિદ્ધ થતી અવસાન નોંધ, મરણ નોંધ, શ્રદ્ધાંજલિ અતિ અગત્યની સાબિત થતી આવી છે. એવું ન કહેવાય કે, અખબારો વિનામૂમૂલ્યે અવસાન નોંધ છાપીને પોતાનો સમાજધર્મ – અખબારીધર્મ અદા કરે છે. ગુજરાતી દૈનિકો દરરોજ વિનામૂલ્યે અવસાન નોંધ પ્રસિદ્ધ કરી મરનારને શબ્દાંજલિ આપતા રહે છે એમ પણ કહી શકાય.
વધારો : ગુજરાતી, મુસ્લિમ અને પારસી અવસાન નોંધના નમૂના

દુ:ખદ અવસાન
મૂળ …. હાલ …. સ્વ.શ્રી. …. (ઉ.વ. ….) તેઓ …. ના પુત્ર, …. ના પતિ, …. અને …. ના પિતા તથા …. ના સસરા, …. ના નાના ભાઈ તથા …. ના જમાઈનું તા. …. ના રોજ દુ:ખદ અવસાન થયું છે. સદ્દગતનું બેસણું / ઉઠમણું / પ્રાર્થનાસભા / શોકસભા તા. …. ને ….. વારના રોજ સવારે / સાંજે ….થી …. વાગ્યા દરમિયાન …. ખાતે રાખવામાં આવ્યું / આવી છે.

ખીરાઝે અકીદત
સલામ બાદ આમ મુસ્લિમ બિરાદરોને જાણ કરવામાં આવે છે કે અમારા દાદા …. (ઉ. વ. ….) જે …. ના પિતા અને …. ના ભાઈ તથા …. મામા તેમજ …. ના સગા અંગ્રેજી તારીખ …. ને …. વારના રોજ અલ્લાહ પાકની રહમતમાં પહોંચી ગયા છે. મરહુમની મગફેરત માટે તેમની જ્યારત અંગ્રેજી તારીખ …. ને …. વારના રોજ …. મુકામે રાખવામાં આવી છે.

પારસી મરણ નોંધ
…. તે …. ના ખાવિંદ. તે …. ના દીકરા, તે …. ના ભાઈ, તે …. અને …. ના બાવાજી, તે …. ના અંકલ, તે મરહુમ …. તેમજ …. ના બ્રધર-ઈન-લોનું (ઉ.વ. ….) રે. ઠે. …. ઉઠામણાની ક્રિયા તા. : …. ના રોજે બપોરે …. કલાકે …. માં થશેજી.

ગુજરાતી અખબારોમાં ક્યારેક જગ્યાનો અભાવ હોય અને અવસાન નોંધ વધુ પ્રમાણમાં હોય તો કેટલાંક સમાચારો અને જાહેરાતો કાઢીને પણ અવસાન નોંધને સ્થાન આપવામાં આવે છે, ગુજરાતી પત્રકારત્વના ઈતિહાસમાં આજ સુધી એવી કોઈ ઘટના બન્યાનું જાણ નથી કે મૃતકના પરિવાર તરફથી આપવામાં આવેલી અવસાન નોંધ અખબાર દ્વારા છાપી દેવામાં આવી ન હોય, ફક્ત ગુજરાતી પત્રકારત્વ જ નહીં પરંતુ ગુજરાતમાં વસતા અને ગુજરાત સાથે સંબંધ ધરાવતા દરેક વ્યક્તિ અવસાન નોંધની અગત્યતા અને અનિવાર્યતા સ્વીકારે છે.

You Might Also Like

ચૂંટણી જીતવા માટે સભાઓ કરતાં સંગઠન વધુ મહત્વનું

ઉસ્તાદ ઝાકિર હુસેનઃ તબલાંને અભિવ્યક્તિનું વૈશ્વિક માધ્યમ બનાવનાર અનમોલ સિતારો

કફ અને સૂફી ખાંસી માટે રામબાણ ઈલાજ છે : સિતોપલાદી ચૂર્ણ

કલાકારની પ્રામાણિકતા

પરા પશ્યતિ મધ્યમા ને વૈખરી..

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી હિંદુ ધર્મના સૌથી રહસ્યમય અંકનું મૂલ્યાંકન!
Next Article ‘કહો ઔર કાન પકડ લો’ વાલી નઝમેં

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

ચૂંટણી જીતવા માટે સભાઓ કરતાં સંગઠન વધુ મહત્વનું

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
પુણેમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ
જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ધર્માધ્યક્ષ તરીકે ભક્તિ પ્રકાશદાસ મહારાજની વરણી
પૂરમાં ગંભીર ઇજાગ્રસ્ત 53 વર્ષીય હાથિણ ‘જોયમોતી’ને એરલિફ્ટ કરી વનતારા લવાઈ
150થી વધુ ભૂલવાળા સંસ્કૃત પુસ્તકો મુદ્દે સરકાર ઘેરાઈ : 20 દિવસમાં પુસ્તકો પાછા ખેંચવાની ચીમકી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

ચૂંટણી જીતવા માટે સભાઓ કરતાં સંગઠન વધુ મહત્વનું

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
Author

ઉસ્તાદ ઝાકિર હુસેનઃ તબલાંને અભિવ્યક્તિનું વૈશ્વિક માધ્યમ બનાવનાર અનમોલ સિતારો

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
Authorમનીષ આચાર્ય

કફ અને સૂફી ખાંસી માટે રામબાણ ઈલાજ છે : સિતોપલાદી ચૂર્ણ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?