By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારત અને પાકિસ્તાન વચ્ચે ન્યૂક્લિયર વોર થઈ હોત, અમે એને રોકી: ટ્રમ્પ
    1 day ago
    દુબઈમાં કેરળ સમુદાય દ્વારા પાકિસ્તાનના શાહિદ આફ્રિદીનું સ્વાગત કરવામાં આવતા લોકોમાં રોષ: ‘શરમજનક’
    2 days ago
    ટ્રમ્પની ટેરિફ વોર: અમેરિકામાં વિદેશી સ્ટીલ પર 50 ટકા ટેરિફ લાદવામાં આવ્યું
    2 days ago
    બલુચિસ્તાન લિબરેશન આર્મીએ પાકિસ્તાનના સુરાબ શહેર પર કબજો કર્યો
    2 days ago
    1 જુલાઈથી ફ્રાન્સમાં જાહેરમાં ધુમ્રપાન કરવા પર પ્રતિબંધ, નિયમ ભંગ કરનારને 13 હજાર રૂપિયાનો દંડ કરાશે
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઉત્તર પશ્ચિમ ભારતમાં પશ્ચિમી વિક્ષેપ સાથે આગામી 4-5 દિવસ સુધી ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદ પડશે
    2 days ago
    ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન પાકિસ્તાને સૌથી પહેલા સંપર્ક કરી સીઝફાયરની રજૂઆત કરી હતી: પૂર્વ વિદેશ મંત્રી સલમાન ખુર્શીદ
    2 days ago
    PM મોદી ભોપાલમાં, દેવી અહલ્યાબાઈ મહિલા શક્તિકરણ મહાસંમેલનમાં ભાગ લીધો
    2 days ago
    થરૂરની નારાજગી બાદ કોલંબિયાએ પાકિસ્તાન અંગેનું નિવેદન પાછું ખેંચ્યું
    2 days ago
    ઉત્તરાખંડમાં વરસાદની ચેતવણી: કેદારનાથ હાઇવે પર ભૂસ્ખલન, એક શ્રદ્ધાળુનું મોત, પાંચ લોકો ઘાયલ થયા
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશના ખેલાડીઓ વચ્ચે બબાલ, મેદાનમાં બાખડ્યા
    4 days ago
    PBKS vs RCB: આજની મેચમાં જે ટીમ જીતશે એ સીધી ફાઇનલમાં, અને જે ટીમ હારશે એને એક મોકો મળશે
    4 days ago
    55 વર્ષીય કામી રીતા શેરપાએ 31 વખત માઉન્ટ એવરેસ્ટ ચઢીને પોતાનો જ રેકોર્ડ તોડ્યો
    5 days ago
    પંજાબનું સ્થાન ટોપ-ટુમાં ફાઈનલ : મુંબઈ 4થા ક્રમે, એલિમિનેટર રમવો પડશે
    5 days ago
    IPL 2025 ના સમાપન સમારોહ દરમિયાન BCCI ભારતીય સશસ્ત્ર દળોનું સન્માન કરશે
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    લગ જા ગલે નામની ફિલ્મમાં ટાઈગર સાથે જાહ્નવી દેખાશે! લોકોએ કરી ટીકા
    3 days ago
    ગુજરાતના થિયેટર કિંગ કૌસ્તુભ ત્રિવેદીનું 69 વર્ષની વયે નિધન!
    5 days ago
    આ કારણથી પ્રભાસની સ્પિરિટ ફિલ્મમાં દીપિકાને રિપ્લેસ કરવામાં આવી
    6 days ago
    ગૌહર ખાન સાથે બ્રેકઅપને લઈને કુશાલ ટંડનએ ખુલાસો કર્યો
    6 days ago
    કાન ફિલ્મ ફેસ્ટિવલ: ભારતીય ફેશન ડિઝાઇનર તરીકે ટીના રંકાએ ગુજરાતનો ડંકો વગાડ્યો
    7 days ago
  • ધર્મ
    ધર્મShow More
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    3 days ago
    આજે શનિજયંતી અને સોમવતી અમાસ
    7 days ago
    આ વખતે 2 દિવસ નિર્જળા એકાદશી છે, જાણો પારણાનો સમય કયો છે
    2 weeks ago
    બલુચિસ્તાન સ્વતંત્ર થશે તો લોહાણા, સિંધી ભક્તજનો માટે બે ઐતિહાસિક હિન્દુ મંદિરોના દ્વાર ખુલશે…
    2 weeks ago
    જાણો આજે ઉજવાતા બુદ્ધ પૂર્ણિમા ત્યોહારના મહત્વ વિશે…
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    5 days ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    1 week ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    3 weeks ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    3 weeks ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: યોગેશ્ર્વર હવે જલ્દી પધારો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Jagdish Acharya > યોગેશ્ર્વર હવે જલ્દી પધારો
AuthorJagdish Acharya

યોગેશ્ર્વર હવે જલ્દી પધારો

Khaskhabar Editor
Last updated: 2022/02/07 at 2:28 PM
Khaskhabar Editor 3 years ago
Share
8 Min Read
SHARE

બહુ મોડું કર્યું, કૃષ્ણ સમો ધર્મપુરુષ મળવો અસંભવ છે, કૃષ્ણની જીવનલીલા અદ્વિતીય છે, એક માનવીના જીવનમાં બની શકે એ બધું એમાં બન્યું છે, એમના જીવનમાં સુખ છે તો સંતાપ પણ છે.

કૃષ્ણ અદભુત છે. પૂર્ણ પુરુષોત્તમ છે.
કૃષ્ણ જેવું પાત્ર એક માનવ તરીકે તો શું પણ યુગવતાર તરીકે પણ મળવું અસંભવ છે.કૃષ્ણ અને એમનું જીવનચરિત્ર એવું છે કે એમાં હવે કશું ઉમેરી ન શકાયુ.એમાંથી કાંઈ બાદ કરીએ તો કૃષ્ણ કૃષ્ણ ન રહે

કૃષ્ણનું દરેક રૂપ મનમોહક છે.
બાળસખા સુદામાના મુઠી તાંદુલ આરોગી તેનું દારિદ્રય દૂર કરતાં કૃષ્ણ એક ક્ષણમાં શિશુપાલનું માથું ધડથી ઉતારી લેવામાં અચકાતાં નથી

Contents
બહુ મોડું કર્યું, કૃષ્ણ સમો ધર્મપુરુષ મળવો અસંભવ છે, કૃષ્ણની જીવનલીલા અદ્વિતીય છે, એક માનવીના જીવનમાં બની શકે એ બધું એમાં બન્યું છે, એમના જીવનમાં સુખ છે તો સંતાપ પણ છે.કૃષ્ણ અદભુત છે. પૂર્ણ પુરુષોત્તમ છે. કૃષ્ણ જેવું પાત્ર એક માનવ તરીકે તો શું પણ યુગવતાર તરીકે પણ મળવું અસંભવ છે.કૃષ્ણ અને એમનું જીવનચરિત્ર એવું છે કે એમાં હવે કશું ઉમેરી ન શકાયુ.એમાંથી કાંઈ બાદ કરીએ તો કૃષ્ણ કૃષ્ણ ન રહે

યશોદા માતા માટે એ વ્હાલસોયો, નટખટ, શરારતી મીઠડો બાળક છે. જેને દોરડા વડે બાંધી શકાય છે. વૃંદાવનની ગોવાળણો માટે એ છાને પગલે ઘરમાં ઘુસી જતો મટકીફોડ માખણચોર છે. ગોપીઓ માટે એ અપ્રતિમ રૂપમધુરો અને મધુરા અઘરો વડે બાંસુરીની ધૂન રેલાવી સાનભાન ભુલાવી દે તેવી ત્રિભુવન મોહિની પાથરતો કહાન છે.ગાયો અને ગોપબાળો માટે એ ગોવર્ધનધારી રક્ષક ભેરૂબંધ છે.કંસ અને કાલીનાગ માટે એ કાળ છે.રાધા માટે એ યુગોયુગોનો પ્રીતમ છે.અર્જુન અને દ્રૌપદી માટે એ આત્મીય સખો છે.કૃષ્ણ કોમળ છે તો વજ્ર જેવા મજબૂત પણ છે.કૃષ્ણ સાક્ષાત પ્રેમ છે,કરુણાનો સાગર છે પણ જરૂર પડે તો કઠોર પણ બની શકે છે,વધ પણ કરી શકે છે.કૃષ્ણને કોઈ કાળમાં બાંધી ન શકાય,કૃષ્ણની વ્યાખ્યા ન થઈ શકે. કૃષ્ણને કોઈ ઢાંચામાં ઢાળી ન શકાય.કૃષ્ણ અનંત છે.અનંતને કોઈ વર્તુળમાં કેદ ન કરી શકાય.

- Advertisement -

કૃષ્ણ અકળ છે. દોરડે બાંધનાર માતા યશોદાને એ બ્રહ્માંડ દર્શન કરાવે છે અને યુદ્ધના મેદાનમાં વિષાદગ્રસ્ત અર્જુનને વિરાટ દર્શન કરાવી ગીતાનો ઉપદેશ પણ આપે છે. બધા અંતિમો જાણે કે કૃષ્ણમાં સમાઈ ગયા છે. દ્રૌપદીના ચીર પૂરતા કે બાળસખા સુદામાના મુઠી તાંદુલ આરોગી તેનું દારિદ્રય દૂર કરતાં કૃષ્ણ એક ક્ષણમાં શિશુપાલનું માથું ધડથી ઉતારી લેવામાં અચકાતા નથી. ગોપીઓ સાથે રાસક્રીડા કરતો નિર્દોષ બાલકૃષ્ણ મુષ્ટિપ્રહાર વડે મામા કંસને મારવામાં ખચકાટ અનુભવતો નથી.

કૃષ્ણએ કેટકેટલી ભૂમિકાઓ નિભાવી.એ વિષ્ટીકાર પણ બન્યા,એ સંધિવિગ્રાહક પણ બન્યા,સ્વયં પરમ પુરુષોત્તમ હોવા છતાં અર્જુનના સારથી બન્યા અને છેવટે મહાવીનાશ વેરનાર મહાભારતના યુદ્ધનું કારણ પણ એ જ બન્યા.
કૃષ્ણનું ચરિત્ર એવું છે કે એમના વિશે કોઈ આગાહી ન થઈ શકે.એ ક્યારે શું કરશે એ કોઈ જાણી ન શકે.પણ કૃષ્ણ કહે અને કૃષ્ણ કરે એ જ સત્ય હોય એ પણ એટલું જ સાચું.

કૃષ્ણની જીવનલીલા અદ્વિતીય છે. એક માનવીના જીવનમાં બની શકે એ બધું એમાં બન્યું છે. એમના જીવનમાં સુખ છે તો સંતાપ પણ છે. આનંદ છે તો વિપદા પણ છે.મિલન પણ છે અને વિરહ પણ છે.મનુષ્ય અવતાર ધરીને સાક્ષાત ઈશ્વર પણ પૃથ્વીના પટ ઉપર જન્મ લે તો તેમને પણ આ બધા સુખ દુ:ખ ભોગવવા પડે એ બોધ કૃષ્ણનું જીવનચરિત્ર આપે છે.અને નિષ્કામ કર્મ દ્વારા નિસ્પૃહી બની એ જીવન કેવી રીતે જીવાય એ બોધ પણ એમના જીવનચરિત્રમાંથી જ મળે છે.
માણસ માત્ર સુખની અભિલાષા રાખે છે અને દુ:ખથી દૂર ભગવાનો પ્રયત્ન કરે છે.પણ કૃષ્ણ જેવા કૃષ્ણના જીવનમાં કેવી પીડા હતી, કેવી વ્યથા હતી અને કૃષ્ણએ એ ભોગવવી પણ પડી એ એમના જીવનના કેટલાક પ્રસંગો ઉપરથી સ્પષ્ટપણે ફલિત થાય છે.

- Advertisement -

અખિલ બ્રહ્માંડના સ્વામી એવા કૃષ્ણનો જન્મ થયો કારાવાસમાં.જન્મતાની સાથે જ એમના પર મૃત્યુનો ભય હતો.એમના જન્મ સમયે ન શરણાઈ વાગી, ન મીઠાઈ વહેંચાઈ. જન્મની સાથે જ એમનું પરિભ્રમણ શરૂ થઈ ગયું હતું.માતા દેવકી મનભરીને એને નિહાળે,છાતી સરસો ચાંપીને દુગ્ધપાન કરાવે કે વ્હાલભર્યા ચુંબનો ચોડે, વાસુદેવ આ ઘનશ્યામવર્ણી અદભુત પુત્રને ખોળામાં લઇને એના મસ્તક પર વહાલભર્યો હાથ પ્રસારે એ પહેલાંતો એક ટોપલામાં મૂકી આ નવજાત શીશુને લઈ ને ચાલતાં થવું પડ્યું. કાજળઘેરી રાત હતી. બે કાંઠે વહેતી યમુના નદી અને આકાશમાંથી વરસતી અનરાધાર વર્ષાની ભયાનકતા વચ્ચે બાળકૃષ્ણને જન્મદાતા જનેતા અને પિતાથી વિખૂટા પડવું પડ્યું. કૃષ્ણનું મૃત્યુ પણ કેવું હૃદયવિદારક છે? મથુરા વૃંદાવન છોડીને વસાવેલી સોનાની દ્વારકામાં એમના જ વંશના યાદવો વચ્ચે યાદવસ્થળી સર્જાઈ. નજર સામે સમાજ પરિવારનું પતન નિહાળ્યું …

અને છેલ્લે સોમનાથ નજીક પ્રયાગમાં પીપળાના એક વૃક્ષ નીચે એક ધનુર્ધારીના તીરથી વીંધાઈને પ્રાણ ત્યાગે છે ત્યારે સાવ એકલા અટૂલા ભાસે છે. કૃષ્ણએ માનવ જાતિ માટે અમોઘ સંદેશો આપ્યો કે …વધુ વાંચવા અહીં ક્લિક કરો

અમર્યાદ સતા, ધન અને વ્યસનો વિનાશ નોતરે છે અને એ વિનાશને સાક્ષાત ઈશ્વર પણ રોકી શકતાં નથી.
કૃષ્ણએ જીવનને સમગ્રપણે સ્વીકાર્યું છે. તેમના જેવું સાહજીક અને નેયસરગિક પાત્ર શોધ્યું જડે તેમ નથી. કૃષ્ણ સમો ધર્મપુરુષ પણ મળવો અસંભવ છે.”યતો કૃષ્ણ સ્તતો જય”.કૃષ્ણ હોય ત્યાં ધર્મ હોય,ધર્મ હોય ત્યાં વિજય હોય.મહાભારતના યુદ્ધ પહેલાં દુર્યોધન કૃષ્ણ પાસે તેમની સેના માંગે છે.અર્જુન એકલા કૃષ્ણને માંગે છે.કારણ કૃષ્ણ પરમ ધર્મ છે.અને અંતે તો ધર્મનો જ જય થાય છે.

મહાભારતનું યુદ્ધ ધર્મ અને અધર્મ વચ્ચેનું હતું.અધર્મને સહેલાઈથી હરાવી શકાતો નથી.ક્યારેક તો તે ધર્મથી પણ વધુ શક્તિશાળી દીસે છે.પણ યોગેશ્વર કૃષ્ણ જ્યારે ધર્મરથના સારથી હોય ત્યારે ધર્મનો પરાજય સંભવ નથી.કૃષ્ણ યુદ્ધખોર નથી.પણ સાથેજ ડરનાર પલાયનવાદી પણ નથી.અર્ધા રાજ્યને બદલે પાંડવો માટે માત્ર પાંચ ગામની માંગણી દુર્યોધને ન સ્વીકારી ત્યારે એ ક્ષણેજ તેઓ યુદ્ધની ઘોષણા કરી શકે છે અને સારથી બનીને પાંડવોને વિજય પણ અપાવે છે.

મહાભારતના કૃષ્ણ અત્યારે સહુથી વધુ પ્રસ્તુત છે.અધર્મને હણવાની લડાઈ કેવી રીતે લડાય તે કૃષ્ણએ શીખવ્યું છે.કૃષ્ણ વેદિયા કે વેવલા નથી.કૃષ્ણ વ્યવહારુ છે ધર્મની પુન:સ્થાપના માટે શસ્ત્રો ન ઉપાડવાની પોતાની પ્રતિજ્ઞા પણ તેઓ તોડે છે.ભીષ્મને નિષ્ક્રિય કરવા શિખંડીને આગળ ધરવાની કૂટનીતિ પણ કૃષ્ણ અજમાવે છે.કર્ણના રથનું પેઇડું જમીનમાં ખૂંપી જાય છે ત્યારે જ વાર કરવા માટે અર્જુનને ઉશ્કેરે પણ છે.દ્રોણને નાસીપાસ કરવા માટે “અશ્વસ્તથામા મર્યો” એવું દ્વિઅર્થી વાક્ય બોલવા ધર્મરાજા યુધિષ્ઠિરને મજબૂર કરવામાં પણ તેમને સંકોચ નથી થતો.અને ગદાયુદ્ધમાં માહીર દુર્યોધનને પરાસ્ત કરવા એની જાંઘ પર પ્રહાર કરવાનો ભીમને ઈશારો પણ કરે છે.અધર્મને હણવા અને ધર્મની સ્થાપના કરવા માટે ધર્મના પરંપરાગત સિદ્ધાંતોને ઉવેખીને અધર્મનો આશરો લેવામાં પણ કૃષ્ણ પાપ નથી સમજતા.
કૃષ્ણના દરેક રૂપ મધુર છે.દરેક રૂપમાં કૃષ્ણ સંપૂર્ણ છે. પણ સ્વામી વિવેકાનંદે કહ્યું છે તેમ આજના યુગમાં વૃંદાવનવિહારી બંસીધારી કૃષ્ણનું મનન કરવાથી કાંઈ નહીં વળે. આજે જરૂર છે કુરુક્ષેત્રના મેદાનમાં ચક્ર ધરી સિંહનાદ કરતાં કૃષ્ણની.

કુરુક્ષેત્ર દરેક યુગમાં રચાતું રહે છે.અધર્મ અત્યારે ધર્મ પર હાવી થઈ રહ્યો છે.નેતાઓ રાજધર્મ ભૂલી ગયા છે.પ્રજા નમાલી અમે માયકાંગલી થઈ ગઈ છે.ભ્રષ્ટાચારે ભરડો લીધો છે.ગરીબો,પીડિતો અને શોષીતોની પીડાની કોઈને પડી નથી.ન્યાયની દેવી સાચા અર્થમાં આંધળી બહેરી થઈ ગઈ છે.અસત્યની બોલબાલા છે.ધર્મના નામે ધતિંગ ચાલે છે.સમાજ ધર્મના નામે,જ્ઞાતિના નામે,પ્રાંતના નામે છિન્નભિન્ન થવા લાગ્યો છે.ચીન આપણા સન્માન પર ઘા કરે છે.મગતરાં જેવા પાકિસ્તાન અને નેપાળ દરરોજ ઉંબાડીયા કરે છે.ચોમેર અજંપો છે.પ્રજા જાણે કે વિષાદ યોગથી પીડાઈ રહી છે ત્યારે આજે ખપ છે કુરુક્ષેત્રમાં પંચજન્યનો નાદ કરનારા મહાપ્રતાપી કૃષ્ણની.આજે જરૂર છે યોગેશ્વર તમારી સહુથી વધારે. કૃષ્ણને એટલી જ પ્રાર્થના કે પ્રભુ!બહુ મોડું થયું,હવે જલ્દી પધારો..

You Might Also Like

સનાતનમાં સ્ત્રી સશક્તિરણનું અજોડ ઉદાહરણ: મહારાણી અહિલ્યાબાઈ હોલકર

મહાન મનુષ્યોને એ અભિશાપ હોય છે કે, તેમની ભૂલોની ભરપાઈ હંમેશાં લાખો-કરોડો લોકોએ કરવી પડતી હોય છે…

વો ભૂલી દાસ્તાન..‘મામાનું ઘર’: ઉનાળું વેકેશનની મોજ

અત્ર તત્ર સર્વત્ર વ્યાપેલું ભસ્માસુર રસાયણ

ગ્રીનકાર્ડ કોના માટે છે?

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટના પોલીસ કમિશનર કેસની તપાસ એડિશનલ DGP વિકાસ સહાયને સુપરત
Next Article દ્વારકા: કૃષ્ણનાં ભવ્ય જીવનનું સાંપ્રત પ્રતિબિંબ!

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

ખાખીને કલંકિત કરતી ઘટના, અમરેલીમાં બે પોલીસ કર્મી વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
શાપરમાં પરપ્રાંતિય શ્રમિક પરિવારના 7 વર્ષના બાળકને કૂતરાંના ટોળાંએ ફાડી ખાધો
ઉચાપત કેસમાં જે. કે. ટ્રેડિંગના બંને ભાગીદારોને જામીન મુક્ત કરતી સેશન્સ કોર્ટ
લાજપોર મધ્યસ્થ જેલ ખાતે CPR તાલીમ તેમજ મેડીકલ કેમ્પનું આયોજન
મોરબીમાં સાવકા પિતા એ પુત્રી સાથે દુષ્કર્મ આચર્યું, પત્નીએ છાતીમાં પાટા મારી હત્યા કરી નાખી
મોરબીમાં સરકારના પોષણ સંગમ કાર્યક્રમ અન્વયે 1 દિવસીય વર્કશોપ યોજાયો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

સનાતનમાં સ્ત્રી સશક્તિરણનું અજોડ ઉદાહરણ: મહારાણી અહિલ્યાબાઈ હોલકર

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
Kinnar Acharya

મહાન મનુષ્યોને એ અભિશાપ હોય છે કે, તેમની ભૂલોની ભરપાઈ હંમેશાં લાખો-કરોડો લોકોએ કરવી પડતી હોય છે…

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
Hemadri Acharya Dave

વો ભૂલી દાસ્તાન..‘મામાનું ઘર’: ઉનાળું વેકેશનની મોજ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?