By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
    37 minutes ago
    કોલેસ્ટ્રોલથી પીડાતા દર્દીઓ માટે આશાસ્પદ અને ક્રાંતિકારી શોધ : Verve-102 જીન થેરાપી
    1 day ago
    ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં
    3 days ago
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    2 weeks ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પુણેમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ
    41 minutes ago
    પૂરમાં ગંભીર ઇજાગ્રસ્ત 53 વર્ષીય હાથિણ ‘જોયમોતી’ને એરલિફ્ટ કરી વનતારા લવાઈ
    48 minutes ago
    બ્રિટીશ એજન્સીનો રિપોર્ટ : અલ-નીનો 100 વર્ષનું સૌથી ભયંકર, 2027માં ગરમી ભૂક્કા બોલાવશે
    1 hour ago
    ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ, અન્ય રાજ્યોમાંથી આયાત ચાલુ
    1 day ago
    શીખોની મુક્તિ માટે પંજાબ બંધ
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    3 days ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 week ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ઉસ્તાદ ઝાકિર હુસેનઃ તબલાંને અભિવ્યક્તિનું વૈશ્વિક માધ્યમ બનાવનાર અનમોલ સિતારો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > ઉસ્તાદ ઝાકિર હુસેનઃ તબલાંને અભિવ્યક્તિનું વૈશ્વિક માધ્યમ બનાવનાર અનમોલ સિતારો
Author

ઉસ્તાદ ઝાકિર હુસેનઃ તબલાંને અભિવ્યક્તિનું વૈશ્વિક માધ્યમ બનાવનાર અનમોલ સિતારો

Khaskhabar Editor
Last updated: 2026/08/22 at 3:03 PM
Khaskhabar Editor 54 minutes ago
Share
5 Min Read
SHARE

નસરીન મુન્ની કબીર લિખિત ‘Zakir Hussain: A Life in Music’ પુસ્તકમાં શાસ્ત્રીય સંગીતના સુવર્ણ યુગની ગાથા

પરેશ રાજગોર

- Advertisement -

ગુજરાતના ડાયરા કલાકારો બે દશકો જૂના જોક્સ કહી લોકોને હસાવવા પ્રયત્ન કરતાં હોય છે અને આવા જૂના ચવાયેલા જોક્સ ઉપર લોકો પેટ પકડીને હસતા જોવા મળે છે. કારણકે તેમનો શ્રોતા વર્ગ પણ ચાની લારી
ચલાવનારો, પ્લમ્બર કે શેરડીનો રસ વેચવાવાળો હોય છે. આવા ડાયરા કલાકારો બેસૂરા રાગડા ખેંચતા ખેંચતા કેટલીક વિવાદાસ્પદ ટીપ્પણીઓ પણ કરતા હોય છે. જેથી તેમને રોજના છાપાઓમાં મફતની પ્રસિદ્ધિ મળી જાય.
સોશીયલ મિડિયામાં તેમના નામ ઉછળે અને એવા જ શ્રોતાઓનો એમના ચાહકોમાં વધારો થતો જાય.
આજે મારે એવા સેલીબ્રીટીની વાત કરવી છે. જેના દેશવિદેશમાં થતા સંગીતના કોન્સર્ટ જોવા બીજા સેલીબ્રીટી લાઈન લગાવતા. ભારતીય શાસ્ત્રીય સંગીતની દુનિયામાં જ્યારે તબલાંનું નામ લેવામાં આવે છે, ત્યારે સૌપ્રથમ જે
ચહેરો યાદ આવે છે તે છે ઉસ્તાદ ઝાકિર હુસેન. તેમણે માત્ર તબલાંને એક વાદ્ય તરીકે જ નહીં, પરંતુ અભિવ્યક્તિના વૈશ્વિક માધ્યમ તરીકે સ્થાપિત કર્યું. તેમની આંગળીઓમાંથી જન્મતો દરેક તાલ, દરેક લય અને દરેક પ્રસ્તુતિ
સંગીતપ્રેમીઓ માટે એક અનોખો અનુભવ બની રહેતી. તેઓ એવા કલાકાર છે જેમણે ભારતીય શાસ્ત્રીય સંગીતને વિશ્વના દરેક ખૂણે પહોંચાડવામાં અસાધારણ યોગદાન આપ્યું છે. તેમની વાહ તાજ વાળી ચાની જાહેરાત આજે
ત્રણ દશકો પછી પણ લોકો યાદ કરે છે.

હમણાં નસરીન મુન્ની કબીરનું લખેલું અંગ્રેજી પુસ્તક Zakir Hussain: A Life in Music મારા જોવામાં આવ્યું. આ પુસ્તક તેમની જીવનકથા સ્વરૂપે નથી લખાયું. નસરીન મુન્ની કબીરે ૨૦૧૬-૧૭નાં બે વર્ષના ગાળામાં ઝાકિર હુસેન
સાથે મુંબઈ, લંડન, એન્ટવર્પ જેવાં સ્થળોએ પંદરથી વધુ મુલાકાતો કરી ૩૦-૪૦ કલાક જેટલું રેકોર્ડીંગ કર્યું હતું. આખું પુસ્તક આ વાર્તાલાપને આધારે જ લખાયું છે. આખું પુસ્તક પ્રશ્નોતરી સ્વરૂપે જ છે. નસરીન મુન્ની કબીર
પ્રસ્તાવનામાં સ્વીકારે છે કે કેટલાય પ્રખ્યાત ફિલ્મી કલાકારોના ઇંટરવ્યુ કર્યા હોવા છતાં તેનો ઝાકીર હુસેન સાથે મુલાકાત કરતાં પહેલા ખૂબ જ નર્વસ હતાં. તેમને શાસ્ત્રીય સંગીત અંગે ઊંડુ જ્ઞાન ન હોવા છતાં તેમણે આ
મુલાકાતો પૂર્વે ઘણી તૈયારી કરી હતી.
ઝાકિર હુસેનનો જન્મ એવા પરિવારમાં થયો જ્યાં સંગીત જીવનનો અભિન્ન ભાગ હતું. તેમના પિતા ઉસ્તાદ અલ્લા રખા ભારતીય શાસ્ત્રીય સંગીતના અગ્રણી તબલાવાદકોમાંના એક હતા. ઘરમાં સવારથી સાંજ સુધી રિયાઝ, તાલ
અને સંગીતની ચર્ચા થતી. આવા વાતાવરણમાં ઉછરેલા બાળક માટે સંગીત શીખવું કોઈ અલગ પ્રવૃત્તિ નહોતી. તે તો જીવનનો સ્વાભાવિક હિસ્સો હતું. બાળપણમાં જ ઝાકિર હુસેનમાં અદભૂત સંગીતપ્રતિભાના સંકેતો દેખાવા
લાગ્યા. પરંતુ માત્ર પ્રતિભા પૂરતી નહોતી. તેમના પિતાએ તેમને કઠોર શિસ્ત, નિયમિત અભ્યાસ અને પૂર્ણ સમર્પણનું મહત્વ સમજાવ્યું. કલાકાર બનવાનો માર્ગ પ્રતિભા કરતાં વધુ મહેનતથી બને છે. આ પાઠ તેમને ખૂબ નાની
ઉંમરે મળી ગયો હતો.

ભારતીય શાસ્ત્રીય સંગીતની સૌથી મોટી વિશેષતા ગુરુ-શિષ્ય પરંપરા છે. ઝાકિર હુસેનનું ઘડતર પણ આ જ પરંપરામાં થયું. અહીં માત્ર તાલ અને બોલ શીખવાતા નથી. સાથે સાથે જીવનમૂલ્યો પણ શીખવવામાં આવે છે. ગુરુનો
આદર, નમ્રતા, ધીરજ અને સતત અભ્યાસ, આ બધા ગુણો ઝાકિર હુસેનના વ્યક્તિત્વમાં સ્પષ્ટ જોવા મળતા. તેઓ અનેક પ્રસંગોએ પોતાના પિતાને પોતાના પ્રથમ અને શ્રેષ્ઠ ગુરુ તરીકે હંમેશા યાદ કરતા.
તેમની દરેક સિદ્ધિ પાછળ ગુરુના આશીર્વાદ અને માર્ગદર્શનનો મહત્વપૂર્ણ હિસ્સો રહ્યો. ઝાકિર હુસેન માટે તબલાં માત્ર સંગીતનું સાધન નથી. તેમના માટે તે લાગણીઓ વ્યક્ત કરવાની ભાષા હતી. તેઓ જણાવતા કે તાલ પણ
શબ્દોની જેમ વાત કરી શકે છે. એક સારો તબલાવાદક માત્ર ગતિથી નહીં, પરંતુ સંવેદનાથી પણ વગાડે છે. તેમની પ્રસ્તુતિ સાંભળનારને માત્ર શાસ્ત્રીય સંગીતની સચોટતા જ નહીં, પરંતુ આનંદ, ઉત્સાહ, શાંતિ અને ઊર્જાનો પણ
અનુભવ કરાવે છે. આ જ તેમની કળાની સૌથી મોટી વિશેષતા છે. તેમના સંગીતમાં ભારતીય શાસ્ત્રીય પરંપરાની ઊંડાઈ છે, પરંતુ રજૂઆતમાં વૈશ્વિક દૃષ્ટિકોણ જોવા મળે છે. કદાચ આ કારણસર વિશ્વભરના સંગીતપ્રેમીઓ તેમને
સમાન આદર આપે છે.

- Advertisement -

સફળતા ઘણીવાર માણસને અહંકાર તરફ લઈ જાય છે, પરંતુ ઝાકિર હુસેનનું વ્યક્તિત્વ તેનો અપવાદ છે. વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત મંચો પર પ્રસ્તુતિ આપ્યા પછી પણ તેઓ પોતાને સતત શીખતો વિદ્યાર્થી માનતા હતા. તેઓ
દરેક સંગીતકારનો આદર કરે છે, પછી ભલે તે નવોદિત હોય કે મહાન ઉસ્તાદ. તેમની આ નમ્રતા તેમને માત્ર મહાન કલાકાર જ નહીં, પરંતુ મહાન મનુષ્ય પણ બનાવે છે. આજીવન કોઇ પણ પ્રકારનો વિવાદ આપણને જોવા
મળશે નહીં. આમ, તો તબલાં વાદકોના ફાળે અન્ય સંગીતકારો સાથે તાલ મીલાવવાનું જ આવતું હોય છે. સ્વતંત્ર સંગીતકાર તરીકે તેમને નામના મળવી અઘરી હોય છે. પણ ઝાકીર હુસેન એક એવી પ્રતિભા છે જેમણે વિશ્વના
સંગીતકારો સાથે તાલ મીલાવી ભારતીય સંગીતનું નામ વિશ્વમાં ગાજતું કર્યું છે. પોતાના સંગીત વારસાને આગળ ધપાવવા તેમણે અનેક યુવાનોને સંગીત શિખવા માર્ગદર્શન પણ આપ્યું. ડિસેમ્બર ૨૦૨૫માં તેમનું અવસાન થયું
હતું. ભારતીય સંગીતના આ અણમોલ સિતારાએ પોતાની આત્મકથા તો લખી હોય એવું મારા ધ્યાનમાં નથી. પણ તેમના જીવન પરનું આ પુસ્તક લોકોએ ખાસ વાંચવુ રહ્યું.

You Might Also Like

ચૂંટણી જીતવા માટે સભાઓ કરતાં સંગઠન વધુ મહત્વનું

કફ અને સૂફી ખાંસી માટે રામબાણ ઈલાજ છે : સિતોપલાદી ચૂર્ણ

કલાકારની પ્રામાણિકતા

પરા પશ્યતિ મધ્યમા ને વૈખરી..

ગુરુગીતાના પાઠનો મહિમા

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કફ અને સૂફી ખાંસી માટે રામબાણ ઈલાજ છે : સિતોપલાદી ચૂર્ણ
Next Article 150થી વધુ ભૂલવાળા સંસ્કૃત પુસ્તકો મુદ્દે સરકાર ઘેરાઈ : 20 દિવસમાં પુસ્તકો પાછા ખેંચવાની ચીમકી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

ચૂંટણી જીતવા માટે સભાઓ કરતાં સંગઠન વધુ મહત્વનું

Khaskhabar Editor Khaskhabar Editor 31 minutes ago
અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
પુણેમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ
જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ધર્માધ્યક્ષ તરીકે ભક્તિ પ્રકાશદાસ મહારાજની વરણી
પૂરમાં ગંભીર ઇજાગ્રસ્ત 53 વર્ષીય હાથિણ ‘જોયમોતી’ને એરલિફ્ટ કરી વનતારા લવાઈ
150થી વધુ ભૂલવાળા સંસ્કૃત પુસ્તકો મુદ્દે સરકાર ઘેરાઈ : 20 દિવસમાં પુસ્તકો પાછા ખેંચવાની ચીમકી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

ચૂંટણી જીતવા માટે સભાઓ કરતાં સંગઠન વધુ મહત્વનું

Khaskhabar Editor Khaskhabar Editor 31 minutes ago
Authorમનીષ આચાર્ય

કફ અને સૂફી ખાંસી માટે રામબાણ ઈલાજ છે : સિતોપલાદી ચૂર્ણ

Khaskhabar Editor Khaskhabar Editor 56 minutes ago
Author

કલાકારની પ્રામાણિકતા

Khaskhabar Editor Khaskhabar Editor 57 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?