રીના બ્રહ્મભટ્ટ
બૂથ લેવલ નેટવર્ક, પોલિટિકલ ફીડબેક અને કેડર ટ્રેનિંગ પક્ષની સતત સફળતાનો મુખ્ય આધાર
કોઈપણ પાર્ટી માટે સત્તામાં આવવું કે ટકીને રહેવું તેમાં પણ સતત 3-3 ટર્મ સુધી તે જરાપણ આસાન બાબત નથી હોતી.રાજનીતિ તે શતરંજનો જંગ છે,
કઈ ચાલ ક્યારે ચાલવી, ક્યુ મહોરું ક્યાં અને ક્યારે બેસાડવું તે ન આવડે તો તમે રાજનીતિમાં ચાલો જ નહીં.મોદીજી મતલબ કે ભારતીય જનતા પાર્ટી સતત 3-3 ટર્મથી દેશમાં સત્તાના સૂત્રો સફળતાપૂર્વક સંભાળી રહી છે તે જરાપણ આસાન નથી.1.5 અબજ નજીકની પબ્લિકમાંથી માની લો કે 50 % જેટલા લોકો પણ મતદારો છે કે મતદાન કરે છે તો પણ આ કોઈ આસાન રાહ નથી.કેમ કે, તમે એક જ ટર્મ કોન્સ્ટન્ટ 5 વર્ષ સત્તા સંભાળો એટલે ગમે તેટલા કામો કરો તો પણ પબ્લિકનો અસંતોષ ક્યાંકને ક્યાંક તમારી સાથે કે તમારા કામ સામે કે કોઈ મુદ્દા આધારિત રહે જ એટલે એન્ટી ઈન્કમ્બન્સી ફેક્ટર તમને બીજી ટર્મમાં ક્યાંક તો નડે જ.પરંતુ બીજેપીની આ જ કુનેહ કે ક્યાંક મોદીજીની લોકપ્રિયતા સતત 3 ટર્મથી આ કરી બતાવતી આવી છે.વળી આમ તેઓ તમામ પીએમના રેકર્ડ તોડી સૌથી વધુ દિવસ સત્તામાં રહેનાર પીએમ તરીકે નો આંક પણ તેઓ જવાહરલાલ નહેરુ બાદ મેળવી ચુક્યા છે.ત્યારે આ સમગ્ર બાબતોમાં કેટલાય ફેક્ટર એકસાથે મળીને તેમને સફળતાનાં દાવેદાર બનાવે છે. આ વિષે અહીં હાલના જ એક મુદ્દા પર ખાસ વાત કરીયે તો,
- Advertisement -
17 ઓગસ્ટ 2026ના રોજ બીજેપી ના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન એ નવી રાષ્ટ્રીય ટીમ જાહેર કરી. કુલ 65 રાષ્ટ્રીય પદાધિકારીઓમાં 51 નવા ચહેરા છે. ટીમમાં 10 મહિલાઓ અને 6 માઇનોરિટી કોમ્યુનિટી લીડર્સ નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. સાથે સ્મૃતિ ઈરાની, રામ મહાદેવ જેવા અનુભવી નેતાઓને મહત્વની જવાબદારી આપવામાં આવી છે. એટલે આ ફેરફારને માત્ર “કોણ આવ્યું અને કોણ ગયું” તરીકે જોવો અધૂરો અભિગમ રહેશે.
વેલ ત્યારે આ 51 નવા ચહેરા, ગુજરાતના 4 નેતાઓને રાષ્ટ્રીય જવાબદારી અને અમિત માલવિયા ની જગ્યાએ નવી ડિજિટલ ટીમ આ માત્ર પદોની ફેરબદલી છે કે બીજેપી ના સંગઠનને નવી દિશા આપવાનો પ્રયાસ? ત્યારે અહીં આ વિષે ખાસ થોડી ચર્ચા કરીયે તો,
બીજેપી માં સંગઠન એટલે શું? કેમ આટલું મહત્વ આપવામાં આવે છે ? આ આખી બાબત અહીં સમજીયે તો,
-સરકાર અને રાજકીય સંગઠન બે અલગ ભૂમિકાઓ ભજવે છે.
-સરકાર નીતિ બનાવે છે, યોજનાઓ અમલમાં મૂકે છે અને વહીવટ ચલાવે છે.
-જ્યારે પક્ષનું સંગઠન કાર્યકરોનું નેટવર્ક, ચૂંટણીનું આયોજન, જનસંપર્ક, પ્રચાર, તાલીમ, રાજકીય ફીડબેક k અને વિવિધ સ્તરના પક્ષીય સંકલનનું કામ કરે છે.
બીજેપી ના પોતાના ટ્રેનિંગ ડોક્યુમેન્ટ્સમાં માં મંડળ અને ડીસ્ટ્રીકટ સ્તરે ટ્રેનિંગ , કાર્યકરોને તૈયાર કરવા અને સરકારની કામગીરી અંગે કાર્યકરોને માહિતી આપી તેને લોકો સુધી પહોંચાડવાની ભૂમિકા સ્પષ્ટ કરવામાં આવી છે. બીજેપી ના સંગઠન સંબંધિત દસ્તાવેજોમાં નેશનલ થી સ્ટેટ , ડીસ્ટ્રીકટ મંડળ અને લોકલ કમિટી સુધીની રચના પણ દર્શાવવામાં આવી છે.
- Advertisement -
એટલે ચૂંટણીના સમયે માત્ર મોટા નેતાની સભા પૂરતી નથી. લોકોને આ સભાઓ સુધી કોણ પહોંચાડશે ?બુથ પર કોણ કાર્ય કરશે ? મતદારો સુધી કોણ પહોંચશે ?અને સ્થાનિક ફીડબેક ઉપર સુધી કોણ પહોંચાડશે જેવી બાબતો ને લઈને અહીં સંગઠનની ભૂમિકા શરૂ થાય છે.
રાષ્ટ્રીય ટીમથી બુથ સુધી કેવી રીતે કામ ચાલે છે?
વધુમાં સરળ ભાષામાં બીજેપી ની સંગઠનાત્મક રચનાને આ રીતે સમજી શકાય:
રાષ્ટ્રીય સ્તર → રાજ્ય → જિલ્લા → મંડળ → સ્થાનિક/બૂથ સ્તર
રાષ્ટ્રીય સ્તરે લેવાયેલા રાજકીય અને સંગઠનાત્મક નિર્ણયો નીચેના સ્તરો સુધી પહોંચાડવાનું અને ત્યાંથી મળતી માહિતી ઉપર સુધી પહોંચાડવાનું આખું નેટવર્ક ચૂંટણીમાં મહત્વનું બને છે. બીજેપી ના પોતાના દસ્તાવેજોમાં પણ સંગઠનના વિવિધ સ્તરો અને ટ્રેનિંગ સ્ટ્રક્ચર નો ઉલ્લેખ છે.
સંગઠનના મુખ્ય કામ શું?
1. ચૂંટણીનું ગ્રાઉન્ડ નેટવર્ક :
પ્રદેશથી લઈને જિલ્લા, મંડળ અને સ્થાનિક સ્તર સુધી કાર્યકરોને ચૂંટણીની કામગીરી સાથે જોડવા.
2. પોલિટિકલ ફીડબેક
સ્થાનિક મુદ્દા, લોકોનો પ્રતિસાદ અને રાજકીય પરિસ્થિતિ અંગેનું ફીડબેક ઉપરના નેતૃત્વ સુધી પહોંચાડવું.
3. પોલિટિકલ મેસેજિંગ
પક્ષ કયા મુદ્દા પર ભાર મૂકે અને કાર્યકરો તે મુદ્દાઓને લોકો સુધી કેવી રીતે પહોંચાડે તેની કામગીરી.
4. કેડર ટ્રેનિંગ
કાર્યકરોને સંગઠન, વિચારધારા, સમકાલીન મુદ્દાઓ અને સરકારની કામગીરી અંગે તાલીમ આપવી. બીજેપી ના ટ્રેનિંગ ડોક્યુમેન્ટ્સ માં આ બાબતને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે.
5. યુથ અને સ્ત્રીઓલક્ષી જનસંપર્ક
યુવા મોરચા, મહિલા મોરચા સહિતના સંગઠનો દ્વારા અલગ-અલગ સામાજિક વર્ગ સુધી પહોંચ વધારવી.બીજેપી ના દસ્તાવેજોમાં મોરચાઓ ને સંગઠનના માળખાનો ભાગ તરીકે દર્શાવવામાં આવ્યા છે.
6. ચૂંટણી દરમ્યાન મતદારો અને કાર્યકરોને સક્રિય કરવાની કામગીરી :
સભાઓ, પ્રવાસ, સભ્યપદ , જનસંપર્ક અને ચૂંટણીના ગ્રાઉન્ડ લેવલ l આયોજનમાં કાર્યકરોને સક્રિય કરવા.
ત્યારે આ તમામ કામગીરીમાં ગુજરાત કે જે મોદીજીનું ગૃહરાજ્ય પણ છે ત્યારે 4 ગુજરાતીઓને પણ તેમાં સમાવવામાં આવ્યા છે.
ગુજરાતના 4 નેતાઓને રાષ્ટ્રીય જવાબદારી:
આ નવી ટીમમાં ગુજરાતને પણ મહત્વનું પ્રતિનિધિત્વ મળ્યું છે.
વર્ષાબેન દોશી — રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ
જગદીશ પટેલ — રાષ્ટ્રીય સચિવ
રોહન ગુપ્તા — રાષ્ટ્રીય સચિવ
હેમાંગ જોશી — ભારતીય જનતા યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ
હેમાંગ જોશીની જવાબદારી કેમ મહત્વની?
વડોદરાના સાંસદ હેમાંગ જોશીને તેજસ્વી સૂર્ય ના સ્થાને બીજેપીના યુવા મોરચા ના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. એટલે ગુજરાતના એક નેતાને દેશભરના બીજેપી ના યુવા સંગઠનનું નેતૃત્વ સોંપાયું છે.વિશેષમાં ,દેશમાં જંતર -મંતર ખાતેના પ્રદર્શન બાદ Gen G કે યુવા મતદારોનું મહત્વ વધતું જાય છે ત્યારે આ જવાબદારી માત્ર સંગઠનાત્મક પદ નથી; તે યુવાનો સુધી પક્ષનો સંપર્ક અને સંગઠનનું વિસ્તરણ કરવાની દિશામાં પણ મહત્વપૂર્ણ બની શકે છે.
રોહન ગુપ્તાની પસંદગી પણ ચર્ચાસ્પદ ?
રોહન ગુપ્તાને રાષ્ટ્રીય સચિવ બનાવવામાં આવ્યા છે. તેમની રાજકીય પૃષ્ઠભૂમિને જોતા તેમની નિમણૂક પર “જૂના કાર્યકરો અને આયાતી નેતાઓ” અંગે રાજકીય ચર્ચા થઈ છે.
પરંતુ અહીં એક વાત સ્પષ્ટ જરૂરી છે કે,
બીજેપી એ તેમની નિમણૂકનું સત્તાવાર કારણ “જૂના કાર્યકરોની અવગણના” તરીકે જાહેર કર્યું નથી.તેથી આ મુદ્દાને નિશ્ચિત તથ્ય તરીકે નહીં પરંતુ રાજકીયઅર્થઘટન તરીકે જ જોવો જોઈએ.
આ સાથે જ અમિત માલવિયા ની જગ્યાએ દિપક મહાસ્કે કેમ ચર્ચામાં?
નવી ટીમમાં સૌથી વધુ ચર્ચાયેલા ફેરફારોમાંથી એક છે બીજેપી આઇટી /સોશિઅલ મીડિયા ઓપરેશન સાથે લાંબા સમયથી જોડાયેલા અમિત માલવિયા નું નવી રાષ્ટ્રીય યાદીમાં સ્થાન ન હોવું.પીટીઆઈ Iના અહેવાલ મુજબ માલવિયા 2015થી બીજેપીના ના આઇટી અને સોશિઅલ મીડિયા વિભાગના વડા હતા અને હવે છત્તીસગઢ ના દિપક મહાસકે તેમની જગ્યાએ જવાબદારી આપવામાં આવી છે.તે સિવાય પણ નવી વ્યવસ્થામાં પ્રીતિ ગાંધી , શિવાનંદ દ્વિવેદી , આલોક ભટ્ટ અને અરુણ યાદવ ને સોશયલ મીડિયા કો-કન્વીનર તરીકે જવાબદારી આપવામાં આવી છે.આથી એટલું ચોક્કસ કહી શકાય કે ડિજિટલ કોમ્યુનિકેશન્સ ની જવાબદારીમાં મોટો સંગઠનાત્મક ફેરફાર થયો છે.
પરંતુ અહીં પણ નોંધવી જરૂરી છે કે, માલવિયા ને “કોઈ ચોક્કસ નિષ્ફળતાને કારણે હટાવવામાં આવ્યા” અથવા “કોઈ ચોક્કસ કારણસર બહાર કરવામાં આવ્યા” એવું કોઈ સત્તાવાર કારણ જાણવા મળતું નથી.ત્યારે અટકળો થઈ શકે, પરંતુ અટકળને તથ્ય ન મળે ત્યાં સુધી રજૂ કરવું યોગ્ય નથી.
તો શું આ 2029ની તૈયારી છે?
અહીં સૌથી રસપ્રદ રાજકીય પ્રશ્ન ઊભો થાય છે.નવી ટીમમાં 51 નવા ચહેરા આવ્યા છે, જેમાં સ્મૃતિ ઈરાની, રામ મહાદેવ, વસુંધરા રાજે જેવા અનુભવી નેતાઓને પણ મહત્વની જવાબદારી આપવામાં આવી છે.અટલે આ ફેરફારને માત્ર “જૂનાઓની વિદાય” તરીકે જોવો યોગ્ય નથી.
તેમાં ત્રણ બાબતો એકસાથે જોવા મળે છે:
નવું નેતૃત્વ + જૂનો અનુભવ + સામાજિક/પ્રાદેશિક પ્રતિનિધિત્વ
આ સંયોજન આગામી ચૂંટણી માટે સંગઠનને વધુ સક્રિય બનાવવાનો પ્રયાસ હોઈ શકે છે. કેટલાક અહેવાલોએ આ ફેરફારને આગામી વિધાનસભા ચૂંટણી અને લાંબા ગાળાની ચૂંટણી તૈયારી સાથે પણ જોડ્યો છે. પરંતુ “આ આખી ટીમ માત્ર 2029 માટે જ બનાવાઈ છે” એવું સત્તાવાર અહીં કહેવાનો આશય નથી. તેથી તેને અહીં એક રાજકીય વિશ્લેષણ તરીકે જ રજૂ કરવું યોગ્ય છે.
આખરે સવાલ શું છે?
બીજેપી ની નવી રાષ્ટ્રીય ટીમને જોતા સૌથી મોટો સવાલ એ નથી કે કયા નેતાને કયું પદ મળ્યું?
સવાલ અહીં તે ઉઠે છે કે ,શું બીજેપી હવે પોતાના સંગઠનને નવી પેઢી, નવી ડિજિટલ વ્યૂહરચના અને વધુ વ્યાપક સામાજિક પ્રતિનિધિત્વ સાથે ફરી ગોઠવી રહી છે?
51 નવા ચહેરા એ મોટા સંગઠનાત્મક પરિવર્તનનો સંકેત છે.
ગુજરાતના ચાર નેતાઓને રાષ્ટ્રીય જવાબદારી મળવી ગુજરાત માટે મહત્વપૂર્ણ છે.
અમિત માલવિયા ની જગ્યાએ નવી ડિજિટલ લીડરશીપ ગોઠવવવી પણ ધ્યાન ખેંચે છે.
તેમજ સ્મૃતિ ઈરાની તથા રામ મહાદેવ જેવા અનુભવી ચહેરાઓની વાપસી બતાવે છે કે આ ફેરફારમાં માત્ર “નવું” જ નથી અનુભવને પણ માઈલેજ આપવામાં આવ્યું છે.અંતે રાજકારણમાં સંગઠનની સાચી તાકાત પદોની યાદીમાં નહીં, પરંતુ રાષ્ટ્રીય નેતૃત્વથી લઈને સૌથી નીચેના કાર્યકર અને મતદાર સુધીનું નેટવર્ક કેટલું અસરકારક રીતે કામ કરે છે તેમાં હોય છે.એટલે બીજેપી ની આ નવી ટીમને માત્ર “કોને પદ મળ્યું અને કોને કાઢ્યા?” એટલા સવાલથી જોવી કદાચ સૌથી મોટી ભૂલ હશે.કારણ કે ચૂંટણી જીતવા માટે નેતા મંચ પર હોય છે, પરંતુ ચૂંટણી લડાવતું સંગઠન ઘણીવાર મંચની પાછળ કે પડદા પાછળ કામ કરતું હોય છે.



