ગુજરાતમાં સતત ત્રીજા દિવસે સીંગતેલના ભાવમાં વધારો થયો છે. જે બાદ સીંગતેલના ડબ્બાના ભાવ 2860થી વધીને 2960એ પહોંચી ગયા છે.
રાજ્યમાં વધતી જતી મોંઘવારી વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. સીંગતેલના ભાવમાં ફરી એકવખત ભડકો થયો છે. આજે ત્રીજા દિવસે સીંગતેલના ડબ્બાના ભાવમાં વધારો થયો છે. ત્રણ દિવસમાં સીંગતેલના ભાવમાં રૂ.100નો વધારો થતાં ગૃહીણીઓમાં દેકારો બોલી ગયો છે. સીંગતેલના ભાવો વધતા મધ્યમ અને ગરીબ વર્ગના લોકોનું બજેટ ખોરવાઈ ગયું છે.
- Advertisement -
ડબ્બાનો ભાવ રૂ.2960 પર પહોંચ્યો
આજે સતત ત્રીજા દિવસે સીંગતેલના ભાવ વધ્યા છે. જે બાદ સીંગતેલના ડબ્બાનો 2860થી વધીને રૂ.2960 થયા છે. ત્રણ જ દિવસમાં 100નો ધરખમ ઉછાળો થયો છે. ડબ્બાનો ભાવ રૂ.2960 રૂપિયા પર પહોંચ્યો છે. લગ્નસરાની સીઝન ભાવ વધારા માટે જવાબદાર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. અન્ય તેલોના ભાવમાં વધારા કોઈ મોટો તફાવત નથી.
ખાદ્યતેલોમાં ફરી એક વખત આગ જરતી તેજી
વેપારીઓનું કહેવું છે કે, મગફળી કપાસની હાલ યાર્ડમાં ઓછી આવક છે. તેમજ હાલમાં જે કમોસમી વરસાદ પડ્યો છે તેના કારણે ઉનાળુ પાકને પણ અસર પહોંચી છે. જે સહિતના કારણો આગળ ધરી ખાદ્યતેલોમાં ફરી એક વખત આગ જરતી તેજી જોવા મળી રહી છે.
ગૃહણીઓનું બજેટ ફરી એક વાર ખોરવાયું
રાજ્યમાં કમોસમી વરસાદના કારણે વિવિધ પાકોમાં મોટું નુકસાન થતાં વિવિધ ખાદ્ય તેલમાં ભાવ વધારો જોવા મળી રહ્યો છે. કમોસમી કમઠાણના કારણે ઉનાળું પાકમાં અસર થઈ છે. મગફળી સહિતના પાકમાં ભારે નુકસાન થયું હોવાનું ખેડૂતો જણાવી રહ્યાં છે. ખાદ્ય તેલમાં ભાવ વધારાના પગલે ગૃહણીઓનું બજેટ ફરી એક વાર ખોરવાયું છે. થોડા સમય પહેલા ભાવ ઘટ્યાં હતાં. જોકે, થોડા જ સમયમાં ફરી ભાવ વધારો થયો છે.